-
પંચ સૂત્ર
પ્રથમ સૂત્ર
પાપ પ્રતિઘાત
ણમો વીતરાગાણં સવ્વણ્ણૂણં દેવિંદપૂઇયાણં જહટ્ઠિય-વત્થુવાઈણં તેલોક્કગુરૂણં અરુહંતાણં ભગવંતાણં
જે એવમાઇક્ખંતિ – ઇહ ખલુ અણાઇજીવે, અણાદિજીવસ્સ ભવે અણાદિ – કમ્મસંજોગ -નિવ્વત્તિએ, દુક્ખરુવે, દુક્ખફલે, દુક્ખાણુબંધે એયસ્સ ણં વુચ્છિત્તી સુદ્ધધમ્માઓ. સુદ્ધધમ્મસંપત્તી પાવ-કમ્મવિગમાઓ. પાવકમ્મવિગમો તહાભવ્વત્તાદિભાવાઓ
તસ્સ પુણ વિવાગસાહણાણિ ૧ ચઉસરણગમણં ૨ દુક્કડ-ગરિહા ૩ સુકડાસેવણં, અઓ કાયવ્વમિણં હોઉકામેણં સયા સુપ્પણિહાણં, ભુજજો ભુજજો સંકિલિસે, તિકાલમસંકિલિસે.
જાવજજીવં મે ભગવંતો પરમતિલોગણાહા અણુત્તર-પુણ્ણસંભારા ખીણરાગદોસમોહા, અચિંતચિંતામણી, ભવજલહિપોયા, એગંતસરણ્ણા અરહંતા સરણં.
તહા પહીણજરામરણા અવેયકમ્મકલંકા પણટ્ઠવાબાહા, કેવલનાણદંસણા, સિદ્ધિપુરવાસી, નિરુવમસુહસંગયા, સવ્વહા કયકિચ્ચા સિદ્ધા સરણં.
તહા પસંતગંભીરાસયા, સાવજ્જજોગવિરયા પંચવિહાયારજાણગા, પરોવયારનિરયા, પઉમાઇણિદંસણા, ઝાણજઝયણસંગયા, વિસુજઝમાણભાવા સાહૂ સરણં.
તહા સુરાસુરમણુયપૂઇઓ, મોહતિમિરંસુમાલી, રાગદોસ વિસપરમમંતો, હેઊ સયલકલ્લાણાણં, કમ્મવણવિહાવસૂ, સાહગો સિદ્ધભાવસ્સ, કેવલિપણ્ણત્તો ધમ્મો જાવજજીવં મે ભગવં સરણં.
સરણમુવગઓ અ એએસિં ગરિહામિ દુક્કડં.
જ ણં અરહંતેસુ વા, સિદ્ધેસુ વા, આયરિએસુ વા, ઉવજઝાએસુ વા, સાહૂસુ વા, સાહુણીસુ વા, અન્નેસુ વા ધમ્મટ્ઠાણેસુ માણણિજ્જેસુ પૂયણિજ્જેસુ, તહા માઈસુ વા, પિઈસુ વા, બંધૂસુ વા, મિત્તેસુ વા, ઉવયારીસુ વા, ઓહેણ વા જીવેસુ, મગ્ગટ્ઠિએસુ, અમગ્ગટ્ઠિએસુ, મગ્ગસાહણેસુ, અમગ્ગ-સાહણેસુ, જં કિંચિ વિતહમાયરિયં અણાયરિયવ્વં અણિચ્છિયવ્વં પાવં પાવાણુબંધિ સુહમં વા બાયરં વા મણેણ વા વાયાએ વા કાએણ વા કયં વા કારિયં વા અણુમોઇયં વા રાગેણ વા દોસેણ વા મોહેણ વા, એત્થ વા જમ્મે જમ્મંતરેસુ વા, ગરહિયમેયં દુક્કડમેયં ઉજિઝયવ્વમેયં, વિઆણિયં મએ કલ્લાણમિત્તગુરુભયવંત-વયણાઓ, એવમેયં તિ રોઇયં સદ્ધાએ, અરહંત-સિદ્ધસમક્ખં ગરહામિ અહમિણં “દુક્કડમેયં ઉજિઝયવ્વમેયં’ એત્થ મિચ્છામિ દુક્કડં, મિચ્છામિ દુક્કડં, મિચ્છામિ દુક્કડં.
હોઉ મે એસા સમ્મં ગરહા. હોઉ મે અકરણનિયમો. બહુમયં મમેયં તિ ઇચ્છામિ અણુસટ્ઠિં અરહંતાણં ભગવંતાણં ગુરુણં કલ્લાણ-મિત્તાણં તિ.
હોઉ મે એએહિં સંજોગો. હોઉ મે એસા સુપત્થણા. હોઉ મે એત્થ બહુમાણો. હોઉ મે ઇઓ મોક્ખબીયં. પત્તેસુ એએસુ અહં સેવારિહે સિયા, આણારિહે સિયા, પડિવત્તિજુત્તે સિયા, નિરઇઆરપારગે સિઆ.
સંવિગ્ગો જહાસત્તીએ સેવેમિ સુકડં. અણુમોએમિ સવ્વેસિં અરહંતાણં અણુટ્ઠાણં, સવ્વેસિં સિદ્ધાણં સિદ્ધભાવં, સવ્વેસિં આયરિયાણં આયારં, સવ્વેસિં ઉવજઝાયાણં સુત્તપ્પયાણં, સવ્વેસિં સાહૂણં સાહુકિરિયં, સવ્વેસિં સાવગાણં મોક્ખસાહણજોગે, એવં સવ્વેસિં દેવાણં સવ્વેસિં જીવાણં હોઉકામાણં કલ્લાણાસયાણં મગ્ગસાહણજોગે.
હોઉ મે એસા અણુમોયણા સમ્મં વિહિપુવ્વિગા, સમ્મં સુદ્ધાસયા, સમ્મં પડિવત્તિરુવા, સમ્મં નિરઇયારા, પરમગુણજુત્તઅરહંતાદિસામત્થઓ, અચિંતસત્તિજુત્તા હિ તે ભગવંતો વીઅરાગા, સવ્વણ્ણૂ પરમકલ્લાણા પરમકલ્લાણહેઊ સત્તાણં.
મૂઢે અમ્હિ પાવે અણાઇમોહવાસિએ, અણભિણ્ણે ભાવઓ હિયાહિયાણં અભિણ્ણે સિયા, અહિયનિવિત્તે સિયા, હિયપવિત્તે સિયા, આરાહગે સિયા, ઉચિયપડિવત્તીએ સવ્વસત્તાણં, સહિયં તિ ઇચ્છામિ સુક્કડં, ઇચ્છામિ સુક્કડં, ઇચ્છામિ સુક્કડં.
એવમેયં સમ્મં પઢ઼માણસ્સ સુણમાણસ્સ અણુપ્પેહમાણસ્સ સિઢિ઼લીભવંતિ પરિહાયંતિ ખિજ્જંતિ અસુહકમ્માણુબંધા. નિરણુબંધે વાડસુહકમ્મે ભગ્ગસામત્થે સુહપરિણામેણં કડગબદ્ધે વિય વિસે અપ્પફલે સિયા સુહાવણિજ્જે સિયા, અપુણભાવે સિઆ.
તહા આસગલિજ્જંતિ પરિપોસિજ્જંતિ નિમ્મવિજ્જંતિ સુહકમ્માણુબંધા. સાણુબંધં ચ સુહકમ્મં પગિટ્ઠં પગિટ્ઠ-ભાવજ્જિયં નિયમફલયં સુપ્પઉત્તે વિય મહાગએ સુહફલે સિયા, સુહપવત્તગે સિયા, પરમસુહસાહગે સિયા. અઓ અપ્પડિબંધમેયં અસુહભાવનિરોહેણં સુહભાવબીયં તિ સુપ્પણિહાણં સમ્મં પઢિ઼યવ્વં સોયવ્વં અણુપ્પેહિયવ્વં તિ.
નમો નમિયનમિયાણં પરમગુરુવીયરાગાણં. નમો સેસ-નમોક્કારારિહાણં. જયઉ સવ્વણ્ણુસાસણં. પરમસંબોહીએ સુહિણો ભવંતુ જીવા, સુહિણો ભવંતુ જીવા, સુહિણો ભવંતુ જીવા.
નિત્ય આરાધના વિધિ
ઇશાન ખુણા સન્મુખ શ્રી સીમંધર સ્વામી પ્રભુને ત્રણ ખમાસણા દઈ પ્રાર્થના કરવી, “હે પરમતારક દેવાધિદેવ પ્રભો ! અનાદિકાલથી આજ સુધી અનંત ભવોમાં જીવે જે કાંઇ હિંસા-જૂઠ-ચોરી-મૈથુન-પરિગ્રહ-ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-કલહ-અભ્યાખાન-પૈશુન્ય-પરપરિવાદ-રતિ-અરતિ-માયામૃષાવાદ અને મિથ્યાત્વ શલ્ય એ અઢાર પાપસ્થાનકો સેવન કર્યા હયો, સેવન કરાવ્યા હોય, કરતાં ને અનુમોદ્યા હોય. અનેરું જે કાંઇ વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ આચરણ કર્યું-કરાવ્યું-અનુમોદ્યું હોય તેના માટે હું ત્રિવિધે મિચ્છામિ દુક્કડં દઉં છું. મિચ્છામિ દુક્કડં દઉં છું, મિચ્છામિ દુક્કડં દઉં છું.
હે પ્રભો ! પૂર્વે અનંત ભવોમાંહિ મારા જીવે જે કાંઈ શ્રી અરિહંત દેવો, ગુરૂ ભગવન્તો, શ્રી જૈનધઘર્મની વિરાધના કરી હોય આશાતના કરી હોય, ઉત્સૂત્ર પ્રરૂપણ કર્યું હોય તો તેના માટે હું મિચ્છામિ દુક્કડં દઉં છું, મિચ્છામિ દુકક્ડં દઉં છું.
હે પ્રભો ! આપની ભક્તિના પ્રભાવે મને શ્રી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નની પ્રાપ્તિ થાઓ ! ભવોભવ આપના ચરણની સેવા મળે જેના પ્રતાપે હું જિન આજ્ઞા અનુસાર આરાધના કરવા પૂર્વક કર્મોનો નાશ કરી મોક્ષ સુખ પ્રાપ્ત કરૂં.
હે પ્રભો ! આપની કૃપાથી મને એવી શક્તિ પ્રાપ્ત થાઓ, જે દ્વારા હું મારા કર્તવ્યો નીતિ-ન્યાય-અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય-અપરિગ્રહ વ્રતોનું પાલન કરી શકું. પ્રાણિમાત્ર પ્રત્યે મૈત્રીભાવના, ગુણ શીલ પ્રત્યે પ્રમોદ ભાવના, દીન દુઃખી પ્રત્યે કરુણા ભાવના, ધર્મ વિહુણા પ્રત્યે મધ્યસ્થ ભાવના ભાવનારો બનું.
સર્વથા સહુ સુખી થાઓ, પાપ ન કોઈ આચરો,
રાગ-દ્વેષથી મુક્ત થઈને, મોક્ષ સુખ હુ જગ વરો,સવારે ઊઠવાની વિધિ
સવારે ઊઠવાની મંગલકારી વિધિ શું છે તમને ખબર છે ?
‘સૂતાં સાત ઊઠતાં આઠ’ સવારે ઊઠતી વખતે આંખો બંધ કરી અંજલિબદ્ધ પ્રણામ (બન્ને હાથના અંગૂઠા સામ-સામા રાખી જમણા હાથની આંગળીઓ ઉપર આવે તેમ બન્ને હાથની આંગળીઓ ભેગી કરવી) સાથે આઠ કર્મને દૂર કરવા આઠ નવકાર ગણવા.
અંજિલને ખોલી સિદ્ધશિલા અને એની ઉપર બિરાજમાન ૨૪ તીર્થંકર પરમાત્માના દર્શન કરવા. પુરૂષોએ પહેલાં જમણો હાથ અને બહેનોએ ડાબો હાથ જોવો. ચોવીશે વેઢામાં ક્રમસર તે-તે તીર્થ અને તીર્થંકર પરમાત્માના આનંદભેર દર્શન કરી પાવન થવું. એક-એક નવકાર પણ ગણી શકાય.
સ્વર-શ્વાસ જોઈ જે સ્વર ચાલતો હોય એ પગ પથારીથી નીચે મૂકવો. ત્યારબાદ નીચે મુજબ વર્તમાન ભાવતીર્થંકર સ્વરૂપ શ્રી સીમંધરસ્વામીજી પાસે પ્રાર્થના કરી શકાય(અહિં પૂર્વના પાનાની વિધિ લેવી.)
રાત્રિના ખરાબ સ્વપ્નના દોષ કે પાપને નિવારવાની પણ વિધિ છે એ તમને ખબર છે ?
સામાયિક-પ્રતિક્રમણ કરવાં. છેવટે ન થાય તો કમ-સે-કમ રાત્ર આવેલ ખરાબ સ્વપ્નાદિ દોષોના નિવારણ માટે કુસુમિણ-દુસુમિણ ઓહડાવર્ણાર્થં રાઇય પાયચ્છિત્ત વિસોહણત્થં કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છં કુસુમિણ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ.
૪ લોગસ્સ બ્રહ્મચર્યનાશક સ્વપ્ન આવ્યું હોય તો સાગરવરગંભીરા સુધી (નહીં તો ચંદેસુ નિમ્મલયરા સુધી) અથવા ૧૬ નવકારનો કાઉસગ્ગ પાળીને ઉપર એક લોગસ્સ.
પછી હાથ જોડી સાત લાખ અને પહેલે પ્રાણાતિપાત બોલવા…
પ્રભુ દર્શનની શાસ્ત્રીય વિધિ
જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત,
જ્ઞાન વિના જગ જીવડો, ન લહે તત્ત્વ સંકેત.
વિધિનું જ્ઞાન શા માટે જરૂરી…
વિધિથી નિરપેક્ષ રહીને ગમે તેવી કીંમતી પૂજા કરવામાં પણ થવો જોઈએ તેવો આત્મિક લાભ આપણને પ્રાપ્ત થઈ શકતો નથી…
રૂપિયાની કમાણી ‘ચાર આનામાં’ વેડફાઈ ન જાય તે માટે શાસ્ત્રીય વિધિ જાણીને…શક્ય હોય તેટલી અવિધિ દૂર કરી, શુદ્ધ ક્રિયા કરવા માટે વિધિનું જ્ઞાન જરૂરી છે…
માટે જ જ્ઞાની ભગવંતો ફરમાવે છે, કે – “પહેલું જ્ઞાન ને પછી રે ક્રિયા, નહીં કોઈ જ્ઞાન સમાન રે..”
પ્રભુદર્શનનું શુદ્ધ-પૂર્ણ ફળ પામવા શું કરવું અને શું ન કરવું ? તે જાણો છો ?પ્રભુદર્શન કરવા જઈએ ત્યારે બીજું સાંસારિક કામ સાથે ન રાખવું. (દૂધનું ટમલર કે શાકની થેલી આદિ સાથે ન લેવા.)
પ્રભુના દેરાસરના શિખરનું દર્શન થાય ત્યારે લલાટે હાથ જોડી ‘નમો નિત્યસ્સ’ કહો.
દેરાસરમાં પ્રવેશ કરતી વખતે ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ ખિસ્સામાં ન રખાય. (દવાની ટીકડી પણ નહિ) મોઢું એઠું હોય તો પાણીથી સાફ કર્યા પછી જ પ્રવેશ કરવો.
ઉર્ધ્વગતિ પમાડનારી પરમાત્માની ‘આજ્ઞા’ મસ્તકે (આજ્ઞાચક્ર ઉપર) ચઢાવું છું.તેવા ભાવ સાથે ભાઈઓએ શિખા કે બદામ આકારનું અને બહેનોએ સમર્પણ ભાવના પ્રતીક સમાન સૌભાગ્ય સૂચક ગોળ ‘તિલક’ કરવું કે જેથી સંસારની મમતાથી શૂન્ય બની જ્ઞાનાનંદની સંપૂર્ણતા પમાય.
ધૂપ સ્વદ્રવ્યથી લાવેલું હોય તો શ્રેષ્ઠ. જો ત્યાંનું જ લેવું હોય તો વિવેક રાખવો. પહેલાંથી ધૂમદાનીમાં ધૂપ ચાલું જ હોય તો એનાથી ધૂપ કરવો. ન હોય તો એક(બે-ત્રણ નહિ) ધૂપની સળી લઈ ધૂપ કરવો. (ચરબીવાળી કે લાકડીવાળી અગરબત્તી ન વાપરવી.)
ધૂપ અને દીપપૂજા ગભારા બહાર રહીને કરવી…ભગવાનની એકદમ નજીક કે નાકની પાસે ધૂપદાનીને લઈ જવી અવિધિ છે.
ધૂપ-દીપ કે આરતી નાકથી ઉપર અને નાભિથી નીચે ન લઈ જવી.
ધૂપ ભગવાનની ડાબી બાજુ (આપણી જમણી) રાખો અને દીપક ભગવાનની જમણી બાજુ (આપણી ડાબી બાજુ) મૂકવો.
સંસાર નૃત્ય મુક્ત થવા માટે ચામર વીંઝતાં નૃત્યપૂજા કરવી. પછી દર્પણમાં પ્રભુનું મુખ જોઈ પંખો નાંખવો. જેથી મિથ્યાત્વ દુર્ગંધ દૂર થઈ પરમાત્મારૂપ આત્મસ્વરૂપના દર્શન થાય.
“નિસીહ” નો અર્થ શું ? અને ક્યા ભાવથી આ બોલવું તે યાદ રાખશો ?
નિસીહ એટલે સંસારના તમામ પાપ-વિચારો-વ્યાપારોનો ત્યાગ કરું છું.
પહેલાં મુખ્ય દ્વારે નિસીહે બોલી ને પ્રવેશ કરવો. દ્વારના ઉંબરામાં બે વાઘ જેવા જલગ્રાહના મોઢા છે. એ બન્ને રાગ-દ્વેષના પ્રતીક માની ‘હું રાગ-દ્વેષ ઉપર મગ મૂકીને અંદર જાઉં છું, માટે ગમે તેવ સંયોગો આવે તો પણ દેરાસરમાં રાગ-દ્વેષ નહિ કરું.’ એવી ઉત્તમ ભાવના ભાવવી. ( એ બેની વચ્ચે જે ગોળાકાર છે ત્યાં હાથથી સ્પર્શ કરી માથે ચડાવી શકાય.) અહંકારથી શૂન્ય બની સંપૂર્ણ સમર્પણનો ભાવ કરવો.
પ્રભુ દર્શન થતાંની સાથે જ પુરૂષોએ લલાટે અને બહેનોએ મુખ આગળ અંજલીબદ્ધ પ્રણામ કરી ‘નમો જિણાણં’ બોલવું.
છેલ્લે પ્રભુ દર્શન તથા પૂજનથી થયેલા હર્ષને વ્યક્ત કરવા બીજા કોઈને* અંતરાય ન થાય તેમ હળેવતી ‘ઘંટ’ વગાડવો. પ્રબુજીને ‘પુંઠ’ ન પડે તે રીતે જિનાલયની બહાર નીકળવું. ન્હવણ જળ લેવું. ઓટલે બેસી આંખો બંધ કરી ત્રણ નવકારનું સ્મરણ કરી હૃદયમાં ભક્તિભાવોને સ્થિર કરવા. પૂ. સાધુ-સાધ્વીજી ભ. ઉપાશ્રયમાં બિરાજમાન હોય તો ત્યાં જઈને ગુરૂવંદન કરી તેમના ‘શ્રીમુખે’ ફરી પચ્ચક્ખાણ ગ્રહણ કરવું. આજે થયેલા સુકૃતના આનંદ સાથે અને પ્રભુ વિહરનાં દુઃખ સાથે ગૃહ તરફ પ્રયાણ કરવું.
જિનાલયમાં ધ્યાનમાં રાખવાલાયક સૂચનો. (૪૫)
૧. પ્રભુદર્શન કે પૂજા કરવા દેરાસક ક્યારેક ખાલી હાથે જવું નહીં, ધુપ, અક્ષત, પૂજનાં ઉપકરણો તથા ભંડારમાં પુરવા પૈસા વિ. અવશ્ય સાથે લઈને જવું જોઈએ.
૨. દેરાસર પૂજા-દર્શન કરવા આવતાં જતાં ત્યાં બેઠેલા ગરીબોને રોજ યથાશક્તિ દાન આપવું.
૩. દેરાસરનાં કંપાઉન્ડમાં પ્રવેશ ક ર્યા પછી સંબંધી કે ઓળખીતાઓ સાથે પરસ્પરના સમાચાર પૂછવા નહિ…ધંધા કે સંસાર સંબંધી કોઈપણ વાતચીત કરવી જોઈએ નહી.
૪. પાનપરાગ, ગુટખા, બીડી-દવા, ખાવા-પીવાની વસ્તુ કે તેલ-છીંકણી…સુંઘવાની-લગાડવાની કોઈપણ વસ્તુ ખીસ્સામાંથી કાઢીને જ જિનાલયમાં પ્રવેશ કરવો. કેમ કે આ બધી વસ્તુ જિનાલયમાં લઈ જવી ઉચિત પણ નથી અને લઈ ગયા પછી વાપરવામાં પ્રભુજીના વિનયનો ભંગ થાય છે.
૫. એંઠુ મોં સાફ કર્યા પછી જ દેરાસરમાં પ્રવેશ કરવો જોઈએ.
૬. તિલક કરતી વખતે દર્પણમાં વાળ ઓળવા કે કપડાં ઠીકઠાક કરવા જોઈએ નહીં. પ્રભુની નજર પડતી હોય તેવા સ્થાને તિલક કરી શકાય નહીં તથા મુગટ કે હાર પહેરી શકાય નહીં.
૭. દર્શન-પૂજા કરતાં પાછળનાઓને અને સ્તુતિ-ચૈત્યવંદન બોલતાં સમયે બીજાઓને અંતરાય ન થાય તેની ખાસ કાળઝી રાખી.
ગભારામાં પ્રવેશ કરતાં પહેલાં…
૮. અષ્ટપડવાળો મુખકોશ બાંધ્યા વિના ગભારામાં પ્રવેશ કરી શકાય નહીં. ગભારમાં દૂહાઓ મોટેથી બોલાય નહીં. મનમાં બોલવા જોઈએ.
૯. પૂજા કરતી વખેત ભાઈઓએ ખેસ વડે જ આઠ મુખખોસ બાંધવો જોઈ, રૂમાલ વાપરવો ઉચિત નથી.
૧૦. પૂજા કરાવનો હાથ પાણીથી ધોઈ, ધુપ થી ધુપી, પવિત્ર કર્યા બાદ ગભારાના ઉંબેર, શરીર કે કપડે ન અડાડતાં સીધી પૂજા કરવા ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખવો.
૧૧. પૂજા કરતાં સમયે ઘડિયાળ પહેરવી ઉચિત નથી, હાથની આંગળીઓમાં વીંટી તથા શીરરે ઘરેણાં યથા શક્તિ અવશ્ય પહેરવાં જોઈએ.
૧૨. પંચધાતુના પ્રભુજીને એક હાથથી ન પકડતાં બન્ને હાથથી બહુમાનપૂર્વક થાળીમાં લેવા જોઈએ.
૧૩. પૂજા કરતાં શરીર-માથું વિ. ખંજવાળવું નહીં, છીંક, બગાસું, ઓડકાર વાછુટ વિ. કરવી નહીં, તેવી શક્યાતા લાગે તો ગભારાની બહાર નીકળી જવું, કાર્ય પૂર્ણ થયા બાદ હાથ વિ. અશુદ્ધ થયા હોય તો ધોઈને શુદ્ધ કરી લેવા.
પૂજામાં…ભાવોની વૃદ્ધિ કઇ રીતે થઈ શકે….
૧૪. અષ્ટપ્રકારી પૂજા અને નવાંગી પૂજા કરતાં પહેલાં તેના ભાવાર્થનું લખાણ શાંતિથી વાંચીને વિચારવું અને કરતી વખતે ભાવપૂર્ણ કરવું.
બધા ભગવાનની ટાઇપિસ્ટની જેમ જલદી જલદી પૂજા કરવા કરતાં અર્ત સમજીને વિધિ અને ભક્તિ જળવાઈ રહે તે રીતે શક્ય એટલા ભગવાનની શાંતિથી પૂજા કરવી તે આપણા ભાવોની વૃદ્ધિ માટે લાભદાયી બની શકે છે તેમાં મન સધાવાથી સઘળું સધાય છે.
પ્રભુજીને ચંદન પૂજા, લોકપ્રિય રાજને વિજય તિલક કરીએ તેના કરતાં અધિક રજથી… પ્રેમથી .. ઉલ્લાસપૂર્વક ભાવના ભાવતાં ભાવતાં કરવી જોઈએ.
૧૫. દૂધના પ્રક્ષાલથી ધારા પ્રભુજીના મસ્તકશિખાએથી કરવાની છે. નવાંગી પૂજાની જેમ ૧-૧ અંગ પર કરવાની વિધિ નથી.
૧૬. પ્રભુજીના અંગલુંછણા સુંવાળા-સ્વચ્છ હોવો જોઈએ. અંગલુંછણા પવિત્ર રાખવા, આપણાં શીરરને કે વસ્ત્ર અડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, અંગલુંછણા થાળીમાં જ રાખવા, આપણા ખોળામાં, જમીન પર કે ગમે ત્યાં રખાય નહીં. દેવ-દેવીઓ માટે ઉપયોગ કરેલા અંગલુંછમા પ્રભુજીના અંગે વપરાય નહીં.
પૂજા ક્યા ક્રમથી કરશો….
૧૭. ૧) પહેલા મૂળનાયકજી પછી ૨) બીજા ભગવાન તથા સિદ્ધચક્રજીનો ગટ્ટો પછી ૩) ગુરૂમૂર્તિ અને છેલ્લે દેવ-દેવીઓને કપાળે જમણા અંગુઠાથી બહુમાન સ્વૂરૂપે એક જ તિલક કરવું. સિદ્ધચક્રજીના ગટ્ટા પૂજા કર્યા પછી તે જ કેસરથી બીજા ભગવાની પૂજ કર્યા પછી મૂળનાયક ભગવાનની પૂજા કરવામાં કોઈ બાધ નથી.
૧૮. પૂજા કરતાં પ્રભુજીને નખ ન અડે અને નખને કેસર ન અડે તથા પૂજા પૂર્ણ કર્યા બાદ કેસર નખમાં ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું, કેમકે કેસર નખમાં રહી જાય અને ભોજન કરતાં કેસર પીગળીને પેટમાં જાય તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે.
૧૯. ભગવાનના જમણા અંગુઠે સગાં-સંબંધીઓના નામની વારંવાર પૂજા કરવાની કોઈ વિધિ નથી. તેના બદલે સકળ સંઘવતી માત્ર એક તિલક કરી શકાય.
૨૦. નવ અંગ સિવાય પ્રભુજીની હથેળીમાં, લંછનમાં કે પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘની પૂજા કરવાની વિધિ નથી.
૨૧. પ્રભુજીના ખોળામાં માથું મુકાય કે અડાડાય નહીં. પૂજા કરવાની આંગળી, હથેલી સિવાયનું કોઈપણ અગં કે પૂજાનાં કપડાંનો પ્રભુજીને સ્પર્શ થવો ઉચિત નથી. આંગી વખતે કરી શકાય.
૨૨. પાર્શ્વનાથ ભગવાનની ફણા નવઅંગમાં ગણાતી નથી. એથી ફણાની પૂજા કરવાની આવશ્યકતા નથી તેમ છતાં પૂજા કરવાની ભાવના હોય તો અનામિકા આંગળીથી કરવામાં કોઈ બાધ નથી.
૨૩. પ્રભુજીના આંખ, નાક, મુખ કે શરીર પર કેસરના છાંટ પડ્યાં હોય તો તેને અંગલુંછણાથી સ્વચ્છ કરવાનો ખાસ ઉપયોગ રાખવો.
૨૪. પંચધાતુના પ્રભુજીને સુંદર અંગરચના થઈ ગઈ હોય તો પછી તેને નવાંગી પૂજા કરવાનો આગ્રહ રાખવો ઉચિત નથી.
૨૫. પ્રભુજીની પૂજામાં સારા, સુંગધવાળા, તાજા જમીન પર નહીં પડેલાં, અખંડ પુષ્પો જ ચઢવવાં, પુષ્પની પાંદડીઓ છૂટી કરયા નહીં કે પુષ્પો વીંધાય નહીં અને પુષ્પો વીંધીને માઓળા પણ બનાવાય નહીં. પુષ્પોને ક્યારેય પાણીથી ધોવા જોઈએ નહીં, કારણ કે ધોવાથી પુષ્પોમાં રહેલ સૂક્ષ્મ જીવોની વિરાધના થાય છે.
૨૬. પ્રભુજીનું મુખ કે અંગ ઢંકાઈ જાય કે બીજાને પૂજા કરવામાં તકલીફ ન પડેતેવી રીતે વિવેકથી પુષ્પ ચડાવવા જોઈએ.
દેવ-દેવીઓની ભક્તિ કરતાં….
૨૭. દેવી-દેવીઓ આપણા સાધર્મિકો છે. માટે તેમને અંગુઠાથી બહુમાનપૂર્વક કપાળે એક તિલક જ કરવાનું હોય છે. તેમના દરેક અંગ કે ફણામાં પૂજા કરવાની વિધિ નથી. તેમને બે હાથ જોડી પ્રણામ કરવાના છે. તેમને ખમાસમણ દેવાય નહીં કે ચોખાનો સાથિયો કરવાની જરૂર નથી.
ભગવાની કરતાં દેવ-દેવીની વધારે પૂજા-ભક્તિ કરવી તે ઉચિત ન કહેવાય. પરમાત્માની આશાતના કહેવાય. શાસનરક્ષાદિના વિશેષ પ્રસંગે ગીતાર્થ ગુરૂભગવંતના માર્ગદર્શનાનસુરા કરાય.
૨૮. અષ્ટમંગલની પાટલી માંગલિકરૂપે પ્રભુ સન્મુખ રખાય છે. તેને સ્વસ્તિકની જેમ આલેખવાના છે. તેની કેસરથી પૂજા કરવાની કોઈ વિધિ નથી. એટલે કેસરથી તે-તે આકૃતિ આલેખી રહ્યા છો તેવા ભાવથી કેસરની પૂરવણી કરાય.
૨૯. પૂજા કર્યા પછી ગભારાની બહાર નીકળતાં અને જિનાલયમાં દરેક જગ્યાએ પ્રભુજીને પુંઠ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.
૩૦. પૂજા કર્યા પછી થાળી-વાટકી ધોઈને તેના સ્થાને જ રાખવી જોઈએ ગમે ત્યાં મૂકી દેવાય નહીં.
૩૧. પૂજાના વસ્ત્રોથી થાળી-વાટકી સાફ કરવા નહીં, શરીરનો પસીનો કે હાથ લુંછવા તે આશાતના કહેવાય.
સાથિયો કરવાની વિધિ…
૩૧(છ)અક્ષત પૂજામાં ચોખા લીધા બાદ પહેલાં સિદ્ધશિલાની ઢગલી…પછી દર્શન-જ્ઞાન-ચારિત્રની ઢગલી અને છેલ્લે સાથિયાની ઢગલી કરવી. આલેખન કરવામાં પહેલાં સાથિયો અને છેલ્લે સિદ્ધશિલા કરવી.
૩૨. નૈવૈદ્ય પૂજામાં પીપરમેંટ, ચોકલેટ, બજારની મીઠાઈ કે અભક્ષ વસ્તુ મૂકવી ઉચિત નથી.
૩૩. અક્ષત નૈવેદ્ય કે ફળપૂજામાં એકવાર ચઢાવેલ અક્ષત, સાકર, બદામ કે નારિયેળ વિ. વસ્તુ બીજીવાર પૂજાની ઉપયોગમાં કે ખાવાના ઉપયોગમાં લેવાય નહીં.
૩૪. સાથિયો કરવાની ક્રિયા અને ચૈત્યવંદન સાથે કરાય નહીં. બે ક્રિયા ભેગી કરવાની ડહોળાઈ જાય અને ક્રિયાનું હાર્દ જળવાય નહીં.
ચૈત્યવંદન કરતાં સમયે….
૩૫. ચૈત્યવંદન કરતાં પહેલાં ત્રીજી નિસીહિ દ્વારા તમામ દ્રવ્યપૂજાની ત્યાગ કરવાનો છે. માટે ચૈત્યવંદન કરતાં સમયે કોઈ આપણો પાટલો લઈ કે સાથિયો ભૂંસી કાઢે તો તેમને રોકવા નહીં. ચૈત્યવંદન પૂર્ણ થાય ત્યાં સુધી પાટલો આપણી સામે કે સાથે જ રહે તે જરૂર નથી.
૩૬. ચૈત્યવંદન કરતાં સમયે પચ્ચક્ખાણ લેવું નહીં, તેમ ગુરૂભગવંત સ્તુતિ કે ચૈત્યવંનદ વિધિ કરતાં હોય ત્યારે તેમની ભક્તિમાં ખલેલ પાડી પચ્ચખાણ માંગવું નહી.
શું આપ જાણો છો….?
૩૭. પ્રભુજીના અંગ પરથી કેસર ઉતારવું….અંગલુંછણાથી શુદ્ધિ કરવી..દેરાસરમાં કાજો લેવો…થાળી-વાટકી સાફ કરવા…પાટલા વિ. ઉપકરણો વ્યવસ્થિત મૂકવાપણ પ્રભુજીની ભક્તિરૂપ જ છે. તે કાર્યો જાતે કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે અને ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થાય છે. માટે આવાં ઉત્તમ પ્રભુ સેવાનાં કાર્ય કરવામાં સંકોચ રાખવો નહીં.
૩૮. પરમાત્માનું ન્હવણ જલ પવિત્ર હોવાથી લેતી વખતે તેનાં ટીપાં જમીન પર ન પડે તેની કાળજી રાખવી. ન્હવણના વાટકામાં પાંચેય આંગળી ન બોળતાં એક કે બે આંગળીથી ન્હવણ જલ પાત્ર એક જ વખત લેવું. ન્હવણ જલ નાભિથી ઉપરના ભાગ પર લગાડવું.
બહેનો માટે વિશેષ સૂચના..
૩૯. પ્રભુદર્શન અને પૂજન કરતાં સમેય બહેનોએ અવશ્ય માઠું ઢાંકવું જ જોઈએ. વસ્ત્રો પણ આપણી સંસ્કૃતિને છાજે તેવાં જ પહેરવા જોઈએ. મર્યાદાવાળા વસ્ત્રોમાં પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ અને વિનયભાવ પ્રગટે છે. અંગોપાંગ દેખાય તેવાં પારદર્શી વસ્ત્રો કે બીજાને અશુભાવ ઉત્પન્ન થાય તેવા ભડક કલરના કે ટાઇટ વસ્ત્રો પહેરીને દેરાસર આવવું ઉચિત નથી.
૪૦. પૂજા તથા ભાવનામાં પુરૂષોની હાજરીમાં બહેનોએ ગાવું નહીં કે દાંડિયા લેવા જોઈએ નહી. પૂજા તથા ભાવનામાં ભાઈ-બહેનોએ સામ સામે મુખ રાખી બેસવું જોઈએ નહીં. તે કરતાં પ્રભુજીની સન્મુખ મુખ રાખી ભાઈઓએ આગળ અને બહેનોએ પાછળ બેસવું વધારે ઉચિત જણાય છે.
૪૧. પૂજાનાં વસ્ત્રો શરીર પરથી ઉતાર્યા પછી ગમે ત્યાં ગમે તે વસ્ત્રોની સાથે મુકવાથી તથા બીજા વસ્ત્રો સાથે ધોવાથી અપવિત્ર બની જાય છે. માટે અલગ રાખવા તથા અલગ ધોવા જોઈએ.
૪૨. પૂજાનાં વસ્ત્રો દરરોજ અને તે શક્ય ન હોય તો જેમ બને તેમ વહેલાં ધોતાં રહેવું જોઈએ, જેથી તે સ્વચ્છ અને પવિત્ર રહે.
૪૩. જુનાં કે ફાટેલાં ધાર્મિક પુસ્તકો…દેરાસરમાં જ્યાં ત્યાં મુકી જવા તે ઉચિત નથી.
૪૪. પ્રભુની પૂજા એ પ્રબુ માટે નથી, પણ અનાદિ કાળથી વિસરાયેલા આપણા આત્મસ્વરૂપની પ્રતીતિ, અનુભૂતિ અને પ્રાપ્તિ માટે છે.
૪૫. પ્રભુ માત્ર દર્શનીય નથી, પ્રભુ તો પૂજનીય પણ છે. પૂજનીય પ્રભુના માત્ર દર્શન કરી સંતોષ માનવો એ પણ એ જાતની ઉપેક્ષા કહેવાય. માટે જ જે ભાગ્યશાળીઓ માત્ર દર્શન કરી સંતોષ માને છે, તેમણે વહેલામાં વહેલી તકે પ્રભુ પૂજાની શરૂઆત કરી દેવી જ જોઈએ.
પ્રશ્નઃ- અષ્ટપ્રકારી પૂજની વિધિ-અવિધિ સું છે જાણો છો ?
પૂજા વિધિ
• ગાયના શુદ્ધ દૂધથી બન્ને હાથથી કળશને પકડી ભાવથી મૌનપણે મેરૂશિખર મનમાં બોલતાં, અભિષેક કરવો. અભિષેક મસ્તકથી કરવો, પછી પાણીથી અભિષેક કરી ત્રણ અંગલૂછણાં કરવા. પાણી રહે નહિ તેમ ધીમે ધીમે ભગવાનને કોરા કરવા. બનતી કોશિશે વાળાકુંચીનો ઉપયોગ ન કરવો.
• ચંદનથી વિલેપન કરવું. પછી નવાંગીપૂજા કરવી, લંછન-પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘાદિથી પૂજા ન કરાય. પ્રભુના હાથમાં પૂજા ન કરાય, પહેલા મૂળનાયક, પછી બીજ ભગવાન, ગુરૂ, દેવ-દેવી આ ક્રમથી પૂજા કરવી.
• ફૂલ અખંડ ચઢાવવું, પાંખડીઓ તોડી-તોડીને ન ચઢાવાય.
• પછી ધૂપ-દીપ-ચામર-દર્પણ-અક્ષત-નૈવેદ્ય-ફળાદિ અષ્ટપ્રકારી પૂજા કરવી.
• નિસીહિ બોલીને ચૈત્યવંદન કરવું, ચૈત્યવંદન વખતે કોઈ પાટલો લઈ લે કે સાથિયો ભૂસી કાઢે તો વાંધો નહીં. છેલ્લે ઘંટનાદ અને શંખનાદ કરી ભગવાનને પૂંઠ ન થાય તેમ બહાર નીકળવું.
પ્રશ્નઃ પૂજા કરનારની સામે ઊભા થતા વિવિધ પ્રશ્નોના સમાધાનો શું ? જાણવા છે ?
સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી એ જ કેસરથી અરિહંત ભગવાનની પૂજા કરવામાં દોષ નથી.
પૂજારીને નોકર નહિ, પ્રભુના ભક્ત તરીકે સાચવો.
પ્રભુદર્શન અને પૂજન ભવરોગને મટાડી મોક્ષ સુખ આપે છે. માટે ‘પ્રભુ ! મને મોક્ષ આપ’ એવી સુંદર ભાવના ભાવો. અષ્ટમંગલ આલેખવાના છે, એની પૂજા નથી. માટે છેલ્લે ચાર આંગળા વાટકીમાં બોળી એક-એક મંગલ પર હું આલેખું છું એવા ભાવથી ફેરવો.
ફણા ભગવાનનું અંગ જ છે માટે નવાંગી પૂજામાં આવી જાય.
નવાંગી સિવાય કેસરના ટપકાં ન કરો. ભગવાનું રૂપ વધે તેમ આંગી કરો.
પંચ ધાતુના પ્રતિમાજીને એક હાથથી ન પડકો, બન્ને હાથમાં બહુમાનથી લ્યો.
પ્રભુ પક્ષાલને માથે ચઢાવો અને આંખે લગાડો, બાકી આખા શરીરે માલિશ ન કરો.
ગભારામાં કોઈ પૂજા કરતું હોય તો એને ઉતાવળ ન કરાવો.
ઘણા ભગવાનની અવ્યવસ્થિત અને જલદી જલદી પૂજા કરવા કરતાં શાંતિથી ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરો.
દેરાસર આવતાં કે ત્યાં પૂજા કરતા નવવસિખાઉ સાધર્મિક ભાઈઓને પ્રેમથી વિધની જ્ઞાન કરાવો. પરંતુ ધિક્કાર અને તિરસ્કાર કદાપિ ન કરો.
દેરાસરમાં આવતા દરેક સાધર્મિક બે-ચાર જન્મોમાં કદાચ તીર્થંકર બની જાય તો ?
માટે દરેકની સાથે માનથી વાત્સલ્યપૂર્ણ વ્યવહાર રાખો.
નિયમનો લાભ અપાર છે માટે દરોરજ દેરાસર જવાનો નિયમ લ્યો. (જરા હો તોપણ) બીજા પણ નિયમ લ્યો.
ઘરે દેરાસર અને પ્રભુ પ્રતિમા અવસ્ય પધારવો.
પ્રભુ દર્શન-પૂજન વખતે ‘પ્રભો ! પાપી છું ઉદ્ધા કરો’ ની વિનમ્ર ભાવના રાખો. દેરાસરથી પાછા ઘરે જતાં ‘ફરીથી જલ્દી આવીશ’ એવી લાગણી અનુભવો.
પૂજાથી શાંતિ અને પરમશાંતિ મળે છે (ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું.) ભગવાન આ વિશ્વની અચિંત્ય શક્તિ છે. સર્વોચ્ચ સત્તા છે, એણ સતત અનુભવ કરો.
પૂજારી પાસે અંગત કોઈ પણ કામ ન કરાવો. ઘર સાફ કરીએ તો કર્મ બંધાય, દેરારસ સાફ કરીએ તો કર્મ ધોવાય.
કદાચ કો’ક કારણસર પૂજા ન થાય તો છેવટે દેરાસરમાં સાવરણી લઈ સ્વચ્છતા કરવી, એ પણ લાભ છે. પ્રભુભક્તિનો પ્રકાર છે.
લક્ષ્ય
અવિધિને છોડી વિધિને અપનાવો અને પ્રેમથી વિધિની વાત બીજાને સમજાવો. અંતે ચારિત્ર માર્ગની ઉત્તમોત્તમ સાધના કરી મોક્ષને પ્રાપ્ત કરો એ જ શુભેચ્છા.
ભયંકર કાળ આવી રહ્યો છે
અનેક ભવિષ્યવાણીઓ થઈ છે, થઈ રહી છે, કાળ ભયાનક આવી રહ્યો છે. જાત અને જગતને બચાવવા પ્રભુ શાંતિનાથ, દાદા શંખેશ્વર પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીનો સતત જાપ કરો. ઉવસગ્ગહરં-સંતિકરંનો પાઠ અને મહિને એક સંઘશાંતિ માટે આયંબિલ અવશ્ય કરો.
સદ્વિચાર
હે જીવ !
તું ક્યાંથી આવ્યો છે ?
અને ક્યાં જવાનો છે ?
આ તને ખબર નથી.
હે જીવ !
તું અનાદિથ કાળથી આ સંસારરૂપી દરિયામાં માછલાની જેમ આમ થી તેમ ભડકી રહ્યો છે.
અત્યાર સુધ પણ તને આ સંસારથી મોહ છે, આ સંસારના માણસો પ્રત્યે તને મમત્વ છે.
હે જીવ !
આ સંસારમાં તું બંધ મુઠ્ઠિએ આવ્યો હતો, પણ તું ખાલી મુઠ્ઠીએ જવાનો છે, તારી સાથે કશું આવવાનું નથી આ માટે-
હે જીવ ! તું પ્રભુભક્તિમાં લીન બની જા. સાચી સેવા પ્રભુ સેવા છે, પ્રભુ સેવાથી જ આપણને પુણ્યરૂપી મેવો મળવાનો છે અને પ્રભુચરણોમાં રહી પ્રભુની સાચા ભાવથી ભક્તિ કરી આ સંસારરૂપી દરિયામાં તરી જા.
નિત્ય આરાધના વિધિ
(રાત્રે સુતી વખતે)
સાત નવકાર ગણીને નીચે પ્રમાણે પ્રાર્થના કરવી.
શ્રી અરિહંત પરમાત્માનું શરણ હો ।
શ્રી સિદ્ધ પરમાત્માનું શરણ હો ।
શ્રી સાધુ ભગવંતોનું શરણ હો ।
શ્રી કેવલી-પ્રરૂપિત ધર્મનું શરણ હો ।
એગો મે સાસઓ અપ્પા નાણદંસાણ સંજુઓ
સેસા મે બહિરાભાવા સવ્વે સંજોગ લખ્ખણા ।।૧।।
એક મારો આત્મા શાશ્વત છે । જ્ઞાન દર્શન મારા ગુણો છે તે સિવાયબધા પૌદ્ગલિક સંજોગો, સંબંધો, ધન, સ્ત્રી, કુટુંબ વિગેરે આત્માથી જુદા છે, સાથે આવ્યા નથી, આવશે નહીં, સાથે કેવલ એક શ્રી જિનેશ્વર દેવનો ધર્મ જ આવશે.
આહર-શરીરને ઉપધિ પચ્ચક્ખું પાપ અઢાર
મરણ આવે તો વોસિરે જીવું તો આગાર ।।૨।।
આજ દિવસથી મારા જીવે જે કાંઇ પુદ્ગલો ગ્રહણ કરીને મૂક્યા હોય તેને ત્રિવિધે ત્રિવિધે વોસિરાવું છું, વોસિરાવું છું, વોસિરાવું છું !
હે જગતદ્રત્સલ ! ભવચક્રમાં આજ દિન પર્યંત મારા જીવે આપશ્રીની આજ્ઞા અનુસાર જે કાંઈ આરાધન કર્યું હોય, કરાવ્યું હોય, કરતાનું અનુમોદન કર્યું હોય તેનું હું ત્રિવિધે ત્રિવિધે અનુમોદન કરું છું, અનુમોદન કરું છું, અનુમોદન કરું છું.
આપશ્રીની આજ્ઞાનુસાર જ્યાં-જયાં આરાધન થઈ હોય, થતું હોય, થવાની હોય તેનું હું ત્રિવિધે ત્રિવિધે અનુમોદન કરું છું, અનુમોદન કરું છું, અનુમોદન કરું છું.
હું સર્વ જીવોને ખમાવું છું, સર્વો જીવો મને ખમાવે, સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું આલોચન કરું છું, મારે કોઈની સાથે વેર વિરોધ નથી. ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરતા સર્વો જીવો કર્મવશ છે, તે સર્વને મેં ખમાવ્યા છે. તે સર્વે મને ખમાવે, જે જે મનથી, વચનથી, કાયાથી પાપ કર્યું હોય તે મિથ્યા દુષ્કૃત થાઓ. (નાશ પામો).
રાત્રે સાત ભયથી મુક્ત થવા ૭ નવકાર
રાત્રિ પ્રાર્થના
અરિહંતો મહ દેવો, જાવજજીવં સુસાહૂણો ગુરૂણો ।
જિણપણ્ણંત તત્તં, ઇઅ સમ્મત્તં મયે ગહિયેં ।।
ચત્તારિ મંગલં, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં,
સાહૂ મંગલં, કેવલીપન્નતો ધમ્મો મંગલં ।
ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગત્તમા,
સિદ્ધા લોગુત્તમા, સાહૂ લોગુત્તમા,
કેવલીપન્નત્તો, ધમ્મો લોગુત્તમો ।।
ચત્તારિ સરણં પવજજામિ, અરિહંતે સરણં પવજ્જામિ ।
સિધ્ધે સરણં પવજ્જામિ, સાહૂ સરણં પવજ્જામિ,
કેવલનીપન્નત્તં, ધમ્મં સરણં પવજ્જામિ ।।
અનાયાસેન મરણં, વિના દૈન્યેન જીવનમ્ ।।
દેહાન્તે તવ સાન્નિધ્યેં, દેહિ મે પરમેશ્વર ।।
એગોજીહં નત્થિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઈ ।
એવમદીનમણુઓ, અપ્પાણમણુસાસઈ ।।
રાતનાં સૂતાં આટલું બોલો
સોનાનું કોડિયું, રૂપાની વાટ
આદીશ્વરનું નામ લેતા, સુખે જાય રાત
નવકાર, નવકાર તું મારો ભાઈ
તારે ને મારી ઘણી સગાઈ
અંત સમયે યાદ આવશોજી
મારી ભાવના શુદ્ધ રાખશોજી.
કાને મારા કુંથુનાથ, આંખે મારા અરનાથ
નાકે મારા નેમનાથ, મુખે મારો મલ્લિનાથ
સહાય કરે શાંતિ નાથ, પરચો પૂરે પાર્શ્વનાથ,
જ્ઞાન મારે ઓશીકે, શીયળ મારે સંથારે,
ભરનિંદ્રામાં કાળ કરું તો, વોસિરે વોસિરે વોસિરે.
મંગલ પ્રાર્થના
અરિહા શરણં, સિદ્ધ શરણં સહુ શરણં વરીએ,
ધમ્મો શરણં પામી વિનયે, જિન આજ્ઞા શિર ધરીએ.
અરિહા શરણં મુજને હોજો, આતમ શુદ્ધિ કરવા,
સિદ્ધ શરણં મુજને હોજો, રાગ દ્વેષને હણવા,
સાહૂ શરણં મુજને હોજો, સંયમે શુરા બનાવ,
ધમ્મો શરણં મુિજને, હોજો, ભવોદધિથી તરવા,
મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે,
ચિદ્ઘન કેરી ડૂબતી નૈયા, શાશ્વત નગરે વાળે.
ભવોભવના પાપોને મારા, અંતરથી હું નીંદું છું;
સર્વ જીવોના સુકૃતોને, અંતરથી અનુમોદું છું.
જગમાં જે જે દુર્જન જન છે, તે સઘળા સજ્જ થાઓ,
સજ્જન જનને મનસુખદાયી, શાંતિનો અનુભવ થાઓ;
શાંતિ જીવો આધિ વ્યાધિને, ઉપાધિથી મુક્ત બનો,
મુક્ત બનેલા પુરૂષોત્તમ આ, સકળ વિશ્વને મુક્ત કરો.
…અરિહા શરણં
પરમાત્માની ત્રણ પ્રદક્ષિણામાં બોલવાના દુહા
(૧) કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહીં પાર,
તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર;
ભમતિમાં ભમતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય,
દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય.
(૨) જન્મ મરણાદિ ભય ટળે, સીઝે જો દર્શન કાજ,
રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ;
જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત,
જ્ઞાન વિના જગ જીવડો, ન લહે તત્ત્વ સંકેત.
(૩) ચય તે સંચય કર્મનો, રિકત કરે વળી જેહ,
ચારિત્ર નામ નિર્યુક્તે કહ્યું, વંદો તે ગુણ ગેહ;
દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી નિરધાર,
ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર.
પ્રભુ સન્મુખ બોલવાની સંસ્કૃતિ સ્તુતિઓ
• દર્શનં દેવદેવસ્ય, દર્શનં પાપનાશનમ્ ।
દર્શનં સ્વર્ગસોપાનં, દર્શન મોક્ષસાધનમ્ ।। ૧
• અર્હન્તો ભગવંત ઇન્દ્રમહિતાઃ સિદ્ધશ્ચં સિદ્ધિસ્થિતાઃ,
આચાર્ય જિનશાસનોન્નતિકરાઃ, પૂજ્યા ઉપાધ્યાયકાઃ
શ્રી સિદ્ધાન્તુસાપઠાક મુનિવરા, રત્નત્રયારાધકાઃ,
પંચૈતે પરમેષ્ઠિતઃ પ્રતિદિનં, કુર્વન્તુ વો મંગલમ્ ।। ૨
• તુંભ્યં નમસ્ત્રિભુવનાર્હિરાય નાથ ।
તુભ્યં નમઃ ક્ષિતિતલામલભૂષણા ।
તુભ્યં નમસ્ત્રિ જગતઃ પરમેશ્વરાય ।
તુભ્યં નમો જિન ! ભવોદધિશોષણા ।। ૩
• સરસ શાન્ત સુધારસ સાગરં, શુચિતંર ગુણરત્નમહાગરમ્,
ભવિકપંકજ બોધદિવાકરં, પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વરમ્ ।।૪
• જિને ભક્તિ જિને ભક્તિ, જિને ભક્તિ દિને દિને ।
સદા મેડસ્તુ સાદા મેડસ્તુ, સદા મેડસ્તુ ભવે ભવે ।।૫
પ્રભુ સન્મુખ બોલવાની ગુજરાતી સ્તુતિઓ
• આવ્યો શરણે તમારા જિનવર! કરજો આશ પૂરી અમારી;
નાવ્યો ભવપાર મારો તુમ વિણ જગમાં સાર લે કોણ મારી?.
ગાયો જિનરાજ! આજે હરખ અધિકથી પરમ આનંદકારી;
પાયો તુમ દર્શ નાસે ભવ-ભય-ભ્રામણા નાથ! સર્વે અમારી. ૧
• દેખી મૂર્તિ શ્રી પાર્શ્વજિનની, નેત્ર મારાં ઠરે છે,
ને આ હૈયું ફરી ફરી પ્રભુ, ધ્યાન તારું ઘરે છે !
આત્મા મારો પ્રભુ તુજ કને, આવવા ઉલ્લસે છે,
આપો એવું બળ હૃદયમાં માહરી આશા એ છે ! ૨
• છે પ્રતિમા મનોહારિણી, દુઃખહરી શ્રી વીર જિણંદની;
ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની.
આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે;
પામી સઘલાં સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે. ૩
• અંતરના એક કોડિયામાં દીપ બળે છે ઝાંખો,
જીવનના જ્યોતિર્ધર, એને નિશદિન જલતો રાખો,
ઊંચે ઊંચે ઊડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો,
તમને ઓળખવા નાથ નિરંજન, એવી આપો આંખો ! ૪
• દયા સિંધુ દયા સિંધુ, દયા કરજો દયા કરજે,
મને આ જંજીરોમાંથી હવે જલદી છૂટો કરજે,
નથી આ તાપ સહેવાતો ભભૂકી કર્મની જવાળા,
વરસાવી પ્રેમની ધારા હૃદયની આગ બુઝવજે ૫
• જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે;
જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે.
પીએ મુદા વાણી સુધા, તે કર્ણ-યુગને ધન્ય છે;
તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને નિત ધન્ય છે. ૬
• હું ક્યાંથી આવ્યો ક્યાં જાવનો, તેની પણ મને ખબર નથી.
તો પણ પ્રભુ લંપટ બની, હું ક્ષણિક સુખ છોડું નહી,
સુદેવ સુગુરૂ સુધર્મ સ્થાનો, મળ્યા પણ સાધ્યા નહિ,
શું થશે પ્રભુ માહરું, માનવભવ ચૂક્યો સહી. ૭
પૂજા વિભાગ
સૂચનાઃ- ત્રણ લોકના નાથ તેવા ત્રણ જગતના દેવ,પરમ કૃપાળુ જિનેશ્વર પરમાત્માની પૂજા કરતી વખતે સાત પ્રકારે શુદ્ધિ રહે તેનું ખાસ ધ્યાન રાખવું. જે નીચે પ્રમાણે છે.
(૧) અંગ શુદ્ધિ (૨) વસ્ત્ર શુદ્ધિ (૩) મનઃશુદ્ધિ (૪) ભૂમિ શુદ્ધિ (૫) ઉપકરણ શુદ્ધિ (૬) દ્રવ્ય શુદ્ધિ (૭) વિધિ શુદ્ધિ
અષ્ટપ્રકારી પ્રજાના સ્થળ
ત્રણ પૂજા બે પૂજા ત્રણ પૂજા
જિનબિંબ ઉપર જિનબિંબ આગળ રંગ મંડપમાં
ગર્ભગૃહ બહાર પાટલા ઉપર
૧. જલપૂજા ૪. ધૂપપૂજા ૬. અક્ષતપૂજા
૨. ચંદનપૂજા ૫. દીપકપૂજા ૭. નૈવૈદ્યપૂજા
પુષ્પપૂજા ફળપૂજાપૂજાના દુહા વિભાગ
પ્રભુ એક – પૂજા અનેક…પૂજાત્રિક
અંગપૂજાઃ જલપૂજા…ચંદનપૂજા…પુષ્પપૂજા…
પરમાત્માના અંગને સ્પર્શીને જે પૂજાય તે અગંપૂજા કહેવાય.
જીવનમાં આવતાં વિધ્નોનો નાશ કરનારી અને મહાફળને આપનારી આ પૂજાને વિધ્નોપાશામિની પૂજા કહેવાય છે.
અગ્નપૂજાઃ ધુપ-દીપક-અક્ષત-નૈવેદ્ય-ફળપૂજા…
પરમાત્માની સન્મુખ ઉભા રહીને જે પૂજા થાય તે અગ્ન પૂજા કહેવાય.
મોક્ષ માર્ગની સાધનામાં સહાયક એવી સામગ્રીનો અભ્યુદય પ્રાપ્ત કરવાની આ પૂજાને અભ્યુદયકારિણી પૂજા કહેવયા છે.
ભાવપૂજાઃ સ્તુતિ-ચૈત્યવંદન-સ્તવન-ગીત-ગાન-નૃત્ય.
જેમાં કોઈ દ્રવ્યની જરૂર નથી તેથી આત્માને ભાવવિભોર બનાવવાની પૂજાને ભાવપૂજા કહેવાય.
મોક્ષપદની પ્રાપ્તિ એટલે કે સંસારથી નિવૃત્તિ અપાવતી આ પૂજાને નિવૃત્તિકારિણી પૂજા કહેવાય છે.
નોંધ- ધુપ..દિપક..અગ્રપૂજા કર્યા બાદ અંગપૂજા કરવી ઊચિત નથી. તેમ છેલ્લે ચૈત્યવંદનની ક્રિયા એટલે ભાવપૂજા કર્યા પછી અંગ કે અગ્રપૂજા કરવી ઉચિત નથી…અંગપૂજા-અગ્રપૂજા કર્યા પછી છેલ્લે ભાવપૂજા થાય તે શાસ્ત્રોક્ત કર્મ છે તે સાચવવો.
આઠ કર્મોની ક્ષય કરનાર એવી… પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાના દુહા
૧ જલપૂજા
ધરતીનો સંતાપ જોવાયો નહિ એટલે ગગનના સિંહાસનનો ઉચ્ચ હોદ્દો છોડીને જળ નીચે વરસી પડ્યું.
કૃત્જ્ઞતા દર્શાવવા માટે ધરતીએ ફરી તેને ઉચ્ચસ્થાન અપાવવા ભગવાનના મસ્તકે અભિષેક કરાવ્યો.
માનવ ! તું આટલું સમજ !
બીજાનું દુઃખ જોઈને નીચે આવે છે એ એ જ બધાના મસ્તકે ચઢવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.
પંચામૃતઃ શુદ્ધ દુધ, દહીં, ઘી, સાકર અને જળનું મિશ્રણ (અત્તર વિ. બીજા પણ શુદ્ધ સુગંધી દ્રવ્યો તેમાં ભેળવી શકાય)
જલપૂજાનું રહસ્ય
જલ વજે પ્રક્ષાલ પ્રભુજીનો થાય અને કર્મો
આપણા આત્મા પરથી દૂર થાય
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ।।૧।।
(સૂત્ર ફક્ત ‘પુરૂષોએ’ જ દરેક પૂજાની પહેલાં બોલવું.)
કળશ બે હાળમાં લઈને બોલવાનો દુહો
જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ;
જલપૂજા ફળ મુજ હોજો, માંગ એમ પ્રભુ પાસ !
ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય
શ્રીતમે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગાડવા)
દુધનો (પંચામૃતનો) પ્રક્ષાલ કરતી વખતે બોલવાનો દુહો
મેરૂશિખર નવારેવ હો સુરપતિ, મેરૂશિખર નવારાવે;
જન્મકાળ જીનવરજી કો જાણી, પંચરૂપ કરી આવે હો.સુ.૧
રત્નપ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે;
ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી. સ્નાત્ર કરી ગુણ ગાવે. હો.સુ.૨
એણી પરે જિન પ્રતિમા કો નવણ કરી, બોધિબીજ માનું વાવે;
અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે હો.સુ.૩
જલ (પાણી નો પ્રક્ષાણ કરતી વખતે બોલવાનો દુહો
જ્ઞાન કળશ ભરી આતમા, સમતારસ ભરપૂર;
શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચરૂ !
(૨) ચંદન પૂજા
પોતાના જિગરજાન દોસી ચંદનને ઘસાતું જોઈને કેસરથી રહેવાયું નહિ,
મિત્રને કેમ છોડાય ? પોતો પણ ઓરસીયામાં ઝંપલાવી દીધું.
ત્યારે અવાજ આવ્યો.
કેસરીયા ભાઈ કેસરીયા !
હે માનવ ! બીજા પર આપત્તિ જોઈને
તું ક્યારેય છૂપા જતો નહિ.
ઘર્ષણથી તો ગમરી પેદા થાય છે પણ તમે ચંદને ગમે તેટલું ઘસો, એ તો સુવાસ પાથરવા સાથે બીજાને ટાઢક જ આપે છે.
રે માનવ ! કાયા ઘસાઈ જવાની ફીકરના કરીશ.
તું બીજાઓને સુવાસ સાથે ટાઢક જ આપજે.
ચંદન પૂજાનું રહસ્ય
આ પૂજા દ્વારા…..આપણો આત્મા
ચંદન જેવો શાંત અને શીતળ…બને.
નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ।।૧।।
શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ;
આત્મા શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ!
ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય
શ્રીતમે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગાડવા)
(સુખડથી વિલેપન પૂજા કરવી અને પછી કેસરથી નવે અંગે પૂજા કરવી. નખ કેશરમાં ન બોલાય અને પ્રભુને અડે નહિ તે ધ્યાન રાખવું.)
મારા પ્રભુજીના નવાંગી પૂજાના દુહા
૧. અંગુઠે. જલ ભરી સંપુટ પત્રમાં, યુગલકિ નર પૂજંત;
ઋષબ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત.
૨…ઢીંચણે. જાનુબળે, કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેવ-વિદેશ;
ખડા ખડા કેવળ લહ્યું, પૂજો જાનું નરશે.
૩..કાડે. લોકાંતિક વચને કરી, વરસ્યા વરસીદાન;
કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભાવિ બહુમાન.
૪..ખભે. માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત;
ભૂજા બળે ભવજલ તર્યા, પૂજો ખંધ્ય મહંત,
૫…શિખાએ. સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત;
વસીયા તેણ કારણ ભવિ, શિરશિખા પૂજંત.
૬…કપાળે. તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત;
ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત.
૭…કંઠે. સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ;
મધુરધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ.
૮…હૃદયે હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને દ્વેષ;
હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ.
૯…નાભિ. રત્નત્રયી ગુણ ઊજળી, સકલ સુગુણ વિશ્રામ;
નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ.
ઉપસંહાર. ઉપદેશક નવત્ત્વના, તેણે નવ અંગ જિણંદ
પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણીંદ.
પૂજા કરતાં સમયે ભાવવાની ભાવના
(૧) અંગુઠે પૂજા કરતાં ભાવવું કે…હે પ્રભુ !
યુગલિકોએ આપશ્રીના ચરમના અંગુઠે અભિષેક કરી વિનય દાખવી આત્મકલ્યાણ કર્યું. તે રીતે સંસાર તરનારા આપના ચરણના અંગુઠાની પૂજા કરવાથી મારામાં પણ વિનય, નમ્રતા અને પવિત્રતાનો પ્રવાહ વહો.
(૨) જાનુ(ઢીંચણ) પર પૂજા કરતાં ભાવવું કે…હે પ્રભુ !
આ જાનુના બળે ઉભા રહીને અપ્રમત્તપણે સાધના કરી આપે કેવળજ્ઞાન મેળવ્યું. આ જાનનું બળે દેશવિદેશ વિચરી ઘમા ભવ્ય આત્માઓનું કલ્યાણ કર્યું. આપના જાનુની પૂજા કરતાં મારો પ્રમાદ દુર થાઓ. અને મને અપ્રમત્તપણે આરાધના કરી આત્મ કલ્યાણ કરવાની શક્તિ મળો.
(૩) કાંડા પર પૂજા કરતાં ભાવવું કે…હે પ્રભુ !
દીક્ષા લેતાં પહેલાં આપે આ હાથેથી સ્વેચ્છાએ લક્ષ્મી-અલંકાર-વસ્ત્ર આદિનું ૧ વર્ષ સુધી દાન આપ્યું. કેવળજ્ઞાન પાદ આ હાથેથી અનેક મુમુક્ષને રજોહરણનું દાન આપ્યું. આપના હાથની પૂજા કરતાં મારી કૃપણતા…લોભવૃત્તિનો નાશ થાઓ, અને યથાશક્તિ દાન દેવાના મુજને ભાવ થાઓ.
(૪) ખભા પૂર પજા કરતાં ભાવવું કે…
અનંત જ્ઞાન અને અનંત શક્તિના સ્વામી હે પ્રભુ ! ભુજાબળે આપ સ્વયં સંસાર સાગર તર્યા, છતાં આપનામાં માન-અહંકારનો જરાય અંશ પણ દેખાતો નથી. આપે આ ખભેથી અભિમાનને રવાના કર્યું તેમ આ ખભાની પૂજાથી મારા પણ અહંકારનો નાશ થાઓ અને નમ્રતા ગુણનો મારામાં વાસ થાઓ.
(૪) મસ્તકે શિખા પર પૂજા કરતાં ભાવવું…કે પ્રભુ !
આત્માસાધના તથા પરહિતમાં સદાય લયલીન એવા આપેલ લોકના સૌથી ઉપરના છેડે સિદ્ધશિલા પર કાયમ માટે વાસ કર્યો, આપની કાયાના સૌથી ઉપના છેડે રહેલા મસ્તકની શિખાના પૂજનથી મને એવું બળ મળો કે હું પણ હર પળે આત્મસાધના તથા પરહિતના ચિંતનમાં લીન રહી જલ્દીધી લોકના અંતે વાસ મેળવી આપના જેવા બની શકું.
(૫) લલાટે પૂજા કરતી વખતે ભાવવું કે… હે પ્રભુ !
તીર્થંકર નામકર્મના પુણ્યના પ્રભાવે ત્રણે ભુવનમાં આપ પૂજનીય છો. આપ ત્રણ લોકની લક્ષ્મીના તિલક સમાન છો. આપના લલાટની પૂજના પ્રભાવે મને એવું બળ મળો કે જેથી હું લલાટના લેખ અર્થાત્ કર્મ અનુસાર મળેલા સુખમાં રાગ કે દુઃખમાં દ્વેષ ન કરૂં, અવિરત આત્મસાધના કરતો આપની જેમ પુણ્યાનુબંધી પુણ્યનો સ્વામી બનું.
(૭) કંઠે તિલક કરતાં ભાવવું કે…હે પ્રભુ !
આપે આ કંઠમાંથી જગત્ઉદ્ધારક વાણી પ્રકાશીને જગત પર અનુપમ કરૂણા અને ઉપકાર કર્યો છે, આપના કંઠની પૂજાથી હું એ વાણીની કરૂણાને ઝીલનારો બનું અને મારામાં એવી શક્તિ પ્રગટો કે જેથી મારી વાણીથી મારૂં અને સૌનું હિત થાય.
(૮) હૃદયે પૂજા કરાતાં ભાવવું કે… હે પ્રભુ !
રાગ-દ્વેષ વિગેરે દોષોને બાળી મુકી આપે આ હૃદયમાં ઉપશમભાવ છલકાવ્યો છે. નિસ્પૃહતા-કોમળતા અને કરૂણા ભરેલ આપના હૃદયની પૂજાના પ્રભાવે મારા હૈયે પણ સદાય નિઃસ્પૃહતા-પ્રેમ-કરૂણા અને મૈત્રી આદિ ભાવનાનો ધોધ વહો. મારૂં હૃદય પણ સદાય ઉપશમભાવથી ભરપુર રહો.
(૯) નાભિ પર પૂજા કરતાં ભાવવું કે… હે પ્રભુ !
આપે શ્વોસોશ્વાસને નાભિમાં સ્થિર કરી…મનને આત્માના શુદ્ધ સ્વરૂપમાં જોડી…ઉત્કૃષ્ટસમાધિ સિદ્ધ કરી. અનંત દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણોને પ્રગટ કર્યો છે. નિર્મળ એવી આપની નાભિના પૂજનથી મને પણ અનંત દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણોને પ્રગટ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાઓ. નાભિના આઠ રૂચક પ્રદેશની જેમ મારા પણ સર્વ આત્મ પ્રદેશો શુદ્ધ થાઓ.
ઉપસંહારઃ આપણા આત્માના કલ્યાણ માટે, નવતત્ત્વના ઉપદેશક એવા પ્રભુજીનાં નવ અંગોની પૂજા વિધીથી…રાગથી…ભાવથી..કરીએ, એવું પૂજ્ય ઉપા. વીરવિજયજી મહારાજ કહે છે.(૩) પુષ્પ પૂજા
અમે તો બગીચામાં ઉગ્યા હતાં કાટાઓની વચમાં
સુગંધ અને પરાગજનું મુક્તપણે સમર્પણ કરતા હતા.
કોઈ કચડે તો પણ તેને અમે અત્તર આપતા હતા
પછી., અમે જોયું કે અમને તો પ્રભુજીના ખોળામાં વાસ મળ્યો છે.
માનવ ! તું પણ તારા જીવનપુષ્પનું
કરી દે સમર્પણ પરમાત્માના ચરણે !
ખરેખર, તું મહાન બની જઈશ.
પુષ્પ પૂજાના રહસ્ય
આ પૂજા દ્વારા આપણું જીવન પુષ્પની જેમ
સુગંધિત બને, અને સદ્ગુણોથી સુવાસિત બને,નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ ।।૧।।
સુરભિ અખંડ કુસુમગ્રહિ, પૂજા સંતાપ;
સુમ જંતુ ભવ્ય જ પરે, કરીયે સમક્તિ છાપ !
ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય
શ્રીતમે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગાડવા)
પાંચ કોડીના ફૂલડે, પામ્યા દેશ અઢાર.
રાજા કુમારપાળનો, વર્ત્યો જય જયકાર !
(સુંદર સુગંધવાળા અને અખંડ પુષ્પો ચઢાવવા, નીચે પડેલા તથા વાસી પુષ્પો ચઢાવાય નહિ.)
(૪) ધૂપ પૂજા
અગરબત્તી ખૂણામાં પડેલી, કોઈ એને પૂછતું પણ ન હતું.
એણે સળગવા માંડ્યું. એની સુગંધ ફેલાઈ.
બધાયની એ તરફ નજર ખેંચાઈ.
હે સજ્જન ! તારા અરમાનોને સળગાવીને
પણ તું બીજને સુગંધ આપજે !
બધા જ તને શોધતા આવશે.
ધૂપ પૂજાનું રહસ્ય
આ પૂજા દ્વાર ધૂપની ઘટા જેમ ઉંચે જાય તેમ આપણો આત્મા ઉચ્ચ ગતિની પ્રાપ્તિ કરે.
નમોર્હત્સિદ્ધાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ।।૧।।
ધ્યાનઘટા પ્રગટાવીને, વામનયન વિન ધૂપ;
મિચ્છત્ત દુર્ગંધ દૂર ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ !
ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય
શ્રીતમે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગાડવા)
અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી,
પ્રભુ ! અમે ધૂપઘટા અનુસરીયે, રે ઓ મન માન્યા મોહનજી,
પ્રભુ ! નહીં કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી,
પ્રભુ ! અંતે છે શરણ તમારૂં રે, ઓ મન માન્યા મોહનજી.
(પ્રભુજીની ડાબી બાજુએ ગભારાની બહાર ઉભા રહીને શુદ્ધ અને સુગંધી ધૂપ વડે ધૂપ પૂજા કરવી.)
(૫) દીપક પૂજા
ઘી અને રૂની વાટ !
બંને પોતાની જાતને બાળીને એકજ કામ કર્યું…
અંધારામાં ઉજાશ પાથરવાનું
માનવ ! તું પ્રકાશ ન કરી શકે તો ભલે પણ
કોઈ ગરીબનો દીવો બુઝાવવાનું કામ કદી ન કરતો.
દીપક પૂજાનું રહસ્ય
આ પૂજા દ્વારા મારા આત્માના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાઓ અને જ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ થાઓ.
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ।।૧।।
દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક;
ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક !
ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય
શ્રીતમે જિનેન્દ્રાય દીપં યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગાડવા)
(ગભારાની બહાર પ્રભુજીની જમણી બાજુએ ઉભા રહી દીપક પૂજા કરવી.)
(૬) અક્ષત પૂજા
પર મારો વાસ થાઓ
નામ જે કેવું મસ્ત છે. અક્ષત !
બસ, પ્રબુની પૂજા કરો ! હવે તો ક્યારેય ભવ પામવાનું જ નથી.
અક્ષયપદ તો હાથમાં જ છે !
ચોખો ! શું ક્યારેય ઉગે ખરો ! ના, ના, ના,
બસ, હવે એના દ્વારા પ્રભુની પૂજા કરો !
ભવ (સંસાર) માં ક્યારેય ઉગવું જ નહિં પડો
અર્થાત્ જન્મવું જ નહિં પડે.
અક્ષત પૂજાનું રહસ્ય
ચાર ગતિની ભવ ભ્રમણા ટાળી, અજન્મા
થવાની પૂજા એટલે અખંડ અક્ષત પૂજા
(થાળીમાં ચોખા લઈને બોલવાનો દુહો)
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ।।૧।।
શુદ્ધ અખંડ અક્ષત ગ્રહિ, નંદાવર્ત વિશાલ;
પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ !
ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય
શ્રીતમે જિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગાડવા)
સાથિયાની જગ્યાએ સુંદર ગહુલી પણ આલેખી શકાય,
થોડીક ગહુંલીઓ અહીં આપેલી છે.
સાથિયો કરતી વખેત બોલવાના દુહા
અક્ષત પૂજા કરતાં થકાં, સફલ કરૂં અવતાર.
ફલ માંગુ પ્રભુ આગલે, તાર તાર મુજ તાર….૧
સાંસારિક ફલ માગીને, રડવડયો બહુ સંસાર.
અષ્ટ કર્મ નિવારવા, માગું મોક્ષ ફલ સાર….૨
ચિહું ગતિ ભ્રમણા સંસારમાં, જન્મ મરણ જંજાલ.
પંચમ-ગતિ વિણ જીવ ને, સુખ નહીં ત્રિહું કાલ….૩
ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરતી વખતે બોલવાનો દુહો
દર્શન-જ્ઞાન-ચારિત્રના, આરાધનથી સાર;
સિદ્ધશિલાથી ઉપરે હો, મુજ વાસ શ્રીવાકર….૪
(૭) નૈવેદ્ય પૂજા
ઘણી મીઠાઓ ખાધી !
લાલસા તો અકબંધ રહી.
અજીર્ણનો રોગ વધ્યો.
હે ચેતન ! પરમાત્માના ચરણે ઘર !
પેટમાં તો ક્યારેય અજીણે નહી થાય
સાથે સાથે કર્મરૂપી અજીર્ણ પણ ખલાસ થઈ જશે.
અણાહારીપદ તો ચપટી વગાડતાં જ આવી જશે.
નૈવેદ્ય પૂજાનું રહસ્ય
આ પૂજા દ્વારા અનંતકાળની મારા આહારની સંજ્ઞાઓનો
નાશ થાઓ અને અણાહારી પદની મને પ્રાપ્થ થાઓ.
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ।।૧।।
અણાહારી પદ મેં કર્યાં, વિગ્ગહ ગઇય અનન્ત.
દૂર કરી તે દીજિયે, અણાહારી શિવ સન્ત. !ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય
શ્રીતમે જિનેન્દ્રાય નૈવેદ્યં યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગાડવા)
ન કરી નૈવેદ્ય પૂજનાં, ન ધરી ગુરૂની શીખ;
લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ !
(સાથિયા ઉપર સાકર, તપાસા અને ઘરની બનાવેલી શુદ્ધ મિઠાઈ ચઢાવવી. બજારની મિઠાઈ, પીપર, ચોકલેટ કે અભક્ષ્ય વસ્તુ મુકાય નહિ.)
(૮) ફળ પૂજા
ઝેર તો માણસને મારે જ !
પણ કુશળ વૈદ્યના હાથથી લીધેલ હોય તો જીવાડે પણ ખરૂં.
સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય.
તેમ ફળ પણ આશક્તિ કરાવીને જીવને મારવાનું કામ કરે
પણ પરમાત્માના ચરણોમાં સમર્થન કર્યું હોય તો એ જ ફળ
પરમસુખરૂપ ઉત્તમ સ્વાસ્થ્ય આપે.
ફળ પૂજાનું રહસ્ય
આ પૂજા દ્વારા મુજને શાવ્ત શ્રેષ્ઠ એવા મોક્ષ ફળની પ્રાપ્તિ થાઓ.
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ।।૧।।
ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ ભાવે ધરી રાગ,
પુરૂષોત્તમ પૂજા કરી, માંગે શિવફળ ત્યાગ !
ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય
શ્રીતમે જિનેન્દ્રાય ફલં યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગાડવા)
(શ્રીફળ, બદામ, સોપારી અને પાકાં ઉત્તમ ફળો સિદ્ધિશિલા ઉપર મુકવાં.)
ચામર પૂજાનો દુહો
બે બાજુ ચારમ ઢાળે,
એક આગળ વજ્ર ઉલાળે,
જઈ મેરૂ ધરી ઉત્સંગે,
ઇન્દ્ર ચોસઠ મળીયા રંગે,
પ્રબુ પાસનું મુખડું જોવા,
ભવો ભવનાં પાતિક ખોવા.
દર્પણ પૂજાનો દુહો
પ્રભુ દર્શન કરવા ભણી,
દર્પણ પૂજા વિશાલ;
આત્મ દર્પણથી જુએ,
દર્શન હોય તત્કાલ.પંખા પૂજાનો દુહો
અગ્નિ કોણે એક યૌવના રે,
રયણમય પંખો હાથ,
ચલત શિબિકા ગાવતી રે,
સર્વ સહેલી સાથ,
નમો નિત્ય નાથજી રે.સ્નાત્ર પૂજા કરવાનો મહિમા
અચિતંપુણ્યના સ્વામી, ત્રણલોકના નાથ, દેવાધિદેવ તીર્થંકર ભવંતનો જીવ જ્યારે દેવલોકમાંથી ચ્યવી માતાનમા ગર્ભમાં આવે છે ત્યારે માકા ખૂબ જ અલૌકિક ેવા ચૌદ સ્વપ્નો જુવે છે. ગર્ભકાલ પૂરો થતા શુભ દિવસે અને શુભ મુહૂર્ત્તે જ્યારે બધા ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેલા હોય, બધા લોકો ઉત્સાહમાં અને ઉમંગમાં હોય, સમસ્ત સૃષ્ટિ પ્રભુનું સ્વાગત કરવા થનગીની રહી હોય ત્યારે મધ્યરાત્રીએ પ્રભુનો જન્મ થાય છે. તે વખતે ચૌદ રાજલોકમાં અજવાળા થાય છે અને સદાકાળ કારમી વેદના સહન કરતા નારકીના જીવોને પણ ક્ષણમાત્ર સુખની અનુભૂતિ થાય છે. છપ્પન દિક્કુમારીકાઓ પ્રભુનો જન્મોત્સવ કરે છે. દેવલોકમાં ઇન્દ્રોના સિંહાસન ચલાયમાન થાય છે. અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ જાણી ૬૪ ઇંદ્રો અને બીજા ઘણા દેવી-દેવાતઓ પૃથ્વીતલ પર આવી મેરૂપર્વત પર પ્રભુનો મહોત્સવ ઉજવે છે.
ઇંદ્રો પાસે ઍ) સાક્ષાત્ જિનેશ્વર દેવ ૨) સોનાનો મેરૂ ૩) રત્નમય વગેરે કળશો ૪) ક્ષીરસમુદ્ર વગેરેનું શુદ્ધજળ વગેરે હોય છે.
જ્યારે આપણી પાસે આ બધાના પ્રતિક રૂપે ૧) પ્રતિમારૂપે ભગવાન ૨) જર્મનસિલ્વરનું સિંહાસન ૩) જર્મનસિલ્વરના કળશો અને કુવા વગેરેનું પાણી હોય છે. તેના દ્વારા આપણે પણ ઇંદ્રો જેવો જન્મોત્સવ ઉજવી આપણા ભક્તિમાં તરબોળ કરી શકીએ.
આમ ૫૬ દિક્કુમારીકા અને ૬૪ ઇંદ્રોએ મેરૂપર્વત પર ઉજવેલ પ્રભુના સ્નાત્ર મહોત્સવના પ્રતિકરૂપે જિનમંદિરોમાં દરરોજ સ્નાત્રોત્સવ ઉજવાય છે. આ સ્નાત્રોત્સવમાં પ્રભુનું સ્નાત્ર કરી આપણો કર્મમલ દૂર થાય છે. આપણો આત્મા નિર્મળ થાય છે.પંડિત શ્રી વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા
(કાવ્ય-દ્વુતવિલંબિતવૃત્તમ્)
સરસશાન્તિસુધારસાગરં, શુચિતરં ગુણરત્નમહાગરં
ભવિકપંકજબોધદિવાકરં, પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વરં ।।૧।।
અર્થઃ- શાન્તસુધારસના સમુદ્ર, અતિપવિત્ર ગુણરત્ના ભંડાર અને ભવ્ય પ્રાણીઓ રૂપી કમળોને ઉલ્લસિત કરવામાં સૂર્યસમાન શ્રી જિનેશ્વર ભગવંતને હું નિરંતર નમસ્કાર કરૂં છું. (૧)
(દુહો)
કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિયે વિવેક;
મજ્જન પીઠે થાપીને, કરીએ જળ અભિષેક ।।૨।।
અર્થઃ-ભગવાના શરીર ઉપરથી આભૂષણ તથા વાસી ફૂલ ઉતારીને, વિનયપૂર્વક ભગવંતને હાથમાં ધારણ કરી, સ્નાત્રપીઠ ઉપર ભગવંતને પધરાવવા અને પછી જળ વડે પ્રક્ષાલ કરવો. (૨)
(પછી કુસુમાંજલીની થાળી લઈ ઊભા રહેવું.)
(ગાથા-આર્યાગીતિ)
જિણજમ્મસમયે મેરૂસિહરે, રયણ-કણય-કલસેહિં,
દેવાસુરેહિં ણ્હવિઓ, તે ધન્ના જેહિં દિટ્ઠોસિ ।।૩।।
અર્થઃ-શ્રી જિનેશ્વર ભગવંતના જન્મ સમયે મેરૂપર્વતના શિખર ઉપર દેવોએ રત્નના અને સુવર્ણના કળશે વજે જે પ્રભુનો અભિષેક(પ્રક્ષાલ) કર્યો, એવા પ્રભુનાં દર્શન કરનારાઓને ધન્ય છે. (૩)
(જ્યાં જ્યાં ‘કુસુમાંજલિ મેલો’ શબ્દ આવે ત્યાં ત્યાં પ્રભુના જમણો અંગૂઠે કુસુમાંજલિ મૂકવી.)
નિર્મળ જળ કલશે ન્હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે,
કુસુમાંજલિ મેલો આદિ જિણંદા.
સિદ્ધ સ્વરૂપી અંગપખાલી, આતમ નિર્મળ હુઇ સુકુમાલી,
કુસુમાંજલિ મેલો ।।૪।।
અર્થઃ-નિર્મળ જળના કળશો વડે અભિષેક કરી, અમૂલ્ય વસ્ત્રથી અંગલૂછણું કરી, શ્રી આદિજિણંદના ચરણમાં કુસુમાંજલિ મૂકવી. સિદ્ધસ્વરૂપ ભગવંતનો અભિષેક કરવાથી, આપણો આત્મા નિર્મળ(પાપ રહિત) થાય છે. કોમળ-દયાળુ બને છે. (૪)
(ગાથા-આર્યાગીતિ)
મચકુંદ ચંપ માલઈ કમલાઈ પુપ્ફ પંચ વણ્ણાઈ,
જગનાહન્હવણ સમયે દેવા કુસુમાંજલિ દિંતિ. ।।૫।।
અર્થઃ-મચકુંદ(બકલુ), ચંપો, માલતી, કમળ વગેરે પાંચ પ્રકારનાં પુષ્પો શ્રી જિનેશ્વર ભગવંતના અભિષેક વખતે દેવો ચઢાવે છે, તેને કુસુમાંજલિ કહેવાય છે. (૫)
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વોસાધુભ્યઃ ।
અર્થઃ-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર કરૂં છું.
(કુસુમાંજલિ – ઢાળ)
રયણ સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુ ચરણે દિને;
કુસુમાંજલિ મેલો શાન્તિજિણંદા ।।૬।।
અર્થઃ-પછી રત્ના સિંહાસન પર શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાને સ્થાપન કરી, જગતમાં જયવંત એવા શ્રી શાંતિનાથ ભગવંતના જમણા અંગૂઠા પર કુસુમાંજલિ મૂકવી. (૬)
(દુહો)
જિણ તિહું કાલિય સિદ્ધની, પડિમા ગુણભંડાર,
તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. ।।૭।।
અર્થઃ- ત્રણ કાળમાં સિદ્ધ એવા શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમા ગુણોનો ભંડાર છે અને તે પરમાત્માના ચરણકમળમાં કુસુમાંજલિ મૂકવાથી ભવ્ય પ્રાણીઓનાં પાપ દૂર થાય છે. (૫)
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વોસાધુભ્યઃ ।
(કુસુમાંજલિ- ઢાળ)
કૃષ્ણાગરૂ વરધૂપ ધરીજે, સુગંધ કર કુસુમાંજલિ દીજે;
કુસમાંજલિ મલો, નેમિજિણંદા. ।।૮।।
અર્થઃ-ઉત્તમ કૃષ્ણાગરૂ ધૂપ હાથમાં ધારણ કરી, હાથને સુગંધિત કરી, જગતમાં જયવંત એવા શ્રી નેમિનાથ ભગવંતના ચરણકમળમાં કુસુમાંજલિ મૂકવી.
(ગાથા-આર્યાગીતિ)
જસુપરિમલબલદહ દિસિં, મહુકરઝંકાર સદ્દસંગીયા;
જિણચલણોવરિ મુક્કા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા ।।૯।।
અર્થઃ-જેની સુગંધથી દશે દિશના ભ્રમરો ગુંજારવ કરતા ભેગા થાય છે, એવી જિનેશ્વર ભગવંતના ચરણે ઉપરે મૂકેલી કુસુમાંજલિ દેવતાઓને અને મનુષ્યોને સિદ્ધગતિ આપે છે. (૯)
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વોસાધુભ્યઃ ।
(કુસુમાંજલિ-ઢાળ)
પાસ જિણેસર જગ જયકારી, જલ થલ ફૂલ ઉદક કરધારી,
કુસુમાંજલિ મેલો પાર્શ્વ જિણંદા ।।૧૦।।
અર્થઃ-ત્યાર પછી ઉત્તમ જળ તથા સ્થળનાં જળ અને ફૂલ લઈને જગતમાં જયવંત એવા શ્રી પાર્શ્વનાથ ભગવંતના ચરણ ઉપર કુસુમાંજલિ મૂકવી. (૧૦)
(દુહો)
મુકે કુસુમાંજલિ સુરા, વીર ચરણ સુકુમાલ;
તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણકાળ. ।।૧૧।।
અર્થઃ-દેવતાઓ પણ જે કુસુમાંજલિ શ્રી વીરપ્રભુના સુકુમાલ ચરણે મૂકે છે, તે કુસુમાંજલિ મૂકવાથી ભવ્ય પ્રાણીઓનાં ત્રણકાળનાં પાપ દૂર થાય છે. (૧૧)
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વોસાધુભ્યઃ ।
(કુસમાંજલિ – ઢાળ)
વિવિધ કુસુમ વરજાતિ ગહેવી, જિનચરણે પણ મંત ઠવેવી;
કુસુમાંજલિ મેલો વીરજિણંદા ।।૧૨।।
અર્થઃ-ઉત્તમ પ્રકારના વિવિધ શ્રેષ્ઠ જાતિનાં પુષ્પો લઈને જગતમાં જયવંત એવાં શ્રી વીરભગવંતના ચરણકમળમાં નમસ્કાર કરી કુસુમાંજલિ મૂકવી. (૧૨)
(વસ્તુ – છંદ)
ન્હવણ કાળે, ન્હવણ કાળે, દેવદાણવસમુચ્ચિય,
કુસુમાંજલિ તહિં સંઠવિય, પસરંત દિસિ પરિમલ સુગંધીય;
જિણપયકમલે નિવડેઈ, વિગ્ધહર જસ નામમંતો,
અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ;
સા કુસુમાંજલિ સુહકરો, ચઉવિહ સંઘ વિસેસ.
કુસુમાંજલિ મોલ ચોવીસ જિણંદા. ।।૧૩।।
અર્થઃ-શ્રી જિનેશ્વર ભગવંતના જન્માભિષેક વખતે દેવો અને દાનવો એકઠા થઈ દશે દિશામાં પ્રસરી રહેલી સુગંધવાળી કુસુમાંજલિ ચતુર્વિધ સંઘનું કલ્યાણ કરો. એમ કહી જગતમાં જયવંત એવા ચોવીસ જિનેશ્વર ભગવંતના ચરણકમળો ઉપર કુસુમાંજલિ મૂકવી.
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વોસાધુભ્યઃ ।
(કુસુમાંજલિ – ઢાળ)
અનંત ચઉવિશી જિનજી જુહારૂં, વર્તમાન ચઉવિશી સંભારૂં,
કુસુમાંજલિ મેલો ચોવીસ જિણંદા. ।।૧૪।।
અર્થઃ-શ્રી જિનેશ્વર ભગવંતની અનંત ચોવીસીઓને નમસ્કાર કરૂં છું અને વર્તમાન ચોવીસીનું સ્મરણ કરૂં છું. એમ કહી ચોવીસ પ્રભુના નામથી કુસુમાંજલિ મૂકવી. (૧૪)
(દુહો)
મહાવિદેહ સંપ્રતિ, વિહરમાન જિન વીશ,
ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ।।૧૫।।
અર્થઃ-મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વિચરતા વીશ વિહરમાન ભગવંતની પૂર્ણભક્તિથી મેં પૂજા કરી છે. તે વિહરમાન ભગવંતો ચતુર્વિધ સંઘનું કલ્યાણ કરનારા થાઓ. (૧૫)
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વોસાધુભ્યઃ ।
(કુસુમાંજલિ- ઢાળ)
અચ્છરમંડલિ ગીત ઉચ્ચારા, શ્રી શુભવીર વિજય જયકારા,
કુસુમાંજલિ મેલો સર્વ જિણંદા ।।૧૬।।
અર્થઃ-જેની આગળ અપ્સરાઓ ગાન-તાન કરી રહેલી છે, એવા શુભ નામવાળા વિજયવંત શ્રી વીરપ્રભુ જય કરનારા છે. ત્યારબાદ સર્વ તીર્થંકરોના ચરમકમળ કુસુમાંજલિ મૂકવી.
પછી બધા સ્નાત્રિયાઓએ પ્રભુના જમણા અંગૂઢે કુસુમાંજલિ મૂકવી.
પછી નીચને દુહા બોલતાં બોલતાં, સિંહાસનમાં બિરાજમાન પ્રબુને ત્રણ પ્રદક્ષિણા ફરતાં ફરતાં પ્રભુ સન્મુખ ત્રણ ખમાસમણાં દઈ “જગચિંતામણિનું ચૈત્યવંદન જય વીયરાય” સુધી કરવું.
પ્રદક્ષિણાના દુહા
(૧)
કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણનો નહિ પાર;
તે ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઊં ત્રણ વાર… ૧
ભમતીમાં ભમતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય;
જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય… ૨
(૨)
જન્મ-મરણાદિ સવિ ભય ટલે, સીઝે જો દર્શન કાજ;
રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિન-રાજ… ૩
જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત;
જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત… ૪
(૩)
ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વલી જેહ;
ચારિત્ર નામે નિરૂત્તે કહ્યું, વંદે તે ગુણગેહ… ૫
જ્ઞાન દર્શન ચારિત્ર એ, રત્ન-ત્રયી નિરધાર;
ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવ-દુખ ભંજનહાર… ૬
પછી સ્નાત્રિયાઓએ હાથ ધૂપી, હાથમાં કળશ લઈ મુખકોશ બાંધી ઊભા રહેવું.
(દુહો)
સયલ જિણેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ;
વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ…।।૧।।
અર્થઃ-સર્વ જિનેશ્વર ભગવંતના ચરણકમળમાં નમસ્કાર કરી, તે ભગવંતના કલ્યાણકનો વિધિ હું કહું છું. તે કલ્યાણકની વિધિનું વર્ણન કરતાં અને સાંભળતાં સમગ્ર સંઘની ઇચ્છા સફળ થાય છે.
(ઢાળ)
સમક્તિ ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા;
વીસસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી…૧
જો હોવે મુજ શક્તિ ઇસી, સવિ જવી કરૂં શાસનરસી;
શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીર્થંકર નામ નિકાચતાં…૨
સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી;
ચ્યવી પન્નરક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુળે…૩
પટરાણી કૂખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલોઃ
સુખશય્યાએ રજની શેષે, ઊતરતાં ચઉદ સુપન દેખે…૪
અર્થઃ-શ્રી તીર્થંકર ભગવંતે મોક્ષે જવા પૂર્વના ત્રીજા ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરી અનુક્રમે ચારિત્ર અંગીકાર કરી વિધિપૂર્વક વીશસ્થાનક તપનું આરધન કર્યું. જો મારામાં શક્તિ આવે તો સર્વ જીવોને વીતરાગ શાસનના રસિયા બનાવી દઉં. આ પ્રમાણે નિરંતર નિર્મળ ભાવના ભાવતાં તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. એ રીતે સરાગ સંયમને આરાધી, આયુષ્ય પૂર્ણ કરી વચમાં દેવનો એક ભવ કરે છે. તે દેવના ભવમાંથી ચ્યવી પંદર કર્મભૂમિમાંથી કોઈ ભૂમિના મધ્યખંડમાં ઉચ્ચકુળવાળા રાજાની પટ્ટરાણીની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થાય ચે. જેમ માનસરોવરમાં હંસ શોભે છે, તેમ શ્રી તીર્થંકર ભગવંત માતાની કુક્ષીમાં શોભે છે. પ્રભુ ગર્ભમાં આવ્યા, તે રાત્રિએ સુખશય્યામાં પ્રભુની માતા ચૌદ સ્વપ્નોને જુએ છે; તે આ પ્રમાણે –
(ઢાળ-સ્વપ્નની)
પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઇઠ્ઠો,
ત્રીજે કેસરીસિંહ, ચોથે લક્ષ્મી અબીહ…૧
પાંચમે ફૂલની માળા, છઠ્ઠે ચંદ્ર વિશાળા,
રવિ રાતો ધ્વજ મ્હોટો, પૂરણ કળશ નહીં છોટો…૨
દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર;
ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્જી…૩
સ્વપ્ન લઈ જઈ રાયને ભાખે, રાજા અર્થ પ્રકાશે,
પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકળ મનોરથ ફળશે…૪
અર્થઃ-તે ચૌદ સ્વપ્નમાં માતાએ પહેલે હાથી, બીજે વૃષભ, ત્રીજે કેસરીસિંહ, ચોથે શ્રી લક્ષ્મીદેવી, પાંચમે ફૂલની માળા, છઠ્ઠે ચંદ્ર, સાતમે સૂર્ય, આઠમે ધ્વજ, નવમે પૂર્ણ કળશ, દશમે પદ્મ સરોવર, અગિયારમે ક્ષીર સમુદ્ર, બારમે દેવ વિમાન, તેરમે રત્નરાશિ, અને ચૌદમે નિર્ધૂમ અગ્નિશિખા. આ ઉત્તમ સ્વપ્નો જોઈ માતા જાગીને, પોતાના પતિ રાજાની પાસે જઈને વિનયપૂર્વક સ્વપ્નની વાત કરે છે. રાજા પણ સ્વપ્નનું ફળ આ પ્રમાણે કરે છે :
“હે દેવાનુપ્રિય ! તમને પુત્રપ્રાપ્તિ થશે, તે તીર્થંકર થશે, જેના ચરણારવિંદમાં ત્રણે જગત નમસ્કાર કરશે અને આવા પુત્રરત્ના જન્મથી આપણી સઘળી ઇચ્છાઓ પૂર્ણ થશે.”
(વસ્તુ-છંદ)
અવધિનાણે અવધિનાણે, ઉપના જિનરાજ;
જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર.
મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મ ઉદય પરભાત સુંદર;
માતા પણ આનંદિયા, જાગતી ધર્મ વિધાન,
જાણંતિ જગતિલકસમો, હોશે પુત્ર પ્રધાન…૧
અર્થઃ-ભગવંત ગર્ભમાં ઉત્પન્ન થાય છે, ત્યારથી જ મતિ, શ્રુત અને અવધિજ્ઞાનના ધારક હોય છે. પ્રભુના પુણ્ય પરમાણુઓ જગતમાં ફેલાય છે, એથી વિશ્વના સમગ્ર જીવો શાંતિ પામે છે, સુખનો અનુભવ કરે છે અને ધર્મના ઉદયનો સુંદર પ્રભાતકાળ શરૂ થાય છે.
જેમ સૂર્યના ઉદયથી તારાઓનું તેજ નાશ પામે છે, તેમજ સૂર્ય સમાન દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવંતના ઉદયથી મિથ્યાત્વરૂપી તારાઓનો નાશ થાય છે. આવા ઉત્તમ તીર્થંકરરૂપી પુત્રના ગર્ભને ધારણ કરનારી માતા “મારો પુત્ર ત્રમ જગતમાં તિલક સમાન થશે.” એમ જાણી મનમાં અત્યંત આનંદ પામી શેષ રાત્રિ ધર્મધ્યાનમાં પસાર કરે છે.
(દુહો)
શુભલગ્ને જિન જનમિયા, નારીકીમાં સુખ જ્યોત,
સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત…૧
અર્થઃ-અનુક્રમે ગર્ભકાળ પરિપૂર્ણ થયા બાદ દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવંતનો શુભ અવસેર જન્મ થાય છે. એ વખતે નારકીના જીવો પણ ક્ષણભર શાંતિ અનુભવે છે. ત્રણ ભુવનના સઘળા જીવો અત્યંત સુખ પામે છે અને ત્રણ જગતમાં ઉદ્યોત (પ્રકાશ) થઈ જાય છે.
(અહીં ધૂપદાની, કળશ, દર્પણ, ચામર, પંખા, દીપક તથા થાળીમાં પુષ્પો અને રાખડી લઈ ઊભા રહેવું તેમજ તે પદ આવે પ્રભુને કળશ કરી, પુષ્પો ચઢાવવાં અને જમણે અંગૂઢે રાખડી મૂકવી.)
(ઢાળ-કડખાની દેશી)
સાંભળો કળશ જિન, મહોત્સવનો ઇહાં, છપ્પન કુમરી દિશિ,
વિદિશી આવે તિહાં, માય સુત નમી, આનંદ અધિકો ઘરે,
અષ્ટ સંવર્તવાયુથી કચરો હરે ।।૧।।
વૃષ્ટિ ગંધોદકે, અષ્ટ કુમરી કરે; અષ્ટ કલશો ભરી,
અષ્ટ દર્પણ ધરેઃ અષ્ટ ચામર ધરે; અષ્ટ પંખા લહી.
ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી ।।૨।।
ઘર કરી કેળના, માય સુત લાવતી, કરણ શુચિકર્મ
જળ-કળશે, ન્હવરાવતી, કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી,
રાખડી બાંધી જઈ, શયન પધરાવતી ।।૩।।
નમીય કહે માય તુજ બાળ લીલાવતી, મેરૂ રવિ ચંદ્ર
લગે જીવજો જગપતિઃ સ્વામી ગુણ ગાવતી,
નિજ ઘર જાવતી, તેણે સમે ઇન્દ્ર સિંહાસન કંપતી ।।૪।।
અર્થઃ-જ્યારે દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માનો જન્મ થાય છે, ત્યારે દરેક દિશામાંથી છપ્પન દિક્કુમારિકાઓ પ્રભુનું સૂતિકર્મ કરવાનો પોતાનો શાશ્વત આચાર હોવાથી ત્યાં આવે છે. ત્યાં આવી ભગવંતને અને તેમની માતાના નમસ્કાર કરી અત્યંત આનંદપૂર્વક નીચે મુજબ શાશ્વત આચારનું કર્તવ્ય બજાવે છે.
આઠ દિક્કુમારિકાઓ સંવર્ત વાયુ વડે ચાર દિશામાં એકેક યોજન સુધી સઘળો કરચો દૂર કરે છે. ત્યાર પછી આઠ કુમારિકાઓ સુગંધી જળની વૃષ્ટિ કરે છે. આઠ કુમારિકાઓ હાથમાં પૂર્ણ કળશને ધારણ કરીને ઊભી રહે છે. આછ કુમારિકાઓ દર્પમ ધરે છે. આઠ કુમારિકાઓ ચામર વીંઝે છે. આઠ કુમારિકાઓ દીપકને ગ્રહણ કરે છે.
ત્યાં ઉત્તમ પ્રકારનાં કેળનાં પાંદડાઓનું સૂતિગૃહ બનાવી, તેની અંદર પુત્ર અને માતાજીને લાવી કળશો વડે સ્નાન કરાવે છે. પછી પુષ્પો વડે પૂજા કરી આભૂષણ પહેરાવે છે. તે પછી હાથે રાખડી બાંધી શયનમાં પધરાવે છે. આ રીતે પોતાને લાયક ક્રિયાઓ કરી માતા તથા પુત્રને નમસ્કાર કરી દિક્કુમારિકાઓ કહે છે :
‘હે દેવાધિદેવ ! આ જગતના જીવોના હિત માટે જ્યાં સુધી જગતમાં મેરૂ, સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આપ જીવજો.’
આ રીતે પ્રભુના ગુણ ગાતી ગાતી પોતપોતાના સ્થાનકે જાય છે. એ અવસરે સૌધર્મ દેવલોકમાં ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે.
(ઢાળ-એકવિસાની દોશી)
જિન જન્મ્યાજી, જિણ વેળા જનની ધરે,
તિણ વેળાજી, ઇન્દ્ર સિંહાનસ થરહરે;
દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા;
દિશિનાયકજી, સોહમ ઇશના બિહું તદા…।।૧।।
અર્થઃ-જે વખતે શ્રી તીર્થંકર ભગવંતનો જન્મ થાય છે, તે વખતે સૌધર્મ અને ઇશાન દેવલોકના દક્ષિણ-ઉત્તમ દિશાનો ઇન્દ્રોનાં સિંહાસનો કંપે છે.
(ત્રોટક છંદ)
તદા ચિંત ઇન્દ્ર મનમાં, કોણ અવસરે એ બન્યો;
જિન જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપજ્યો…।।૧।।
સુઘોષ આદિ ઘંટનાદે, ઘોષણો સુરમેં કરે,
સવિ દેવી-દેવા જન્મ મહોત્સવ આવજો સુરગિરિવરે…।।૨।।
(અહીં ઘંટ વગાડવો)
અર્થઃ-આમ અકસ્માત્ સિંહાસન કંપવાનું કારણ ઇન્દ્ર મહારાજ અવધિજ્ઞાન વડે જુએ છે, શ્રી તીર્થંકર ભગવંતનો જન્મ થયેલો જાણી તે અત્યંત આનંદ પામે છે અને તરત જ હરિણૈમેષી નાના દેવ પાસે સુઘોષા નામનો ઘંટ વગડાવે છે, અને બધા દેવોને ખબર પડે છે કે દેવો ! શ્રી તીર્થંકર ભગવંતનો જન્મ થયો છે, માટે સહુ જન્મોત્સવ ઊજવવા મેરૂગિરિ ઉપર આવજો।
(ઢાળ પૂર્વની)
એમ સાંભળીજી, સુરવર કોડિ આવી મળે,
જન્મ મહોત્સવજી, કરવા મેરૂ ઉપર ચલે;
સોહમપતિજી, બહુ પરિવારે આવિયા,
માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવિયા…।।૩।।
(અહીં પ્રભુને ચોખાથી વધાવવા…)
અર્થઃ-એ પ્રમાણે શ્રી તીર્થંકર ભગવાનના જન્મની ખબર પડતાંની સાથે કરોડો દેવો એકઠા થાય છે અને ભગવંતનો જન્મોત્સવ ઉજવવા મેરૂ પર્વત ઉપર જાય છે. દેવ-દેવીઓના પરિવારથી પરિવરેલો સૌધર્મ ઇન્દ્ર દેવલોકમાંથી પૃથ્વી ઉપર આવી, જ્યાં શ્રી તીર્થંકર ભગવંતનો જન્મ થયો છે, ત્યાં જાય છે; અને ત્યાં જઈ માતા અને ભગવંતને નમસ્કાર કરી પ્રભુને વધાવે છે.
(ત્રોટક છંદ)
વધાવી બોલે હે રત્નકુક્ષી ધારિણી તુજ સુત તણો,
હું શક્ર સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિઘણો;
એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી;
દેવ-દેવી નાચે હર્ષ સાથે; સુરગિરિ આવ્યા વહી…।।૪।।
અર્થઃ-ત્યાર પછી ઇન્દ્ર મહારાજ પ્રભુની માતાને આ પ્રમાણે કહે છે, “હે રત્નકુક્ષીને ધારણ કરનારી માતા ! હું સૌધર્મ દેવલોકનો શક્ર નામે ઇન્દ્ર તમારા પુત્રનો જન્મ મહોત્સવ કરવા આવ્યો છું.” એ પ્રમાણે કહી, માતા પાસે ભગવંતના પ્રતિબિંબને સ્થાપન કરી, ઇન્દ્રમહારાજ પાંચરૂપે ભગવંતને ગ્રહણ કરી દેવ-દેવીઓના સમૂહ સાથે વાજતે-ગાજતે મેરૂ પર્વત ઉપર આવ્યા.
(ઢાળ-પૂર્વની)
મેરૂ ઉપરજી, પાંડુકવનમેં ચિહું દિશે,
શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે;
તિહા બેસીજી, શક્રે જિન ખોળે ધર્યા,
હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા…. ।।૫।।
અર્થઃ- મેરૂ પર્વત ઉપર પાંડુકવનમાં શિલા ઉપર સિંહાસન ગોઠવી, ત્યાં ઇન્દ્ર મહારાજે બેસીને ભગવંતને પોતાના ખોળામાં ધારણ કર્યા, ત્યાં બીજા ત્રેસઠ ઇન્દ્રો જન્મ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા.
(ત્રોટક છંદ)
મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના,
માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના;
અચ્યુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે,
ખીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિન જન્મોત્સવે… ।।૬।।
અર્થઃ- તે ચોસઠ ઇન્દ્રોએ આઠ જાતિના કળશો બનાવી, તેની અંદર માગધ વગેરે ઉત્તમ તીર્થોનાં સુગંધી પાણી ભર્યાં. અનેક પ્રકારનાં સુગંધી ધૂમ પ્રગટાવ્યા. ત્યારપછી અચ્યુતેદ્રે બીજા દેવોને શ્રી જિનેશ્વર ભગવંતના જન્મમહોત્સવમાં ગંગા વગેરેનાં પાણી લાવવા હુકમ કર્યો.
(ઢાળ-વિવાહલાની દેશી)
સુર સાંભળીને, સંચરીઆ, માગધ વરદામે ચલિયા;
પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશ ભરાવે… ૧
તીરથ જળ ઔષધિ લેતા, વળી ક્ષીર સમુદ્રે જાતા;
જળ કળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળ લાવે… ૨
સિંહાસન ચામર ધારી, ધૂપધારણાં, રકેબી સારી;
સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ… ૩
તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ આવે;
કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્તે પ્રભુના ગુણ ગાવે… ૪
અર્થઃ-અચ્યુતેંદ્રના હુકમને સાંભળીને તરત જ બીજા દેવો ગંગા, માગધ, ક્ષીર સમુદ્ર વગેરે તીર્થોનાં પાણી લેવા માટે ગયાઃ તીર્થોનાં નિર્મળ પાણી વડે કળશો ભરીને પાછા આવતાં અનેક પ્રકારની સુગંધી ઔષધીઓ, પુષ્પ, ચંગેરી થાળ વગેરે વસ્તુઓ લાવ્યા. સિંહાસન, ચામર, ધૂપદાની, રકેબી વગેરે સિદ્ધાંતમાં કહેલાં સર્વ ઉપકરણો ત્યાં એકઠાં કર્યાં. એ પ્રમાણે દરેક વસ્તુ લઈને તેઓ મેરૂ પર્વત પર આવ્યા અને પ્રભુનાં દર્શન કરી બહુજ આનંદ પામ્યા. પોતાની સાથે લાવેલા જળ કળશો વગેરે સમગ્ર વસ્તુઓ ત્યાં મૂકી ઘણા જ આનંદ સહિત પ્રભુના ગુણ ગાવા લાગ્યા.
(ઢાળ-રાગ ધનાશ્રી)
આતમભક્તિ મળ્ય કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ,
નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મસખાઈ,
જોઈસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે,
અચ્યુતપતિ હકમે કરી કળશા, અરિહાને ન્હવરાવે….આતમ…૧
અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો,
ચઉસઠ સહસ હુઆ અભિષેક, અઢીસેં ગુણા કરી જાણો,
સાઠ લાખ ઉપર એક કોડિ, કળશાનો અધિકાર,
બાસઠ ઇંદ્રતણા તિહાં બાસઠ, લોકપાલના ચાર… આતમ…૨
ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ, રવિશ્રેણી નરલોકો,
ગુરુસ્થાનક સુર કેરો એક જ, સામાનિકનો એકો,
સોહમપતિ ઇશાનપતિની, ઇન્દ્રાણીના સોલ,
અસુરની દશા ઇંદ્રાણી નાગની, બાર કરે કલ્લોલ…આતમ…૩
જ્યોતિષ વ્યંતર ઇંદ્રની ચઉ ચઉ, પર્ષદા ત્રણનો એકો,
કટકપતિ અંગરક્ષક કરે, એક એક સુવિવેકો,
પરચૂરણ સુરનો એક છેલ્લો, એ અઢીસેં અભિષેકો,
ઇશાન ઇન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો… આતમ…૪
તવ તસ ખોળે ઠવી અરિહાને, સોહમપતિ મન રંગે,
વૃષભરૂપ કરી શૃંગ જળે ભરી, ન્હવણ કરે પ્રભુ અંગે;
પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રોલે,
મંગળ દીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે… આતમ…૫
ભેરી ભુંગલ તાલ બજાવત, વળિયા જિન કર ધારી;
જનની ઘર માતાને સોંપી, એણી પરે વચન ઉચારી;
પુત્ર તમારો, સ્વામી અમારો અમ સેવક આધાર,
પંચધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણહાર… આતમ…૬
બત્રીસ કોડી કનક મણિ માણિક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે;
પૂરણ હર્ષ કરેવા ધારણ, દ્વીપ નંદીસર જાવે;
કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે;
દીક્ષા કેવળને અભિલાષે, નિત નિત જિનગુણ ગાવે… આતમ…૭
તપગચ્છ ઇસર સિંહસૂરીસર, કેરા શિષ્ય વડેરા;
સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂર વિજય ગંભીરા;
ખીમાવિજય તસ સુજસવિજયના શ્રી શુભવિજય સવાયા;
પંડિત વીરવિજયતસ શિષ્યે, જિન જન્મ મહોત્સવ ગાયા…આતમ…૮
ઉત્કૃષ્ટા એકસોને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ;
અતીત અનાગત કાળે અનંતા, તીર્થંકર જગદીશ;
સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ,
મંગળલીલા સુખ ભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ…આત્મ…૯
અર્થઃ-કેટલાક દેવો પોતાના ભાવથી-પ્રભુ ઉપરની પરમ ભક્તિથી કેટલાક મિત્રોની પ્રેરણાથી, કેટલાક સ્ત્રીની પ્રેરણાથી, તો કેટલાક ‘આ આપણો કુળધર્મ’ એમ સમજી ભવપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક-એમ ચાર પ્રકારના દેવો ત્યાં આવ્યા હતાં અને અચ્યુતેંદ્રના હુકમથી કળશો ભરીને પ્રભુને ન્હવરાવતા હતા.
તે કળશ આઠ પ્રકારના હતા. તે દરેક આઠ આઠ હજારની સંખ્યામાં હતા, એટલે બધા મળીને ૬૪,૦૦૦ કળશ હતા.
એ ૬૪,૦૦૦ કળશ દ્વારા ઇન્દ્રાદિ દેવોએ ૨૫૦ અભિષેક કર્યા. તેથી ૬૪,૦૦૦ ઠ ૨૫૦ = ૧, ૬૦, ૦૦, ૦૦૦ અભિષેક થયા.
એ અઢીસો અભિષેક આ પ્રમાણે છે.
બાસઠ ઇન્દ્રોના બાસઠ, ચાર લોકપાલના ચાર, ચંદ્રની છાસઠ પંક્તિના છાસઠ, સૂર્યની છાસઠ પંક્તિના છાસઠ, એગ ગુરૂનો, એક સામાનિક દેવોનો, સોળ સૌધર્મ ઇન્દ્ર અને ઇશાનેંદ્રની ઇન્દ્રાણીઓના, અસુરેન્દ્રની ઇન્દ્રાણીઓના દસ, નાગેન્દ્રની ઇન્દ્રાણીઓનાં બાર, ચાર જ્યોતિષી ઇન્દ્રા, ચાર વ્યંતરેન્દ્રના, એક ત્રણ પર્ષદાનો, એક કટકપતિ(સેનાપત)નો, એક અંગરક્ષકનો, એક પરચૂરણ (બાકી રહેલા) દેવોના એણ અઢીસો અભિષેક જાણવા.
ત્યારપછી ઇસાનેન્દ્ર સૌર્મેન્દ્ર કહે છે કે;
‘થોડીવાર પ્રભુજીને ખોળે બેસાડવાનો લાભ મને આપો.’ ઇશાનેન્દ્રની માગણીથી તેના ખોળામાં પ્રભુજીને બેસાડી, સૌધર્મેન્દ્ર વૃષભનું રૂપ કરી, શીંગડામાં જળ ભરી, તે વડે પ્રભુજીને અભિષેક કરે છે. ત્યારપછી આરતી મંગળ દીવો ઉતારીને દેવતાઓ જય જયના નાદ સાથે પ્રભુજીને વધાવે છે. ત્યારબાદ ભગવંતને હાથમાં ધારણ કરી, ભેરી, શરણાઈ વિગેરે વાજિત્રના નાદ સાથે, વાજતે-ગાજતે માતા પાસે જઈ પુત્રને સોંપી આ પ્રમાણે બોલે છે, “આ તમારો પુત્ર છે, પરંતુ અમારો સ્વામી છે, અમે તેમના સેવક છીએ.” ત્યાર પછી પ્રભુને રમાડવા પાંચ ધાવમાતા સ્થાપીને, બત્રીસ કરોડ સોનૈયા, મણિ, માણેક તથા વસ્ત્ર વગેરેની વૃષ્ટિ કરીને, અધૂરા આનંદે પૂર્ણ કરવા, નંદીશ્વર દ્વી પાજય છે. ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કરી સર્વ દેવો પોતપોતાને સ્થાને જાય છે, અને પ્રભુને દીક્ષા, કેવળજ્ઞાન વગેરે કલ્યાણકોના સમહની રાહ જોતા રહે છે.
છેલ્લે પૂજાના કર્તા પોતાની ગુરૂપરંપરા બતાવે છે. તપગચ્છ નાયક વિજય સિંહસૂરીશ્વરના સત્યવિજય પંન્યાસ નામના શિષ્ય થાય. તેમના શિષ્ય કપૂરવિજય મહારાજ, અને તેમના શિષ્ય ખીમાવિજય મહારાજ થયા. તેમના શિષ્ય જશવિજય અને તેમના શુભવિજય નામના શિષ્ય થયા. તેમના શિષ્ય પંડિત વીરવિજયજીએ આ સ્નાત્ર પૂજાની રચના કરી છે.
ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૭૦ તીર્થંકરદેવો અને હાલમાં મહાવિદેહક્ષેત્રમાં વિચરતા વીશ વિહરમાન તથા અતીત, અનાગત અને વર્તમાન કાળમાં થયેલા તીર્થંકર ભગવંતોનો આ સર્વ સામાન્ય કળશ છે. જે પ્રાણી આ કળશ ગાશે, તે આનંદ મંગળ પામશે, અને ઘેર ઘેર હર્ષનાં વદામણાં થશે.
ચૈત્યવંદન વિધિ વિભાગ
( નીચે મુજબ પ્રથમ ઇરિયાવહિ કરવી)
(નીચેનું સુત્ર બોલી એક ખમાસમણ આપવું)
ઇચ્છામિ ખમાસમણ સૂત્ર (યોગમુદ્રામાં)
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જવણિજ્જાએ નિસિહિઆએ મત્થએણ વંદામિ.
ભાવાર્થઃ- આ સૂત્ર દ્વાર દેવાધિદેવ પરમાત્માએ તથા પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતોને વંદન થાય છે.
(પછી નીચેના સૂત્રો ઉભા રહીને બોલવા)
ઇરિયાવિહંય સૂત્ર (યોગમુદ્રામાં)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ?
ઇચ્છં, ઇચ્છામિ પડિક્કમિઉં ।।૧।।
ઇરિયાવહિયાએ, વિરાહણાએ ।।૨।।
ગમણાગમણે ।।૩।।
પાણક્કમણે બીઅક્કમણે હરિયક્કમણે, ઓસા ઉત્તિંગ પણગ
દગમટ્ટી મક્કડા સંતાણા સંકમણે ।।૪।।
જે મે જીવા વિરાહિયા, ।।૫।।
એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા ।।૬।।
અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા,
સંઘટ્ટિયા, પરિયાવિયા કિલામિયા, ઉદૃવિયા, ઠાણાઓ ઠાણં
સંકામિયા, જીવિયાઓ વવરોવિયા,
તસ્સ મિચ્છામિ દુક્કડં ।।૭।।
ભાવાર્થઃ આ સૂત્રથી હાલતા-ચાલતા જીવોની અજાણતા વિરાધના થઈ હોય કે પાપ લાગ્યા હોય તે દૂર થાય છે.
તસ્સ ઉત્તરી સૂત્ર (યોગ મુદ્રામાં)
તસ્સ ઉત્તરી કરણેણં, પાયચ્છિત્ત કરણેણં, વિસોહિ કરણેણં,
વિસલ્લી કરણેણં, પાવાણં કમ્માણં નિગ્ઘાયણટ્ઠાએ, ઠામિ કાઉસ્સગ્ગં.
ભાવાર્થઃ આ સૂત્ર દ્વારા ઇરિયાવહિયં સૂત્રથી બાકી રહેલા પાપોની વિશેષ શુદ્ધિ થાય છે.
અન્નત્થ સૂત્ર
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં,
ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ।।૧।।
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં,
સુહુમેહિં દિટ્ઠિ સંચાલેહિં ।।૨।।
એવમાઈએહિં આગારેહિં અભગ્ગો, અવિરાહિઓ,
હુજ્જ મે કાઉસ્સગ્ગો ।।૩।।
જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં
ન પારેમિ ।।૪।।
તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં
વોસિરામિ ।।૫।।
ભાવાર્થઃ આ સૂત્રમાં કાઉસગ્ગના સોળ આગારનું વર્ણન કાયોત્સર્ગની મર્યાદા તથા કાયોત્સર્ગ કેમ ઊભા રહેવું તે બતાવેલ છે.
(પછી ‘જિનમુદ્રા’માં એક લોગસ્સનો “ચંદેસુ નિમ્મલયરા’ સુધીનો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો, પછી કાઉસ્સગ્ગ પાર્યા બાદ બે હાથ જોડી પ્રગટ લોગસ્સ કહેવો)
લોગસ્સ સૂત્ર
લોગસ્સ ઉજજોઅગરે, ધમ્મતિત્થયરે જિણે,
અરિહંતે કિત્તઈસ્સં, ચઉવિસંપિ કેવલી ।।૧।।
ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ;
પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે ।।૨।।
સુવિહિં ચ પુપ્ફદંતં, સીઅલ સિજ્જંસ વાસુપૂજ્જં ચ;
વિમલમણંતં ચ જિણં, ધમ્મં સંતિં ચ વંદામિ ।।૩।।
કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ;
વંદામિ રિટ્ઠનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ ।।૪।।
એવં મએ અભિથુઆ, વિહુય-રયમલા પહીણ-જરમરણા;
ચઉવિસંપિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ ।।૫।।
કિત્તિય-વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા;
આરૂગ્ગબોહિલાભં, સમાહિવર મુત્તમં દિન્તુ ।।૬।।
ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસ યરા,
સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ ।।૭।।
ભાવાર્થઃ આ સૂત્રમાં ચોવીસ તીર્થંકરોની નામપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે.
(પછી ત્રણ વાર ખમાસમણ દઈ, બન્ને પગ (ઢીંચણ) જમીન ઉપર સ્થાપી હાથ જોડીને-યોગમુદ્રામાં)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઇચ્છં કહી ‘સકલકુશવલ્લી’ કહી ચૈત્યવંદન કરવું.
સકલ કુશલ વલ્લી – પુષ્કરાવર્ત મેઘો,
દુરિત તિમિર ભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ
ભવજલનિધિ પોતઃ સર્વ સંપત્તિ હેતુ;
સ ભવતુ સતતં વઃ
શ્રેયસે શાંતિનાથઃ શ્રેયસે પાર્શ્વાનાથઃ
સામાન્ય જિન ચૈત્યવંદન
(આ પુસ્તકમાં આપેલ બીજાં ચૈત્યવંદન પણ બોલી શકાય)
તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તલસે,
તુજ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. …૧
કાયા અતિ આનંદ મુજ, તુમ યુગ પદ ફરસે;
તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરસે. …૨
એમ જાણીને સાહિબા, નેક નજર મોહી જોય;
‘જ્ઞાન વિમલ’ પ્રભુ નજરથી, તે શું ? જે નવિ હોય. પ૩
જંકિંચિ સૂત્ર (યોગમુદ્રામાં)
જંકિંચિ નામતિત્થં, સગ્ગે પાયાલિ માણુસે લોએ;
જાઇં જિણબિંબાઇં, તાઇં સવ્વાઇં વંદામિ ।।૧।।
ભાવાર્થઃ આ સૂત્ર દાવાર ત્રણે લોકમાં વિદ્યમાન નામરૂપી તીર્થો અને જિન પ્રતિમાઓને નમસ્કાર કરવામાં આવેલ છે.
નમુત્થુણં સૂત્ર (યોગ મુદ્રામાં)
નમુત્થુણં અરિહંતાણં ભગવંતાણં ।।૧।।
આઈગરાણં તિત્થયરાણં સયંસંબુદ્ધાણં, ।।૨।।
પુરિસુત્તમાણં, પુરિસસિહાણં, પુરિસ વર પુંડરિઆણં,
પુરિસ વર-ગંધહત્થીણં ।।૩।।
લોગુત્તમાણં, લોગનાહાણં, લોગહિયાણં, લોગપઈવાણં,
લોગપજજોઅગરાણં, ।।૪।।
અભયદયાણં, ચક્ખુદયાણં, મગ્ગદયાણં, સરણદયાણં, ।।૫।।
બોહિદયાણં, ।।૫।।
ધમ્મદયાણં, ધમ્મદેસયાણં ધમ્મનાયગાણં ધમ્મસારહીણં,
ધમ્મવર ચાઉરંત – ચક્કવટ્ટીણં. ।।૬।।
અપ્પડિહય વર – નાણ – દંસણધરાણં, વિયટ્ટ – છઉમાણં, ।।૭।।
જિણાણં જાવયાણં, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણં, ।।૮।।
મુત્તાણં મોઅગાણં ।।૮।।
સવ્વન્નૂણં, સવ્વદરિસીણં સિવ – મયલ – મરૂઅ –
મણંત-મક્ખય – મવ્વાબાહ – મપુણરાવિત્તિ – સિદ્ધિગઈ –
નામધેયં ઠાણં સંપત્તાણં, (મસ્તક નમાવતાં)
નમો જિણાણં, જિયઅભયાણં. ।।૯।।
જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતિણાગએ કાલે;
સંપઈ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ ।।૧૦।।
ભાવાર્થઃ આ સૂત્રમાં અરિહંત પરમાત્માના ગુણોનું વર્ણન છે. અને શક્ર-ઇન્દ્ર મહારાજ પ્રભુની સ્તુતિ કરતી વખતે આસૂત્ર બોલે છે.
(નીચેનું સૂત્ર લલાટ ઉપર જોડેલા હાથે મુક્તાશુક્તિ મુદ્રમાં બોલવું.)
જાવંતિ ચેઇઆઇં. સૂત્ર (મુક્તાશુક્તિ મુદ્રામાં)
જાવંતિ ચેઇઆઇં, ઉડ્ઢે અ અહે અ તિરિઅલોએ અ;
સવ્વાઇં તાઇં વંદે ઇહ સંતો તત્થ સંતાઇં ।।૧।।
ભાવાર્થઃ આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી જિન પ્રતિમાજીઓને નમસ્કાર કરવામાં આવે છે.
(નીચેનું સૂત્ર બોલી એક ખમાસમણ દેવું)
ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ
નિસીહિઆએ મત્થએણં વંદામિ.
જાવંત કે વિ સાહૂ સૂત્ર (મુક્તાશુક્તિમુદ્રામાં)
જાવંત કે વિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ;
સવ્વેસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિરયાણં ।।૧।।
ભાવાર્થઃ આ સૂત્ર દ્વારા ભરત, ઐરાવત અને મહાવિદેહ ત્રણેય ક્ષેત્રમાં વિચરતા સર્વે સાધુ સાધ્વીજી ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે.
(નીચેનું સૂત્ર પુરૂષોએ બોલવું) (યોગમુદ્રામાં)
નમોડર્હત્-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્યઃ
ભાવાર્થઃઆ સૂત્રમાં પંચપરમેષ્ઠી બગવંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે.
(આ પછી નીચેનું સ્તવન અથવા આ પુસ્તકમાંથી સુંદર અને ભાવવાહી સ્તવનોના સંગ્રહમાંથી કોઈપણ એક સ્તવન ગાવું અથવા ઉવસગ્ગહર સૂત્ર પણ બોલી શકાય.)
શ્રી સામાન્યજિન સ્તવન (યોગમુદ્રામાં)
આજ મારા પ્રભુજી ! સામું જુવોને સેવક કહીને બોલાવો રે;
એટલે હું મન ગમતું પામ્યો, રૂઠડાં બાળ મનાવો.
….મારા સાંઈ રે…આજ ૧
પતિત પાવન શરણાગત વત્સલ, એ જશ જગમાં આવો રે
મન રે મનાવ્યા વિણ નહીં મૂકું, એહી જ મારો દાવો રે. ..મારા
કબજે આવ્યા તે નહિ મૂકું, જિહાં લગે તુમ સમ થાઉં રે;
જો તુમ ધ્યાન વિના શિવ લહીયે, તો તે દાવ બતાવો રે. ..મારા
મહાગોપ ને મહાનિર્યામક, ઇણિ પરે બિરુદ ધરાવો રે;
તો તુમ આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવો ..મારા
‘જ્ઞાન વિમલ’ ગુણનો નિધિ મહિમા, મંગલ એહી વધાવો રે;
અચલ-અભેદપણે અવલંબી, અહોનિશ એહી દિલ ધ્યાવું. ..મારા
શ્રી ઉવસગ્ગહરં સ્તવન (યોગમુદ્રામાં)
ઉવસગ્ગહરં પાસં, પાસં વંદામિ કમ્મ-ઘણ-મુક્કં;
વિસહર-વિસનિન્નાસં, મંગલ-કલ્લાણ-આવાસં ..૧
વિસહરફુલિંગ-મંતં, કંઠે ધારેઈ જો સયા મણુઓ;
તસ્સ ગહ-રોગ-મારી-દુટ્ઠ-જરા જંતિ ઉવસામં ..૨
ચિટ્ઠઉ દૂરે મંતો, તુજઝ પણામો વિ બહુ-ફલો હોઈ;
નર-તિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ખ-દોગચ્ચં ..૩
તુહ સમ્મત્તે લદ્ધે, ચિંતામણિ-કપ્પ-પાયવ-બ્ભહિએ;
પાવંતિ અવિગ્ઘેણં, જીવા અયરામરં ઠાણં …૪
ઇઅ સંથુઓ મહાયસ !, ભત્તિબ્ભરનિબ્ભરેણ હિયએણ;
તા દેવ !, દિજ્જ બોહિં, ભવે ભવે પાસ ! જિણચંદ ! ..૫
ભાવાર્થઃ- શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ગુણોની સ્તુતિરૂપ આ સ્તોત્ર શ્રી ભદ્રબાહુસ્વામીનું રચેલું છે. તે સર્વ વિધ્નોનો નાશ કરનારૂં છે.
(બહેનોએ હાથ ઊંચા કરવા નહીં.)
જોડેલા હાથ લલાટે લગાડીને ‘મુક્તાશુક્તિ’ મુદ્રમાં નીચેનું સૂત્ર બોલવું.
જય વીયરાય
જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં !
ભવનિવ્વેઓ મગ્ગા-ણુસારિઆ ઇઠ્ઠફલ સિદ્ધિ. ..૧
લોગ વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થ કરણં ચ;
સુહગુરુજોગો તવ્વયણ-સેવણા આભવમખંડા. ..૨
(બાકીનું સૂત્ર બે હાથ નીચે કરીને ‘યોગમુદ્રા’માં બોલવું)
વારિજ્જઈ જઈવિ નિયાણ-બંધણં વીયરાય ! તુહ સમયે;
તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણં. ..૩
દુક્ખક્ખઓ કમ્મક્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ;
સંપજ્જઉ મહ એઅં, તુહ નાહ ! પણામકરણેણં. ..૪
સર્વ-મંગલ-માંગલ્યં, સર્વ કલ્યાણકારણંમ્;
પ્રધાનં સર્વ-ધર્માણા, જૈનં જયતિ શાસનમ્. ..૫
ભાવાર્થઃ આ સૂત્રમાં પાસે ઉત્તમ ગુણોની માંગણી, દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને સમક્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે.
(પછી ઊભા થઈને)
અરિહંત ચેઇયાણં સૂત્ર (યોગમુદ્રામાં)
અરિહંત ચેઈયાણં, કરેમિ કાઉસ્સગ્ગં ૧.
વંદણ વત્તિયાએ, પૂઅણવત્તિઆએ, સક્કારવત્તિયાએ,
સમ્માણ વત્તિયાએ, બોહિલાભવત્તિયાએ, નિરુવસગ્ગવત્તિયાઆએ !૨.
સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પેહાએ,
વડ્ઢ઼માણીએ ઠામિ કાઉસ્સગ્ગં. ૩
ભાવાર્થઃ આ સૂત્રમાં જ્યાં ચૈત્યવંદન કરતા હોઈએ તે દેરાસરની તમામ પ્રતિમાઓને વંદન કરવામાં આવે છે.
અન્નત્થ સૂત્ર (યોગમુદ્રામાં)
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં.
જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં,
ભમલિયે પિત્તમુચ્છાએ ।।૧।।
સુહુમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં,
સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં ।।૨।।
એવમાઈએહિં, આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ,
હુજ્જ મે કાઉસ્સગ્ગો ।।૩।।
જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ
તાવ કાયં ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસિરામિ ।।૪।।
(કહીને એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી બે હાથ જોડીને)
નમોડર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
(કહી થોય કહેવી)
પ્રહ ઉછી વંદુ, ઋષભદેવ ગુણવંત,
પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત;
ત્રણ છત્ર બિરાજે, ચારમ ઢાળે ઇદ્ર,
જિનના ગુણ ગાવે, સુરનર નારીના વૃંદ.
(પછી ખમાસણ આપી પચ્ચક્ખાણ લેવું)
અને છેલ્લે ભાવપૂજાની પૂર્ણાહુતિ કરતાં કરતાં નીચેની બાવાવાહી ‘સ્તુતિ’ બોલી સુંદર ‘ભાવના’ ભાવવી.
આવ્યો શરણે તમારા જિનવર ! કરજો, આશ પૂરી અમારી,
નાવ્યો ભવપાર મ્હારો તુમ વિણ જગમાં, સાર લે કોણ મારી;
ગાયો જિનરાજ ! આજે હરખ અધિકથી, પરમ આનંદકારી,
પાયો તુમ દર્શનાસે ભવભય ભ્રમણા નાથ ! સર્વે અમારી.
ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગું છું દેવાધિદેવા;
સામું જુઓને સેવક જાણી, એવી ‘ઉદયરત્નની’ વાણી.
જિને ભક્તિ ર્જિને ભક્તિ, ર્જિને ભક્તિ ર્દિને દિને;
સદા મેડસ્તુ સદા મેડસ્તુ, સદા મેડસ્તુ ભવેભવે.
ઉપસર્ગાઃ ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ
મનઃ પ્રસન્નતામેતિ, પૂજયમાને જિનેશ્વારે.
સર્વ મંગલ માંગલ્યમ્, સર્વ કલ્યાણ કારણમ્;
પ્રધાનં સર્વ ધર્માણાં, જૈનં જયતિ શાસનમ્
વિધિ સહિત ગુરૂવંદન
(પછી ખમાસમણ આપી જમણો હાથ જમીન પર સ્થાપી અવિધિ આશાતનાનું મિચ્છામિ દુક્કડં માંગવું.)
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
(એ પ્રમાણે બે વખત ખમાસમણ દેવાં, તે પછી)
ઇચ્છાકાર સહુ-રાઇય ? (સુહ-દેવસિ ?) (સવારે ૧૨ વાગ્યા સુધી સુહ રાઇય બોલવું અને બપોરે ૧૨ વાગ્યા પછી સુહ દેવસિ બોલવું) સુખ-તપ ? શરીર-નિરાબાધ ? – સુખસંજમ જાત્રા નિર્વહો છો જી ? સ્વામી ! શાતા છે જી ? ભાત-પાણીનો લાભ દેજોજી.
(પદ્મસ્થ હોય તો ખમાસમણ દેવું. પછી)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અબ્ભુટ્ઠિઓમિ અબ્ભિંતર રાઇઅ (દેવસિઅં) ખામેઉં ? ઇચ્છં, ખામેમિ રાઇઁઅં (દેવસિઅં) જંકિંચિ અપત્તિયં, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતર-ભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ, મજ્ઝ વિણય-પરિહીણં, સુહુમં વા બાયરં વા તુબ્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં.
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
।।ગુરૂવંદનની વિધિ પૂર્ણ।।
રાઇય-પ્રતિક્રમણ વિધિ સહિત
પ્રતિક્રમણની શરૂઆતમાં ‘સામાયિક’ લેવું. આ પ્રતિક્રમણ સવારે કરવામાં આવે છે.
સામાયિક કેવાની વિધિ
(શ્રાવક-શ્રાવકિએ સામાયિક લેવા માટે બાહ્ય-શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથ-પગ ધોઈ સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચોક્ખી જગ્યાએ ભૂમિને પૂંજીને ઊંચા આસને સ્થાપનાજી અથવા સાપડા ઉપર ધાર્મિક વિષયનું-જેમાં નવકાર તથા પંચિંદિયનો પાઠ હોય તેવું પુસ્તક મૂકવું. સામાયિકનો બે ઘડીનો એટલે ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે, નવકારવાળી ગણવી અથવા તો ધાર્મિક વિષયનાં જ પુસ્તકો વાંચવાં. સામાયિકનો કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ પાસે રાખવી. ત્યાર પછી કટાસણું, મુહપત્તિ અને ચરવળો લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને આહ્વાહન મુદ્રાએ નવકાર તથા પંચિદિંય બોલવાં.)
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો,
સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢ઼મં હવઈ મંગલં.
પંચિંદય સંવરણો, તહ નવવિહ બંભચેર ગુત્તધરો;
ચઉવિહ-કસાય-મુક્કો, ઇઅ અટ્ઠારસ ગુણેહિં સંજુત્તો. ૧
પંચ મહવ્વય જુત્તો, પંચવિહાયાર પાલણ સમત્થો;
પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરૂ મજ્ઝ. ૨
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છં, ઇચ્છામિ પડિક્કમિઉં ૧. ઇરિયાવહિયાએ, વિરાહણાએ ૨. ગમણાગમણે ૩. પાણક્કમણે બીઅક્કમણે હરિયક્કમણે, ઓસા-ઉત્તિંગ -પણગ-દગ-મટ્ટી મક્કડા-સંતાણા-સંકમણે ૪. જે મે જીવા વિરાહિયા, ૫. એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા ૬. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા કિલામિયા, ઉદૃવિયા, ઠાણાઓ ઠાણં, સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં ૭.
તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહિ-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણં કમ્માણં નિગ્ઘાયણટ્ઠાએ, ઠામિ કાઉસ્સગ્ગં.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં ૨. એવમાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ ૪. તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ ૫.
(અહીં એક લોગસ્સનો ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધીનો, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.)
લોગસ્સ ઉજજોઅગરે, ધમ્મતિત્થયરે જિણે,
અરિહંતે કિત્તઈસ્સં, ચઉવિસંપિ કેવલી. ૧
ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ;
પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે. ૨
સુવિહિં ચ પુપ્ફદંતં, સીઅલ સિજ્જંસ વાસુપૂજ્જં ચ;
વિમલમણંતં ચ જિણં, ધમ્મં સંતિં ચ વંદામિ. ૩
કુંથું અરં ચ મલ્લિં વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ;
વંદામિ રિટ્ઠનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ. ૪
એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણ જરમરણા;
ચઉવિસંપિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ. ૫
કિત્તિય-વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા;
આરૂગ્ગબોહિલાભં, સમાહિવર મુત્ત મંદિન્તુ. ૬
ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા,
સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. ૭
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ‘ઇચ્છં’
મહુપત્તિના ૫૦ બોલ
૧ સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દહું, ૨. સમ્યક્ત્વ મોહનીય, ૩. મિશ્ર મોહનીય, ૪. મિથ્યાત્વ મોહનીય પરિહરૂં, ૫. કામરાગ, ૬. સ્નેહરાગ, ૭. દ્દષ્ટિરાગ, ૮. સુદેવ, ૯. સુગુરૂ, ૧૦. સુધર્મ આદરૂં, ૧૧. કુદેવ, ૧૨, કુગુરૂ, ૧૩. કુધર્મ પરિહરૂં, ૧૪. જ્ઞાન, ૧૫, દર્શન ૧૬. ચારિત્ર આદરૂં, ૧૭. જ્ઞાન-વિરાધના, ૧૮. દર્શન-વિરાધના, ૧૯. ચારિત્ર-વિરાધના પરિહરૂં, ૨૦. મનગુપ્તિ, ૨૧. વચનગુપ્તિ, ૨૨. કાયગુપ્તિ આદરૂં, ૨૩. મનદંડ, ૨૪. કાયદંડ પરિહરૂં.
બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા.
(ડાબો હાથ પડિલેહતાં) ૧. હાસ્ય, ૨. રતિ, ૩. અરતિ પરિહરૂં,
(જમણો હાથ પડિલેહતાં), ૪ ભય, ૫. શોક, ૬. દુર્ગંછા પરિહરૂં.
(લલાડે પડિલેહતાં) ૭. કૃષ્ણ લેશ્યા ૮. નીલ લેશ્યા ૯. કાપોત લેશ્યા પરિહરૂં.
(મોઢે પડિલેહતાં) ૧૦. રસગારવ, ૧૧. ઋદ્ધિગારવ, ૧૨. સાતાગારવ ૧૫.
મિથ્યાત્વશલ્ય પરિહરૂં.
(ડાબા હાથે પડિલેહતાં) ૧૮. માયા. ૧૯. લોભ પરિહરૂં.
(જમણા ઢીંચણે પડિલેહતાં) ૨૦. પૃથ્વીકાય, ૨૧. અપકાય, ૨૨. તેઉકાયની રક્ષા કરૂં.
(ડાબો ઢીંચણે પડિલેહતાં) ૨૩. વાયુકાય, ૨૪. વનસ્પતિકાય, ૨૫. ત્રકાયની જયણા કરૂં.
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ‘ઇચ્છં’
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક ઠાઉં ?’ ‘ઇચ્છં’
(બોલીને બે હાથ જોડીને નીચે મુજબ નવકાર ગણવો.)
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો,
સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢ઼મં હવઈ મંગલં.
ઇચ્છાકારી ભગવાન્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી.
(ગુરૂ કે વડીલ પુરૂષ હોય તો તે ઉચ્ચરાવે, નહિં તો જાતે ‘કરેમિ ભંતે’ કહેવું.)
કરેમિ ભંતે ! સામાઇયં, સાવજ્જં જોગં પચ્ચક્ખાણિ, જાવ નિયમં પજ્જુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
(હવે નીચે બેસવા માટે ગુરૂજીની પાસે આજ્ઞા માંગવી)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહું ? ‘ઇચ્છં.’
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ? ‘ઇચ્છં.’
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.(સ્વાધ્યાય માટે ગુરૂજી પાસે આજ્ઞા માંગવી.)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું ? ‘ઇચ્છં.’
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરૂં ? ‘ઇચ્છં.’
(અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ વાર નવકાર ગણવા.)
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો,
સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢ઼મં હવઈ મંગલં.
શ્રી રાઇ પ્રતિક્રમણ વિધિ
પ્રથમ બતાવ્યા પ્રમાણે સામાયિક લઈ, પછી આ પ્રમાણે ‘રાઈ પ્રતિક્રમણ’ કરવું.
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કુસુમિણ, દુસુમિણ, ઉડ્ડાવણી રાઇય-પાચચ્છિત્ત વિસોહણત્થં કાઉસ્સગ્ગ કરૂં ! ‘ઇચ્છ’, કુસુમિણ દુસુમિણ ઉટ્ટાવણી રાઇયપાયચ્છિત્ત વિસોહત્થં કરેમિ કાઉસ્સગ્ગં.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં ૨. એવમાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ ૪. તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ
(ચાર લોગસ્સનો ‘સાગરવરગંભીરા’ સુધી, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી ‘નમો અરિહંતાણં’ કહી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહેવો.)લોગસ્સ ઉજજોઅગરે, ધમ્મતિત્થયરે જિણે,
અરિહંતે કિત્તઈસ્સં, ચઉવિસંપિ કેવલી. ૧
ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ;
પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે. ૨
સુવિહિં ચ પુપ્ફદંતં, સીઅલ સિજ્જંસ વાસુપૂજ્જં ચ;
વિમલમણંતં ચ જિણં, ધમ્મં સંતિં ચ વંદામિ. ૩
કુંથું અરં ચ મલ્લિં વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ;
વંદામિ રિટ્ઠનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ. ૪
એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણ જરમરણા;
ચઉવિસંપિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ. ૫
કિત્તિય-વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા;
આરૂગ્ગબોહિલાભં, સમાહિવર મુત્ત મંદિન્તુ. ૬
ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા,
સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. ૭
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરૂં ? ‘ઇચ્છં.’
શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન
(રોલા છંદ)
જગચિંતામણિ ! જગગુરૂ, જગરક્ખાણ !
જગબંધવ ! જગસત્થવાહ ! જગભાવવિઅક્ખાણ !
અટ્ઠાવય-સંઠ વિઅ-રૂવ ! કમ્મટ્ઠ – વિણાસણ !
ચઉવીસંપિ જિણવર ! જયંતુ, અપ્પડિય-સાસણ ! ૧
(વસ્તુ છંદ)
કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં, પઢમસંઘયણિ,
ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહરંત લબ્ભઈ,
નવ કોડિહિ કેવલીણ, કોડિ સહસ્સ નવ સાહુ ગમ્મઇ,
સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ;
સમણહ કોડિ સહસ્સ દુઅ, થુણિજ્જઈ નિચ્ચ વિહાણિ. ૨
જયઉ સામિય ! જયઉ સામિય ! રિસહ ! સત્તુજિ;
ઉજ્જિંતિ પહુ નેમિજિણ ! જયઉ વીર ! સચ્ચઉરિમંડણ;
ભરૂઅચ્છહિં મુણિસુવ્વયં ! મુહરિ પાસ દુહ-દુરિઅખંડણ,
અવર વિદેહિં તિત્થયરા, ચિહું દિસિ વિદિસિ જિકેવિ,
તીઆણગય-સંપિય, વંદું જિણ સવ્વેવિ, ૩
(ગાહા)
સત્તાણવી સહસ્સા, લક્ખા છપ્પન્ન અટ્ઠકોડીઓ,
બત્તીસ-સય બાસિયાઈ, તિઅલોએ ચેઇએ વંદે. ૪
પનરસ કોડિ સયાઇ, કોડિ બાયાલ લક્ખ અડવન્ના;
છત્તીસ સહસ અસીઇ, સાસય બિંબાઈ પણમામિ. ૫
જં કિંચિ સૂત્ર
જંકિંચિ નામતિત્થં, સગ્ગે પાયાલિ માણુસે લોએ;
જાઇં જિણબિંબાઇં, તાઇં સવ્વાઇં વંદામિ ૧
નમુત્થુણં સૂત્ર
નમુત્થુણં અરિહંતાણં ભગવંતાણં ૧. આઈગરાણં તિત્થયરાણં સયંસંબુદ્ધાણં, ૨. પુરિસુત્તમાણં, પુરિસસિહાણં, પુરિસ વર પુંડરિઆણં, પુરિસ વર-ગંધહત્થીણં ૩. લોગુત્તમાણં, લોગનાહાણં, લોગહિયાણં, લોગપઈવાણં, લોગપજજોઅગરાણં, ૪. અભયદયાણં, ચક્ખુદયાણં, મગ્ગદયાણં, સરણદયાણં, બોહિદયાણં, ૫. ધમ્મદયાણં, ધમ્મદેસયાણં ધમ્મનાયગાણં ધમ્મસારહીણં, ધમ્મવર ચાઉરંત – ચક્કવટ્ટીણં. ૬. અપ્પડિહય વર – નાણ – દંસણધરાણં, વિયટ્ટ – છઉમાણં, ૭. જિણાણં જાવયાણં, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણં, મુત્તાણં મોઅગાણં ૮. સવ્વન્નૂણં, સવ્વદરિસીણં સિવ – મયલ – મરૂઅ – મણંત-મક્ખય – મવ્વાબાહ – મપુણરાવિત્તિ – સિદ્ધિગઈ –
નામધેયં ઠાણં સંપત્તાણં, નમો જિણાણં, જિયઅભયાણં. ૯.
જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતિણાગએ કાલે;
સંપઈ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ ૧૦.
જાવંતિ ચેઇઆઇં. સૂત્ર
જાવંતિ ચેઇઆઇં, ઉડ્ઢે અ અહે અ તિરિઅલોએ અ;
સવ્વાઇં તાઇં વંદે ઇહ સંતો તત્થ સંતાઇં ૧
ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ, નિસીહિઆએ મત્થએણં વંદામિ.
જાવંત કે વિ સાહૂ સૂત્ર
જાવંત કે વિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ;
સવ્વેસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિરયાણં ૧
(સ્ત્રીઓએ આ સૂત્ર ક્યાયં બોલવું નહીં.)
નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
શ્રી ઉવસગ્ગહરં સ્તવન
ઉવસગ્ગહરં પાસં, પાસં વંદામિ કમ્મ-ઘણ-મુક્કં;
વિસહર-વિસનિન્નાસં, મંગલ-કલ્લાણ-આવાસં ..૧
વિસહરફુલિંગ-મંતં, કંઠે ધારેઈ જો સયા મણુઓ;
તસ્સ ગહ-રોગ-મારી-દુટ્ઠ-જરા જંતિ ઉવસામં ..૨
ચિટ્ઠઉ દૂરે મંતો, તુજઝ પણામો વિ બહુ-ફલો હોઈ;
નર-તિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ખ-દોગચ્ચં ..૩
તુહ સમ્મત્તે લદ્ધે, ચિંતામણિ-કપ્પ-પાયવ-બ્ભહિએ;
પાવંતિ અવિગ્ઘેણં, જીવા અયરામરં ઠાણં …૪
ઇઅ સંથુઓ મહાયસ !, ભત્તિબ્ભરનિબ્ભરેણ હિયએણ;
તા દેવ !, દિજ્જ બોહિં, ભવે ભવે પાસ ! જિણચંદ ! ..૫
જય વીયરાય
જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં !
ભવનિવ્વેઓ મગ્ગા-ણુસારિઆ ઇઠ્ઠફલ સિદ્ધિ. ..૧
લોગ વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થ કરણં ચ;
સુહગુરુજોગો તવ્વયણ-સેવણા આભવમખંડા. ..૨
(પછી બે હાથ લલાટેથી નીચા કરવા)
વારિજ્જઈ જઈવિ નિયાણ-બંધણં વીયરાય ! તુહ સમયે;
તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણં. ..૩
દુક્ખક્ખઓ કમ્મક્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ;
સંપજ્જઉ મહ એઅં, તુહ નાહ ! પણામકરણેણં. ..૪
સર્વ-મંગલ-માંગલ્યં, સર્વ કલ્યાણકારણંમ્;
પ્રધાનં સર્વ-ધર્માણા, જૈનં જયતિ શાસનમ્. ..૫
(પછી એક એક ખમાસપણે ભગવાનાદિ ચારને વાદવા. તે નીચે પ્રમાણે )
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ ! “ભગવાન્હં”
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ ! “આચાર્યહં”
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ ! “ઉપાધ્યાયહં”
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ ! “સર્વસાધુહં”
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
ઇચ્છાકારણે સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સદિસાહું ? ‘ઇચ્છં’.
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.
ઇચ્છાકારણે સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ? ‘ઇચ્છં’.
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો,
સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢ઼મં હવઈ મંગલં.
ભરહેસરની સજ્ઝાય
ભરહેસર બાહુબલી, અભયકુમારો અ ઢંઢણકુમારોઃ
સિરિઓ અણિઆઉત્તો, અઇમુત્તો નાગદત્તો અ. ૧
મેઅજ્જ થૂલિભદ્દો, વયરિસી નંદિસેણી સીહગિરી;
કયવન્નો અ સુકોસલ, પુંડરિઓ કેસી કરકંડૂ, ૨
હલ્લ વિહલ્લ સુદંસણ, સાલ મહાસાલ સાલિભદ્દો અ;
ભદ્દો દસન્નભદ્દો, પસન્નચંદો અ જસભદ્દો. ૩
જંબૂપહૂ વંકચૂલો, ગયસુકુમાલો અવંતિસુકુમાલો;
ધન્નો ઇલાઇપુત્તો, ચિલાઇપુત્તો અ બાહુમુણી. ૪
અજ્જગિરી અજ્જરક્ખિઅ, અજ્જસુહત્થી ઉદાયગો મણગો;
કાલયસૂરી સંબો, પજ્જુન્નો મૂલદેવો અ. ૫
પભવો વિણ્હુકુમારો, અદૂકુમારો દૃઢપ્પહારી અ;
સિજ્જંસ કૂરગડુ અ, સિજ્જંભવ મેહકુમારો અ. ૬
એમાઇ મહાસત્તા, દિંતુ સુહં ગુણગણેહિં સંજુત્તા;
જેસિં નામગ્ગહણે, પાવપ્પબંધા વિલયં જંતિ. ૭
સુલસા ચંદનબાલા, મણોરમા મયણરેહા દમયંતી;
નમયાસુંદરી સીયા, નંદા ભદ્દા સુભદ્દા ય. ૮
રાઇમી રિસિદત્તા, પઉમાવઈ અંજણા સિરીદેવી;
જિટ્ઠ સુજિટ્ઠ મિગાવઈ, પભાવઈ ચિલ્લણાદેવી. ૯
બંભી સુંદરી રૂપ્પિણી, રેવઈ કુંતી સિવા જયંતી અ;
દેવઈ દોવઈ ધારણી, કલાવઈ પુપ્ફચુલા ય. ૧૦
પઉમાવઈ અ ગોરી, ગંધારી લક્ખમણા સુસીમા ય;
જંબૂવઈ સચ્ચભામા, રુપ્પિણી કણ્હટ્ઠ મહિસીઓ. ૧૧
જક્ખા ચ જક્ખદિન્ના, ભૂઆ તહ ચેવ ભૂઅદિન્ના ય;
સેણા વેણા રેણા, ભઈણીઓ ભૂલિભદ્દસ્સ. ૧૨
ઇચ્ચાઈ મહાસઈઓ, જયંતિ અકલંક-સીલ-કલિ-આઓ;
અજ્જવિ વજ્જઈ જાસિં, જસ-પડહો તિહુઅણે સયલે. ૧૩
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો,
સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢ઼મં હવઈ મંગલં.
(પછી ઉભા થઈ નીચે પ્રમાણે બોલવું.)
ઇચ્છકાર ! સુહ-રાઈ ? રાઇઅ પડિક્કમણે ઠાઉં ? ઇચ્છં
(કહી જમણો હાથ ચરવલા અથવા કટાસણા ઉપર સ્થાપીને)
સવ્વસ્સવિ, રાઇઅ, દુચ્ચિંતિઅ, દુબ્ભાસિઅ, દુચ્ચિટ્ઠિઅ, મિચ્છામિ દુક્કડં.
(પછી યોગમુદ્રામાં બેસી નમુત્થુણું નીચે પ્રમાણે કહેવું.)
નમુત્થુણં અરિહંતાણં ભગવંતાણં ૧. આઈગરાણં તિત્થયરાણં સયંસંબુદ્ધાણં, ૨. પુરિસુત્તમાણં, પુરિસસિહાણં, પુરિસ વર પુંડરિઆણં, પુરિસ વર-ગંધહત્થીણં ૩. લોગુત્તમાણં, લોગનાહાણં, લોગહિયાણં, લોગપઈવાણં, લોગપજજોઅગરાણં, ૪. અભયદયાણં, ચક્ખુદયાણં, મગ્ગદયાણં, સરણદયાણં, બોહિદયાણં, ૫. ધમ્મદયાણં, ધમ્મદેસયાણં ધમ્મનાયગાણં ધમ્મસારહીણં, ધમ્મવર ચાઉરંત – ચક્કવટ્ટીણં. ૬. અપ્પડિહય વર – નાણ – દંસણધરાણં, વિયટ્ટ – છઉમાણં, ૭. જિણાણં જાવયાણં, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણં, મુત્તાણં મોઅગાણં ૮. સવ્વન્નૂણં, સવ્વદરિસીણં સિવ – મયલ – મરૂઅ – મણંત-મક્ખય – મવ્વાબાહ – મપુણરાવિત્તિ – સિદ્ધિગઈ –
નામધેયં ઠાણં સંપત્તાણં, નમો જિણાણં, જિયઅભયાણં. ૯.
જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતિ ણાગલે કાલે;
સંપઇ આ વટ્ટામાણા, સવ્વે તિવિહેણ વંદામિ. ૧૦.
(કહી ઉભા થઇ નચેનાં સૂત્ર બોલવાં)
કરેમિ ભંતે ! સામાઇયં, સાવજ્જં જોગં પચ્ચક્ખાણિ, જાવ નિયમં પજ્જુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.
ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગં, જો મે રાઇઓ અઇઆરો કઓ, કાઇઓ, વાઇઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મગ્ગો, અકપ્પો, અકરણિજ્જો, દુજ્ઝાઓ, દુવ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવગપાઉગ્ગો. નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ, તિણ્હં ગુત્તીણં, ચઉણ્હં કસાયાણં, પંચણ્હમણુંવ્વયાણં, તિણ્હં ગુણવ્વયાણં, ચઉણ્હં કસાયાણં, પંચણ્હમણુવ્વયાણં, તિણ્હં ગુણવ્વયાણં, ચઉણ્હં સિક્ખાવયાણં, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, ચં ખંડિઅં, જં વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં.
તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિતં-કરણેણં, વિસોહી-કરણેણં,
વિસલ્લી-કરણેણં, પાવાણં કમ્માણં નિગ્ધાયાણટ્ઠાએ ઠામિ કાઉસ્સગ્ગં.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં ૨. એવમાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ ૪. તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ ૫.
(અહીં એક લોગસ્સનો ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધીનો, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.)
લોગસ્સ ઉજજોઅગરે, ધમ્મતિત્થયરે જિણે,
અરિહંતે કિત્તઈસ્સં, ચઉવિસંપિ કેવલી. ૧
ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ;
પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે. ૨
સુવિહિં ચ પુપ્ફદંતં, સીઅલ સિજ્જંસ વાસુપૂજ્જં ચ;
વિમલમણંતં ચ જિણં, ધમ્મં સંતિં ચ વંદામિ. ૩
કુંથું અરં ચ મલ્લિં વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ;
વંદામિ રિટ્ઠનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ. ૪
એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણ જરમરણા;
ચઉવિસંપિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ. ૫
કિત્તિય-વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા;
આરૂગ્ગબોહિલાભં, સમાહિવર મુત્ત મંદિન્તુ. ૬
ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા,
સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. ૭
સવ્વલોએ અરિહંત-ચેઇયાણં, કરેમિ કાઉસ્સગ્ગં. ૧. વંદણ-વત્તિઆએ, પૂઅણ-વત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભ-વત્તિઆએ. નિરુવસગ્ગ-વત્તિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પેહાએ, વડ્ઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગં. ૩.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં ૨. એવમાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ ૪. તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ ૫.
(અહીં એક લોગસ્સનો ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધીનો, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી , પારીને પુકખરવર દીવડ્ઢે સૂત્ર બોલવું.)
પુક્ખરવર-દીવડ્ઢે, ધાયઇસંડે અ જંબૂદીવે અ;
ભરહેરવય-વિદેહે, ધમ્માઇગરે નસંમાસિ. ૧
તમ-તિમિર-પડલ-વિદ્ધંસણસ્સ સુરગણ-નરિંદમહિઅસ્સ;
સીમાધરસ્સ વંદે, પપ્ફોડિઅ-મોહજાલસ્સ.
(વસન્તતિલકા)
જાઈ-જરા-મરણ-સોગ-પણાસણસ્સ;
કલ્લાણ-પુક્ખલ-વિસાલ-સુહાવસ્સ,
કો દેવ-દાણવ-નરિદં-ગણચ્ચિઅસ્સ;
ધમ્મસ્સ સારમુવલબ્ભ કરે પમાયં ?
(શાર્દૂલવિક્રીડિત)
સિદ્ધો ભો ! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે;
દેવં-નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સબ્ભૂઅ-ભાવરચ્ચિએ,
લોગો જત્થ પઇટ્ઠિઓ જગમિણં તેલુક્ક-મચ્ચાસુરં;
ધમ્મો વડ્ઢઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તરં વડ્ઢઉ. ૪
સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગં, વંદણ-વત્તિઆએ, પૂઅણ-વત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભ-વત્તિઆએ, નિરુવસગ્ગ-વત્તિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પહાએ, વડ્ઢમાણીએ ઠામી કાઉસ્સગ્ગં.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં ૨. એવમાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ ૪. તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ ૫.
(પછી પંચાચારની આઠ ગાથા, ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો)
નાણંમિ દંસણંમિ અ, ચરણંમિ તવંમિ તહ ય વીરિયંમિ;
આયરણં આયારો, ઇઅ એસો પંચહા ભણિઓ. ૧
કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિણ્હવણે;
વંજણ અત્થ તદુભએ, અટ્ઠવિહો નાણમાયારો. ૨
નિસ્સંકિઅ નિક્કંખિઅ, નિવ્વિતિગિચ્છા અમૂઢદિટ્ઠી અ;
ઉવવૂહ થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટ્ઠ. ૩
પણિહાણ જોગ જુત્તો, પંચહિં સમિઇહિં તીહિં ગુત્તીહિં;
એસ ચરિત્તાયારો, અટ્ઠવિહો હોઈ નાયવ્વો. ૪
બારસવિહંમિ વિ તવે, સબ્ભિંતર બાહિરે કુસલદિટ્ઠે,
અગિલાઈ અણાજીવી, નાયવ્વો સો તવાયારો. ૫
અણસણમૂણો-અરિયા, વિત્તીસંખેવણં રસચ્ચાઓ;
કાયકિલેસો સંલીણયા ય, બજઝો તવો હોઈ. ૬
પાયચ્છિત્તં વિણઓ, વેયાવચ્ચં તહેવ સજ્ઝાઓ;
ઝાણં ઉસ્સગ્ગો વિઅ, અબ્ભિંતરઓ તવો હોઈ. ૭
અણિગૂહિઅ બલ વીરિયો, પરક્કમઇ જો જહુત્તમાઉત્તો;
જુંજઈ અ જહાથામં, નાયવ્વો વીરિઆયારો. ૮
(પછી ‘નમો અરિહંતાણં’ કાઉસ્સગ્ગ પારી, સિદ્ધાણં બુદ્ધાણં કહેવું.)
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
સિદ્ધાણં બુદ્ધાણં, પારગયાણં, પરંપરગયાણં;
લોઅગ્ગગમુવગયાણં, નમો સયા સવ્વ સિદ્ધાણં. ૧
જો દેવાણ વિ દેવો, જં જેવા પંજલી નમંસંતિ;
તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીરં. ૨
ઇક્કો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વદ્ધમાણસ્સ;
સંસાર સાગરાઓ, તારેઇ નરં વ નારિં વા. ૩
ઉજ્જિંતસેલ સિહરે, દિક્ખા નાણં નિસીહિઆ જસ્સ;
તં ધમ્મચક્કવટ્ટિં, અરિટ્ઠનેમિં નમંસામિ. ૪
ચત્તારિ અટ્ઠ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં;
પરમટ્ઠ નિટ્ઠિઅટ્ઠા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. ૫
(ત્રીજા આવશ્યકની મુહપ્તિત પડિલેહવી પછી બે વાંદણાં દેવાં.)
સુગુરુવંદન સૂત્ર (પહેલાં વાદણાં)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાયં, કાય-સંફાસં, ખમણિજ્જો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! રાઇય વઇક્કંતા. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જં ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો ! રાઇઅં વઇક્કમં. ૬. આવસ્સિઆએ પડિક્કમામિ, ખમાસમણાણં રાઈઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ ણિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વધમ્માઇક્કમણએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭.
(બીજાં વાંદણાં)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાયં, કાય-સંફાસં, ખમણિજ્જો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! રાઇય વઇક્કંતા. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જં ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો ! રાઇઅં વઇક્કમં.પડિક્કામિ, ખમાસમણાણં રાઇઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭.
‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !’ રાઇઅં આલોઉં ? ‘ઇચ્છં’ આલોએમિ.
જો મે રાઇઓ અઇયારો કઓ, કાઇઓ, વાઇઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મગ્ગો, અકપ્પો, અકરણિજ્જો, દુજ્ઝાઓ, દુવ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવગ-પાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ, તિણ્હં ગુત્તીણં, ચઉણ્હં કસાયાણં, પંચણ્હમણુવ્વયાણં, તિણ્હં ગુણવ્વયાણં, ચઉણ્હં સિક્ખાવયાણં, બારસવિહસ્સ સાવગ-ધમ્મસ્સ, જં ખંડિઅ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં.
સાત લાખ સૂત્ર
સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપ્કાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઇંદ્રિય, બે લાખ તેઇંદ્રિય, બે લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવયોનિ માંહે, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
અઢાર પાપસ્થાનક સૂત્ર
પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગિયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પરપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વ શલ્ય, એ અઢાર પાપસ્થાનમાંહિ મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય, તે સવિ મન-વનચ-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
સવ્વસ્સ વિ રાઈઅ દુચ્ચિંતિઅ, દુબ્ભાસિઅ, દુચ્ચિંતિઅ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇચ્છં, તસ્સ મિચ્છામિ દુક્કડં.
(પછી જમણો પગ (ઢીંચણ) ઊભો કરી નીચે પ્રમાણે કહેવું.)
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો,
સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢ઼મં હવઈ મંગલં.
કરેમિ ભંતે ! સામાઇયં, સાવજ્જં જોગં પચ્ચક્ખામિ, જાવ નિયમં પજ્જુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.
ઇચ્છામિ પડિક્કમિઉં. જો મે રાઈઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મગ્ગો, અકપ્પો, અકરણિજ્જો
દુજ્ઝાઓ, દુવ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવપાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિણ્હં ગુત્તીણં, ચઉણ્હં કસાયાણં, પંચણ્હમણુવ્વયાણં, તિણ્હં ગુણવ્વયાણં, ચઉણ્હં સિક્ખાવયાણં, બારસવિહસ્સ સાવગ-ધમ્મસ્સ, જં ખંડિઅં જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
વંદિત્તુ સૂત્ર
વંદિત્તુ સવ્વસિદ્ધે, ધમ્માયરિએ અ સવ્વસાહૂ અ;
ઇચ્છામિ પડિક્કમિઉં, સાવગ-ધમ્મઈઆરસ્સ. ૧
જો મે વયાઈઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અ;
સુહુમો અ બાયરો વા, તં નિંદે તં ચ ગરિહામિ. ૨
દુવિહે પરિગ્ગહંમિ, સાવજ્જે બહુવિહે અ આરંભે;
કારાવણે અ કરણે, પડિક્કમે રાઇઅં સવ્વં. ૩
જં બદ્ધ મિંદિએહિં, ચઉહિં કસાએહિં અપ્પસત્થેહિં;
રાગેણ વ દોસેણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. ૪
આગમણે નિગ્ગમણે, ઠાણે ચંકમણે અણાભોગે,
અભિઓઘે અ નિઓગે, પડિક્કમે રાઇઅં સવ્વં. ૫
સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ;
સમ્મત્તસ્સ ઇઆરે, પડિક્કમે રાઇઅં સવ્વં. ૬
છક્કાય સમારંભે, પયણે આ પયાવણે અ જે દોસા;
અત્તટ્ઢા ય પરટ્ઠા, ઉભયટ્ઠા ચેવ તં નિદેં. ૭
પંચણ્હમણુવ્વયાણં, ગુણવ્વયાણં ચ તિણ્હમઇયારે;
સિક્ખાણં ચ ચઉણ્હં, પડિક્કમે રાઇઁઅં સવ્વ. ૮
પઢમે અણુવ્વયમ્મિ, થૂલગ-પાણાઇવાય-વિરઈઓ;
આયરિયમપ્પસત્થે, ઇત્થ પમાય-પ્પસંગેણં. ૯
વહ-બંધ-છવિચ્છેએ, અઈભારે ભત્ત-પાણ-વુચ્છેએ;
પઢમ-વયસ્સ-ઇઆરે, પડિક્કમે રાઈઅં સવ્વં. ૧૦
બીએ અણુવ્વયમ્મિ, પરિથૂલગ-અલિય-વયણ-વિરઈઓ;
આયરિયમ-પ્પસત્થે, ઇત્થ પમાય-પ્પસંગેણં. ૧૧
સહસા રહસ્સ દારે, મોસુવએસે અ કૂડલેહે અ;
બીય-વયસ્સ ઈઆરે, પડિક્કમે રાઇઅં સવ્વં. ૧૨
તઈએ અણુવ્વયમ્મિ, થૂલગ-પરદવ્વ-હરણ વિરઈઓ;
આયરિયમ-પ્પસત્થે, ઇત્થ પમાય-પ્પસંગેણં. ૧૩
તેનાહડ-પ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધ-ગમણે અ;
કૂડતુલ-કૂડમાણે, પડિક્કમે રાઈઅં સવ્વં. ૧૪
ચઉત્થે અણુવ્વયમ્મિ, નિચ્ચં પરદારગમણ-વિરઈઓ;
આયરિયમ-પ્પસત્થે, ઇત્થ પમાય-પ્પસંગેણં. ૧૫
અપરિગ્ગહિઆ ઇત્તર, -અણંગ-વિવાહ-તિવ્વ-અણુરાગે;
ચઉત્થ વયસ્સઇઆરે, પડિક્કમે રાઇઅં સવ્વં. ૧૬
ઇત્તો અણુવ્વએ પંચમમ્મિ, આયરિયમપ્પસત્થમ્મિ;
પરિમાણ પરિચ્છેએ, ઇત્થ પમાય-પ્પસંગેણં. ૧૭
ધણ-ધન્ન-ખિત્ત-વત્થૂ-રુપ્પ-સુવન્ને અ કુવિઅ-પરિમાણેઃ
દુપએ ચઉપ્પમ્મિ ય, પડિક્કમે રાઇઅં સવ્વ. ૧૮
ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉડંઢ અહે અ તિરિઅં ચ;
વુડ્ઢિ સઇ-અંતરદ્ધા, પઢમમ્મિ ગુણવ્વએ નિદેં. ૧૯
મજ્જંમિ અ, મંસંમિ અ, પુપ્ફે અ ફલે અ ગંધ મલ્લે અ;
ઉવભોગ-પરિભોગે, બીયમ્મિ ગુણવ્વએ નિદેં. ૨૦
સચ્ચિત્તે પડિબદ્ધે, અપોલિ-દુપ્પોલિઅં ચ આહેર;
તુચ્છોસહિ ભક્ખણયા, પડિક્કમે રાઇઁઅં સવ્વં. ૨૧
ઇંગાલી-વણ-સાડી, ભાડી ફોડી સુવજ્જએ કમ્મં;
વાણિજ્જં ચેવ દંત, -લક્ખ-રસ-કેસ-વિસ-વિસયં. ૨૨
એવું ખુ જંતપિલ્લણ, -કમ્મં નિલ્લંછણં ચ દવ-દાણં;
સર-દહ-તલાય-સોસં, અસઇ-પોસં ચ વજ્જિજ્જા. ૨૩
સત્થગ્ગિ-મુસલ-જંતગ, -તણ-કટ્ઠે-મંત-મૂલ-ભેસજ્જે;
દિન્ને દવાવિએ વા, પડિક્કમે રાઇઅં સવ્વં. ૨૪
ન્હાણુ-વ્વટ્ટણ-વન્નગ, વિલેવણે સદ્દ-રૂવ-રસ-ગંધે;
વત્થાસણ આભરણે, પડિક્કમે રાઇઅં સવ્વં. ૨૫
કંદપ્પે કુક્કુઇએ, મોહરિ અહિગરણ ભોગ અઇરિત્તે;
દંડમ્મિ અણટ્ઠાએ, તઇઅમ્મિ ગુણવ્વએ નિદેં. ૨૬
તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ઠાણે તહા સઈ-વિહુણે;
સામાઇઅ વિતહ-કએ, પઢમે સિક્ખાવએ નિદેં. ૨૭
આણવણે પેસવણે, સદ્દે રૂવે અ પુગ્ગલક્ખેવે;
દેસાવગાસિઅમ્મિ, બીએ સિક્ખાવએ નિદેં. ૨૮
સંથારુચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભોએ;
પોસહવિહિ-વિવરીએ, તઈએ સિક્ખાવએ નિદેં. ૨૯
સચ્ચિત્તે નિક્ખિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ;
કાલાઇક્કમદાણે, ચઉત્થે સિક્ખાવએ નિદેં. ૩૦
સુહિએસુ અ દુહિએસુ અ, જા મે અસ્સંજએસુ અણુકંપા;
રાગેણ વ દોસેણ વ, તં નિદેં તં ચ ગરિહામિ. ૩૧
સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ-ચરણ-કરણ જુત્તેસુ;
સંતે ફાસુઅ-દાણે, તં નિંદે તં ચ ગરિહામિ. ૩૨
ઇહલોએ, પરલોએ, જીવિઅ-મરણે અ આસંસ-પઓગે;
પંચવિહો અઇયારો, મા મજઝ હુજ્જ મરણંતે. ૩૩
કાએણ કાઉઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ;
મણસા માણસિઅસ્સ, સવ્વસ્સ વયાઇઆરસ્સ. ૩૪
વંદણ-વય-સિક્ખા, -ગારવેસુ સન્ના-કસાય-દંડેસુ;
ગુત્તીસુ અ સમિઇસુ અ, જો અઈઆરો અ તં નિદેં. ૩૫
સમ્મદ્દિટ્ઠિ જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ;
અપ્પો સિ હોઇ બંધો, જેણ ન નિદ્ધંધસં કુણઇ. ૩૬
તંપિ હુ સપિડક્કમણં, સપ્પરિઆવં સઉત્તરગુણં ચ;
ખિપ્પં ઉવસામેઇ, વાવિવ્વ સુસિક્ખિઓ વિજ્જો. ૩૭
જહા વિસં કુટ્ઠ-ગયં, મંત-મૂલ-વિસારયા;
વિજ્જા હણંતિ મંતેહિ, તો તં હવઈ નિવ્વિસં. ૩૮
એવં અટ્ઠવિહં કમ્મં, રાગ-દોસ-સમજ્જિઅં;
આલોઅંતો અ નિંદંતો, ખિપ્પં હણઇ સુસાવઓ. ૩૯
કય-પાવો વિ મણુસ્સો, આલોઈઅ નિંદિઅ ગુરૂસગાસે;
હોઈ અઈરેગ-લહુઓ, ઓહરિઅ-ભરૂવ્વ ભારવહો. ૪૦
આવસ્સએણ એએણ, સાવઓ જઇવિ બહુરઓ હોઇ;
દુક્ખાણંત કિરિઅં, કાહી અચિરેણ કાલેણ. ૪૧
આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ-કાલે;
મૂલગુણ-ઉત્તરગુણે, તં નિંદે તં ચ ગરિહામિ. ૪૨
તસ્સ ધમ્મસ્સ કેવલિ-પન્નત્તસ્સ-(પછી ઊભા થઈને અથવા જમણો પગ નીચે રાખીને નીચેની આઠ ગાથા બોલવી.)
અબ્ભુટ્ઠિઓ મિ આરાહણાએ; વિરઓ મિ વિરાહણાએ,
તિવિહેણ પડિક્કંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. ૪૩
જાવંતિ ચેઈઆઇં, ઉડ્ઢે અ અહે અ તિરિઅલોએ અ;
સવ્વાઇં તાઇં વંદે, ઇહ સંતોત તત્થ સંતાઇ. ૪૪
જાવંત કે વિ સાહૂ, ભરહેરવય મહાવિદેહે અ;
સવ્વેસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણં. ૪૫
ચિર સંચિય-પાવ-પણાસણીઇ, ભવ-સય-સહસ્સમહણીએ;
ચઉવીસ-જિણ-વિણિગ્ગય-કહાઈ, વોલંતુ મે દિઅહા. ૪૬
મમ મંલમરિહંતા, સિદ્ધા સાહૂ સુઅં ચ ધમ્મો અ;
સમ્મદ્દિટ્ઠી દેવા, દિંતુ સમાહિં ચ બોહિં ચ. ૪૭
પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણકરણે અ પડિક્કમણેં;
અસદ્દહણે અ તહા, વિવરીય-પરૂવણાએ અ. ૪૮
ખામેમિ સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મે;
મિત્તિ મે સવ્વભૂએસુ, વેરં મજ્ઝ ન કેણઇ. ૪૯
એવઅહં-આલોઇઅ, નિંદિઅ ગરહિઅ દુગંછિઅં સમ્મં;
તિવિહેણ પડિક્કંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. ૫૦
(હવે નીચે પ્રમાણે બે વાંદણાં દેવાં)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાયં, કાય-સંફાસં, ખમણિજ્જો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! રાઇય વઇક્કંતા. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જં ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો ! રાઇઅં વઇક્કમં. ૬. આવસ્સિઆએ પડિક્કમામિ, ખમાસમણાણં રાઈઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ ણિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વધમ્માઇક્કમણએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭.
(બીજાં વાંદણાં)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાયં, કાય-સંફાસં, ખમણિજ્જો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! રાઇય વઇક્કંતા. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જં ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો ! રાઇઅં વઇક્કમં.પડિક્કામિ, ખમાસમણાણં રાઇઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭.
અબ્ભુટ્ટિઓ (ગુરૂખામણા) સૂત્ર
ઇચ્છાકારણે સંદિસહ ભગવન્ ! અબ્ભુટ્ઠિઓમિ અબ્ભિંતર રાઈઅં ખામેઉં ? ઇચ્છં, ખામેમિ રાઇઅં.
(પછી ચરવળા ઉપર કે કટાસણા ઉપર જમણો હાથ સ્થાપીને)
જં કિંચિ અપત્તિઅં, પરપત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતર-ભાસાએ, ઉવરિ-ભાસાએ, જં કિંચિ મજ્ઝ વિણય-પરિહીણં, સુહુમં વા, બાયરં વા, તુબ્ભે જાણહં, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં.ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાયં, કાય-સંફાસં, ખમણિજ્જો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! રાઇય વઇક્કંતા. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જં ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો ! રાઇઅં વઇક્કમં. ૬. આવસ્સિઆએ પડિક્કમામિ, ખમાસમણાણં રાઈઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ ણિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વધમ્માઇક્કમણએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭.
(બીજાં વાંદણાં)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાયં, કાય-સંફાસં, ખમણિજ્જો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! રાઇય વઇક્કંતા. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જં ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો ! રાઇઅં વઇક્કમં.પડિક્કામિ, ખમાસમણાણં રાઇઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭.
(બે હાથ જોડી મસ્તક નમાવવું.)
આયરિય ઉવજ્ઝાએઆયરિય-ઉવજ્ઝાએ, સીસે સાહમ્મિએ કુલ-ગણે અ;
જે મે કેઈ કસાયા, સવ્વે તિવિહેણ ખામેમિ. ૧
સવ્વસ્સ-સમણ-સંઘસ્સ, ભગવઓ અંજલિં કરિઅ સીસે;
સવ્વ ખમાવઇત્તા, ખમામિ સવ્વસ્સ અહયંમિ. ૨
સવ્વસ્સ જીવરાસિસ્સ, ભાવઓ ધમ્મ-નિહિઅ-નિયચિત્તો;
સવ્વં ખમાવઇત્તા, ખમામિ સવ્વસ્સ અહયંપિ. ૩કરેમિ ભંતે ! સામાઇયં, સાવજ્જં જોગં પચ્ચક્ખાણિ, જાવ નિયમં પજ્જુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.
ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગં, જો મે રાઇઓ અઇઆરો કઓ, કાઇઓ, વાઇઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મગ્ગો, અકપ્પો, અકરણિજ્જો, દુજ્ઝાઓ, દુવ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવગપાઉગ્ગો. નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ, તિણ્હં ગુત્તીણં, ચઉણ્હં કસાયાણં, પંચણ્હમણુંવ્વયાણં, તિણ્હં ગુણવ્વયાણં, ચઉણ્હં કસાયાણં, પંચણ્હમણુવ્વયાણં, તિણ્હં ગુણવ્વયાણં, ચઉણ્હં સિક્ખાવયાણં, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, ચં ખંડિઅં, જં વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં.
તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિતં-કરણેણં, વિસોહી-કરણેણં,
વિસલ્લી-કરણેણં, પાવાણં કમ્માણં નિગ્ધાયાણટ્ઠાએ ઠામિ કાઉસ્સગ્ગં.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં ૨. એવમાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ ૪. તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ ૫.
તપચિંતવણીના કાઉસ્સગ્ગ કરવો, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી ‘નમો અરિહંતાણં’ બોલી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહેવો.લોગસ્સ ઉજજોઅગરે, ધમ્મતિત્થયરે જિણે,
અરિહંતે કિત્તઈસ્સં, ચઉવિસંપિ કેવલી. ૧
ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ;
પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે. ૨
સુવિહિં ચ પુપ્ફદંતં, સીઅલ સિજ્જંસ વાસુપૂજ્જં ચ;
વિમલમણંતં ચ જિણં, ધમ્મં સંતિં ચ વંદામિ. ૩
કુંથું અરં ચ મલ્લિં વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ;
વંદામિ રિટ્ઠનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ. ૪
એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણ જરમરણા;
ચઉવિસંપિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ. ૫
કિત્તિય-વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા;
આરૂગ્ગબોહિલાભં, સમાહિવર મુત્ત મંદિન્તુ. ૬
ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા,
સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. ૭
(છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી. બે વાંદણાં દેવા.)ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાયં, કાય-સંફાસં, ખમણિજ્જો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! રાઇય વઇક્કંતા. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જં ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો ! રાઇઅં વઇક્કમં. ૬. આવસ્સિઆએ પડિક્કમામિ, ખમાસમણાણં રાઈઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ ણિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વધમ્માઇક્કમણએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭.
(બીજાં વાંદણાં)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાયં, કાય-સંફાસં, ખમણિજ્જો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! રાઇય વઇક્કંતા. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જં ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો ! રાઇઅં વઇક્કમં.પડિક્કામિ, ખમાસમણાણં રાઇઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭.
(સકલ તીર્થ) તીર્થ વંદના
સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ કોડ;
પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિશ. ૧
બીજે લાખ અટ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સદ્દહ્યાંઃ
ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર. ૨
છટ્ઠે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ;
આઠમે સ્વર્ગે છ હજાર, નવ દશમે વંદું શત ચાર. ૩
અગ્યાર બારમે ત્રણસેં સાર, નવ-ગૈવેયકે ત્રણસેં અઢાર;
પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી. ૪
સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવર-ભવનતણો અધિકાર;
લાંબાં સો જોજન વિસ્તાર, પચાસ ઊંચાં બહોંતેર ધાર. ૫
એકોસ એંશી બિંબ પ્રમાણ, સભા સહતિ એક ચૈત્ય જાણ;
સો ક્રોડ બાવ ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌઆલ. ૬
સાતસેં ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાલ;
તેરસેં કોડ નેવ્યાશી કોડ, સાઠ લાખ વંદું કર જોડ. ૮
બત્રીસેં ને ઓગણસાઠ, તિર્ચ્છાલોકમાં ચૈત્યને પાઠ;
ત્રણ લાખ એકાણું હજરા, ત્રણસેં વીશ ને બિંબ જુહાર. ૯
વ્યંતર જ્ટોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તેહ;
ઋષભ ચંદ્રાનન વારિષેણ, વર્ધમાન નામે ગુણસેણ, ૧૦
સમેતશિખર વંદું જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ;
વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. ૧૧
શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર;
અંતરિક્ષ વરકાણો પાસ, જીરાવલો ને થંભણ-પાસ. ૧૨
ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહઃ
વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ. ૧૩
અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધારઃ
પંચમહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. ૧૪
બાહ્ય અભ્યંતર તપ ઉજમાળ, તે મુનિ વંદું ગુણમણિમાલ;
નિત નિત ઉઠી કીર્તિ કરૂં, ‘જીવ’ કહે ભવસાગર તરૂં. ૧૫
(પછી નવકારશી, પોરિસી, સાડ્ઢપોરિસી, પુરિમડ્ઢ, બેઆસણું, આયંબિલ, ઉપવાસાદિનું યથાશક્તિ પચ્ચક્ખાણ લેવું.)
પ્રભાતનાં પચ્ચક્ખાણો
૧. નવકારશીનું પચ્ચક્ખાણઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં; મુઠ્ઠિહિઅં, પચ્ચક્ખાઈ, ચઉવ્વિહં પિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઇ.
૨. પોરિસિ તથા સાડ્ઠપોરિસીનું પચ્ચક્ખાણ
ઉગ્ગએ સૂરે, નમુક્કાર-સહિઅં, પોરિસિં, ચઉવ્વિહં પિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસા-ગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરા-ગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ.
૩. પુરિમડ્ઢ તથા અવડ્ઢનું પચ્ચક્ખાણ
ઉગ્ગએ, પુરિમડ્ઢ અવડ્ઢ-મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઈ, ચઉવ્વિહં પિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ.૪. એકાસણા તથા બિયાસણાનું પચ્ચક્ખાણ
ઉગ્ગએ સૂરે નમુક્કાર-સહિઅં, પોરિસિં, સાડ્ઠપોરિસિ મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઈ, ઉગ્ગએ સૂર્ ચઉવ્વિહં પિ આહરં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં; વિગઇઓ પચ્ચક્ખાઇ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવણં, ગિહત્થસંસટ્ઠેણંવા, ઉક્ખિત્તવિવેગેણે; પડુચ્ચક્ખિએણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં; સવ્વસમાહિવત્તિયાગારેણં, એકાસણં, બિયાસણું, પચ્ચક્ખાઈ, તિવિહંપિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણ-પસારેણં, ગુરુઅબ્ભુટ્ઠાણેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં; પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા. બહુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા વોસિરઇ.
૫. આયંબિલનું પચ્ચક્ખાણ
ઉગ્ગએ સૂરે, નમુક્કાર-સહિઅં, પોરિસિં, સાડ્ઢપોરિસિં મુડ્ઠિસહિઅં પચ્ચક્ખાઈ. ઉગ્ગએ સૂરે ચઉવ્વિહં પિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં; આયંબિલં પચ્ચક્ખાઈ, અન્નત્થાણાભોગેણ, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્થસંસટ્ઠેણં, ઉક્ખિત્તવિવેગેણં; પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણ; સવ્વસમાહિવત્તિયાગારેણં, એકાસણં પચ્ચક્ખાઈ, તિવિહં પિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણ-પસારેણં, ગુરુ-અબ્ભુટ્ઠાણેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણ; પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વના, બહુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા વોસિરઈ,
૬. તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ
સૂરે ઉગ્ગએ અબ્ભત્તટ્ઠં અબ્ભત્તટ્ઠં પચ્ચક્ખાઈ, તિવિહં પિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણ, સહસાગારેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં; પાણહાર પોરિસિ, સાડ્ઠપોરિસિ, મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાઇ; અન્નત્થભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ, લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા; સસિત્થેણ વા, અસિત્થેણ વા વોસિરઈ,
૭ ચઉવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ
સૂરે ઉગ્ગએ અબ્ભત્તટ્ઠં પચ્ચક્ખાઈ, ચઉવ્વિહં-પિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ.
૮. સવારનું પાણહારાનું પચ્ચક્ખાણ
પાણાહાર પોરિસિં, સાડ્ઠપોરિસિં, મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઈ; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં; પાણસ્સ, લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા; સસિત્થેણ વા, અસિત્થેણ વા વોસિરઇ.
૯. દેશાવગાસિકનું પચ્ચક્ખાણ
દેસાવગાસિઅં ઉવભોગં પરિભોગં પચ્ચક્ખાઇ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઇ.
૧૦ અભિગ્રહનું પચ્ચક્ખાણ
અભિગ્રહં પચ્ચક્ખાઈ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઇ.
(ઉપર્યુક્ત પચ્ચક્ખાણોમાંતી કોઈપણ એક પચ્ચક્ખાણ કરવું. પછી)
સમાયિક, ચઉવ્વિસત્થો, વાંદન, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી.
“ઇચ્છામો અણુસટ્ઠિં” નમો ખમાસણાણં
નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
(પછી પુરૂષે નીચે પ્રમાણે ‘વિશાલ-લોચન-દલં’ બોલવું અને સ્ત્રીઓએ ‘સંસાર-દાવાનલની’ થોય કહેવી)
વિશાલ-લોચન-દલં સૂત્ર
વિશાલ-લોચન-દલં, પ્રોદ્યદ્દન્તાંશુ-કેસરમ્;
પ્રાતર્વીરજિનેન્દ્રસ્ય, મુખપદ્મં પુનાતુ વઃ ૧
યેશામભષિક – કર્મ કૃત્વા,
મત્તા હર્ષભરાત્ સુખં સુરેન્દ્ર;
તૃણમપિ ગણયન્તિ નૈવ નાકં,
પ્રાતઃ સન્તુ શિવાય તે જિનેન્દ્રાઃ ૨
કલંક – નિર્મુક્તમમુક્ત – પૂર્ણતં,
કુતર્ક – રાહુગ્રસનં – સદોદયમ્;
અપૂર્વચન્દ્રં જિનચન્દ્રભાષિતં,
દિનાગમે નૌમિ બુધૈર્નમસ્સકૃતમ્. ૩
(સ્ત્રીઓએ “સંસારદાવાનલ” ની ત્રણ થોય સુધી કહેવું.)
સંસાર -દાવાનલની સ્તુતિ
સંસાર-દાવાનલ-દાહ-નીરં, સંમોહ-ધૂલી-હરણે સમીરં;
માયા-રસા-દારણ-સાર-સીરં, નમામિ વીરં ગિરિ-સાર-ધીરં. ૧
ભાવાવનામ-સુર-દાવન-માનવેન-
ચૂલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ,
સંપૂરિતાભિનત-લોક-સમીહિતાનિ;
કામં નમામિ જિનરાજ પદાનિ તાનિ. ૨
બોધાગાધં સુપદ-પદવી-નીર-પૂરાભિરામં,
જીવાહિંસાવિરલ-લહરી-સંગમાગાહદેહં;
ચૂલા-વેલ, ગુરુગમ-મણિસંકુલં-દૂરપારં,
સારં વીરાગમ-જલનિધિં, સાદરં સાધુ સેવે. ૩
નમુત્થુણં અરિહંતાણં ભગવંતાણં ૧. આઈગરાણં તિત્થયરાણં સયંસંબુદ્ધાણં, ૨. પુરિસુત્તમાણં, પુરિસસિહાણં, પુરિસ વર પુંડરિઆણં, પુરિસ વર-ગંધહત્થીણં ૩. લોગુત્તમાણં, લોગનાહાણં, લોગહિયાણં, લોગપઈવાણં, લોગપજજોઅગરાણં, ૪. અભયદયાણં, ચક્ખુદયાણં, મગ્ગદયાણં, સરણદયાણં, બોહિદયાણં, ૫. ધમ્મદયાણં, ધમ્મદેસયાણં ધમ્મનાયગાણં ધમ્મસારહીણં, ધમ્મવર ચાઉરંત – ચક્કવટ્ટીણં. ૬. અપ્પડિહય વર – નાણ – દંસણધરાણં, વિયટ્ટ – છઉમાણં, ૭. જિણાણં જાવયાણં, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણં, મુત્તાણં મોઅગાણં ૮. સવ્વન્નૂણં, સવ્વદરિસીણં સિવ – મયલ – મરૂઅ – મણંત-મક્ખય – મવ્વાબાહ – મપુણરાવિત્તિ – સિદ્ધિગઈ –
નામધેયં ઠાણં સંપત્તાણં, નમો જિણાણં, જિઅ-ભયાણં. ૯.
જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતિણાગએ કાલે;
સંપઈ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ ૧૦.
અરિહંત ચેઈયાણં, કરેમિ કાઉસ્સગ્ગં ૧. વંદણ વત્તિયાએ, પૂઅણવત્તિઆએ, સક્કારવત્તિયાએ,
સમ્માણ વત્તિયાએ, બોહિલાભ-વત્તિયાએ. ૨ નિરુવસગ્ગવત્તિયાઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પેહાએ, વડ્ઢ઼માણીએ ઠામિ કાઉસ્સગ્ગં. ૩
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં ૨. એવમાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ ૪. તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ ૫.
(એક નવકારનો કાઉસ્સગ્ગ કરી ‘નમો અરિહંતાણં’ કહેવું. ‘નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
’ કહી ‘કલ્લાણકંદ’ ની પહેલી થોય કહેવી.)
કલ્લાણ-કંદં પઢમં જિણિ દં, સંતિં તઓ નેમિજિણં મુણિં દં;
પાસં પયાસં સુગુણિક્કઠાણં, ભત્તીઇ વંદે સિરિવદ્ધમાણં. ૧
લોગસ્સ ઉજજોઅગરે, ધમ્મતિત્થયરે જિણે,
અરિહંતે કિત્તઈસ્સં, ચઉવિસંપિ કેવલી. ૧
ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ;
પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે. ૨
સુવિહિં ચ પુપ્ફદંતં, સીઅલ સિજ્જંસ વાસુપૂજ્જં ચ;
વિમલમણંતં ચ જિણં, ધમ્મં સંતિં ચ વંદામિ. ૩
કુંથું અરં ચ મલ્લિં વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ;
વંદામિ રિટ્ઠનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ. ૪
એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણ જરમરણા;
ચઉવિસંપિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ. ૫
કિત્તિય-વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા;
આરૂગ્ગબોહિલાભં, સમાહિવર મુત્ત મંદિન્તુ. ૬
ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા,
સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. ૭
સવ્વલોએ અરિહંત-ચેઇયાણં, કરેમિ કાઉસ્સગ્ગં. ૧. વંદણ-વત્તિઆએ, પૂઅણ-વત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભ-વત્તિઆએ. નિરુવસગ્ગ-વત્તિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પેહાએ, વડ્ઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગં. ૩.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં ૨. એવમાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ ૪. તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ ૫.
(એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. ‘નમો અરિહંતાણં’ કરી, પારી, બીજી થોય કહેવી)
અપાર સંસાર સમુદ્દપારં, પત્તા સિવં દિંતુ સુઇક્કસારં;
સવ્વે જિણિંદા સુરવિંદ-વંદા, કલ્લાણ-વલ્લીણ વિસાલ-કંદા. ૨
(ગાહા)
પુક્ખવર-દીવડ્ઠે, ધાયઈસંડે ય જંબૂદીવે;
ભરહેરવય – વિદેહ, ધમ્માઈગરે, નમંસામિ. ૧
તમ-તિમિર-પડલ-વિદ્ધંસણસ્સ સુરગણ-નરિંદમહિયસ્સ;
સીમાધરસ્સ વંદે, પપ્ફોડિય-મોહજાલસ્સ. ૨
(વસન્તતિલકા)
જાઈ-જરા-મરણ-સોગ-પણાસણસ્સ;
કલ્લાણ-પુક્ખલ-વિસાલ-સુહાવસ્સ,
કો દેવ-દાણવ-નરિદં-ગણચ્ચિઅસ્સ;
ધમ્મસ્સ સારમુવલબ્ભ કરે પમાયં ? ૩
(શાર્દૂલવિક્રીડિત)
સિદ્ધો ભો ! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે;
દેવં-નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સબ્ભૂઅ-ભાવરચ્ચિએ,
લોગો જત્થ પઇટ્ઠિઓ જગમિણં તેલુક્ક-મચ્ચાસુરં;
ધમ્મો વડ્ઢઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તરં વડ્ઢઉ. ૪
સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગં, વંદણ-વત્તિઆએ, પૂઅણ-વત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભ-વત્તિઆએ, નિરુવસગ્ગ-વત્તિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પહાએ, વડ્ઢમાણીએ ઠામી કાઉસ્સગ્ગં.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં ૨. એવમાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ ૪. તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ ૫.
(એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. ‘નમો અરિહંતાણં’ કહી, પારી, ત્રીજી થોય કહેવી.)
નિવ્વાણ-મગ્ગે વર-જાણ-કપ્પં, પણાસિયાસેસ-કુવાઈ-દપ્પંઃ
મયં જિણાણં સરણં બુહાણં, નમામિ નિચ્ચં તિજગ-પ્પહાણં. ૩
સિદ્ધાણં બુદ્ધાણં, પારગયાણં, પરંપરગયાણં;
લોઅગ્ગગમુવગયાણં, નમો સયા સવ્વ સિદ્ધાણં. ૧
જો દેવાણ વિ દેવો, જં જેવા પંજલી નમંસંતિ;
તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીરં. ૨
ઇક્કો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વદ્ધમાણસ્સ;
સંસાર સાગરાઓ, તારેઇ નરં વ નારિં વા. ૩
ઉજ્જિંતસેલ સિહરે, દિક્ખા નાણં નિસીહિઆ જસ્સ;
તં ધમ્મચક્કવટ્ટિં, અરિટ્ઠનેમિં નમંસામિ. ૪
ચત્તારિ અટ્ઠ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં;
પરમટ્ઠ નિટ્ઠિઅટ્ઠા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. ૫
વેયાવચ્ચગરાણં, સંતિગરાણં, સમ્મદ્દિટ્ઠિસમાહિગરાણં, કરેમિ કાઉસ્સગ્ગં.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં ૨. એવમાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ ૪. તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ ૫.
(એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી ‘નમો અરિહંતાણં’ કહી, પારી, ‘નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ’ કહી, ચોથી થોય કહેવી.)
કુંદિંદુ-ગોખીર-તુસાર-વન્ના, સરોજ-હત્થા કમલે નિસન્ના;
વાએસિરી પુત્થય-વગ્ગ-હત્થા, સુહાય સા અમ્હ સયા પસત્થા. ૪
(પછી નીચે બેસી, ‘નમુત્થુણ’ કહેવું.)
નમુત્થુણં અરિહંતાણં ભગવંતાણં ૧. આઈગરાણં તિત્થયરાણં સયંસંબુદ્ધાણં, ૨. પુરિસુત્તમાણં, પુરિસસિહાણં, પુરિસ વર પુંડરિઆણં, પુરિસ વર-ગંધહત્થીણં ૩. લોગુત્તમાણં, લોગનાહાણં, લોગહિયાણં, લોગપઈવાણં, લોગપજજોઅગરાણં, ૪. અભયદયાણં, ચક્ખુદયાણં, મગ્ગદયાણં, સરણદયાણં, બોહિદયાણં, ૫. ધમ્મદયાણં, ધમ્મદેસયાણં ધમ્મનાયગાણં ધમ્મસારહીણં, ધમ્મવર ચાઉરંત – ચક્કવટ્ટીણં. ૬. અપ્પડિહય વર – નાણ – દંસણધરાણં, વિયટ્ટ – છઉમાણં, ૭. જિણાણં જાવયાણં, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણં, મુત્તાણં મોઅગાણં ૮. સવ્વન્નૂણં, સવ્વદરિસીણં સિવ – મયલ – મરૂઅ – મણંત-મક્ખય – મવ્વાબાહ – મપુણરાવિત્તિ – સિદ્ધિગઈ –
નામધેયં ઠાણં સંપત્તાણં, નમો જિણાણં, જિયઅભયાણં. ૯.
જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતિણાગએ કાલે;
સંપઈ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ ૧૦.
(પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા, તે નીચે પ્રમાણે)
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ ! “ભગવાન્હં”
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ ! “આચાર્યહં”
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ ! “ઉપાધ્યાયહં”
ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ ! “સર્વસાધુહં”
(પછી જમણો હાથ કટાસણા કે ચરવળા ઉપર સ્થાપીને અડ્ઢાઇજ્જેસુ કહેવું.)
અડ્ઢાઇજ્જેસુ સૂત્ર
અડ્ઢાઇજ્જેસુ દીવ-સમુદ્દેસુ, પનરસસુ, કમ્મભૂમીસુ,
જાવંતકેવિસાહુ રયહરણ-ગુચ્છ-પડિગ્ગહધારા. ૧
પંચ મહવ્વય-ધારા, અટ્ઠારસ-સહસ્સ-સીલંગ-ધારા,
અક્ખુયાયાર-ચરિત્તા, તે સવ્વે સિરસા મણસા મત્થએણ વંદામિ. ૨
(પછી ત્રણ ખમાસમણ દઈ શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન કરવું. આ ત્રણ દુહા એકેક ખમાસમણ દઈને બોલવા.)
શ્રી સીમંધરસ્વામીના દુહા
અનંત ચોવીશી જિનનમું, સિદ્ધ અનંતી કોડ;
કેવળધર મુગતે ગયા, વંદું બે કરજોડ, ૧
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસિહિઆએ, મત્થએણ વંદામિ.
બે કોડી કેવળધરા, વિહરમાન જિન વીશ;
સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશદિશ. ૨
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસિહિઆએ, મત્થએણ વંદામિ.
જે ચારિત્ર નિર્મળા, જે પંચાનન સિંહ;
વિષય કષાયને ગંજીયા, તે પ્રણમું નિશદિશ. ૩
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસિહિઆએ, મત્થએણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી સીમંધરસ્વામી આરાધનાર્થે ચૈત્યવંદન કરું ? ‘ઇચ્છં’
સજ્ઝાયોનો સંગ્રહ
શ્રી ગજસુકુમાલની સજ્ઝાયસોના કેરા કાંગરા ને રૂપા કેરા ગઢ રે;
કૃષ્ણજીની દ્વારીકામાં, જોવાની લાગ રઢ રે.
ચિરંજીવો કુંવર તમે ગજસુકુમાર રે, આ પુરાં પુન્યે પામીયા. ૧
નેમિજિણંદ આવ્યા, વંદન ચાલ્યા ભાઈ રે;
ગજસુકુમાર વીરા, સાથે બોલાઈ રે, ચિરંજીવો. ૨
વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો, મન મોહ્યું એમાં રે;
શ્રી જૈન ધર્મ વિના, સાર નથી શેમાં રેચ. ચિરંજીવો. ૩
ઘેર આવી એમ કહે, રજા દીયો માતા રે;
સંયમ સુખે લહું, જેહથી પામું શાતા રે. ચિરંજીવો. ૪
મુર્છાણી માડી કુંવર, સુણી તારી વાણી રે;
કુંવર કુંવર કેતાં આંખે, નથી માતા પાણી રે. ચિરંજીવો. ૫
હૈયાનો હાર વીરા, તજ્યો ક્મ જાય રે;
દેવનો દીધેલો તુમ વિણ, સુખ કેમ થાય રે. ચિરંજીવો. ૬
સોના સરિખા વાળા તારા, કંચન વરણી કાયા રે;
એહવી રે કાયા એક દિન, થાશે ધુળધાણી રે. ચિરંજીવો. ૭
સંયમ ખાંડા ધાર, તેમાં નથી સુખ રે.
બાવીસ પરિષહ જીતવા, છે અતિ દુષ્કર રે. ચિરંજીવો. ૮
દુઃખથી બળેલો દેખું, સંસાર અટારો રે;
કાયાની માયા જાણે, પાણીનો પરપોટો રે. ચિરંજીવો. ૯
જાદવ કૃષ્ણ એમ કહે, રાજ્ય વીરા કરો રે;
હજારો હાજર ઊભાં, છત્ર તુમે ધરો રે. ચિરંજીવો. ૧૦
સોનૈયાનો થેલા કાઢો, ભંડારી બોલાવો રેઃ
ઓઘા પાત્રા વીરા લાવો, દીક્ષા દીયો ભાઈ રે. ચિરંજીવો. ૧૧
રાજપાત વીરા તુમે, સુખે હવે કરો રે;
દીક્ષા આપો હવે મનિ, છત્ર તુમે ધરો રે. ચિરંજીવો. ૧૨
આજ્ઞા આપી ઓચ્છદ કીધો, સંયમ લીધો આપે રે;
દેવકી કહે ભાઈ, સંયમે ચિત્ત સ્થાપો રે. ચિરંજીવો. ૧૩
મુજને તજીને વીરા, અવર માત મત કીજે રે;
કર્મ ખપાવી ઇહભવે, વહેલી મુક્તિ લીજે રે. ચિરંજીવો. ૧૪
કુંવરે અંતેઉર મેલી, સાધુ વેષ શીદ લીધો રે;
ગુરુ આજ્ઞા લઈને, સ્મશાને કાઉસગ્ગ કીધો રે. ચિરંજીવો. ૧૫
જંગલે જમાઈ જોઈને, સોમીલ સસરા કોપ્યા રે;
ખરેના અંગારા લઈને, મસ્તકે સ્થાપ્યા રે. ચિરંજીવો. ૧૬
મોક્ષપાઘ બંધાવી સસરાને, દોષ નવિ દીધો રે;
વેદના અનંતી સહી, સમતા રસ પીધો રે. ચિરંજીવો. ૧૭
ધન્ય જન્મ ધર્યો તુમે, ગજસુકુમાર રે;
કર્મ ખપાવવા તુમે, હૈયે ધરી હામ રે. ચિરંજીવો. ૧૮
વિનયવિજય એમ કહે, એવા મુનિને ધન્ય રે;
કર્મના બીજ બાળી, જીતી લીધું મન્ન રે. ચિરંજીવો. ૧૯
શ્રી અરણીક મુનિની સજ્ઝાય
મુનિ અરણીક ચાલ્યા ગોચરી રે વનના વાસી,
એનું રવિ તપે રે લલાટ; મુનિવર વૈરાગી. ૧
મુનિ ઉંચા મંદિર કોશ્યાતણા રે વનના વાસી,
જઇ ઉભા રહ્યા ગોખની હેઠ; મુનિવર વૈરાગી. ૨
કોશ્યાએ દાસી મોકલી ઉતાવળી રે વનના વાસી,
પેલા મુનિને અહિં તેલી લાવ; મુનિવર વૈરાગી. ૩
મુનિ મંદિરે તે ચાલ્યા ઉતાવળા રે વનના વાસી,
તિહાં જઈ કીધો ધર્મલાભ; મુનિવર વૈરાગી. ૪
મુનિ પંચરંગી બાંધો પાઘડી રે વનના વાસી,
તમે મેળો ઢળતા તાર; મુનિવર વૈરાગી. ૫
મુનિ નવા નવા નીત લઉ વારણા રે વનના વાસી,
તમે જમો મોદકના આહાર; મુનિવાર વૈરાગી. ૬
મુનિની માતા શેરીએ શોધતી રે વનના વાસી,
ત્યા જોવ મલ્યા બહુ લોક; મુનિવર વૈરાગી. ૭
કોઈએ દીઠો મારો અરણીકો રે વનના વાસી,
એ તો લેવા ગયા છે આહારઃ મુનિવર વૈરાગી. ૮
મુનિ ગોખે બેઠે રમે સોગઠે રે વનના વાસી,
ત્યાં સાંભળ્યો માતાજીનો શોર; મુનિવર વૈરાગી. ૯
મુનિ ગોખેથી હેઠા ઉતર્યા રે વનના વાસી,
જય લાગ્યા તામાજીને પાય, મુનિવર વૈરાગી. ૧૦
મુનિ ન કરવાના કામ તમે કર્યા રે વનના વાસી,
તમે થયા ચારિત્રના ચોર; મુનિવર વૈરાગી. ૧૧
અમે શીલા ઉપર જઈ કરશું સંથારો રે વનના વાસી,
અમને ચારિત્ર નહિ રે પળાય; મુનિવર વૈરાગી. ૧૨
મુનિએ શીલા ઉપર જઈ કર્યો સંથારો રે વનના વાસી,
ત્યાં તો ઉપન્યું છે કેવલજ્ઞાન; મુનિવર વૈરાગી. ૧૩
હીરવિજય ગુરૂ હીરલો રે વનના વાસી,
ત્યાં તો લબ્ધિવિજય ગુણ ગાય; મુનિવર વૈરાગી. ૧૪
શ્રી જંબૂસ્વામીની સજ્ઝાય
રાજગૃહી નગરે વસે, ઋષભદત્ત વ્યવહારી રે;
તસ સુત જંબૂકુમાર નમું, બાળપણે બ્રહ્મચારી રે. ૧
જંબૂ કહે જનની સુણો, સ્વામી સુધર્મા આયા રે;
દીક્ષા લેશું તે કને, અનુમતિ દ્યો મોરી માયા રે. જંબૂ. ૨
માતા કહે સુણ બેટડા, વાત વિચારી કીજે રે;
તરૂણ પણે તરૂણ વરી, છાંડી કેમ છૂટીજે ? માયા. ૩
આગે અરણિક મુનિવરા, ફરી પાછા ઘરે આવ્યા રે;
નાટકણી નેહે કરી, આષાઢ ભૂતિ ભોળાય રે. માયા. ૪
વેશ્યા વશ પડિયા પછી, નંદિષેણ નગીનો રેઃ
આર્દ્ર દેશનો પાટવી, આર્દ્રકુમાર કાં કીનો રે. માયા. ૫
સહસ વરસ સંજમ લીયો, તો હી પાર ન પાયા રે;
કંડરીક કરમે કરી, પછી ઘણું પસ્તાયા રે. માય. ૬
મુનિવર શ્રી રહનેમીજી, નેમિસર જિન ભાઈ રે;
રાજીમતી દેખી કરી, વિષયતણી મતિ આઈ રે. માયા. ૭
દીક્ષા છે વચ્છ દોહિલી, પાળવી ખાંડાની ધાર રે;
અરસ નિરસ અન્ન જમવું, સૂવું ડાભ સંથાર રે. માયા. ૮
દીક્ષા છે વચ્છ ! દોહિલી, કહ્યું અમારૂં કીજે રે;
પરણો પનોતા પદ્મણી, અમ મનોરથ પૂરીજે રે. માયા. ૯
જંબૂ કહે જનની સુણો, ધન્ય ધન્નો અણગારો રે;
મેઠ મુનિસર મોટકો, શાલિભ્દર સંભારો રે. જંબૂ. ૧૦
ગજસુકુમાલ ગુણે ભર્યો, આતમ સાધના કીધો રે;
ષટ્માસી તપ પારણે, ઢંઢણે કેવળ લીધો રે. જંબૂ. ૧૧
દશાર્ણભદ્ર સંયમ લહી, પાય લગાડ્યો ઇંદો રે;
પ્રસન્નચંદ્ર કેવલ લહી, પામ્યો છે પરમાનંદો રે. જંબૂ. ૧૨
એમ અનેક મુનિવર હુઆ, કહેતા પાર ન પાય રે;
અનુમતિ દ્યો મોરી માવડી, ક્ષણ લાખીણો જાય રહે. જંબૂ. ૧૩
પાંચસે સત્તાવીશ સાથે, જંબૂકુમાર પરવરીઓ રે;
પંચ મહાવ્રત ઉચ્ચરી ભવજલ સાયર તરીયો રે. જંબૂ. ૧૪
જંબૂ ચરમ જ કેવલી, તાસ તણાં ગુણ ગાયા રેઃ
પંડિત લલિત વિજય તણો, હેત વિજય સુપસાયા રે. જંબૂ. ૧૫
શ્રી ઇલાચીપુત્રની સજ્ઝાય
નામે ઇલાચી પુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર,
નટડી દેખી રે મોહી રહ્યો, નવિ રાખ્યું ઘર સુત્ર;
કર્મ ન છૂટ રે પ્રાણીયા, પૂરવ સ્નેહ વિકાર,
નિજકુલછંડી રે નટ થયો, નાવી શરમ લગાર. કર્મ ન છૂટ રે. ૧
માતા પિતા કહે પુત્રને, નટ નવિ થઈયે રે જાત;
પુત્ર પરણાવવું રે પદ્મિણી, સુખ વિલસો તે સંઘાત. કર્મ ન છૂટ રે. ૨
કહેણ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેષ;
નટ થઈ શીખ્યો રે નાચવા, ન મટે લખ્યા રે લેખ. કર્મ ન છૂટ રે. ૩
એક પૂર આવ્યો નાચવા રે, ઊંચો વાંશ વિશેષ;
તિહાં રાય જોવાને આવીયો, મલીયા લોક અનેક. કર્મ ન છૂટ રે. ૪
ઢોલ બજાવે રે નટડી, ગાવે કિન્નર સાદ;
પાય પગ ઘુઘરા રે ઘમઘમે, ગાજે અંબર ના. કર્મ ન છૂટ રે. ૫
દોય પગ પરીરે પાવડી, વંશ ચઢ્યો ગજ ગેલ;
નોધારો થી નાચતો, ખેલે નવા નવા ખેલ. કર્મ ન છૂટ રે. ૬
નટડી રંભા રે સરખી, નયણે દેખે રે જામ;
જો અંતે ઉરમાં એ રહે, જન્મ સફળ મુજ તામ. કર્મ ન છૂટ રે. ૭
તવ તિહાં ચિંતે રે ભુપતિ, લુબ્ધો નટડીની સાથ;
જો નટ પડે રે નાચતો, તો નટડી કરૂં મુજ હાથ. કર્મ ન છૂટ રે. ૮
કર્મ વશે રે હુ નટ થયો, નાચું છું નિરાધાર;
મન નવિ માને રે રાયનું, તો કોણ કરવો વિચાર. કર્મ ન છૂટ રે. ૯
દાન ન આપે રે ભૂપતિ, નટે જાણી તે વાત;
હું ધન વંછુ રે રાયનું, રાય વંછે મુજ ઘાત, કર્મ ન છૂટ રે. ૧૦
દાન લહું જો હું રાયનું, તો મુજ જવિત સાર;
એમ મનમાંહે રે ચિંતવી, ચઢીઓ ચોથી રે વાર. કર્મ ન છૂટ રે. ૧૧
થાલભરી શુદ્ધ મોદકે, પદ્મિણી ઉભેલી બારા;
લ્યો લ્યો કે છે છતાં નથી, ધન ધન મુનિ અવતાર. કર્મ ન છૂટ રે. ૧૨
એમ તિહાં મુનિવર વોરતા, નટે પેખ્યા મહાભાગ્ય;
ધિક્ ધિક્ વિષયારે જીવને, એમ નટ પામ્યો વૈરાગ્ય. કર્મ ન છૂટ રે. ૧૩
સંવર ભાવે રે કેવલી, થયો મુનિ કર્મ ખપાય;
કેવલ મહિમારે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. કર્મ ન છૂટ રે. ૧૪
વૈરાગ્યની સજ્ઝાય
એક દિવસમાં ક્ષણે ક્ષણે ને, શિરપર ભમે કાળજી;
લઈજાવે જમ જીવડા તિમ, તીતર ઉપર બાજે હો મન પંખીડા.
મન પડે જીમ પિંજરે, સંસાર માયા જાળ હો. મન. ૧
મન આયુષ્યરૂપી જીવ જાણ્યો, ને ધર્મ રૂપી પાળજી;
એવો અવસર જે ચુકશે, તેને જ્ઞાનીએ ગણ્યો ગમાર હો. મન. ૨
અઢી રે હાથનું કપડું લાવીને, શ્રીફળ બાંધ્યા ચારજી;
ખોખરી હાંડીમાં આગ મૂકી, લઈ ચાલ્યા તત્કાલ હો. મન. ૩
જ્યારે સરવોર ભર્યા હતા, ત્યારે ન બાંધી પાળજી;
નીર હતા તે વહી ગયા, પછી હાથ ઘસે શું તાય હો. મન. ૪
મન કાચો રે કુંભ જળે ભર્યો, તેને ફુટતા ન લાગે વારજીઃ
હંસો તે ઉડી ગયો, પછી કાયા માટીજમાં જાય હો. મન. ૫
હાડ બળે જેમ લાકડું ને, કેશ બળે જેમ ઘાસજી;
કંકુ વર્ણી તારી કાયા બળે, ખોળી બાળે હાડ હો. મન. ૬
ઉંબર લગે સગી સુંદરીને, શેરી સુધી મા ને બાપજી;
સ્મશાન લગે સગો બાંધવો, પછી કોઈ ન આવે તારી સાથ હો. મન. ૭
માતા રૂવે તારી ઘડી ઘડીને, બેની રૂવે ષટ માસજીઃ
પ્રિયા રૂવે એક વર્ષ લાગે, પછી શોધે ઘરનો વાસ હો. મન. ૮
કોના છોરૂ ને કોના વાછરૂ ને, કોના માને બાપજી;
પ્રાણી જવું એકલા એમ ‘વીરવિજય’ની વાણી હો. મન. ૯
વૈરાગ્યની સજ્ઝાય-૨
ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, ભમીયો દિવસ ને રાત;
માયાનો બાંધ્યો પ્રાણીઓ, ભમે પરિમલ જાત. ભૂલ્યો ૧
કુંભ કાચો રે કાયા કારમી, તેહના કરો રે જતન્ન;
વિણસંતાં વાર લાગે નહિ, નિર્મળ રાખો રે મન. ભૂલ્યો ૨
કેનાં છોરુ ને કેનાં વાછરું, કેના માય ને બાપ;
અંતે રે જાવું છે એકલું, સાથે પૂણ્ય ને પાપ. ભૂલ્યો ૩
જીવને આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ;
ધન સંચી સંચી રે કાંઈ કરો, કરો દૈવની વેઠ. ભૂલ્યો ૪
ધંધો કરી ધન મેળવ્યું, લાખ ઉપર ક્રોડ;
મરણની વેલા રે માનવી, લીધો કંદોરો છોડ. ભૂલ્યો ૫
મૂરખ કહે ધન માહરું, ધોખે ધાન ન ખાય;
વસ્ત્ર વિના જઈ પોઢવું, લખપતિ લાકડાં માંય. ભૂલ્યો ૬
ભવસાગર દુખ જલે ભર્યો, તરવો છે રે તેહ;
વચમાં ભય સબળો થયો, કર્મ વાયરો ને મેહ. ભૂલ્યો ૭
લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ;
ગર્વ કરી ગોખે બેસતાં, સર્વ થયા બળી રાખ. ભૂલ્યો ૮
ધમણ ધખંતી રે રહી ગઈ, બુઝ ગઈ લાલ અંગાર;
એરણકો ઠબકો મીટયો, ઉઠ ચાલ્યો રે લુહાર. ભૂલ્યો ૯
ઉવટ મારગ ચાલતા, જાવું પેલે રે પાર;
આગળ હાટ ન વાણીયો, શંબલ લેજો રે સાર. ભૂલ્યો ૧૦
પરદેશી પરદેશમાં, કુણશું કરો રે સનેહ;
આયા કાગળ ઉઠ ચલ્યા, ન ગણે આંધી ને મેહ. ભૂલ્યો ૧૧
કેઈ ચાલ્યા રે કેઈ ચાલશે, કેઈ ચાલણહાર;
કેઈ બેઠાં રે બુઢા બાપડા, જાયે નરક મોઝાર. ભૂલ્યો ૧૨
જે ઘર નોબત વાગતી, થાતાં છત્રીશે રાગ;
ખંડેર થઈ ખાલી પડયાં, બેસણ લાગ્યા છે કાગ. ભૂલ્યો ૧૩
ભમરો આવ્યો રે કમલમાં, લેવા પરિમલ પૂર;
કમળ મીંચાયે માંહે રહ્યો, જબ આથમતે સૂર. ભૂલ્યો ૧૪
રાતનો ભૂલ્યો રે માનવી દિવસે મારગ આય;
દિવસનો ભૂલ્યો રે માનવી, ફિર ફિર ગોથાં ખાય. ભૂલ્યો ૧૫
સદ્ગુરુ કહે વસ્તુ વોરીયે, જે કાંઈ આવે રે સાથ;
આપણો લાભ ઉગારીયે, લેખું સાહિબ હાથ. ભૂલ્યો ૧૬
વૈરાગ્યની સજ્ઝાય-૨
ઊંચા તે મંદિર માળિયા, સોડ વાળીને સૂતો;
કાઢો કાઢો રે એને સહુ કહે જાણે જન્મ્યો જ નહોતો,
એક રે દિવસ એવો આવશે. ૧
મને સબળો જી સાલે, મંત્રી મળ્યા સર્વે કરામાં;
તેનું કંઇ નવ ચાલે. એક. ૨
સાવ સોનાનાં રે સાંકળા, પહેરણ નવ નવા વાઘા;
ધોળું વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા. એક. ૩
ચરૂ કઢાઈઆ અતિ ઘણા, બીજાનું નહિં લેખું;
ખોખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું. એક. ૪
કેના છોરૂ ને કેના વાછરૂ, કેના માયને બાપ;
અંતકાળે જાવું(જીવને) એકલું, સાથે પુણ્ય ને પાપ. એક. ૫
સગી રે નારી એની કામિની, ઉભી ટગમગ જુવે;
તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ધ્રુસકે રૂવે. એક. ૬
વ્હાલાં તે વ્હાલાં શું કરો ? વ્હાલાં વોળાવી વળશે;
વ્હાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે જ બળશે. એક. ૭
નહીં ત્રાપો નહીં તુંબડી, નથી તરવાનો આરો;
ઉદય રતન પ્રભુ ઇમ ભણે, મને પાર ઉતારો. એક. ૮રહનેમીની સજ્ઝાય
કાઉસ્સગ્ગ ધ્યાને મુનિ રહનેમિ નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામ રે;
દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી હોય ભવનો પાર રે. (એ આંકણી) દેવ.
વરસાદે ભીનાં ચીવર મોકળાં કરવા, રાજુલ આવ્યા તેણે ઠામરે. દેવ. ૧
રૂપે રતિરે વસ્ત્રે વર્જિત બાળા, દેખી ખેલાણો તેણે કામ રે. દેવ.
દિલડું ખોભાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણના ધામ રે. દેવ. ૨
જાદવ કુળમાં જિનજી નેમ નગીનો, વમન કરી છે મુજને તેણ રે. દેવ.
બંધવ તેહના તમે શિવાદેવી જાયા, એવડો પટંતર કારણ કેણ રે. દેવ. ૩
પરદારા સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભબોધી હોય પ્રાય રે દેવ.
સાધવી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહને છુટકારો કદીય ન થાય રે. દેવ. ૪
અશુચી કાયા રે મળ મૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી રે. દેવ.
હુંરે સંયમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશો હારી રે. દેવ. ૫
ભોગ વમ્યારે મુનિ મનથી ન ઇચ્છે, નાગ અગંધન કુલના જેમ રે. દેવ.
ધિક્ કૂળ નીચા થઈ નેહ નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે. દેવ. ૬
એવા રસીલાં રાજુલ વયણ સુણીને, બુઝ્યા રહનેમિ પ્રભુજી પાસરે. દેવ.
પાપ આલોયણ કરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવ. ૭
ધન્ય ધન્ય જે નરનારી શિયળને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહ રે. દેવ.
રૂપ કહે તેહના નામથી હોવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ. ૮સંસારના ખોટા સગપણની સજ્ઝાય
સગુ તારૂં કોણ સાચું રે સંસારીયામાં સગું.
પાપનો તો નાખ્યો પાયો, ધરમમાં તું નહિ ધાયો;
ડાહ્યો થઈને તું દબાયો રે, સંસારીયામાં. સગું. ૧
કૂડું કડૂં હેત કીધું, તેને સાચું માની લીધું;
અંત કાલે દુઃખ દીધું રે, સંસારીયમાં. સગું. ૨
વિસવાસે વહાલા કીધાં, પ્યાલા ઝેરના પીછા;
પ્રભુને વિસારી દીધા રે. સંસારીયામા. સગુ. ૩
મન ગમતામાં મહાલ્યો, ચોરને મારગે ચાલ્યોઃ
પાપીઓનો સંગ ઝાલ્યો રે. સંસારીયામાં. સગુ. ૪
ઘરને ધંધે ઘેરી લીધો, કામીનીયે વશ કીધો;
ઋષભ દાસ કહે દગો દીધો રે, સંસારીયામાં. સગુ. ૫
અધ્યાત્મપદ સજ્ઝાય
નાવમાં નદીમાં ડૂબી જાય, મુજ મન અચરિજ થાય;
નાવમાં નદીયા ડૂબી જાય.
કીડી ચાલી સાસરે મેં, સો મણ ચૂરમો સાથ;
હાથી ધરીયો ગોદમેં, ઉંટ લપેટ્યો જાય. નાવ. ૧
કચ્ચા ઇંચા બોલતાં, બચ્ચા બોલે નાય;
ષડ્દર્શનમેં સંશય પડીયો તો જ મુક્તિ મીલ જાય. નાવ. ૨
એક અંચબો એસો દીઠો, મડદો રોટી ખાય
મુખસે બોલે નહિં, ડગડગ હસતો જાય. નાવ. ૩
બેટી બોલે બાપને વિગ જાયો વર લાય;
વિણજાયો વર ના મિલે તો, મુજ શું ફેરા ખાય. નાવ. ૪
સાસી કુવારી વહુ પરણેલી, નણદલ ફેરા ખાય;
દેખણવાલી હુલર જાયો, પાડોસણ હુલરાય. નાવ. ૫
એક અચંબો એસો દીઠો, કૂવામાં લાગી આગ;
કચરો કરબટ સબહી બલ ગયો, પણ ઘટ ભરભર જાય. નાવ. ૬
આનંદઘન કહે સુણ ભાઈ સાધુ, એ પદસેં નિવારણ;
ઇસ પડકા કોઈ અર્થ કરેંગા, શીઘ્ર હોવે કલ્યાણ;
નાવમેં નદીમાં ડૂબી જાય. ૭
અનિત્યસગપણની સજ્ઝાય
કેના રે સગપણ કેની માયા, કેહના સજ્જન સગાઈ રે;
સજ્જન વરગ કોઈ સાથે ન આવે, આવે આપ કમાઈ રે. ૧
મારું મારું સૌ કહે પ્રાણી, ત્હારૂં કોણ સગાઈ રે;
આપ સવારથ સહુને વહાલો, કુણ સજ્જન કુણ માઈ રે. ૨
ચુલણી ઉદરે બ્રહ્મદત્ત આયો, જુઓ માત સગાઈ રે;
પુત્ર મારણને અગ્નિ જ કીધી, લાખનાં ઘર નિપજાઈ રે. ૩
કાષ્ટ પિંજરમાં ઘાલીને મારે, શસ્ત્ર ગ્રહી દોડે ધાઈ રે;
કોણીકે નિજ તાત જ હણીયો, તો કિહાં કહી પુત્ર સગાઈ રે. ૪
ભરત બાહુબળ આપે લડીયા, આયે સજ્જ થાઈ રે;
બાર વરસ સંગ્રામ જ કીધો, તો કીહાં રહી ભ્રાતૃ સગાઈ રે. ૫
ગુરુ ઉપદેશથી રાય પ્રદેશી, સુધો સમકિત પાઈ રે;
સ્વારથ વિણ સુરકાન્તા નારી, માર્યો પિયુ વિષ પાઈ રે. ૬
નિજ અંગજનાં અંગજ છેદે, જુહો રાહુ કેતુ કમાઈ રે;
સહુ સહુને નિજ સ્વારથ વ્હાલો, કુણ ગુરુને કુણ ભાઈ રે. ૭
સુભુમ પરશુરામ જ દોઈ; માંહો માંહે વેર મનાઈ રે;
ક્રોધ કરીને નરકે પહોંચ્યા, તો કિહાં ગઈ તાત સગાઈ રે. ૮
ચાણક્યે તો પર્વત સાથે, કીધી મિત્ર ઠગાઈ રે;
મરણ પામ્યો ને મનમાં હરખ્યો, તો કિહાં રહી મિત્ર સગાઈ રે. ૯
આપ સ્વાસ્થ સહુને વહાલો, કુણ સજ્જન કુણ માઈ રે;
જમરાજાના તેડો આવ્યો, ટગટગ જોવે ભાઈ રે. ૧૦
સાચો શ્રી જીન ધર્મ સખાઈ, આરાધો લય લાઈ રે,
દેવવિજય કવિનો શિષ્ય ઇણીપરે, કહે તત્ત્વ વિય સુખ દાઈ રે. ૧૧
મેતારજ મુનીની સજ્ઝાય
શમદમ ગુણના આગરૂજી રે, પંચ મહાવ્રત ધાર.
માસક્ષમણને પારણેજી, રાજગૃહી નગરીજ મોઝાર.
મેતરાજ મુનિવર ધન ધન તુમ અવતાર. ૧
સોનીને ઘેર આવીયાજી, મેતારજ ઋષિરાય;
જવલા ઘડતો ઉઠીયોજી, વંદે મુનિના પાય. મેતારજ. ૨
આજ ફલ્યો ઘર આંગણેજી, વિણ કાલે સહકાર;
લ્યો ભિક્ષા છે સુઝતીજી, મોદકતણો એ આહાર. મેતારાજ. ૩
કૌંચ જીવ જવલા ચણ્યોજી, વહોરી લ્યા ઋષિરાય,
સોની મન શંકા થઈ જી, સાધુ તણા એ કાજ. મેતારાજ. ૪
રીશ કરી ઋષિને કહેજી, દ્યો જવલા મુજ આજ;
વાઘર શિર્ષે વીંટીયુંજી, તડકે રાખ્યા મુનિરાજ. મેતારજ. ૫
ફટ ફટ ફુટે હાંડકાંજી ત્રટ ત્રટ તુટે છે ચામ;
સોનીડે પરિસહ દીયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મેતારજ. ૬
એવા પણ મોટા યતિજી, મન ન આણે રે રોષ.
આતમ નિંદે આપણોજી, સોનીનો શો દોષ. મેતારજ. ૭
ગજસુકુમાલ સંતાપીયાજી, બાંધી માટીની પાળ,
ખેર અંગારા શિરે ધર્યાજી, મુગતે ગયા તત્કાળ. મેતરાજ ૮
વાઘણે શરીર વલુરીયું જી, સાધુ સુકોશલ સાર,
કેવલ લહી મુગતે ગયાજી, ઇમ અરણિક અણગાર. મેતરાજ. ૯
પાપી પાલક પીલીયાજી, ખંધકસૂરિના રે શિષ્ય,
અંબડ ચેલા સાતશેંજી, નમો નમો તે નિશદિન. મેતારજ. ૧૦
એવા ઋષિ સંભારતાજી, મેતારજ ઋષિરાય,
અંતગડ હુઆ કેવલીજી, વંદે મુનિના પાય. મેતારજ. ૧૧
ભારી કાષ્ઠની સ્ત્રી એ તિહાંજી, લાવી નાંખી તેણીવાર;
ધબકે પંખી જાગીયોજી, જવલા કાઢ્યા તેણે સાર. મેતારજ. ૧૨
દેખી જવલા વિષ્ટમાંજી, મનમાં લાજ્યો સોનાર,
ઓઘો મુહપત્તિ સાધુનાજી, લેઈ થયો અણગાર. મેતારજ. ૧૩
આતમ વાર્યો આપણોજી, સ્થિર કરી મન વચ કાય;
રાજવિજય રંગે ભણેજી, સાધુ તણી એ સજ્ઝાય. મેતારજ. ૧૪
ઘડપણની સજ્ઝાય
ઘડપણ કાંત તું આવીયો રે, તુણ કોણ જુએ છે વાટ ?
તું સહુને અળખામણો રે, જેમ માકટ ભરી ખાટ રે.
ઘડપણ કોણ મોકલ્યું ૧
ગતિ ભાગે તું આવતાં રે, ઉદ્યમ ઊઠી રે જાય;
દાંતડલા પણ ખસી પડે રે, લાળ વડે મુખમાંય રે. ઘડપણ. ૨
બળ ભાંગે આંખો તણું રે, શ્રાવણે સુણ્યું નવિ જાપ;
તુજ આવે અવગુણ ઘણા રે, વળી ધોળી હોવે રોમરાય રે. ઘડપણ. ૩
કેડ દુઃખે ગુડા રહે રે, મુખમાં શ્વાસ ન માંય;
ગાલે પડે કરચલી રે, રૂપ શરીરનું જાય રે. ઘડપણ. ૪
જીભલડી પણ લડથડે રે, આણ ન માને કોય;
ઘેર સહુને અળખામણો રે, સાર ન પૂછે કોય રે. ઘડપણ. ૫
દીકરા તો નાસી ગયા રે, વહુઓ દીએ છે ગાળ;
દીકરી નાવે ઢુંકડી રે, સબળ પડ્યો છે જંજાળ રે. ઘડપણ. ૬
કાને તો ધાકો પડી રે, સાંભળે નહીંય લગાર;
આંખે તો છાયા વળી રે, એ તો દેખી ન શકે લગાર. ઘડપણ. ૭
ઉંબરો તો ડુંગર થયો રે, પોળ થઈ પરદેશ;
ગોળી તો ગંગા થઈ રે, તમે જુઓ જરાના વેશ રે. ઘડપણ. ૮
ઘડપણમાં વહાલી લાપશી રે, ઘડપણે વહાલી ભીંત;
ઘડપણમાં વહાલી લાકડી રે, તમે જુઓ ઘડપણની રીત રે. ઘડપણ. ૯
ઘડપણ તું અકહ્યગરો રે, અણ તડ્યો મા આવીશ;
જોવનિયું જગ વહાલું રે, જતન હું તાસ કરીશ રે. ઘડપણ. ૧૦
ફટ લટ તું અભાગીઆ રે, જોવન તો તું કાલ;
રૂપ રંગને ભાંગતા રે, તું તો મોટો ચંડાલ રે. ઘડપણ. ૧૧
નિસાસે ઉસાસમેં રદિવને દીજીએ ગાળ;
ઘડપણ કાં તું સરજીયો રે, લાગ્યો માહરે નિલાડ રે. ઘડપણ. ૧૨
ઘડપણ તું સદા વડો રે, હું તુજ કરૂ રે જુહાર;
જે મેં કહી છે વાતડી રે, જાણજે તાસ વિચાર રે. ઘડપણ. ૧૩
કોઈ ન વંછે તુજને રે, તું તો દૂર વસાય;
વિનયવિજય ઉવજ્ઝાયનો રે, રૂપવિજય ગુણ ગાય રે. ઘડપણ. ૧૪
સુકૃતની સજ્ઝાય
જીવડા સુકૃત કરજે સાર, નઇતર સ્વપ્નું છે સંસાર;
પલકતણો નિશ્ચય નથી ને, નથી બાંધી તેં ધર્મની પાળ. જીવડા. ૧
ઊંચી મેડી તે અજબ ઝરૂખા, ગોખ તણો નહિ પાર;
લખપતિ છત્રપતિ ચાલ્યા ગયા, તેના બંધ રહ્યા છે બાર. જીવડા. ૨
ઉપર ફૂલડાં ફરહરે ને, બાંધ્યા શ્રીફળ ચાર;
ઠાકઠીક કરી એને ઠાઠડીમાં બાંધ્યો, પછી પૂંઠે તે લોકના પોકાર. જીવડા. ૩
શેરી લગે જબ સાથે ચલેંગી, નારી તણો પરિવાર;
કુટુંબ કબીલો પાછો ફરીને, સૌ કરશે ખાનપાન સાર. જીવડા. ૪
સેજ તલાઈ વિના નવિ સુતો, કરતો ઠાઠ હજાર;
સ્મશાને જઈ ચેહમાં સુવું, ઉપર કાષ્ઠના ભાર. જીવડા. ૫
અગ્નિ મૂકીને અળગા રહેશે, ત્યારે વરસસે અંગે અંગાર;
ખોળી ખોળીને બાળશે, જેમ લો લોઢું ગાળે લુહાર. જીવડા. ૬
સ્નાન કરીને ચાલીયા, સૌ સાથે મીલી નરનાર;
દશ દિવસ રોઈ રોઈને રહેશે, પછી તે મૂકીયા વિસાર. જીવડા. ૭
એવું જાણી ધર્મ કરી લે, કરી લે, પર ઉપકાર;
‘સત્ય’ શિયળથી પામી જા જીવડા, શિવતરૂ ફળ સહકાર. જીવડા. ૮
પડિક્કમણાંના ફળની સજ્ઝાય
ગોયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધ રે;
પ્રતિક્રમણથી શ્યું ફળ પામીએ રે, શું શું થાયે પ્રાણીને બંધ રે. ગો. ૧
સાંભળો ગોયમ જે કહું પુન્યથી રે, કરણી કરતાં પુન્યનો બંધ રે;
પુન્યથી બીજો અધિકો કો નહિ રે, જેથી થાયે સુખ સંબંધ રે. ગો. ૨
ઇચ્છા પડિક્કમણું કરી પામીએ રે, પ્રાણી પુન્યનો બંધ રે;
પુન્યની કરણી જે ઉવેખશે, રે પરભવે થાશે અંધો અંધ રે. ગો. ૩
પાંચ હજાર ને ઉપર પાંચશે રે, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે;
જીવાભિગમ ભગવઈ પન્નવણા રે, મૂકે ભંડારે પુન્યની રેહ રે. ગો. ૪
પાંચ હજાર ને ઉપર પાંચશે રે, ગાયો ગર્ભવતી જેહ રે;
તેહને અભયદાન દેતા થકાં રે, મુહપતિ આપ્યાનું પુન્ય એહ રે. ગો. ૫
દશ હજાર ગોકુલ ગાયો તણી રે, એકે કો દેશ હજાર પ્રમાણ રે;
તેહને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણીને નિરવાણ રે. ગો. ૬
તેથી અધિકું ઉત્તમફળ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણ રે;
ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશ પામે પરિમલ નાણ રે. ગો. ૭
શ્રી જિનમંદિર અભિનવ શોભતાં રે, શિખરનું ખરચ કરાવે જેહ રે;
એકે કો મંડપ બાવન ચૈત્યનો રે, ચરવલો આપ્યાનું પુન્ય એહ રે. ગો. ૮
માસખમણની તપસ્યા કરે રે, અથવા પંજર કરાવે જેહ રે;
એહવા ક્રોડ પંજર કરતાં થકાં રે, કાંબલિયું આપ્યાનું ફણ એહ રે. ગો. ૯
સહસ અઠ્યાસી દાનશાળા તણો રે, ઉપજે પ્રાણીને પુન્યનો બંધ રે;
સ્વામી સંઘાતે ગુરુ સ્થાનકે રે, પ્રવેશ થાએ પુન્યનો બંધ રે. ગો. ૧૦
શ્રી જિન પ્રતિમા સોવનય કરે રે, સહસ અઠ્યાસીનો પ્રમાણ રે;
એકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઇરિયાવહી પડિક્કમતાં ફલ જાણ રે. ગો. ૧૧
આવશ્યક પન્નવણા જુગતે ગ્રંથમાં રે, ભાખ્યો એ પડિક્કમણાનો સંબંધ રે;
જીવા ભગવઈ આવશ્યક જોઈને રે, સ્વમુખ ભાખે વીરજિણંદ રે. ગો. ૧૨
વાચક જસ કહે શ્રદ્ધા ધરો રે, પાલે શુદ્ધ પડિક્કમણાનો વ્યવહાર રે;
અનુત્તર સમ સુખ પામે મોટકું રે, પામશે ભવિજન ભવજલ પાર રે. ગો. ૧૩
ક્રોધની સજ્ઝાય
કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે;
રીસ તણો રસ જાણીયે, હલાહલ તોલે કડવાં…. ૧
ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમ ફળ જાય;
ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય કડવાં…. ૨
સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ;
શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશિયો નાગ કડવાં…૪
આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે;
જળનો જોગ જો નવિ મલે, તો પાસેનું પરજાળે કડવાં….૫
ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળ નાણી;
હાણ કરે જે હેતની, જાલવજો એમ જાણી કડવાં….૬
ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગલે સાહી;
કાયા કરજો નિર્મળી, ઉપશમ રસે નાહી કડવાં….૭
બીજનું ચૈત્યવંદન
દુવિધ ધર્મ જિણ ઉપદીશ્યો ચોથા અભિનંદન
બીજે જન્મ્યા તે પ્રભુ ભવ દુઃખ નિકંદન -૧
દુવિધ ધ્યાન તુમે પરિહરો આદરો દોય ધ્યાન
એમ પ્રકાશ્યું સમુતિજીને તે ચવિયા બીજ દીન -૨
દોય બંધન રાગ દ્વેષ તેહને ભવિ તજીએ,
મુજ પરે શીતલજીન પરે બીજ દીને જીવ ભજીએ -૩
જીવા જીવ પાદર્થનું કરી નાણ સુજાણ
બીજ દીને વાસુ પુજ્ય પરે લહો કેવલજ્ઞાણ -૪
નિશ્ચયને વ્યવહાર દોય અદકાંતે ન ગ્રહીએ
અરજીન બીજ દીને ચવી એમજીન આગળ કહીયે -૫
વર્તમાન ચોવીશીએ એમ જીનના કલ્યાણ
બીજ દીને કેઈ પામીયા પ્રભુ નાણ અને નિર્વાણ -૬
એમ અનંત ચોવીશીએ હુઆ બહુ કલ્યાણ
જીન ઉત્તમ પદ પક્ષને નમતા અવિચળ સ્થાને -૭
બીજનું સ્તવન
સરસ વચન રસ વરસતી, સરસ્વતી કળા ભંડાર;
બીજ તણો મહીમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર મોઝાર; ।।૧।।
જંબુદ્વીપના ભરતમાં, રાજગૃહી નયરી ઉદ્યાન;
વીર જિણંદ સમોસર્યા, વાંદવા આવ્યા રાજન; ।।૨।।
શ્રેણીક નામે ભૂપતી, બેઠા બેસણ ઠાય;
પૂછે શ્રી જીનરાયને, દ્યો ઉપદેશ મહારાય; ।।૩।।
ત્રિગડે બેઠા ત્રિભુવન પતિ, દેશના દીયે જીનરાય;
કમળ સુકોમળ પાંખડી, એમ જીન હૃદય સોહાય; ।।૪।।
શશિ પ્રગટે જિમ તે દીને, ધન્ય તે દીન સુવિહાણ;
એક મને આરાધતાં, પામે પદ નિર્વાણ; ।।૫।।
બીજની સ્તુતિ
અજુવાલી તે બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ ભાવે રે.
ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, સીમંધરને વંદણા કહેજો રે. (૧)
વીશ વિહરમાણ જિનને વંદો રે, જિન શાસન પૂજી આણંદો રે.
ચંદા એટલું કામ મુજ કરજો રે,શ્રી સીમંધરને વંદણા કહેજો રે. (૨)
શ્રી સીમંધર જિનની વાણી રે, તે તો પીતાં અમીય સમાણી રે.
ચંદા તુમે સુણી અમને સુણાવો રે, ભવ સંચિત પાપ ગમાવો રે. (૩)
શ્રી સીમંધર જિનની સેવા રે, જિન શાસન ભાસન મેવા રે.
તુમે હોજો સંઘના ત્રાતા રે, મૃગ લંછન ચંદ્ર વિખ્યાતાં રે. (૪)
જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન
ત્રિગડે બેઠા વીર જિન, ભાખે ભવિજન આગે;
ત્રિકરણશું ત્રિહું લોક જન, નિસુણો મન રાગે (૧)
આરાધો ભલી ભાતસેં, પંચમી અજુવાળી;
જ્ઞાન આરાધન કારણે, એહી જ તિથિ નિહાલી. (૨)
જ્ઞાન વિના પશુ સારિખા, જાણો એણે સંસાર;
જ્ઞાન આરાધનથી લહે, શિવપદ સુખ શ્રીકાર. (૩)
જ્ઞાન રહિત કિરિયા કહી, કાશ કુસુમ ઉપમાન;
લોકાલોક પ્રકાશકર, જ્ઞાન એક પ્રધાન. (૪)
જ્ઞાની શ્વાસો-શ્વાસમાં, કરે કર્મનો છેહ;
પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાની કરે તહે. (૫)
દેશ આરાધક કિરિયા કહી, સર્વ આરાધક જ્ઞાન;
જ્ઞાન તણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન (૬)
પંચમાસ લઘુ પંચમી, જાવજીવ ઉત્કૃષ્ટી;
પંચ વરસ પંચ માસની, પંચમી કરો શુભ દ્રષ્ટિ (૭)
એકાવનહી પંચનો એ કાઉસ્સગ્ગ લોગસ્સ કેરો;
ઉજમણું કરો ભાવશું; ટાળો ભવ ફેરો. (૮)
એમ પંચમી આરાધિયે એ, આણીભાવ અપાર,
વરદત ગુણમંજરી પરે રંગ વિજય લહો સાર. (૯)
જ્ઞાનપંચમીનું સ્તવન
પંચમી તપ તમે કરો રે, પ્રાણી, જેમ પામો નિર્મલ જ્ઞાન રે;
પહેલું જ્ઞાન ને પછી ક્રિયા, નહીં કોઇ જ્ઞાન સમાન રે. પં. ૧
નંદી સૂત્રમાં જ્ઞાન વખાણ્યું, જ્ઞાનના પાંચ પ્રકાર રે;
મતિ શ્રુત અવધિ ને મનઃપર્યવ, કેવલ એક જ્ઞાન રે. પં. ૨
મતિ અટ્ઠાવીશ શ્રુત ચઉદહ વીશ, અવધિ છ અસંખ્ય પ્રકાર રે;
દોય ભેદે મનઃપર્યવ દાખ્યું, કેવલ એક ઉદાર રે. પં. ૩
ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારા, એકથી એક અપાર રે;
કેવલજ્ઞાન સમું નહીં કોઇ, લોકલોક પ્રકાશ રે. પં. ૪
પારસનાથ પ્રસાદે કરીને, મ્હારી પૂરો ઉમેદ રે;
સમય સુંદર કહે હું પણ પામું, જ્ઞાનનો પાંચમો ભેદ રે. પં. ૫
જ્ઞાનપંચમીની સ્તુતિ
કારતક શુદિ પંચમી તપ કીજે, ગુરુ મુખથી ઉપવાસ કરીજે,
આગળ જ્ઞાન ભણીજે,
દીપક પંચ પ્રગટ કરી જે, બહુ સુગંધિ ધુપ ધુપીજે,
સુરભિ કુસુમ પુજીજે,
પંચ વરણના ધાન, ઢોઈજે, વળી પાંચ શ્રી ફળ મુકીજે,
પકવાન પાંચણે ઢોઈજે,
નમો નાણસ્સ પદએહ ગુણીજે, ઉતરાભિમુખ સાચા રહીજે,
સહસ દોય ગુણીજે….(૧)
પંચમીનો તપ વિધિશું આરાધો, પાંચે જ્ઞાન સર્વે સાધો.
જસ સૌભાગ્ય જ વધો.
શ્રી નેમ જન્મ કલ્યાણક જાણ વરસે વારૂ એક દિવસ વખાણો,
તપ કરી ચિતમાં આણો;
પાંસઠ માસે તપ પૂરો થાય, વરદતની પર કષ્ટ પલાયે આગળ,
જ્ઞાન ભણાયે, ગુણ મંજરી,
કુંવરી ગુણ ખાણી તપ કરી હુઈ શિવ ઠકુરાણી,
સુણીએ જીવનર વાણી…(૨)
પાટી પોથી ઠવળી કવળી, કાંબી કાતરને વળી ધવળી
લેખણ ખડિયા ચવળિ,
સઘળા પાંઠાને રૂમાલ ચાબખી લહકે ઝાક ઝમાળ,
નવકાર વાળી પરવાળ,
કળશ આરતી મંગળ દીવ. વાસ કુંપી ધોતિયા ધરે વો,
શ્રી જિન બિંબ પુજે વો,
પાંચ પાંચ વસ્તું સર્વે એહ સિદ્ધાંત લખાવી જે ગુણ ગેહ,
કરીએ ઉજમણું ધરી નેહ…(૩)
પાંચમનો તપ એણી પરે કીજે પંચ મહાવ્રત સુણી જે,
લક્ષ્મી લાહો લીજે,
મન વચન કાયા વશ કીજે, દાન સુપાત્રે અધિકો દીજે,
સ્વામીની ભક્તિ કરી જે,
શ્રી નેમનાથી શાસન દેવી, સુરનર નારી જેણે સેવી,
શ્રી સંઘના વિઘન હરેવી,
શ્રી વિશાલ સોમ સૂરી ગણધર બિરાજે
શ્રી દયા વિમળ પંડિત તસ છાજે, શ્રી જસ વિજય અધિક બિરાજે.
જ્ઞાનપંચમીની સજ્ઝાય
શ્રી ગુરુ ચરણ પસાઉલે રે લોલ, પંચમીનો મહિમાય આત્મા;
વિવરે કહેશું અમે રે લોલ, સુણતાં પાતક જાય આત્મા,
પંચમી તપ પ્રેમે કરો રે લો. ૧
મન શુદ્ધે આરાધીએ રે લોલ, તૂટે કર્મ નિદાન આત્મા;
ઇહ ભવ સુખ પામે ઘણો રે લોલ, પરભવ અમર વિમાન. આત્મા પં. ૨
સકલ સૂત્ર રચ્યા થકી રે લોલ, ગણધર હુઆ વિખ્યાત આત્મા;
જ્ઞાન મુણે કરી જાણતા રે લોલ, સ્વર્ગ નરકની વાત. આત્મા પં. ૩
જે ગુરુ જ્ઞાને દીપતા રે લોલ, તે તરીઆ સંસાર આત્મા;
અજવાળી પક્ષ પંચમી રે લોલ, કરો ઉપવાસ જગદીશ આત્મા;
ૐ હી નમો નાણસ્સ ગણણું ગણો રે લોલ,
નવકારવાળી વીશ. આત્મા. પં. ૫
વરદત્ત ને ગુણમંજરી રે લોલ, તપથી નિર્મળ થાય આત્મા;
કીર્તિ વિજય ઉવજ્ઝાયનો રે લોલ, કાંતિવિજય ગુણ ગાય. આત્મા પં. ૭
અષ્ટમીનું ચૈત્યવંદન
મહા શુદિ આઠમ દિને, વિજયા સુત જાયો;
તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચવી આયો. (૧)
ચૈતર વદની આઠમે, જન્મ્યા ઋષભ જિણંદ;
દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ (૨)
માધવ શુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યાં દૂર;
અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર (૩)
એહીજ આઠમ ઉજળી, જન્મ્યા સુમતિ જિણંદ;
આઠ જાતિ કલશે કરી, નવરાવે સુર ઇંદ (૪)
જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી;
નેમ અષાઢ શુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. (૫)
શ્રાવણ વદની આઠમે, નમિ જન્મ્યા જગ ભાણ;
તેમ શ્રાવણ શુદિ આઠમે, પાસજીનું નિર્વાણ. (૬)
ભાદરવા વદી આઠમ દિને, ચવીયા સ્વામી સુપાસ;
જિન ઉત્તમ પદ પદ્મને, સેવ્યાથી શિવવાસ. (૭)
અષ્ટમીનું સ્તવન
શ્રી ઋષભનું જન્મ કલ્યાણ રે, વળી ચારિત્ર લહ્યું ભલે વાન રે;
ત્રીજા સંભવનું ચ્યવન કલ્યાણ-ભવિજનં ! અષ્ટમી તિથિ સેવો રે.
એ છે શિવવધૂ વરવાનો મેવો-ભવિજન. ૧
શ્રી અજિત સુમતિ જિન જન્મોયા રે, અભિનંદન શિવપદ પામ્યા રે,
જિન સાતમા ચ્યવન દીપાવ્યા-ભવિજન. ૨
વીશમા મુનિસવ્રત સ્વામી રે, તેહનો જન્મ હોય ગુણ ધામી રે;
બાવીસમા ષિવ વિશરામી-ભવિજન. ૩
પારસ જિન મોક્ષ મહંતા રે, ઇત્યાદિક જિન ગુણવંતા રે;
કલ્યાણક મુખ્ય કહંતા-ભવિજન. ૪
શ્રીવીર જિણંદની વાણી રે, નિસુણી સમજ્યા ભવિ પ્રાણી રે;
આઠમ દિન અતિ ગુણખાણી-ભવિજન. ૫
આઠ કર્મ તે દૂર પલાય રે, એથી અડસિદ્ધિ અડબુદ્ધિ થાય રે;
તેણે કારણ સેવો ચિત્ત, લાય-ભવિજન. ૬
શ્રી ઉદય સાગર સૂરિ રાયા રે, ગુરુ શિષ્ય વિવેકે ધ્યાય રે;
તસ ન્યાયસાગર જસ ગાયા-ભવિજન. ૭
અષ્ટમીની સ્તુતિ
વીર જીનેસર ભુવન દિનેસર નિરૂપમ જગ ઉપગારીજી
વાસવ વંદિત ભવ નિકંદિત તુમચી જાઉં બલીહારીજી
શ્રી મુખ ગૌતમ ગણધર આગે ભાખે તિથિ વિચારજી
અષ્ટમી તપ આરાધી પ્રાણી કેઈ પામ્યા ભવપારજી-૧
ચ્યવન કલ્યાણક જન્મને દીક્ષા કેવળ ને નિરવાણજી
અષ્ટમીદિન બહુ જિનનાં જાણો એહવી આગમ વાણજી
અનુભવ સંગી નિજ ગુણ રંગી અષ્ટમીજે આરાધેજી
સુજસ મહોધ્ય કમલ વિમલા મનવાંછિત સુખ સાઘેજી-૨
વાણી સુધારસ વલસી વિભુ પાપ તિમિર કરે દૂરજી
ભવિક કમલ પ્રતિ બોધ કહેવા ઉગ્યો સમકિત સૂરજી
અષ્ટમી મહિમા એણી પરે ભાખે જીવનવર જગત દયાળજી
એ તપ આરાધી ભવિ પ્રાણી પામ્યાં ગુણ મણી માલજી-૩
દંડવીર્યાદિ ભૂપ આરાધી અષ્ટમી વિશ્વાવિશજી
અષ્ટ કમર મલ દૂર કરીને પામ્યા સિદ્ધ જગીશજી
સિદ્ધાદેવી સંકટ ચૂરે વીર શાસન રખવાળીજી
જીન ઉત્તમ અવલંબન કરતાં રત્ન કહે માળજી-૪
અષ્ટમીની સજ્ઝાય
અષ્ટ કર્મ ચુરણ કરી રે લાલ, આઠ ગુણ પ્રસિદ્ધ મેરે પ્યારે રે;
ક્ષાયિક સમકિતના ઘણી રે લાલ, વંદુ વંદુ એવા સિદ્ધ મેરે પ્યારે રે. અષ્ટ. ૧
અનંતજ્ઞાન દર્શન ધરા રે લાલ, ચોથું વીર્ય અનંત મેરે;
અગુરુ લઘુ સુક્ષ્મ કહ્યા રે લાલ, અવ્યાબાધ મહંત મેરે. અષ્ટ. ૨
જેહની કાયા જેહવી રે લાલ, ઉણી ત્રીજે ભાગ મેરે;
સિદ્ધિશિલાથી જોયણે રે લાલ, અવગાહન વીતરાગ મેરે. અષ્ટ. ૩
સાદી અનંતા તિહાંડ ઘણાં રે લાલ, સમય સમય તહે જાય મેરે;
મંદિર માંહી દીપાલિકા રે લાલ, સઘળા તેજ સમાય મેરે. અષ્ટ. ૪
માન ભવનથી પામીયે રે લાલ, સિદ્ધ તણા સુખ સંગ મેરે;
એહનું ધ્યાન સદા ધરો રે, લાલ, એમ બોલે ભગવતી અંગ મેરે. અષ્ટ. ૫
શ્રી વિજયદેવ પટ્ટધરૂ રે લાલ, શ્રી વિજયસેન સૂરિશ મેરે;
સિદ્ધ થણા ગુણ એ કહ્યા રે લાલ, દેવ દીયે આશીષ મેરે. અષ્ટ. ૬
એકાદશીનું ચૈત્યવંદન
આજ ઓચ્છવ થયો ગુજ ઘરે એકાદશી મંડાય
શ્રી જીનનાં ત્રણશે ભલા કલ્યાણક ઘર જાણ -૧
સુરતરૂ સુરમણી સુરઘટ કલ્પાવેલી ફળી મારે
એકાદશી આરાધતાં બોધિ બીજ ચિત્ત ઠોર -૨
નેમી જીનેસર પૂજતાએ પહોંચે મનનાકોડ
જ્ઞાન વિમલ ગુણથી લહો પ્રણમો બે કરજોડ -૩
એકાદશીનું સ્તવન
પંચમ સુર લોકના વાસી રે, નવ લોકાંતિક સુવિલાસી રે,
કરે વિનતિ ગુણની રાશિ, મલ્લિ જિન નાથજી વ્રત લીજે રે,
ભવિ જીવને શિવસુખ દીજે. ૧
તમે કરુણારસ ભંડાર રે, પામ્યા છો ભવજલ પાર રે,
સેવકનો કરો ઉદ્ધાર. મલ્લિ. ૨
પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે,
ભવ્યત્વપણે તસ સ્થાપે. મલ્લિ.૩
સુરપતિ સઘલા મલી આવે રે, મણિ રયણ સોવન વરસાવે રે,
પ્રભુ ચરણે શીશ નમાવે. મલ્લિ.૪
તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે,
સુરપતિ ભગતે નવરાવે. મલ્લિ.૫
વસ્ત્રાભરણે શણગારે રે, ફૂલમાલા હૃદય પર ધારે રે,
દુઃખડાં ઇંદ્રાણી ઓવારે. મલ્લિ.૬
મલ્યા સુર નર કોડાકોડી રે, પ્રભુ આગે રહ્યા કરજોડી રે,
કરે ભક્તિ યુક્તિ મદ મોડી. મલ્લિ.૭
મૃગશિર શુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે,
વર્યા સંયમ વધુ લટકાલી રે. મલ્લિ.૮
દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રેહ રે,
કહે રૂપવિજય સસનેહ. મલ્લિ.૯
એકાદશીની સ્તુતિ
ગોયમ બોલે ગ્રંથ સંભાળી વર્ધમાન આગળ રઢિયાળી
વાણી અતકિ હી રસાલી,
મૌન અગ્યારસ મહિમા ભાળી, કોણે કીધીને કહો કોણે પાળી,
પ્રશ્ન કરે ટંકશાલી,
કહોને સ્વામી પર્વ પંચાલી, મહિમાં અધિક અધિક સુવિશાલી,
કુણ કહે કહો તુમ ટાલી,
વીર કહે માગશર અજુઆલી, દોઢસો કલ્યાણક નિહાળી,
અગિયારસ કૃષ્ણે પાળી-૧
નેમિનાથને વારે જાણો કાનુડો ત્રણ ખંડનો રાણો,
વાસુદેવ સપરાણો,
પરિગ્રહણને આરંભે ભરાણો, એકદીન આતમ કીધો શાણો,
જિન વંદન ઉજાણો,
નેમનાથને કહે હિત આણો, વરસે વારૂ દિવસ વખાણો,
પાળી થાઉં શિવરાણો,
અતિત અનાગત ને વર્તમાન, નેવું જિનના હુઆ કલ્યાણક,
અવરં એહ સમાન-૨
આગમ આરાધો ભવિ પ્રાણી, જેહમાં તીર્થંકરની વાણી,
ગણધર દેવ કહાણી,
દોઢસો કલ્યાણકની ખાણી એહ અગ્યારનો દિન જાણી,
એમ કહે કેવલ નાણી,
પુન્ય પાપ તણી જિહાં કહાણી, સાંભળતાં શુભ લેખ લખાણી,
તેહની સ્વર્ગ નિસાણી,
વિદ્યાપૂરવ ગર્થે રચાણી, અંગ ઉપાંગ સુત્ર ગુથાણી
સુદતાદીએ શિવરાણી-૩
જિનશાસનમાં જે અધિકારી, દેવ દેવીહોએ સમકિત ધારી,
સાનિધ્ય કરે સંભાળી
ધરમ કરે તસ ઉપર પ્યારી, નિશ્ચય ધર્મ કરે સુવિચારી,
જે છે પર ઉપકારી,
વડ મંડણ મહાવીરજી તારી, પાપ પખાલી જિનને જુહારી,
લાલ વિજય હિતકારી,
માતંગજક્ષ સિદ્ધાયિકા સારી, ઓલગ સારે સુર અવતારી,
સંઘના વિધ્યન નિવારી-૪
એકાદશીની સજ્ઝાય
આજ મારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ;
પુછ્યાનો પડુત્તર પાછો, કેહને કાંઇ ન કહીએ. આજ. ૧
મારો નણદોઈ તુજને વહાલો, મુજને તારો વીરો;
ધૂમાડાના બાચકા ભરતાં, હાથ ન આવે હીરો. આજ. ૨
ઘરનો ધંધો ઘણો કર્યો પણ, એકે ન આવ્યો આડો;
પરભવ જાતના પાલવ ઝાલે, તે મુજને દેખાડો. આજ. ૩
માગશર શુદિ અગીયારસ મોટી, નેવું જિનના નિરખો;
દોઢસો કલ્યામક મોટા, પોથી જોઈ જોઈ હરખો. આજ. ૪
સુવ્રત શેઠ થયો શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીઓ;
પાવકે પુર સઘળું પર-જાળ્યું, એહનો કાં ન દહીયો. આજ. ૫
આઠ પહોરનો પોસહ કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ;
મન વચ કાયા જો વશ કરીએ, તો ભવસાગર તરીએ. આજ. ૬
ઇર્યાસમિતિ ભાષા ન બોલે, આડું આવળું પેખે;
પડિક્કમણા શું પ્રેમ ન રાખે, કહો કેમ લાગે લેખે. આજ. ૭
કર ઉપર તો માળા ફિરતી, જીવ ફરે વનમાંહી;
ચિત્તડું તો ચિહું દિશિયે ડોલે, ઇણ ભજને સુખ નાંહિ. આજ. ૮
પૌષધશાળે ભેગા થઈને, ચાર કથા વળી સાધે;
કાંઇક પાપ મિટાવણ આવે, બાર ગણું વળી બાંધે. આજ. ૯
એક ઉઠંતી આળસ મોડે, બીજી ઉંઘે બેઠી;
નદીઓમાંથી કોઈક નિસરતી, જઈ દરિયામાં પેછી. આજ. ૧૦
આઈ બાઈ નણંદ ભોજાઈ, ન્હાની મ્હોટી વહુને;
સાસુ સસરો માને માસી, શિખામણ છે સહુને. આજ. ૧૧
ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નરનારી રહેશે;
પોષહમાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે.આજ. ૧૨
દીવાળી પર્વના ચૈત્યવંદનો
મગધદેશ પાવાપુરી, પ્રબુ વીર પધાર્યા;
સોલ પહોર દીયે દેશના, ભવિ જીવને તાર્યા. ૧
ભૂપ અઢારે ભાવે સુણે, અમૃત જીસી વાણી;
દેશનાદેતાં રયણીએ, પરણ્યા શિવરાણી. ૨
રાય ઉઠી દીવા કરે, અજવાળાને હેતે;
અમાવ્સાય તે કહી વલી દીવાળી કીજે. ૩
મેરૂ થકી આવ્યા ઇંદ્ર, હાથે લેઈ દીવો;
મેરઇયા દિન સફલ કરી, લોક કહે સવિ જીવો. ૪
કલ્યાણક જાણ કરી, દીવા તે કીજે;
જાપ જપો જિનરાજ પાતિક સવિ છીજે ૫
બીજે દિન ગૌતમ સુણી, પામ્યા કેવળજ્ઞાન;
બાર સહસ ગુણણું ગણો, ઘર હોશે ક્રોડ કલ્યાણ. ૬
સુરનર કિન્નર સહુ મલી, ગૌતમને આપે;
ભટ્ટારક પદવી દેઈ, સહુ સાખે થાપે. ૭
જુહારક ભટ્ટારક થકી, લોક કરે જુહાર;
બેને ભાઈ જમાડીયો, નંદિવર્ધન સાર. ૮
ભાઈબીજ તિહાં થકી, વીરતણો અધિકાર;
જયવિજય ગુરુ સંપદા, મુજને દીયો મનોહાર. ૯દીવાળીનું ચૈત્યવંદન-૨
શાસનના શણગાર વીર, મુક્તિપુરી શણગારી;
ગૌતમની પ્રીતિ પ્રબુ, અંતસમય વિસારી. ૧
દેવશર્મા પ્રતિબોધવા, મોકલ્યો મુજને સ્વામ;
વિશ્વાસી પ્રભુ વીરજી, છેતર્યો મુજને આમ. ૨
હાં હાં વીર આ શું કર્યું ? ભારતમાં અંધારૂં;
કુમતિ મિથ્યાત્ત્વી વધી જશે, કુણ કરશે અજવાળું. ૩
નાથ વિનાના સૈન્ય જેમ, થયા અમે નિરધાર;
ઇમ ગૌતમ પ્રભુ વલવલે, આંખે આંસુની ધાર. ૪
કોણ વીર ને કોણ તું ? જાણી એહવો વિચાર;
ક્ષપકશ્રેણી આરોહતા, પ્રભુ પામ્યા કેવલ સાર. ૫
વીર પ્રભુ મોક્ષે ગયા એ, દિવાળી દિન જાણ;
ઓચ્છવ રંગ વધામણાં, નામે કલ્યાણ. ૬
દીવાળીનું પર્વનું સ્તવન
મારે દીવાલી થઈ આજ, પ્રભુ-મુખ જોવાને;
સર્યાં સર્યાં રે સેવકનાં કાજ, ભવ દુઃખ ખોવાને.
મહાવીર સ્વામી મુગતે પહોંતા, ગૌતમ કેવલજ્ઞાન રે.
ધન્ય અમાવસ્યા ધન્ય દીવાળી, મહાવીર પ્રભુ નિર્વાણ. જિનમુખ.૧.
ચારિત્ર પાળ્યા નિર્મળાને રે, ટાલ્યાં વિષય-કષાય રે.
એવા મુનિને વન્દીએ, જે ઉતારે ભવપાર. જિનમુખ.૨.
બાકુળ વહોર્યા વીરજિને, તારી ચંદનબાળા રે;
કેવલ લઈ પ્રભુ મુગતે પહોંચ્યા, પામ્યા ભવનો પાર. જિનમુખ.૩.
એવા મુનિને વન્દીએ, જે પંચજ્ઞાન ને ધરતા રે;
સમવસરણ દઈ દેશના, પ્રભુ તાર્યા નર ને નાર. જિનમુખ.૪.
ચોવીસમા જિનેશ્વરૂં રે, મુક્તિતણા દાતાર રે.
કર જોડી કવિ એમ ભણે, પ્રભુ ભવનો ફેરો ટાળ. જિન.૫.
દીવાળી પર્વનું સ્તવન-૨
ધનધન મંગળ આજ સફળ
ઊઢી પ્રભાતે રે ચાલી
આજ મારે દિવાળી અજવાય (૧)
ગાવો ગીત વધાવો ગુરૂને મોતીડે થાળ ભરાવો
ચાર ચાર અંગે છત્ર ચડાવો આજ અજરામર
શુંખ પ્રગટાવો રે આજ મારે દિવાળી અજવાળી રે (૨)
આજ તો મારે ધનતેરસ એ ધનરૂડો સારી
ગવરી ગાયના દુધ મંગાવો ધનની પૂજા કરો
રે જ મારે દિવાળી અજવાળી રે (૩)
કાલે તો મારે કાળી ચૌદસ એ ધન રૂડો
સારો રે આક પોરના પૌષધ કીધા પાપ ગયા પ્રગટાવો રે.
આજ મારે દિવાળી (૪)
પુનમની તો પરવ દિવાળી ફરતી જાક જોમાવી
રે ધરધરતો દિવલીયા દીસે રાત દિસે રદિયાળી રે
આજ મારે દિવાળી (૫)
અમવસની પોસલી રાતે આઠ કર્મ કર્યા
મહાવીર સ્વામી મોક્ષ પહોરયા ગૌતમ કેવળ જ્ઞાન પહોચ્યા રે.
આજ મારે દિવાળી (૬)
એકમનો તો જાર પટારા એ ધન રૂડો સારો
કમળ કેકુ ધોળીયાથી કમળ મલ્યા ચોના ઘર
ગૌમને સરકા વખાળો ઘર દીશે રઢીયાળ
આજ મારે દીવાળી (૭)
બીજ તો મારે લાયલા બીજ બેનડી તેડાવો
પાય દડાડા ફેર પન્નોતી હરખે હરખે ગાઓ રે
આજ મારે દિવાળી (૮)
કરો જોળી કરો પોળી કરો સેવ સુવાળી
મોન વીજયના પંડીત બોલ્યા જય જય વાગે તાળી રે.
આજ મારે દિવાળી (૯)
દીવાળી પર્વની સ્તુતિ
શાસનનાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વરણ શરીર હરિલંછન જસ ધીર,
જેહના ગૌતમ વજીર, મદન સુભટગંજન વડવીર, સાયર પેરે ગંભીર;
કાર્તિક અમાવસ્યા નિર્વાણ, દ્રવ્ય ઉદ્યોત કરે નૃપ જાણ, દીપક શ્રેણી મંડણ,
દીવાળી પ્રગટી અભિધાન, પ્રભાત સમે શ્રી ગૌતમજ્ઞાન, વર્ધમાન ધરો ધ્યાન. ૧
ચોવીશે જિનવર સુખકાર, પરવ દિવાળી અતિ મનોહર, સકલ પર્વ શણગાર;
મેરાઇયા કરે અધિકાર, ‘મહાવીર સર્વજ્ઞાય’ પદ સાર, જપીએ દોય હજાર;
મજિઝમ રયણી દેવ વાંદીજે ‘મહાવીર પારંગતાય’ નમીજે, સહસ તે દોય ગુણીજે;
વળી ‘ગૌતમ સર્વજ્ઞાય’ નમીજે, પર્વ તીપોચ્છવ ઇણિ પરે કીજે, માનવભવ ફલ લીજે. ૨
અંગ અગ્યાર ને ઉપાંગ બાર, દશ પયન્ના છેદ મૂલ ચાર, નંદી અનુયોગદ્ધાર,
છ લાખ ને છત્રીસ હજાર, ચૌદપૂર્વ વિરચે ગણધાર, ત્રિપદીનો વિસ્તાર;
વીર પંચ કલ્યાણક જેહ, કલ્પસૂત્રમેં ભાખ્યો તેહ, દીપોચ્છવ ગુણગેહ,
ઉપવાસ છટ્ઠ અટ્ઠમ કરે જેહ, સહસ લાખ કોડિફલ લહે તેહ; શ્રી જિનવાણી એહ. ૩
વીર નિર્વાણ સમે સુર જાણી, આવે ઇંદ્ર અને ઇંદ્રાણી, ભાવ અધિક મન આણી;
હાથ ગ્રહી દીવી નિસિ જાણી, મેરાઈઆ બોલે મુખ વાણી, દીવાળી કહેવાણી;
ઇણિપરે દીપોચ્છવ કરો પ્રાણી, સકલ સુમંગલકારણ જાણી, લાભવિમલ ગુણખાણી;
વદતિ રત્નવિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વીણા પાણી, દ્યો સરસ્તવી વર આણી.
દીવાળી પર્વની સજ્ઝાય
દિવાળી રઢીયાળી સર્વ સોહામણું, પ્રેમ ધરીને આરાધે નર નાર જો;
મન વચન કાયાની સ્થિરતા કેળવી, જીવન જ્યોત જગાવે જયકાર જો. ૧
સુરપતિ નરપતિ સેવિત તીર્થપતિ પ્રભુ, સિદ્ધારથ ત્રિશલાદેવીના નંદ જો;
ચોમાસુ છેલ્લું કરવાને પધારીયા, પાવાપુરીમાં ઘરઘર વર્ત્યો આનંદ જો. ૨
ચૌદશ દિવાળીના છઠ્ઠ તપ આદરી, સમવસરણમાં બેસી શ્રી ભગવાન જો;
સોલ પહોર સુધી આપે મધુરી દેશના, સમવસરણમાં કરવા જગ કલ્યાણ જો. ૩
પંચાવન અધ્યયન પુણ્ય વિપાકના, પંચવાન પાપનો ફલ વિસ્તાર જો;
વણ પૂછ્યા છત્રીશ સવાલો દાખવે, ઉપદેશે આગમનિગમનો સાર જો. ૪
દિવાળીની રાત્રે છેલ્લા પહોરમાં, સ્વામી નક્ષત્રે વર્ધમાન ભગવાન જો;
નાગણ કરણમાં સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, કર્મો તોડી પદ નિર્વાણ જો. ૫
મલ્લીકી નવ નવ લચ્છવી ગણનાં રાજવી, અહોરત પૌષધ સાંભળે ધર્મ રસાળ જો;
ભાવ ઉદ્યોત ગયો ને અંધારૂં થયું, એમ એ જાણી પ્રગટાવે દીપમાળ જો. ૬
પડવે પ્રાતઃકાળે ગૌતમ સ્વામીને, પ્રગટ્યું કેવલ તેણે એ પર્વ પ્રધાન જો;
બીજે જમાડ્યા બહેને નંદીવર્ધનભાઈને, ભાઈબીજનું પર્વ થયું એ પ્રધાન જો. ૭
ત્યારથી પર્વ દિવાળી પ્રગટ્યું વિશ્વમાં, વીર સંભારણું સ્થિર બન્યું જગમાંય જો;
લોકેલોકાત્તરમાં છે પર્વ એ મોટકું, ઉજવતાં નરનારી સૌ હરખાય જો. ૮
ધર્મી જીવ દિવાળીનો છઠ્ઠ ઉચ્ચરે, દિવાળીનો પોષહ કહે બહુમાન જો;
વીરપ્રભુને વંદન પૂજન જાપથી, ભક્તિભાવે આરાધે એકતાન જો. ૯
શ્રી મહાવીર સર્વજ્ઞ પારંગત પ્રભુ, ગૌતમ સ્વામી સર્વજ્ઞનો કરે જાપ જો;
ૐ હ્રી શ્રીઁ ને અંત ઐં નમઃ, માળા વીસ એ કાપે સઘળા દુઃખ જો. ૧૦
દિવાળીમાં શુદ્ધ તપ જપ જે કરે; લાખ ક્રોડ ફળ પામે તે ઉજમાળ જો;
નવલે વર્ષે ઉત્સવ લંગ વધામણાં, પદ્મ વિજય કહે ઘરઘર મંગળ માળ જો. ૧૧
પર્યુષણ પર્વનું સ્તવન
સુણજો સાજન સંત, પજુસણ આવ્યાં રે;
તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે.
વીર જિણેસર અતિ અલવેસર, વાલા મારા પરમેસર એમ બોલે રે;
પર્વ માંહે પજુસણ મોટાં, અવર ન આવે તસ તોલે રે. પજુસણ.૧
ચૌપદ માંહે જેમ કેશરી મોટો વાલા..,ખગમાં ગરુડ તે કહીએ રે.
નદી માંહે જેમ ગંગા મોટી, નગમાં મેરુ લહિયે રે. પજુસણ.૨
ભૂપતિમાં ભરતેસર ભાખ્યો વાલા.., દેવ માંહે સુર ઇંદ્ર રે.
સકલ તીરથ માંહે શેત્રુંજો દાખ્યો, ગ્રહ-ગણમાં જેમ ચંદ્ર રે. પજુસણ.૩
દશેરા દીવાલી ને વલી હોલી વાલા.., અખાતીજ દિવાસો રે.
બલેવ પ્રમુખ બહુલાં છે બીજાં, એ નહિ મુક્તિનો વાસો રે. પજુસણ.૪
તે માટે તમે અમારી પલાવો વાલા.., અટ્ઠાઇ મહોત્સવ કીજે રે.
અટ્ઠમ તપ અધિકાઇએ કરીને, નર ભવ લાહો લીજે રે. પજુસણ.૫
ઢ઼ોલ દદામા ભેરી નફેરી વાલા.., કલ્પસૂત્ર ને જગાવો રે.
ઝાંઝરનો ઝમકાર કરીને,ગોરીની ટોલી મલી આવો રે .પજુસણ.૬
સોના રૂપાને ફૂલડે વધાવો વાલા.., કલ્પસૂત્ર ને પૂજો રે.
નવ વખાણ વિધિએ સાંભલતાં, પાપ મેવાસી ધ્રૂજો રે. પજુસણ.૭
એમ અટ્ઠાઈ મહોત્સવ કરતાં વાલા.., બહુ જગજન ઉદ્ધરિયા રે.
વિબુધ વિમલ વર સેવક નય કહે, નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ વર્યા રે. પજુસણ.૮
પર્યુષણ પર્વની સ્તુતિઓ
પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી;
કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી.
કુંવર ગયવર ખન્ધ ચઢ઼ાવી, ઢ઼ોલ નિશાન વગડાવોજી;
સદ્ગુરુ સંગે ચઢ઼તે રંગે, વીર-ચરિત્ર સુણાવોજી. ૧
પ્રથમ વખાણ ધર્મ સારથિ પદ, બીજે સુપનાં ચારજી;
ત્રીજે સુપન પાઠક વલી ચોથે, વીર જનમ અધિકારજી.
પાંચમે દીક્ષા છટ્ઠે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી;
આઠમે થિરાવલી સંભલાવે, પિઉડા પૂરો જગીશજી. ૨
છટ્ઠ અટ્ઠમ અટ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજેજી;
વરસી પડિક્કમણું મુનિ વન્દન, સંઘ સકલ ખામીજેજી.
આઠ દિવસ લગે અમર પલાવી, દાન સુપાત્રે દીજેજી;
ભદ્રબાહુ ગુરુ વચન સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. ૩
તીરથમાં વિમલાચલ, ગિરિમાં મેરુ મહીધર જેમજી;
મુનિવર માંહી જિનવર મોટા, પરવ પજુસણ તેમજી.
અવસર પામી સાહમ્મિ-વચ્છલ, બહુ પકવાન વડાઈજી;
ખીમા વિજય જિનદેવી સિદ્ધાઈ, દિન-દિન અધિક વધાઈજી. ૪
પર્યુષણ પર્વની સ્તુતિ-૨
વરસ દિવસમાં અષાઢ ચોમાસ, તેહમાં વલી ભાદરવો માસ,
આઠ દિવસ અતિ ખાસ,
પર્વ પજુસણ કરો ઉલ્લાસ, આઈઘરનો કરવો ઉપવાસ,
પોસહ લીજે ગુરુ પાસ,
વડાકલ્પનો છટ્ઠ કરીજે, તેહ તણો વખાણ સુણીજે,
ચૌદ સુપન વાંચીજે,
પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય,
વીર જિનેસર રાય. ૧
બીજે દિન દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર,
વીર તમો પરિવાર,
ત્રીજે દિન શ્રીપાર્શ્વ વિખ્યાત, વળી નેમીસરનો અવદાત,
વળી નવભવની વાત,
ચોવીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ,
તાસ વખાણ સુણીશ,
ધવલ મંગલ ગીતગહુંલી કરીએ, વળી પ્રભાવના નિત અનસુરીએ,
અટ્ઠમ તપ જય વરીએ. ૨
આઠ દિવસ લગે અમર પાળવો, તેહ તમો પડહો વજડાવો,
ધ્યાન ધરમ મન ભાવો,
સંવસ્તરીદિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેળો થાય,
બારસા સૂત્ર સુણાય;
થિરાવલીને સામાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવારી,
સાંભળજો નર નારી,
આગમસૂત્રને પ્રમણીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ,
શાસ્ત્ર સર્વે સુણીશ. ૩
સત્તર ભેદી જિન પૂજા રચાવો, નાટકકેરા ખેલ ખેલાવો.
વિધિશું સ્નાત્ર ભણાવો,
આડંબરસું દેહરે જઈએ, સંવસત્સરી પડિક્કમણું કરીએ,
સંઘ સર્વને ખમીએ;
પારણે સાહમ્મિવચ્છલ કીજે, યથાશક્તિએ દાન જ દીજે,
પુન્યભંડાર ભરીજે,
શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર, જશવંતસાગર ગુરુ ઉદાર,
જિણંદસાગર જયકાર. ૪
પર્યુષણ પર્વની સ્તુતિ-૩
સત્તર ભેદી જિનપૂજા રચીને, સ્નાત્ર મહોત્સવ કીજે જી,
ઢોલ દદામા ભેરી નફેરી, ઝલ્લરી નાદ સુણીજે જી;
વીરજિન આગે ભાવના ભાવી, માનવભવ ફળ લીજે જી,
પર્વ પજુસણ પૂરવ પુણ્યે, આવ્યા એમ જાણીજે જી. ૧
માસ પાસ વળી દસમ દુવાલસ, ચત્તારી અટ્ઠ કીજે જી,
ઉપર વળી દસ દોય કરીને, જિન ચોવીશે પૂજીજે જી;
વડા કપ્લનો છટ્ઠ કરીને, વીર વખાણ સુણીજે જી,
પડવે ને દિન જન્મ મહોત્સવ, ધવલ મંગલ વરતીજે જી. ૨
આઠ દિવસ લગે અમર પળાવી, અઠ્ઠમનો તપ કીજે જી,
નાગકેતુની પરે કેવલ લહીએ, જો શુભ ભાવે રહીએ જી,
તેલાઘર દિન ત્રણ કલ્યાણક, ગણધરવાદ વદીજે જી,
પાસ નેમિસર અંતર ત્રીજે, ઋષભચરિત્ર સુણીજે જી. ૩
બારસાસૂત્ર ને સામાચારી, સંવત્સરી પડિક્કમીએ જી,
ચૈત્યપ્રવાડી વિધિસું કીજે, સકલ જંતુ ખામીજે જી;
પારણાને દિન સાહમિવત્સલ, કીજે અધિક વડાઈ જી,
માનવિજય કહે સકલ મનોરથ, પૂરે દેવી સિદ્ધાઈ જી. ૪
પર્યુષણ પર્વની સ્તુતિ-૨
મણિ રચિત સિંહાસન, બેઠા જગદાધાર,
પર્યુષણ કેરો, મહિમા અગમ અપાર;
નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃંદ,
એ પર્વ સર્વમાં, જેમ તારામાં ચંદ. ૧
નાગકેતનુ પરે, કલ્પ સાધના કીજે,
વ્રત નિયમ આખડી, ગુરુ સુખ અધિકી લીજે,
દોય ભેદે પૂજા, દાન પંચ પ્રકાર,
કર પડિક્કમણાં ઘર, શિયલ અખંડિત ધાર. ૨
જે ત્રિકરણે શુદ્ધે, આરાધે નવ વાર,
ભવ સાત આઠ અવ, શેષ તાસ સંસાર,
સહુ સૂત્ર શિરોમણી, કલ્પસૂત્ર સુખકાર,
તે શ્રવણ સુણીને, સફલ કરો અવતાર. ૩
સહુ ચૈત્ય જુહારી, ખમત ખામણાં કીજે,
કરી સાહમ્મિવત્સલ, કુગતિ દ્વાર પટ દીજે;
અઠ્ઠાઈ મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈ,
ઇમ કરતાં સંઘને, શાસન દેવ સહાઈ. ૪
પર્યુષણ પર્વની સજ્ઝાય
પર્વ પજુષણ આવીયા, આનંદ અંગ ન માય રે,
ઘર ઘર ઉત્સવ અતિ ઘણાં, શ્રી સંઘ આવે ને જાય રે,
પર્વ પજુસણ આવીયા. ૧
જીવ અમારિ પલાવીએ, કીજીયે વ્રત પચ્ચક્ખાણ રે;
ભાવ ધરી ગુરુ વંદીયે, સુણીયે સૂત્ર વખાણ રે; પર્વ. ૨
આઠ દિવસ એમ પાલીયે, આરંભનો પરિહારો રેઃ
ન્હાવણ ધોવણ ખંડણ, લીંપણ પીસણ વારો રે. પર્વ. ૩
શક્તિ હોય તો પચ્ચક્ખીએ, અઠ્ઠાઈ અતિ સારો રે;
પરમભક્તિ પ્રીતે વહોરાવીએ, સાધુને ચાર આહારો રે. પર્વ. ૪
ગાય સોહગણ સર્વ મલી, ધવલ મંગલ ગીત રેઃ
પકવાન્નો કરી પોષિયે, પારણે સાહમ્મિ મન પ્રીતરે. પર્વ. ૫
સત્તર ભેદી પૂજા રચી, પૂજે શ્રી જિનરાય રે;
આગળ ભાવના ભાવીયે, પાતક મલ ધોવાય રે. પર્વ. ૬
લોચ કરાવે રે સાધુજી, બેસે બેસણા માંડી રે;
શિરે વિલેપન કીજીયે; આલસ અંગથી છાંડી. પર્વ. ૭
ગજ ગતિ ચાલે ચાલતી, સોહાગણ નારી તે આવે રે;
કુંકુમ ચંદન ગહુંઅલી, મોતીયે ચોક પૂરાવે રે. પર્વ. ૮
રૂપા મહોર પ્રભાવના, કરીયે તવ સુખકારી રે;
શ્રી ક્ષમાવિજય કવિરાયનો, લઘુ માણેક વિજય જયકારી રે. પર્વ. ૯નવપદજીનું ચૈત્યવંદન
પહેલે પદ અરિહંતના, ગુણ ગાઉં નિત્યે;
બીજે સિદ્ધ તણા ઘણા, સમરો એક ચિત્તે. ૧
આચારજ ત્રીજે પદે, પ્રણમો બિહું કર જોડી;
નમીએ શ્રી ઉવજ્ઝાયને, ચોથે પદ મોડી. ૨
પંચમ પદ સર્વ સાધુનું નમતાં ન આણો લાજ;
એ પરમેષ્ઠી પંચને, ધ્યાને અવચિલ રાજ. ૩
દંસણ શંકાદિક રહિત, પદ છઠ્ઠે ધારો;
સર્વનાણપદ સાતમે, ક્ષણ એક ન વિસારો. ૪
ચારિત્ર ચોખું ચિત્તથી, પદ અષ્ટમ જપીયે;
સકળ ભેદ બિચ દાન-ફળ-તપ નવમે તપીયે. ૫
એ સિદ્ધચક્ર આરાધતાં, પૂરે વાંછિત કોડ;
સુમતિવિજય કવિરાયનો, રામ કહે કર જોડ. ૬
નવપદજીનું સ્તવન
નવપદ ધરજો ધ્યાન ભવિ તુમે ! નવપદ ધરજો ધ્યાન;
એ નવપદનું ધ્યાન કરતાં,
પામે જીવ વિશ્રામ. ભવિ.૧
અરિહંત સિદ્ધ આચારજ પાઠક,
સાધુ સકલ ગુણ ખાણ; ભવિ. ૨
દર્શન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ,
તપ તપો કરી બહુમાન. ભવિ.૩
આસો ચૈત્રની સુદિ સાતમથી,
પૂનમ લગી પ્રમાણ; ભવિ. ૪
એમ એકાશી આંબિલ કીજે,
વરસ સાડા ચારનું માન. ભવિ.૫
પડિક્કમણાં દોય ટંકનાં કીજે,
પડિલેહણ બે વાર; ભવિ. ૬
દેવ વંદન ત્રણ ટંકનાં કીજે,
દેવ પૂજો ત્રિકાળ. ભવિ. ૭
બાર આઠ છત્રીશ પચવીશનો,
સત્તાવીશ અડસઠ સાર; ભવિ. ૮
એકાવન સિત્તેર પચાસનો,
કાઉસગ્ગ કરો સાવધાન. ભવિ.૯
એક એક પદનું ગણણું,
ગણીએ દોય હજાર; ભવિ. ૧૦
ઇણ વિધે જે એ તપ આરાધે,
તે પામે ભવ પાર. ભવિ. ૧૧
કર જોડી સેવક ગુણગાવે,
મોહન ગુણ મણિમાળ; ભવિ. ૧૨
તાસ શિષ્ય મુનિ ‘હેમ’ કહે પ્રભુ !
જન્મ મરણ દુઃખ ટાળ. ભવિ. ૧૩
નવપદજીની સ્તુતિ
પ્રહ ઊઢી વંદુ, સિદ્ધચક્ર સુખદાય,
જપીએ નવપદનો, જાપ સદા મનમાંય;
વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ,
તે સવિ સુખ પામે, જેમ મયણા-શ્રીપાળ.
નવસ્મરણમ્
૧. શ્રી નવકારમંત્ર
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં ૨
નમો આયરિયાણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વપાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢ઼મં હવઈ મંગલં
૨. ઉવસગ્ગહરં સ્તોત્ર
ઉવસગ્ગહરં પાસં, પાસં વંદામિ કમ્મધણમુક્કં;
વિસહર-વિસનિન્નાસં, મંગલ-કલ્લાણ-આવાસં. ૧
વિસહર-ફુલિંગ-મંતં, કંઠે ધારેઈ જો સયા મણુઓ;
તસ્સ ગહ-રોગ-મારી, દુટ્ઠજરા જંતિ ઉવસામં. ૨
ચિટ્ઠઉ દૂરે મંતો, તુજઝ પણામો વિ બહુફલો હોઈ;
નર તિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ખદોગચ્ચં. ૪
તુહ સમત્તે લદ્ધે, ચિંતામણિ-કપ્પપાયવબ્ભહિએ;
પાવંતિ અવિગ્ઘેણં, જીવા અયરામરં ઠાણં. ૫
ઇય સંથુઓ મહાયસ! ભત્તિબ્ભર-નિબ્ભરેણ-હિયએણ;
તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. ૬
૩. સંતિકરં સ્તોત્ર
સંતિકરં સંતિજિણં, જગસરણં જયસિરિઈ દાયારં;
સમરામિ ભત્ત-પાલગ, નિવ્વાણી-ગરૂડ-કય-સેવં. ૧
ૐ સનમો વિપ્પોસહિ-પત્તાણં સંતિસામિ-પાયાણં;
ઝ્રૌં-સ્વાહા-મંતેણં, સવ્વાસિવ-દુરિઅ-હરણાણં. ૨
ૐ સંતિ-નમુક્કારો, ખેલોસહિમાઈ-લદ્ધિપત્તાણં;
સૌં હ્રીં નમો સવ્વોસહિ-પત્તાણં ચ દેઇ સિરિં. ૩
વાણી તિહુઅણ-સામિણિ, સિરિદેવી જક્ખરાયગણિપિડગા;
ગહ-દિસિપાલ-સુરિંદા, સયાવિ રક્ખંતુ જિણભત્તે. ૪
રક્ખંતુ મમં રોહિણી, પન્નત્તી વજ્જસિંખલા ય સયા;
વજ્જંકુસિ ચક્કેસરિ, નરદત્તા-કાલી-મહાકાલી. ૫
ગોરી તહ ગંધારી, મહજાલા માણવિ અ વઈરૂટ્ટા;
અચ્છુત્તા માણસિઆ, મહામાણસિયા ઉ દેવીઓ. ૬
જક્ખા ગોમુહ મહજક્ખ, તિમુહ જક્ખેસ તુંબરૂ કુસુમો;
માયંગ-વિજય-અજિયા, બંભો મણુઓ સુરકુમારો. ૭
છમ્મુહ પયાલ કિન્નર, ગરૂલો ગંધવ્વ તહય જક્ખિંદો,
કૂબર વરૂણો ભિઉડી, ગોમેહો પાસ-માયંગા ૮
દેવીઓ ચક્કેસરિ, અજિયા-દુરિઆરિ-કાલી-મહાકાલી,
અચ્ચુઅ-સંતા-જાલા, સુતારયા-સોય સિરિવચ્છા. ૯
ચંડા વિજયંકુસિ, પન્નઇત્તિ નિવ્વાણિ અચ્ચુઆ ધરણી;
વઈરૂટ્ટ છુત્ત ગંધારિ, અંબ પઉમાવઈ સિદ્ધા. ૧૦
ઈઅ તિત્થ-રક્ખણરયા, અન્નેવિ સુરાસુરી ય ચઉહાવિ;
વંતર જોઈણિ પમુહા, કુણંતુ રક્ખં સયા અમ્હં. ૧૧
એવં સુદિટ્ઠિસુરગણ, સહિઓ સંઘસ્સ સંતિ જિણ-ચંદો;
મજઝવિ કરેઉ રક્ખં, મુણિસુંદર-સૂરિ-થુઅ-મહિમા. ૧૨
ઈઅ સંતિનાહ સમ્મ-દિટ્ઠિ, રક્ખં સરઈ તિકાલં જો;
સવ્વોવદ્દવ-રહિઓ, સ લહઈ સુહસંપયં પરમં. ૧૩
૪. તિજયપહુત્ત સ્તોત્ર
તિજય-પહુત્ત-પયાસય, અટ્ઠ-મહાપાડિહેર-જુત્તાણં;
સમયક્ખિત્ત-ઠિઆણં, સરેમિ ચક્કં જિણિદાણં. ૧
પણવીસા ય અસીઆ, પનરસ પન્નાસ જિણવર સમૂહો;
નાસેઉ સયલ-દુરિઅં, ભવિઆણં ભત્તિ-જુત્તાણં. ૨
વીસા પણયાલા વિય, તીસા પન્નત્તરી જિણવરિંદા;
ગહ-ભૂઅ-રક્ખ-સાઇણી, ઘોરુવસગ્ગં પણાસંતુ. ૩
સત્તરિ પણતીસાવિય, સટ્ઠી પંચેવ જિણગણોએસો;
વાહિ-જલ-જલણ-હરિકરિ, ચોરારિ-મહાભયં હરઉ. ૪
પણપન્ના ય દસેવ ય, પન્નટ્ઠી તહ ય ચેવ ચાલીસા;
રક્ખંતુ મે સરીરં, દેવાસુર-પણમિયા સિદ્ધા. ૫
ૐ હરહુંહઃ સરસુંસઃ, હરહુંહઃ તહ ય ચેવ સરસુંસઃ;
આલિહિય-નામ-ગબ્ભં, ચક્કં કિર સવ્વઓભદ્દં. ૬
ૐ રોહિણી પન્નત્તી, વજ્જસિંખલા તહ ય વજ્જઅંકુસિઆ;
ચક્કેસરી નરદત્તા, કાલિ મહાકાલિ તહ ગોરી. ૭
ગંધારી મહજાલા, માણવિ વઇરૂટ્ટ તહય અચ્છુત્તા;
માણસિ મહમાણસિઆ, વિજજાદેવીઓ રક્ખંતુ. ૮
પંચદસ કમ્મભૂમિસુ, ઉપ્પન્નં સત્તરી જિણાણ સયં;
વિવિહ-રયણાઇ-વન્નો, વસોહિઅં હરઉ દુરિઆઇં. ૯
ચઉતીસ અઇસય-જુઆ, અટ્ઠ-મહાપાડિહેર-કયસોહા;
તિત્થયરા ગયમોહા, ઝાએઅવ્વા પયત્તેણં. ૧૦
ૐ વરકણય સંખવિદ્દુમ-મરગય-ઘણસંનિહં વિગયમોહં;
સત્તરિસયં જિણાણં, સવ્વામર-પૂઇઅં વંદે સ્વાહા. ૧૧
ૐ ભવણવઈ વાણવંતર, જોઇસવાસી વિમાણવાસી અ;
જે કે વિ દુટ્ઠ-દેવા, તે સવ્વે ઉવસમંતુ મમ સ્વાહા. ૧૨
ચંદણકપ્પૂરેણં, ફલએ લિહિઉણ ખાલિઅં પીઅં;
એગંતરાઇ ગહ-ભૂઅ સાઇણીમુગ્ગં પણાસેઈ. ૧૩
ઇઅ સત્તરિસયં જંતં, સમ્મં મંતં દુવારિ-પડિલિહિઅં;
દુરિઆરિ વિજયવંતં, નિબ્ભંતં નિચ્ચ-મચ્ચેહ. ૧૪
નમિઊણ સ્તોત્ર – ૫
નમિઊણપણયસુરગણ, ચૂડામણિકિરણરંજિઅંમુણિણો;
ચલણ-જુઅલં મહા-ભય-પણાસણં સંથવં વુચ્છં. ૧
સડિય-કર-ચરણ નહ-મુહ, નિબુડ્ડ-નાસા વિવન્ન-લાયન્ના;
કુટ્ઠમહારોગાનલ, ફુલિંગ નિદ્દડ્ઢ઼-સવ્વંગા. ૨
તે તુહ ચલણારાહણ, સલિલંજલિ-સેયવુડ્ઢિયચ્છાયા;
વણદવદડ્ઢ઼ા ગિરિ, પાયવવ્વપત્તા પુણોલચ્છિં. ૩
દુવ્વાય-ખુભિય-જલનિહિ, ઉબ્ભડ કલ્લોલ ભીસણારાવે;
સંભંત-ભય-વિસંઠુલ નિજઝામય-મુક્ક-વાવારે. ૪
અવિદલિઅ-જાણવત્તા, ખણેણ પાવંતિ ઇચ્છિઅં કૂલં;
પાસજિણ-ચલણજુઅલં; નિચ્ચં ચિઅ જે નમંતિ નરા. ૫
ખરપવણુદ્ધુય-વણદવ, જાલાવલિમિલિયસયલદુમગહણે;
ડજઝંત મુદ્ધ-મયવહુ, ભીસણરવ-ભીસણમ્મિ વણે. ૬
જગગુરુણો કમજુઅલં, નિવ્વાવિઅસયલ-તિહુઅણા-ભોઅં;
જે સંભરંતિ મણુઆ, ન કુણઇ જલણો ભયં તેસિં. ૭
વિલસંત-ભોગભીસણ, ફુરિઆરૂણનયણ-તરલજીહાલં;
ઉગ્ગ ભુઅંગં નવ-જલય, સત્થહં ભીસણાયારં. ૮
મન્નંતિ કીડ-સરિસં, દૂર-પરિચ્છુઢ઼-વિસમ-વિસવેગા;
તુહ નામક્ખર-ફુડસિદ્ધ, મંતગુરુઆ નરા લોએ. ૯
અડવીસુ ભિલ્લ-તક્કર, પુલિંદ-સદ્દુલ-સદ્દ-ભીમાસુ;
ભયવિહુર-વુન્નકાયર-ઉલ્લૂરિય-પહિય સત્થાસુ. ૧૦
અવિલુત્ત-વિહવ-સારા, તુહ નાહ! પણામ-મત્ત-વાવારા;
વવગય વિગ્ઘા સિગ્ઘં, પત્તા હિય-ઇચ્છિયં ઠાણં. ૧૧
પજ્જલિઆનલ-નયણં, દૂર-વિયારિઅમુહં મહાકાયં;
નહકુલિસ-ઘાય વિઅલિઅગઇંદ-કુંભત્થલાડડભોઅં. ૧૨
પણય-સસંભમપત્થિવ, નહમણિમાણિક્કપડિઅ-પડિમસ્સ;
તુહવયણ-પહરણ-ધરા, સીહં કુદ્ધંપિ ન ગણંતિ. ૧૪
સસિ-ધવલદંતમૂસલં, દીહ-કરુલ્લાલ-વુડ્ઢિ-ઉચ્છાહં;
મહુપિંગ-નયણજુઅલં, સસલિલ-નવજલહરારાવં. ૧૪
ભીમં મહાગઇંદં, અચ્ચા-ડડસન્નંપિ તે નવિગણંતિ;
જે તુમ્હ ચલણ-જુઅલં, મુણિવઈતુંગં સમલ્લીણા. ૧૫
સમરમ્મિ તિક્ખખગ્ગા, -ભિગ્ઘાય પવિદ્ધ-ઉદ્ધુય-કબંધે;
કુંત-વિણિભિન્ન-કરિકલહ-મુક્ક-સિક્કાર-પઉરંમિ. ૧૬
નિજ્જિય-દપ્પુદ્ધર-રિઉ, નરિંદનિવહા ભડા જસં ધવલં;
પાવંતિ પાવ-પસમિણ, પાસજિણ ! તુહ પ્પભાવેણ. ૧૭
રોગ-જલ-જલણ-વિસહર, ચોરારિ મઇંદગય રણભયાઇં;
પાસજિણ-નામ-સંકિત્તણેણ પસમંતિ સવ્વાઇં. ૧૮
એવં મહા-ભયહરં, પાસ-જિણિંદસ્સ સંથવ-મુઆરં;
ભવિય જણા-દયરં, કલ્લાણ-પરંપર-નિહાણં. ૧૯
રાયભય-જક્ખ-રક્ખસ-કુસુમિણ-દુસ્સઉણ-રિક્ખ-પીડાસુ;
સંઝાસુ દોસુ પંથે, ઉવસગ્ગે તહ ય રયણીસુ. ૨૦
જો પઢ઼ઇ જો અ નિસુણઈ, તાણં કઇણો ય માણતુંગસ્સ;
પાસો પાવં પસમેઉ, સયલભુવણડ-ચ્ચિય-ચલણો. ૨૧
ઉવસગ્ગંતે કમઠા-સુરમ્મિ, ઝાણાઓ જો ન સંચલિઓ;
સુર-નર-કિન્નર જુવઇહિં, સંથુઓ જયઉ પાસજિણો. ૨૨
એઅસ્સ મજઝયારે, અટ્ઠારસ-અક્ખરેહિં જો મંતો;
જો જાણઈ સો ઝાયઈ, પરમ-પયત્થં ફુડં પાસં. ૨૩
પાસહ સમરણ જો કુણઇ, સંતુટ્ઠે-હિયએણ;
અટ્ઠુ-ત્તરસય-વાહિ-ભય, નાસઇ તસ્સ દૂરેણ. ૨૪
૬. અજિતશાંતિ સ્તોત્ર
અજિઅં જિઅ-સવ્વભયં, સંતિં ચ પસંત-સવ્વ -ગયપાવં; જયગુરૂ સંતિગુણકરે, દોવિ જિણવરે પણિવયામિ. ।।૧।। ગાહા.
વવગય-મંગુલ-ભાવે, તે હં વિઉલ-તવ-નિમ્મલ-સહાવે;
નિરુવમ-મહ-પ્પભાવે, થોસામિ સુ-દિટ્ઠ-સબ્ભાવે. ગાહા. ૨
સવ્વ-દુક્ખ-પ્પસંતિણં, સવ્વ-પાવ-પ્પસંતિણં;
સયા અ-જિઅ-સંતીણં, નમો અ-જિઅ-સંતિણં. સિલોગો. ૩
અ-જિય-જિણ! સુહ-પ્પવત્તણં, તવ પુરિસુત્તમ! નામ-કિત્તણં; તહ ય ધિઈ-મઇ-પ્પવત્તણં,
તવ ય જિણુત્તમ! સંતિ! કિત્તણં! માગહિઆ. ૪
કિરિઆ-વિહિ-સંચિઅ-કમ્મ-કિલેસ-વિમુક્ખયરં,
અજિઅં નિચિઅં ચ ગુણેહિંમહામુણિ-સિદ્ધિગયં;
અજિઅસ્સ ય સંતિ-મહામુણિણો વિ અ સંતિકરં,
સયયં મમ નિવ્વુઇ-કારણયં ચ નમંસણયં. આલિંગણયં. ૫
પુરિસા! જઈ દુક્ખવારણં, જઇ અ વિમગ્ગહ સુક્ખકારણં;
અજિઅં સંતિં ચ ભાવઓ, અભયકરે સરણં પવજ્જહા. માગહિઆ. ૬
અરઇ-રઇ-તિમિર-વિરહિઅમુવરય-જર-મરણં,
સુર-અસુર-ગરુલ-ભુયગ-વઇ-પયય-પણિવઇઅં;
અજિઅમહમવિ અ સુનય-નય-નિઉણમભયકરં,
સરણમુવસરિઅ ભુવિદિવિજમહિઅં સયયમુવણમે, સગયયં. ૭
તં ચ જિણુત્તમમુત્તમ-નિત્તમ-સત્ત-ધરં,
અજ્જવ-મદ્દવ-ખંતિ-વિમુત્તિ-સમાહિ-નિહિં;
સંતિકરં પણમામિ દમુત્તમ-તિત્થયરં,
સંતિ-મુણી મમ સંતિ-સમાહિ-વરં દિસઉ. સોવાણયં. ૮
સાવત્થિ-પુવ્વ-પત્થિવં ચ વર-હત્થિ-મત્થય-પસત્થ-વિત્થિન્ન-સંથિઅં; થિર-સરિચ્છ-વચ્છં મય-ગલ-લીલાયમાણ-વરગંધ-હત્થિ-પત્થાણ-પત્થિયં સંથવારિહં;
હત્થિ-હત્થ-બાહું ધંત-કણગ-રુઅગ-નિરુવહય-પિંજર,
પવર-લક્ખણોવચિઅ-સોમ-ચારુરૂવં;
સુઇ-સુહ-મણા-ડભિરામ-પરમ-રમણિજ્જ-
વર-દેવ-દુંદુહિ-નિનાય-મહુર-યર-સુહ-ગિરં. વેડ્ઢ઼ઓ. ૯
અ-જિઅં જિઆરિગણં, જિઅ-સવ્વ-ભયં ભવોહ-રિઉં;
પણમામિ અહં પયઓ, પાવં પસમેઉ મે ભયવં.
રાસાલુદ્ધઓ. ૧૦
કુરુ-જણ-વય-હત્થિણા-ઉર-નરીસરો પઢ઼મં
તઓ મહા-ચક્કવટ્ટિ-ભોએ મહ-પ્પભાવો;
જો બાવત્તરિ-પુર-વર-સહસ્સ-વર-નગર-નિગમ-જણ-વય-વઈ,
બત્તીસા-રાય-વરસહસ્સા-ડણુયાય-મગ્ગો.
ચઉ-દસ વર-રયણ-નવ-મહા-નિહિ-
ચઉ-સટ્ઠિ-સહસ્સ-પવર-જુવઇણ સુંદર-વઈ;
ચુલસી-હય-ગય રહ-સય-સહસ્સ-સામી,
છન્નવઇ-ગામકોડિ-સામી આસી જો ભારહમ્મિ ભયવં. વેડ્ઢ઼ઓ. ૧૧
તં સંતિં સંતિ-કરં સંતિણ્ણં સવ્વ-ભયા;
સંતિં થુણામિ જિણં; સંતિં વિહેઉ મે. રાસાડડનંદિઅયં. ૧૨
ઇક્ખાગ! વિદેહ-નરીસર! નરવસહા! મુણિ-વસહા!,
નવ-સારય-સસિ-સકલાણણ! વિગય-તમા વિહુઅ-રયા!
અજિઉત્તમ-તેઅ-ગુણેહિં મહામુણિ, અ-મિઅ-બલા! વિઉલ-કુલા!
પણમામિ તે ભવ-ભય-મૂરણ! જગ-સરણા! મમ સરણં. ચિત્તલેહા. ૧૩
દેવદાણવિંદ-ચંદ-સૂર-વંદ! હટ્ઠ-તુટ્ઠ-જિટ્ઠ-પરમ-લટ્ઠ-રૂવ! ધંત-રુપ્પ-પટ્ટ-સેઅ-સુદ્ધ-નિદ્ધ-ધવલ,-દંત-પંતિ! સંતિ! સત્તિ-કિત્તિ-મુત્તિ-જુત્તિ-ગુત્તિ-પવર!, દિત્ત-તેઅ! વંદ? ધેય સવ્વ-લોઅ-ભાવિઅપ્પભાવ? ણેઅ? પઇસ મે સમાહિં. નારાયઓ. ૧૪
વિમલ-સસિ-કલાઇરેઅ-સોમં, વિતિમિર-સૂરકરાઇરેઅ-તેઅં;
તિઅસ-વઈ-ગણાઇરેઅ-રૂવં, ધરણિધર-પ્પવરાઇરેઅ-સારં. કુસુમલયા. ૧૫
સત્તે અ સયા અજિઅં, સારીરે અ બલે અજિઅં;
તવ સંજમે અ અજિઅં, એસ થુણામિ જિણં અજિઅં. ભુઅગ-પરિ-રિંગિઅં. ૧૬
સોમ-ગુણેહિં પાવઇ ન તં નવ-સરય-સસી,
તેઅ-ગુણેહિં પાવઈ ન તં નવ-સરય-રવી;
રૂવ-ગુણેહિં પાવઇ ન તં તિઅસ ગણ-વઈ,
સાર-ગુણેહિં પાવઇ ન તં ધરણિધર-વઈ. ખિજ્જિઅયં. ૧૭
તિત્થ-વર-પવત્તયં, તમ રય-રહિઅં,
ધીર-જણથુઅચ્ચિઅં ચુઅ-કલિ-કલુસં;
સંતિ-સુહપ્પવત્તયં, તિ-ગરણ-પયઓ,
સંતિમહં મહા-મુણિં સરણમુવણમે. લલિઅયં. ૧૮
વિણઓણય-સિર-રઇઅંજલિરિસિ-ગણ-સંથુઅં થિમિઅં,
વિબુહાહિવ-ધણ-વઇ-નર-વઇ-થુઅ-મહિ-અચ્ચિઅં બહુસો;
અઇરુગ્ગય-સરય-દિવાયર-સમહિઅ-સપ્પભં તવસા,
ગયણંગણ-વિયરણ-સમુઇઅ-ચારણ-વંદિઅં સિરસા. કિસલયમાલા. ૧૯
અસુર-ગરુલ-પરિવંદિઅં, કિન્નરોરગ-નમંસિઅં;
દેવ-કોડિ-સય-સંથુઅં, સમણ-સંઘ-પરિવંદિઅં. સુમુહં. ૨૦
અભયં અણહં અરયં, અરુયં,
અજિઅં અજિઅં પયઓ પણમે. વિજ્જુવિલસિઅં. ૨૧
આગયા-વર-વિમાણ-દિવ્વ-કણગ-રહ-તુરય-પહકર-સએહિં હુલિઅં; સ-સંભમોઅરણ-ખુભિઅ-લુલિઅ-ચલ-કુંડલંગય-તિરીડ-સોહંત-મઉલિ-માલા. વેડ્ઢ઼ઓ. ૨૨
જં સુર-સંઘા સાસુર-સંઘા, વેર-વિઉત્તા ભત્તિ-સુ-જુત્તા,
આયર-ભૂસિઅ-સંભમ-પિડિઅ-સુટ્ઠુ-સુવિમ્હિઅ-સવ્વ-બલોઘા;
ઉત્તમ-કંચણ-રયણ-પરૂવિઅ-ભાસુર-ભૂસણ-ભાસુરિઅંગા,
ગાય-સમોણય-ભત્તિ-વસાગય-પંજલીપેસિઅ સીસ-પણામા. રયણમાલા. ૨૩
વંદિઊણ થોઊણ તો જિણં, તિ-ગુણમેવ ય પુણો પયાહિણં;
પણમિઊણ ય જિણં સુરાસુરા, પમુઇઆ સ-ભવણાઇં તો ગયા. ખિત્તયં. ૨૪
તં મહા-મુણિમહંપિ પંજલી, રાગ-દોસ-ભય-મોહ-વજ્જિઅં;
દેવ-દાણવ-નરિંદ-વંદિઅં, સંતિ-મુત્તમં મહા-તવં નમે. ખિત્તયં. ૨૫
અંબરંતર-વિઆરણિઆહિં લલિઅ-હંસ-વહુ ગામિણિઆહિં;
પીણ-સોણિ-થણ-સાલિણિઆહિં, સકલ-કમલ-દલ-લોઅણિઆહિં. દીવયં. ૨૬
પીણ-નિરંતર-થણ-ભર-વિણમિય-ગાયલયાહિં,
મણિ-કંચણ-પસિઢિ઼લમેહલ-સોહિઅ-સોણિતડાહિં;
વર-ખિંખિણિ-નેઉર-સ તિલય-વલયવિભૂસણિઆહિં,
રઇ-કર-ચઉર-મણોહર-સુંદર-દંસણિઆહિં. ચિત્તક્ખરા. ૨૭
દેવસુંદરીહિં પાયવંદિઆહિં વંદિઆ ય જસ્સ તે સુ-વિક્કમા કમા,
અપ્પણો નિડાલએહિં મંડણોડ્ડણપ્પગારએહિં કેહિં કેહિં વિ;
અવંગ-તિલય-પત્તલેહ-નામએહિં ચિલ્લએહિં સંગયં ગયાહિં,
ભત્તિ-સન્નિવિટ્ઠ-વંદણાગયાહિં હુંતિ તે વંદિઆ પુણો પુણો. નારાયઓ. ૨૮
તમહં જિણચંદં, અ-જિઅં જિઅ-મોહં;
ધુઅ-સવ્વ-કિલેસં, પયઓ પણમામિ. નંદિઅયં. ૨૯
થુઅ-વંદિઅયસ્સા રિસિ-ગણ-દેવ-ગણેહિં,
તો દેવ-વહુહિં પયઓ પણમિઅસ્સા; જસ્સ જગુત્તમ સાસણઅસ્સા, ભત્તિ-વસાગય-પિંડિઅયાહિં દેવ-વરચ્છરસા-બહુઆહિં, સુર-વર-રઇ-ગુણ પંડિઅયાહિં. ભાસુરયં. ૩૦
વંસ-સદ્દ-તંતિ-તાલ-મેલિએ, તિ-ઉક્ખરાભિરામ-સદ્દ-મીસએ કએ અ; સુઈ-સમાણ-ણે અ-સુદ્ધ-સજ્જ-ગીય-પાય-જાલ-ઘંટિઆહિં; વલય-મેહલા-કલાવ-નેઉરાભિરામ-સદ્દ-મીસએ કએ અ, દેવ-નટ્ટિઆહિં હાવ-ભાવ-વિબ્ભમ-પ્પગારએહિં
નચ્ચિઊણ અંગ-હારએહિં વંદિઆ ય જસ્સ તે સુ-વિક્કમા કમા; તયં તિ લોય-સવ્વ-સત્ત-સંતિકારયં, પસંત-સવ્વ-પાવ-દોસમેસ હં નમામિ સંતિમુત્તમં જિણં. નારાયઓ. ૩૧
છત્ત-ચામર-પડાગ-જૂઅ-જવ-મંડિઆ,
ઝય-વર-મગર-તુરય-સિરિવચ્છ-સુ-લંછણા;
દીવ-સમુદ્દ-મંદર-દિસા-ગય-સોહિઆ,
સત્થિઅ-વસહ-સીહ-રહ-ચક્ક-વરંકિયા. લલિઅયં. ૩૨
સહાવ-લટ્ઠા સમ-પ્પઇટ્ઠા, અ-દોસ-દુટ્ઠા ગુણેહિં જિટ્ઠા, પસાય-સિટ્ઠા, તવેણ પુટ્ઠા, સિરીહિં ઇટ્ઠા રિસીહિં જુટ્ઠા. વાણવાસિઆ. ૩૩
તે તવેણ ધુઅ-સવ્વ-પાવયા, સવ્વ-લોઅ-હિઅ-મૂલ-પાવયા-સંથુઆ અ-જિય-સંતિ-પાયયા, હુંતુ મે સિવ-સુહાણ દાયયા. અપરાંતિકા. ૩૪
એવં તવ બલ-વિઉલં; થુઅં મએ અજિઅ-સંતિ-જિણ-જુઅલં;
વવગય-કમ્મ-રય-મલં, ગઇં ગયં સાસયં વિઉલં. ગાહા. ૩૫
તં બહુ-ગુણ-પ્પસાયં, મુક્ખ-સુહેણ પરમેણ અવિસાયં;
નાસેઉ મે વિસાયં; કુણઉ અ પરિસા વિ અપ્પસાયં. ગાહા. ૩૬
તં મોએઉ અ નંદિં, પાવેઉ અ નંદિસેણમભિનંદિં;
પરિસા વિ અ સુહ-નંદિં, મમ ય દિસઉ સંજમે નંદિં. ગાહા. ૩૭
પક્ખિઅ-ચાઉમ્માસિઅ-સંવચ્છરિએ અવસ્સ-ભણિઅવ્વો,
સોઅવ્વો સવ્વેહિં, ઉવસગ્ગ-નિવારણો એસો. ૩૮
જો પઢ઼ઈ જો અ નિસુણઈ, ઉભઓ કાલંપિ અજિઅ-સંતિ-થયં;
ન હુ હુંતિ તસ્સ રોગા, પુવ્વુપ્પન્ના વિ ણાસંતિ. ૩૯
જઇ ઇચ્છહ પરમ-પયં, અહવા કિત્તિં સુવિત્થડં ભુવણે;
તા તે-લુક્કુદ્ધરણે, જિણ-વયણે આયરં કુણહ. ૪૦
ભક્તામર સ્તોત્ર – ૭
ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણા,
મુદ્યોતકં દલિત-પાપ-તમો-વિતાનમ્;
સમ્યક્ પ્રણમ્ય જિન-પાદ-યુગં યુગાદા,
-વાલમ્બનં ભવ-જલે પતતાં જનાનામ્ ૧
યઃ સંસ્તુતઃ સકલ-વાઙ્મય-તત્ત્વ-બોધા-
દુદ્ભૂત-બુદ્ધિ-પટુભિઃ સુર-લોક-નાથૈઃ;
સ્તોત્રૈર્જગત્ત્િરતય-ચિત્તહરૈરુદારૈઃ,
સ્તોષ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ્ ૨
બુદ્ધ્યા વિનાપિ વિબુધાઠ્ઠચત-પાદપીઠ!
સ્તોતું સમુદ્યત-મતિઠ્ઠવગત-ત્રપોડહમ્;
બાલં વિહાય જલ-સંસ્થિતમિન્દુબિમ્બ,
-મન્યઃ ક ઇચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્! ૩
વક્તું ગુણાન્ ગુણસમુદ્ર! શશાઙ્કકાન્તાન્,
કસ્તે ક્ષમઃ સુર-ગુરુ-પ્રતિમોડપિ બુદ્ધ્યા;
કલ્પાન્ત-કાલ-પવનોદ્ધત-નક્ર-ચક્રં,
કો વા તરીતુમલમમ્બુનિધિં ભુજાભ્યામ્? ૪
સોડહં તથાપિ તવ ભક્તિવશાન્મુનીશ!,
કર્તું સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત્તઃ;
પ્રીત્યાત્મ-વીર્યમવિચાર્ય મૃગો મૃગેન્દ્રં,
નાભ્યેતિ કિં નિજશિશોઃ પરિપાલનાડર્થમ્. ૫
અલ્પ-શ્રુતં શ્રુતવતાં પરિહાસ-ધામ,
ત્વદ્-ભક્તિરેવ મુખરીકુરૂતે બલાન્મામ્;
યત્કોકિલઃ કિલ મધૌ મધુરં વિરૌતિ,
તચ્ચારુ-ચૂત-કલિકા-નિકરૈકહેતુઃ ૬
ત્વત્સંસ્તવેન ભવ-સન્તતિ-સન્નિબદ્ધં,
પાપં ક્ષણાત્ક્ષયમુપૈતિ શરીરભાજામ્;
આક્રાન્ત-લોકમલિ-નીલમશેષમાશુ,
સૂર્યાંશુ-ભિન્નમિવ શાર્વરમન્ધકારમ્ ૭
મત્વેતિ નાથ! તવ સંસ્તવનં મયેદ,
-મારભ્યતે તનુધિયાપિ તવ પ્રભાવાત્;
ચેતો હરિષ્યતિ સતાં નલિની-દલેષુ,
મુક્તાફલ-દ્યુતિમુપૈતિ નનૂદબિન્દુઃ ૮
આસ્તાં તવ સ્તવનમસ્ત-સમસ્ત-દોષં,
ત્વત્સંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ;
દૂરે સહસ્રકિરણઃ કુરુતે પ્રભૈવ,
પદ્માકરેષુ જલજાનિ વિકાશભાંજિ. ૯
નાત્યદ્ભુતં ભુવનભૂષણ! ભૂત-નાથ!,
ભૂતૈર્ગુણૈર્ભુવિ ભવન્તમભિષ્ટુવન્તઃ;
તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિં વા?,
ભૂત્યાશ્રિતં ય ઇહ નાત્મસમં કરોતિ? ૧૦
દૃષ્ટ્વા ભવન્તમનિમેષ-વિલોકનીયં,
નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ;
પીત્વા પયઃ શશિ-કરદ્યુતિ-દુગ્ધ-સિન્ધોઃ,
ક્ષારં જલં જલ-નિધેરશિતું ક ઇચ્છેત્? ૧૧
યૈઃ શાન્ત-રાગ-રુચિભિઃ પરમાણુભિસ્ત્વં,
નિર્માપિતસ્ત્રિભુવનૈક-લલામ-ભૂત!;
તાવન્ત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં,
યત્તે સમાનમપરં નહિ રૂપમસ્તિ. ૧૨
વક્ત્રં ક્વ તે સુર-નરોરગ-નેત્ર-હારિ.
નિઃશેષનિઠ્ઠજત-જગત્ત્િરતયોપમાનમ્?;
બિમ્બં કલંક-મલિનં ક્વ નિશાકરસ્ય?,
યદ્વાસરે ભવતિ પાણ્ડુ-પલાશ-કલ્પમ્. ૧૩
સંપૂર્ણ-મણ્ડલ-શશાંક-કલા-કલાપ-
શુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ લંઘયન્તિ;
યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વાર નાથમેકં,
કસ્તાન્નિવારયતિ સંચરતો યથેષ્ટમ્? ૧૪
ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિ-
ર્નીતં મનાગપિ મનો ન વિકારમાર્ગમ્?;
કલ્પાન્ત-કાલ-મરુતા ચલિતાચલેન,
કિં મંદરાદ્રિ-શિખરં ચલિતં કદાચિત્? ૧૫
નિર્ધૂમ-વઠ્ઠત્તપવઠ્ઠજત-તૈલ-પૂરઃ,
કૃત્સ્નં જગત્ત્રયમિદં પ્રકટીકરોષિ;
ગમ્યો ન જાતુ મરુતાં ચલિતાચલાનાં,
દીપોડપરસ્ત્વમસિ નાથ! જગત્પ્રકાશઃ ૧૬
નાસ્તં કદાચિદુપયાસિ ન રાહુગમ્યઃ,
સ્પષ્ટીકરોષિ સહસા યુગપજ્જગન્તિ;
નામ્ભોધરોદરનિરુદ્ધ-મહાપ્રભાવઃ,
સૂર્યાતિશાયિ-મહિમાસિ મુનીન્દ્ર! લોકે. ૧૭
નિત્યોદયં દલિત-મોહમહાન્ધકારં,
ગમ્યં ન રાહુ-વદનસ્ય ન વારિદાનામ્;
વિભ્રાજતે તવ મુખાબ્જમનલ્પકાન્તિ,
વિદ્યોતયજ્જગદપૂર્વ-શશાંક-બિમ્બમ્. ૧૮
કિં શર્વરીષુ શશિનાહ્નિ વિવસ્વતા વા?,
યુષ્મન્મુખેન્દુ દલિતેષુ તમસ્સુ નાથ!,
નિષ્પન્ન-શાલિવનશાલિનિ જીવ લોકે,
કાર્યં કિયજ્જલધરૈર્જલભાર-નમ્રૈઃ? ૧૯
જ્ઞાનં યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશં,
નૈવં તથા હરિ-હરાદિષુ નાયકેષુ;
તેજઃ સ્ફુરન્મણિષુ યાતિ યથા મહત્ત્વં,
નૈવં તું કાચ-શકલે કિરણાકુલેડપિ. ૨૦
મન્યે વરં હરિહરાદય એવ દૃષ્ટા,
દૃષ્ટેષુ યેષુ હૃદયં ત્વયિ તોષમેતિ;
કિં વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાડન્યઃ;
કશ્ચન્મિનો હરતિ નાથ! ભવાન્તરેડપિ. ૨૧
સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાન્,
નાન્યા સુતં ત્વદુપમં જનની પ્રસૂતા;
સર્વા દિશો દધતિ ભાનિ સહસ્રરશ્મિં,
પ્રાચ્યેવ દિગ્જનયતિ સ્ફુરદંશુજાલમ્. ૨૨
ત્વામામનન્તિ મુનયઃ પરમં પુમાંસ-
માદિત્યવર્ણમમલં તમસઃ પરસ્તાત્;
ત્વામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું,
નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર! પન્થાઃ. ૨૩
ત્વામવ્યયં વિભુમચિન્ત્યમસંખ્યમાદ્યં,
બ્રહ્માણમીશ્વારમનન્તમનંગકેતુમ્;
યોગીશ્વારં વિદિતયોગમનેકમેકં,
જ્ઞાનસ્વરૂપમમલં પ્રવદન્તિ સંતઃ. ૨૪
બુદ્ધસ્ત્વમેવ વિબુધાઠ્ઠચત-બુદ્ધિબોધાત્,
ત્વં શંકરોડસિ ભુવન-ત્રય-શંકરત્વાત્,
ધાતાડસિ ધીર! શિવમાર્ગ-વિધેઠ્ઠવધાનાત્,
વ્યક્તં ત્વમેવ ભગવન્! પુરુષોત્તમોડસિ. ૨૫
તુભ્યં નમસ્ત્રિભુવનાઠ્ઠત-હરાય નાથ!,
તુભ્યં નમઃ ક્ષિતિતલામલ-ભૂષણાય!;
તુભ્યં નમસ્ત્રિજગતઃ પરમેશ્વારાય!;
તુભ્યં નમો જિન! ભવોદધિ-શોષણાય. ૨૬
કો વિસ્મયોડત્ર? યદિ નામ ગુણૈરશેષૈ-
સ્ત્વં સંશ્રિતો નિરવકાશતયા મુનીશ!;
દોષૈરુપાત્ત-વિવિધાશ્રય-જાત-ગર્વૈઃ,
સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદપીક્ષિતોડસિ. ૨૭
ઉચ્ચૈરશોક-તરુ-સંશ્રિતમુન્મયૂખ-
માભાતિ રૂપમમલં ભવતો નિતાન્તમ્;
સ્પષ્ટોલ્લસત્કિરણમસ્ત-તમો-વિતાનં,
બિમ્બં રવેરિવ પયોધર-પાર્શ્વા-વઠ્ઠત. ૨૮
સિંહાસને મણિ-મયૂખ-શિખા-વિચિત્રે,
વિભ્રાજતે તવ વપુઃ કનકાવદાતમ્;
બિમ્બં વિયદ્વિલસદંશુ-લતા-વિતાનં,
તુંગોદયાદ્રિ-શિરસીવ સહસ્ર-રશ્મેઃ ૨૯
કુન્દાવદાત-ચલ-ચામર-ચારુ-શોભં,
વિભ્રાજતે તવ વપુઃ કલધૌત-કાન્તમ્;
ઉદ્યચ્છશાંક-શુચિનિર્ઝર-વારિ-ધાર-
મુચ્ચૈસ્તટં સુરગિરેરિવ શાતકૌમ્ભમ્. ૩૦
છત્રત્રયં તવ વિભાતિ શશાંકકાન્ત,
મુચ્ચૈઃ સ્થિતં સ્થગિત-ભાનુ-કર-પ્રતાપમ્;
મુક્તાફલ-પ્રકર-જાલ-વિવૃદ્ધ-શોભં,
પ્રખ્યાપયત્ત્િરજગતઃ પરમેશ્વારત્વમ્. ૩૧
ઉન્નિદ્ર-હેમ-નવ-પંકજ-પુંજ-કાન્તિ,
પર્યુલ્લસન્નખ-મયૂખ-શિખાભિરામૌ;
પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર! ધત્તઃ,
પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયન્તિ. ૩૨
ઇત્થં યથા તવ વિભૂતિરભૂજ્જિનેન્દ્ર!,
ધર્મોપદેશન-વિધૌ ન તથા પરસ્ય;
યાદૃક્ પ્રભા દિનકૃતઃ પ્રહતાન્ધકારા,
તાદૃક્ કુતો ગ્રહ-ગણસ્ય વિકાશિનોડપિ? ૩૩
શ્ચ્યોતન્મદાવિલ-વિલોલ-કપોલ મૂલ-
મત્ત-ભ્રમદ્-ભ્રમર-નાદ-વિવૃદ્ધ-કોપમ્;
ઐરાવતાભમિભમુદ્ધતમાપતન્તં,
દૃષ્ટ્વા ભયં ભવતિ નો ભવદાશ્રિતાનામ્. ૩૪
ભિન્નેભ-કુમ્ભ-ગલદુજજવલ-શોણિતાક્ત-
મુક્તાફલ-પ્રકર-ભૂષિત-ભૂમિ-ભાગઃ;
બદ્ધ-ક્રમઃ ક્રમગતં હરિણાધિપોડપિ,
નાક્રામતિ ક્રમ-યુગાચલ-સંશ્રિતં તે. ૩૫
કલ્પાન્ત-કાલ-પવનોદ્ધત-વહ્નિ-કલ્પં,
દાવાનલં જવલિતમુજજવલમુત્ફુલિંગમ્;
વિશ્વાં જિઘત્સુમિવ સંમુખમાપતન્તં,
ત્વન્નામ-કીર્તન-જલં શમયત્યશેષમ્. ૩૬
રક્તેક્ષણં સ મદ-કોકિલ-કણ્ઠ-નીલં,
ક્રોધોદ્ધતં ફણિનમુત્ફણમાપતન્તમ્;
આક્રામતિ ક્રમ-યુગેન નિરસ્ત-શંક-
સ્ત્વન્નામ-નાગદમની હૃદિ યસ્ય પુંસઃ. ૩૭
વલ્ગત્તુરંગ-ગજ-ગઠ્ઠજત-ભીમ-નાદ-
માજૌૈ બલં બલવતામપિ ભૂપતીનામ્;
ઉદ્યદ્દિવાકર-મયૂખ-શિખાપવિદ્ધં,
ત્વત્કીર્તનાત્તમ ઇવાશુ ભિદામુપૈતિ. ૩૮
કુન્તાગ્ર-ભિન્ન-ગજ-શોણિત-વારિવાહ-
વેગાવતાર-તરણાતુર-યોધ-ભીમે;
યુદ્ધે જયં વિજિતદુર્જય-જેય-પક્ષા-
સ્ત્વત્પાદપંકજ-વનાશ્રયિણો લભન્તે. ૩૯
અમ્ભોનિધૌ ક્ષુભિત-ભીષણ-નક્ર-ચક્ર-
પાઠીન-પીઠ-ભય-દોલ્બણ-વાડવાગ્નૌ;
રંગત્તરંગ-શિખર-સ્થિત-યાનપાત્રા-
સ્ત્રાસં વિહાય ભવતઃ સ્મરણાદ્ વ્રજન્તિ. ૪૦
ઉદ્ભૂત ભીષણ-જલોદર-ભાર-ભુગ્નાઃ,
શોચ્યાં દશામુપગતાશ્ચ્યુત-જીવિતાશાઃ;
ત્વત્પાદ-પંકજ-રજોડમૃત-દિગ્ધદેહા,
ર્મત્યા ભવન્તિ મકરધ્વજ-તુલ્ય રૂપાઃ. ૪૧
આપાદકણ્ઠમુરુ શૃંખલ-વેષ્ટિતાંગા,
ગાઢં઼ બૃહન્નિગડ-કોટિ-નિઘૃષ્ટ-જંઘાઃ;
ત્વન્નામ મન્ત્રમનિશં મનુજાઃ સ્મરન્તઃ,
સદ્યઃ સ્વયં વિગત-બન્ધ-ભયા ભવન્તિ. ૪૨
મત્ત-દ્વિપેન્દ્ર-મૃગ-રાજ-દવાનલાહિ-
સંગ્રામ-વારિધિ-મહોદર-બન્ધનોત્થમ્;
તસ્યાશુ નાશમુપયાતિ ભયં ભિયેવ,
યસ્તાવકં સ્તવમિમં મતિમાનધીતે. ૪૩
સ્તોત્ર-સ્રજં તવ જિનેન્દ્ર! ગુણૈઠ્ઠનબદ્ધાં,
ભક્ત્યા મયા રુચિર-વર્ણ-વિચિત્ર-પુષ્પામ્;
ધત્તે જનો ય ઇહ કણ્ઠ-ગતામજસ્રં,
તં માન-તુંગમવશા સમુપૈતિ લક્ષ્મીઃ. ૪૪
કલ્યાણ મંદિર સ્તોત્ર – ૮
કલ્યાણ-મંદિરમુદારમવદ્ય ભેદિ,
ભીતાભય-પ્રદમનિન્દિતમઙ્ધિ્ર-પદ્મમ્;
સંસાર-સાગર-નિમજ્જદશેષ-જન્તુ-
પોતાયમાનમભિનમ્ય જિનેશ્વારસ્ય. ૧
યસ્ય સ્વયં સુરગુરુર્ગરિમામ્બુરાશેઃ,
સ્તોત્રં સુવિસ્તૃતમતિર્ન વિભુઠ્ઠવધાતુમ્;
તીર્થેશ્વારસ્ય કમઠ-સ્મય-ધૂમકેતો,
સ્તસ્યાહમેષ ક્લિ સંસ્તવનં કરિષ્યે (યુગ્મમ્) ૨
સામાન્યતોડપિ તવ વર્ણયિતું સ્વરૂપ-
મસ્માદૃશાઃ કથમધીશ! ભવન્ત્યધીશાઃ?;
ધૃષ્ટોડપિ કૌશિક-શિશુર્યદિવા દિવાન્ધો,
રૂપં પ્રરૂપયતિ કિં કિલ ઘર્મરશ્મેઃ?. ૩
મોહક્ષયાદનુભવન્નપિ નાથ! ર્મત્યો,
નૂનં ગુણાન્ ગણયિતું ન તવ ક્ષમેત;
કલ્પાન્ત-વાન્ત-પયસઃ પ્રકટોડપિ યસ્માન્
મીયેત કેન જલધેર્નનુ રત્નરાશિઃ?. ૪
અભ્યુદ્યતોડસ્મિ તવ નાથ! જડાશયોડપિ,
કર્ત્તું સ્તવં લસદસંખ્ય-ગુણાકરસ્ય;
બાલોડપિ કિં ન નિજબાહુ-યુગં વિતત્ય,
વિસ્તીર્ણતાં કથયતિ સ્વ-ધિયામ્બુ-રાશેઃ?. ૫
યે યોગિનામપિ ન યાન્તિ ગુણાસ્તવેશ?,
વક્તું કથં ભવતિ તેષુ મમાવકાશઃ?;
જાતા તદેવમસમીક્ષિત-કારિતેયં,
જલ્પન્તિ વા નિજ-ગિરા નનુ પક્ષિણોડપિ. ૬
આસ્તામચિન્ત્ય-મહિમા-જિન સંસ્તવસ્તે,
નામાપિ પાતિ ભવતો ભવતો જગન્તિ;
તીવ્રાતપોપહત-પાન્થ-જનાન્નિદાઘે,
પ્રીણાતિ પદ્મસરસઃ સરસોડનિલોડપિ. ૭
હૃદ્વઠ્ઠત્તનિ ત્વયિ વિભો! શિથિલીભવન્તિ,
જન્તોઃ ક્ષણેન નિબિડા અપિ કર્મબન્ધાઃ;
સદ્યો ભુજંગમમયા ઈવ મધ્યભાગ-
મભ્યાગતે વન શિખણ્ડિનિ ચન્દનસ્ય. ૮
મુચ્યન્ત એવ મનુજાઃ સહસા જિનેન્દ્ર!,
રૌદ્રૈરુપદ્રવ શતૈસ્ત્વયિ વીક્ષિતેડપિ;
ગો-સ્વામિનિ સ્ફુરિત-તેજસિ દૃષ્ટમાત્રે,
ચૌરૈરિવાશુ પશવઃ પ્રપલાયમાનૈઃ. ૯
ત્વં તારકો જિન! કથં ભવિનાં ત એવ,
ત્વામુદ્વહન્તિ હૃદયેન યદુત્તરન્તઃ;
યદ્વા દૃતિસ્તરતિ યજ્જલમેષ નૂન-
મન્તર્ગતસ્ય મરુતઃ સ કિલાનુભાવઃ. ૧૦
યસ્મિન્ હર-પ્રભૃતયોડપિ હતપ્રભાવાઃ,
સોડપિ ત્વયા રતિપતિઃ ક્ષપિતઃ ક્ષણેન;
વિધ્યાપિતા હુત-ભુજઃ પયસાથ યેન,
પીતં ન કિં તદપિ દુર્દ્ધર-વાડવેન?. ૧૧
સ્વામિન્નનલ્પ-ગરિમાણમપિ પ્રપન્ના-
સ્ત્વાં જન્તવઃ કથમહો હૃદયે દધાનાઃ?;
જન્મોદધિં લઘુ તરન્ત્યતિ-લાઘવેન,
ચિન્ત્યો ન હન્ત મહતાં યદિ વા પ્રભાવઃ. ૧૨
ક્રોધસ્ત્વયા યદિ વિભો! પ્રથમં નિરસ્તો,
ધ્વસ્તાસ્તદા તબ કથં કિલ કર્મ-ચૌરાઃ?;
પ્લોષત્યમુત્ર યદિ વા શિશિરાડપિ લોકે;
નીલદ્રુમાણિ વિપિનાનિ ન કિં હિમાની?. ૧૩
ત્વાં યોગિનો જિન! સદા પરમાત્મ-રૂપ-
મન્વેષયન્તિ હૃદયામ્બુજ-કોશ-દેશે;
પૂતસ્ય નિર્મલ-રુચેર્યદિ વા કિમન્ય-
દક્ષસ્ય સંભવિ પદં નનુ કઠ્ઠણકાયાઃ?. ૧૪
ધ્યાનાજ્જિનેશ! ભવતો ભવિનઃ ક્ષણેન,
દેહં વિહાય પરમાત્મ-દશાં વ્રજન્તિ;
તીવ્રાનલાદુપલ-ભાવમપાસ્ય લોકે,
ચામીકરત્વમચિરાદિવ ધાતુ-ભેદાઃ. ૧૫
અંતઃ સદૈવ જિન! યસ્ય વિભાવ્યસે ત્વં,
ભવ્યૈઃ કથં તદપિ નાશયસે શરીરમ્?;
એતત્સ્વરૂપમથ મધ્ય-વિવઠ્ઠત્તનો હિ,
યદ્વિગ્રહં પ્રશમયન્તિ મહાનુભાવાઃ; ૧૬
આત્મા મનીષિભિરયં ત્વદભેદ-બુદ્ધ્યા;
ધ્યાતો જિનેન્દ્ર ભવતીહ ભવત્પ્રભાવઃ,
પાનીયમપ્યમૃતમિત્યનુચિન્ત્યમાનં,
કિં નામ નો વિષ-વિકારમપાકરોતિ?. ૧૭
ત્વામેવ વીત-તમસં પરવાદિનોડપિ,
નૂનં વિભો! હરિ-હરાદિ-ધિયા પ્રપન્નાઃ;
કિં કાચ કામલિભિરીશ! સિતોડપિ શંખો,
નો ગૃહ્યતે વિવિધ-વર્ણ-વિપર્યયેણ? ૧૮
ધર્મોપદેશ-સમયે સ-વિધાનુભાવા-
દાસ્તાં જનો ભવતિ તે તરુરપ્યશોકઃ;
અભ્યુદ્ગતે દિનપતૌ સ-મહીરુહોડપિ,
કિંવા વિબોધમુપયાતિ ન જીવ-લોકઃ. ૧૯
ચિત્રં વિભો! કથમવાઙ્મુખ-વૃન્તમેવ,
વિષ્વક્ પતત્યવિરલા સુર-પુષ્પ-વૃષ્ટિઃ?;
ત્વદ્ગોચરે સુ-મનસાં યદિ વા મુનીશ?,
ગચ્છન્તિ નૂનમધ એવ હિ બંધનાનિ. ૨૦
સ્થાને ગભીર-હૃદયોદધિ-સંભવાયાઃ,
પીયુષતાં તવ ગિરઃ સમુદીરયંતિ;
પીત્વા યતઃ પરમ-સંમદ-સંગ-ભાજો;
ભવ્યા વ્રજન્તિ તરસાપ્યજરામરત્વમ્. ૨૧
સ્વામિન્! સુ-દૂરમવનમ્ય સમુત્પતન્તો,
મન્યે વદન્તિ શુચયઃ સુર-ચામરૌઘાઃ,
યેડસ્મૈ નતિં વિદધતે મુનિ પુંગવાય,
તે નુનમૂર્ધ્વ-ગતયઃ ખલુ શુદ્ધ ભાવાઃ. ૨૨
શ્યામં ગભીર-ગિરમુજજવલ-હેમ-રત્ન-
સિંહાસન-સ્થમિહ ભવ્ય-શિખણ્ડિનસ્ત્વામ્;
આલોકયન્તિ રભસેન નદન્તમુચ્ચૈ-
શ્ચામીકરાદ્રિ-શિરસીવ નવામ્બુવાહમ્. ૨૩
ઉદ્ગચ્છતા તવ શિતિ-દ્યુતિ-મણ્ડલેન,
લુપ્તચ્છદચ્છવિરશોક-ર્તરુબભૂવ;
સાન્નિધ્યતોડપિ યદિ વા તવ વીતરાગ!,
નીરાગતાં વ્રજતિ કો ન સચેતનોડપિ. ૨૪
ભો ભો પ્રમાદમવધૂય ભજધ્વમેન,
માગત્ય નિર્વૃતિ-પુરીં પ્રતિ સાર્થવાહમ્;
એતન્નિવેદયતિ દેવ! જગત્ત્રયાય,
મન્યે નદન્નભિ-નભઃ સુર-દુંદુભિસ્તે. ૨૫
ઉદ્યોતિતેષુ ભવતા ભુવનેષુ નાથ!
તારાન્વિતો વિધુરયં વિહતાધિકારઃ;
મુક્તા-કલાપ-કલિતોચ્છ્વસિતાતપત્ર,
વ્યાજાત્ત્િરધા ધૃત-તનુધ્ર્રુવમભ્યુપેતઃ. ૨૬
સ્વેન પ્રપૂરિત-જગત્ત્રય-પિણ્ડિતેન,
કાન્તિ-પ્રતાપ-યશસામિવ સંચયેન;
માણિક્ય-હેમ-રજત પ્રવિનિઠ્ઠમતેન,
સાલ-ત્રયેણ ભગવન્નભિતો વિભાસિ. ૨૭
દિવ્ય-સ્રજો જિન! નમત્ત્િર-દશાધિપાના-
મુત્સૃજય રત્ન-રચિતાનપિ મૌલિ-બન્ધાન્,
પાદૌ શ્રયન્તિ ભવતો યદિ વા પરત્ર,
ત્વત્સંગમે સુમનસો ન રમન્ત એવ. ૨૮
ત્વં નાથ! જન્મ-જલધેઠ્ઠવપરાઙ્મુખોડપિ,
યત્તારયસ્યસુમતો નિજ-પૃષ્ઠ-લગ્નાન્;
યુક્તં હિ પાઠ્ઠથવ-નિપસ્ય સતસ્તવૈવ,
ચિત્રં વિભો યદસિ કર્મ-વિપાક-શૂન્યઃ. ૨૯
વિશ્વોશ્વારોડપિ જન-પાલક! દુર્ગતસ્ત્વં,
કિં વાક્ષર-પ્રકૃતિરપ્યલિપિસ્ત્વમીશ!;
અ-જ્ઞાનવત્યપિ સદૈવ કથંચિદેવ,
જ્ઞાનં ત્વયિ સ્ફુરતિ વિશ્વા-વિકાશ-હેતુઃ. ૩૦
પ્રાગ્ભાર-સંભૃતનભાંસિ રજાંસિ રોષા-
દુત્થાપિતાનિ કમઠેન શઠેન યાનિ;
છાયાપિ તૈસ્તવ ન નાથ! હતા હતાશો,
ગ્રસ્તસ્ત્વમીભિરયમેવ પરં દુરાત્મા. ૩૧
યદ્ ર્ગજ્જદૂઠ્ઠજત-ઘનૌઘ-મદભ્ર-ભીમં,
ભ્રશ્યત્તડિન્મુસલ-માંસલ-ઘોર-ધારમ્;
દૈત્યેન મુક્તમથ દુસ્તર-વારિ દધ્રે;
તેનૈવ તસ્ય જિન! દુસ્તરવારિ-કૃત્યમ્. ૩૨
ધ્વસ્તોર્ધ્વ-કેશવિકૃતાકૃતિ-ર્મત્ય-મુણ્ડ-
પ્રાલમ્બ-ભૃદ્-ભયદ-વક્ત્રવિનિર્યદગ્નિઃ;
પ્રેત-વ્રજઃ પ્રતિભવન્તમપીરિતો યઃ,
સોડસ્યાભવત્પ્રતિભવં ભવ-દુઃખ-હેતુઃ. ૩૩
ધન્યાસ્ત એવ ભુવનાધિપ! યે ત્રિ-સન્ધ્ય-
મારાધયન્તિ વિધિવદ્વિધૂતાન્ય-કૃત્યાઃ;
ભક્ત્યોલ્લસત્પુલક-પક્ષ્મલ-દેહ-દેશાઃ,
પાદ-દ્વયં તવ વિભો! ભુવિ જન્મ-ભાજઃ. ૩૪
અસ્મિન્નપાર-ભવ-વારિ-નિધૌ મુનીશ!,
મન્યે ન મે શ્રવણ-ગોચરતાં ગતોડસિ;
આકઠ્ઠણતે તુ તવ ગોત્ર-પવિત્ર-મન્ત્રે,
કિંવા વિપદ્વિષ-ધરી સ-વિધં સમેતિ?. ૩૫
જન્માન્તરેડપિ તવ પાદ-યુગં ન દેવ!,
મન્યે મયા મહિત-મીહિત-દાન-દક્ષમ્;
તેનેહ જન્મનિ મુનીશ! પરાભવાનાં,
જાતો નિકેતનમહં મથિતાશયાનામ્. ૩૬
નૂનં ન મોહ-તિમિરાવૃત-લોચનેન,
પૂર્વં વિભો! સકૃદપિ પ્રવિલોકિતોડસિ;
મર્માવિધો વિધુરયન્તિ હિ મામનર્થાઃ,
પ્રોદ્યત્પ્રબન્ધ-ગતયઃ કથમન્યથૈતે? ૩૭
આકઠ્ઠણતોડપિ મહિતોડપિ નિરીક્ષિતોડપિ,
નૂનં ન ચેતસિ મયા વિધૃતોડસિ ભક્ત્યા;
જાતોડસ્મિ તેન જનબાન્ધવ! દુઃખ-પાત્રં,
યસ્માત્ક્રિયાઃ પ્રતિફલન્તિ ન ભાવ-શૂન્યાઃ. ૩૮
ત્વં નાથ! દુઃખિ-જન-વત્સલ! હે શરણ્ય!
કારુણ્ય-પુણ્ય-વસતે! વશિનાં વરેણ્ય!;
ભક્ત્યા નતે મયિ મહેશ! દયાં વિધાય,
દુઃખાંકુરોદ્દલન-તત્પરતાં વિધેહિ. ૩૯
નિઃસંખ્ય-સાર-શરણં શરણં શરણ્ય-
માસાદ્ય સાદિત-રિપુ પ્રથિતાવદાતમ્;
ત્વત્પાદ-પંકજમપિ પ્રણિધાન-વન્ધ્યો,
વધ્યોડસ્મિ ચેદ્ ભુવન-પાવન! હા હતોડસ્મિ. ૪૦
દેવેન્દ્ર-વન્દ્ય! વિદિતાખિલ-વસ્તુ-સાર!,
સંસાર-તારક! વિભો! ભુવનાધિનાથ!;
ત્રાયસ્વ દેવ! કરુણા-હૃદ! માં પુનીહિ,
સીદન્તમદ્ય ભયદ-વ્યસનામ્બુ-રાશેઃ. ૪૧
યદ્યસ્તિ નાથ! ભવદંધિ્ર-સરો-રુહાણાં,
ભક્તેઃ ફલં કિમપિ સંતતિ-સંચિતાયાઃ;
તન્મે ત્વદેક-શરણસ્ય શરણ્ય! ભૂયાઃ,
સ્વામી ત્વમેવ ભુવનેડત્ર ભવાન્તરેડપિ. ૪૨
ઇત્થં સમાહિત-ધિયો વિધિવજ્જિનેન્દ્ર!,
સાન્દ્રોલ્લસત્પુલક-કંચુકિતાંગ-ભાગાઃ;
ત્વદ્-બિમ્બ-નિર્મલ-મુખામ્બુજ-બદ્ધ-લક્ષ્યા,
યે સંસ્તવં તવ વિભો! રચયન્તિ ભવ્યાઃ ૪૩
જન-નયન-કુમુદ-ચન્દ્ર!,
પ્રભા-સ્વરાઃ સ્વર્ગ-સંપદો ભુક્ત્વા;
તે વિગલિત-મલ-નિચયા,
અ-ચિરાન્મોક્ષં પ્રપદ્યન્તે. યુગ્મમ્. ૪૪
બૃહચ્છાન્તિઃ – ૯
ભો ભો ભવ્યાઃ! શૃણુત વચનં પ્રસ્તુતં સર્વમેતદ્, યે યાત્રાયાં ત્રિ-ભુવનગુરો-રાડડર્હતા! ભક્તિભાજઃ!; તેષાં શાન્તિર્ભવતુ ભવતા-મર્હદાદિ-પ્રભાવા-દારોગ્ય-શ્રી-ધૃતિ-મતિ-કરી ક્લેશવિધ્વંસ-હેતુઃ. ૧
ભો ભો ભવ્ય લોકા! ઇહ હિ-ભરતૈરાવત-વિદેહ-સંભવાનાં, સમસ્ત-તીર્થકૃતાં જન્મન્યાડડસન-પ્રકમ્પા-નન્તરમવધિના વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુઘોષા-ઘણ્ટા-ચાલનાનન્તરં, સકલ-સુરાસુરેન્દ્રૈઃ સહ સમાગત્ય, સવિનયમર્હદ્ભટ્ટારકં ગૃહીત્વા, ગત્વા કનકાદ્રિશૃઙ્ગે વિહિતજન્માભિષેકઃ શાન્તિમુદ્ઘોષયતિ યથા તતોડહમ્ ’કૃતાનુકારમિતિ’ કૃત્વા, ’મહાજનો યેન ગતઃ સ પન્થાઃ’ ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય શાન્તિમુદ્ઘોષયામિ તત્ પૂજા-યાત્રા-સ્નાત્રાદિ-મહોત્સવા-નન્તરમિતિ કૃત્વાકર્ણં દત્ત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા.
ૐ પુણ્યાહં પુણ્યાહં, પ્રીયન્તાં પ્રીયન્તામ્, ભગવન્તોડર્હન્તઃ સર્વજ્ઞાઃ સર્વદઠ્ઠશનસ્ત્રિલોકનાથાસ્ત્રિલોકમહિતાસ્ત્રિલોક-પૂજયા-સ્ત્રિલોકેશ્વારાસ્ત્રિલોકોદ્યોતકરાઃ.
ૐ ઋષભ-અજિત-સંભવ-અભિનન્દન-સુમતિ-પદ્મપ્રભ-સુપાર્શ્વા-ચન્દ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજય-વિમલ-અનન્ત-ધર્મ-શા
ન્તિ-કુન્થુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વા-વર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા.
ૐ મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુઠ્ઠભક્ષ-કાન્તારેષુ દુર્ગ-માર્ગેષુ રક્ષન્તુ વો નિત્યં સ્વાહા.
ૐ હ્રીં શ્રીં ધૃતિ-મતિ-કીઠ્ઠત-કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી-મેધા-વિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષુ સુ-ગૃહીત-નામાનો જયન્તુ તે જિનેન્દ્રાઃ.
ૐ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજ્રશૃંખલા-વજ્રાંકુશી-અપ્રતિચક્રા-પુરુષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાન્ધારી-સર્વાસ્ત્રા-મહા-જવાલા-માનવી-વૈરોટયા-અચ્છુપ્તા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષન્તુ વો નિત્યં સ્વાહા.
ૐ આચાર્યોપાધ્યાય-પ્રભૃતિ-ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ.
ૐ ગ્રહાશ્ચન્દ્ર-સૂર્યાંગારક-બુધ-બૃહસ્પતિ-શુક્ર-શનૈશ્ચર-રાહુ-કેતુ-સહિતાઃ સ-લોકપાલાઃ સોમ-યમ-વરુણ-કુબેર- વાસવાદિત્ય-સ્કન્દ-વિનાયકોપેતા યે ચાન્યેડપિ ગ્રામ-નગર-ક્ષેત્ર-દેવતાદયસ્તે સર્વે પ્રીયન્તાં પ્રીયન્તામ્, અ-ક્ષીણ-કોશ- કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા.
ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહૃત્-સ્વજન-સંબન્ધિ-બન્ધુ-વર્ગ-સહિતાઃ નિત્યં ચામોદ-પ્રમોદ-કારિણઃ અસ્મિંશ્ચ ભૂમણ્ડલ આયતન-નિવાસિ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગો-પસર્ગ વ્યાધિ-દુઃખ-દુઠ્ઠભક્ષ-દૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભવતુ.
ૐ તુષ્ટિ-પુષ્ટિ-ઋદ્ધિ-વૃદ્ધિ-માંગલ્યોત્સવાઃ, સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યન્તુ દુરિતાનિ, શત્રવઃ પરાઙ્મુખા ભવન્તુ સ્વાહા.
શ્રીમતે શાન્તિ-નાથાય, નમઃ શાન્તિ-વિધાયિને;
ત્રૈલોક્યસ્યામરાધીશ-મુકુટાભ્યઠ્ઠચતાંધ્રયે. ૧
શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાન્, શાન્તિં દિશતુ મે ગુરુ;
શાન્તિરેવ સદા તેષાં, યેષાં શાન્તિર્ગૃહે ગૃહે. ૨
ઉન્મૃષ્ટરિષ્ટદુષ્ટગ્રહગતિદુઃસ્વપ્નદુઠ્ઠનમિત્તાદિ;
સંપાદિત-હિત-સંપન્નામ-ગ્રહણં જયતિ શાન્તેઃ. ૩
શ્રીસંઘજગજ્જનપદરાજાધિપરાજસન્નિવેશાનામ્;
ગોષ્ટિકપુરમુખ્યાણાં, વ્યાહરણૈર્વ્યાહરેચ્છાન્તિમ્. ૪
શ્રી-શ્રમણ-સંઘસ્ય શાન્તિર્ભવતુ.
શ્રી-જનપદાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-રાજાધિપાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-રાજસન્નિવેશાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-ગોષ્ટિકાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-પૌરમુખ્યાણાં શાન્તિર્ભવતુ.
શ્રી-પૌરજનસ્ય શાન્તિર્ભવતુ.
શ્રી-બ્રહ્મલોકસ્ય શાન્તિર્ભવતુ.
ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વાનાથાય સ્વાહા.
એષા શાન્તિઃ પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાદ્યવસાનેષુ શાન્તિકલશં ગૃહીત્વા કુંકુમ-ચન્દન-કર્પૂરાગરુ-ધુપવાસ-કુસુમાંજલિ-સમેતઃ સ્નાત્ર-ચતુષ્કિકાયાં શ્રીસંઘસમેતઃ શુચિ-શુચિ-વપુઃ, પુષ્પ-વસ્ત્ર-ચન્દના-ભરણાલંકૃતઃ પુષ્પમાલાં કણ્ઠે કૃત્વા, શાન્તિમુદ્ઘોષ-યિત્વા, શાન્તિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ.
નૃત્યન્તિ નૃત્યં મણિપુષ્પવર્ષં,
સૃજન્તિ ગાયન્તિ ચ મંગલાનિ;
સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મન્ત્રાન્,
કલ્યાણભાજો હિ જિનાભિષેકે. ૧
શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ;
દોષાઃ પ્રયાન્તુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. ૨
અહં તિત્થયરમાયા, સિવાદેવી તુમ્હ નયરનિ-વાસિની;
અમ્હ સિવં તુમ્હ સિવં, અસિવોવસમં સિવં ભવતુ સ્વાહા. ૩
ઉપર્સગ્ગાઃ ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ;
મનઃ પ્રસન્નતામેતિ, પૂજયમાને જિનેશ્વારે. ૪
સર્વમંગલમાંગલ્યં, સર્વકલ્યાણકારણમ્;
પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્. ૫
નવપદ પદ આરાધના વિધિ
શ્રી જૈનશાસનમાં અરિહંત આદિ નવ પદો પરમતત્ત્વરૂપ ચે. આ નવ પદો પરમાર્થરૂપ છે. કારઠણ કે આ નવપદોની આરાધનાથી જ જીવો કલ્યાણ પામે છે. નવપોદની આરાધના વિના કોઈ પણ જીવનું કલ્યાણ થતું નથી. આથી કલ્યામકાંક્ષી દરેકે આ નવ પદોની વિધિ મુજબ આરાધના કરવી જોઈએ.
આસો અને ચૈત્ર માસમાં ઓળીના નવ દિવસોમાં આંબિલનો તપ આદિ વિધિપૂર્વક આ અરિહંત આદિ નવ પદોની આરાદના કરવામાં આવે છે. કલ્યાણકાંક્ષી દરેકે બંને ઓળીમાં નવ પદોની આરાધના જીવન પર્યત કરવી જોઈએ. જીવન પર્યંત ન બની શકે તો પણ લાગલગાટ સાડા ચાર વર્ષ સુધી (નવ ઓળી સુધી) તો અવશ્ય કરવી જોઈએ. સાડા ચાર વર્ષ સુધી આરાધના કરવા ઇચ્છનારે સાડા ચાર વર્ષની ગણતરી આસો માસની ઓળીતી કરવી જોઈએ. તિથિની વધઘટ ન હો તો સુદ સાતમથી, તિથિની વધ-ઘટ હોય તો સુદ છઠ્ઠ કે આઠમથી ઓળીની શરૂઆત થાય છે.
નવપદ તપનો દરરોજનો વિધિ
(૧) ઓછામાં ઓછો આયંબિલનો તપ (૨) ભૂમિમાં સંથારા ઉપર શયન (૩) બ્રહ્મચર્યનું પાલન (૪) સર્વ પ્રકારના વાહનનો ત્યાગ (૫) સવાર-સાંજ પ્રતિક્રમણ (૬) બે વાર પડિલેહણ (૭) ત્રિકાળ દેવવંદન (૮) સવાર-સાંજ ગુરૂવંદન (૯) જિનેશ્વરની સ્નાત્રપૂજા તથા અષ્ટપ્રકારી પૂજા (૧૦) તે તે પદના ગુણોની સંખ્યા પ્રમાણે સ્વસ્તિક, કાઉસ્સગ્ગ, ખમાસમણ-પ્રદક્ષિણા (૧૧) જુદાં જુદાં નવ દેરાસરે અગર નવ પ્રતિમાજી સન્મુખ નવ ચૈત્યવંદન.
નવ દિવસોમાં દરરોજ ક્રમશઃ નીચે મુજબ કાર્યક્રમ રાખવાતી વિધિનું પાલન સારી રીતે થઈ શકે છે.
ઓળીના દિવસોમાં દરરોજ ક્રમશઃ કાર્યક્રમ
૧ ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે ઉઠીને રાત્રિપ્રતિક્રમણ કરવું.
૨ પદના ગુણની સંખ્યા પ્રમાણે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો.
૩ લગભગ સૂર્યોદય વખતે પડિલેહણ કરવું.
૪ આઠ થોયો વડે સવારનું દેવવંદન કરવું.
૫ સિદ્ધચક્રજીના યંત્રની વાસક્ષેપથી પૂજા કરવી.
૬ જુદા જુદા નવ દેરાસરે અથવા જુદા જુદા નવ પ્રતિમાજી સન્મુખ નવ ચૈત્યવંદન કરવાં.
૭ ગુરૂવંદન અને વ્યાખ્યાન શ્રવણ કરી પચ્ચક્ખાણ કરવું.
૮ સ્નાન કરીને જિનેશ્વરની સ્નાત્રપૂજા તથા અષ્ટપ્રકારી પૂજા કરવી. પછી આરતી મંગળદીવો ઉતારી પ્રભુના ન્હવણજળથી શાંતિકલશ ભણાવવો.
૯ જે પદના જેટલા ગુણ હોય તેટલા સ્વસ્તિક કરીને તેના ઉપર ફલ અને નૈવેદ્ય યથાશક્તિ ચઢાવવાં.
૧૦ આઠ થોયોથી બપોરનું દેવવંદન કરવું.
૧૧ દરેક પદના ગુણો હોય તેટલી પ્રદક્ષિણા આપી તેટલાં ખમાસમણ દેવાં.
૧૨ સ્વસ્થાને આવી પચ્ચક્ખાણ પારી આયંબિલ કરવું.
૧૩ આયંબિલ કર્યા પછી ત્યા જ તિવિહારનું પચ્ચક્ખાણ કરવું.
૧૪ સ્વસ્થાને આવી તુરંત ચૈત્યવંદન કરવું.
૧૫ સાંજે (સૂર્યાસ્ત) પહેલાં પડિલેહણ કરી આઠ થોયોથી સાંજનું દેવવંદન કરવું.
૧૬ દેરાસરે દર્શન કરી આરતી-મંગલ દીવો કરવો.
૧૭ દૈવસિક પ્રતિક્રમણ કરવું.
૧૮ જે દિવસે જે પદની આરાધના હોય તેની વીસ નવકારવાળી ગણવી.
૧૯ રાત્રે શ્રીપાળ રાજાનો રાસ સાંભળવો.
૨૦ સુવાસના સમયે સંથારા પોરિસી સૂત્રની ગાથાઓ બોલી સંથારે શયન કરવું.
દરેક દિવસના પદ આદિની સમજ
દિવસ પદ જાપ વર્ણ એક ધાન્યકા. સા.પ્ર.ખ. નવ
પહેલો અરિહંત ૐ હ્રીઁ નમો અરિહંતાણં સફેદ ચોખા ૧૨ ૩૦
બીજો સિદ્ધ ૐ હ્રીઁ સિદ્ધાણં લાલ ઘઉં ૦૮ ૨૦
ત્રીજો આચાર્ય ૐ હ્રીઁ આયરિયાણં પીળો ચણા ૩૬ ૨૦
ચોથો ઉપાધ્યાય ૐ હ્રીઁ ઉવજ્ઝાયાણં લીલો મગ ૨૫ ૨૦
પાંચમો સાધુ ૐ હ્રીઁ નમો લોએ સવ્વસાહૂંણ કાળો અડદ ૨૭ ૨૦
છટ્ઠો દર્શન ૐ હ્રીઁ નમો દંસણસ્સ સફેદ ચોખા ૬૭ ૨૦
સાતમો જ્ઞાન ૐ હ્રીઁ નમો નાણસ્સ સફેદ ચોખા ૫૧ ૨૦
આઠમો ચારિત્ર ૐ હ્રીઁ નમો ચારિત્તસ્સ સફેદ ચોખા ૭૦ ૨૦
નવમો તપ ૐ હ્રીઁ નમો તવસ્સ સફેદ ચોખા ૫૦ ૨૦
નવપદના દુહા અને ગુણો
(પહેલો દિવસ)અરિહંત પદનો દુહોઃ-
અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણ પજ્જાય રે;
ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે ।।૧।।
વીર જિણેસર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઈ રે,
આતમધ્યાને આતમા, રિદ્ધિ મલે સવિ આઈ રે ।।૨।।
અરિહંત પદના બાર ગુણ
૧. અશોકવૃક્ષ પ્રાતિહાર્ય સંપુતાય શ્રી અરિહંતાય નમઃ ૨. પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતયા નમઃ ૩. દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય સંયુતાશ્રી અરિહંતાય નમઃ ૪. ચામરયુગ્મ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૫ સ્વર્ણસિંહાસન પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૬. ભામણ્ડલ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૭. દુંદભિ પ્રાતિહાર્ય સંયુતાયશ્રી અરિહંતાય નમઃ ૮. છત્રત્રય પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૯. જ્ઞાનાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૧૦. પૂજાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૧૧. વચનાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૧૨. અપાયાપગમાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ
(બીજા દિવસ) સિદ્ધપદનો દુહોઃ-
રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણી રે,
તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે-વીર.
સિદ્ધપદના આઠ ગુણ
૧. અનંતજ્ઞાન સંયુતાત શ્રી સિદ્ધાય નમઃ ૨. અનંતદર્શન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૩. અવ્યાબાધ ગુણ સંયુતા શ્રી સિદ્ધાય નમઃ ૪. અનંતચારિત્ર સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૫. અક્ષયસ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૬. અરૂપી નિરંજન ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૭. અગુરુલઘુ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૮. અનંતવીર્ય ગુણ સયુતાય શ્રી સિદ્ધાય નમઃ
(ત્રીજો દિવસ) આચાર્યપદનો દુહો
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે,
પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. -વીર
આચાર્યપદના ૩૬ ગુણ
(૧) પ્રતિરૂપગુણ સંયુતાય શ્રી આચાર્યાય નમઃ (૨) સૂર્વત્તેજસ્વિગુણ સંયુતાય શ્રી આ. (૩) યુગપ્રધાનનગમ સંયુતાય શ્રી આ. (૪) મધુરવાક્ય ગુણ સંયુતાય શ્રી આ. (૫) ગાંભીર્યગુણ સંયુતાય શ્રી આ. (૬) ધૈર્યગુણ સંયુતાય શ્રી આ. (૭) ઉપદેશગુણ સંયુતાય શ્રી આ. (૮) અપરિશ્રાવિગુણ સંયુતાય શ્રી આ. (૯) સૌમ્યપ્રકૃતિગુણ સંયુતાય શ્રી આ. (૧૦) શીલગુણ સંયુતાય શ્રી આ. (૧૧) અવિગ્રહણગુણ સંયુતાય શ્રી આ. (૧૨) અવિકથકગુણ સંયુતાય શ્રી આ. (૧૩) અચપલગુણ સંયુતાય શ્રી આ. (૧૪) પ્રસન્નવદન ગુણ સંયુતાય શ્રી આ. (૧૫) ક્ષમાગુણ સંયુતાય શ્રી આ. (૧૬) ઋજુગણ સંયુતાય શ્રી આ. (૧૭) મૃગુગુણ સંયુતાય શ્રી આ. (૧૮) સર્વાંગમુક્તિગુણ સંયુતાય શ્રી આ. (૧૯) દ્વાદશવિધતપોગુણ સંયુતાય શ્રી આ. (૨૦) સપ્તદશવિધસંયમગુણ સંયુતાય શ્રી આ. (૨૧) સત્યવ્રતગુણ સંયુતાય શ્રી આ. (૨૨) શૌર્યગુણ સંયુતાય શ્રી આ. (૨૩) અકિંચનગુણ સંયુતાય શ્રી આ. (૨૪) બ્રહ્મચર્યગુણ સંયુતાય શ્રી આ. (૨૫) અનિત્યભાવનાભાવકાય શ્રી આ. (૨૬) અશરમભાવનાભાવકાય શ્રી આ. (૨૭) સંસારસ્વરૂપભાનાકાય શ્રી આ. (૨૮) એકત્વભાવનાભાવકાય શ્રી આ. (૨૯) અન્યત્વ ભાવના ભાવકાય શ્રી આ. (૩૦) અશુચિભાવનાભાવકાય શ્રી આ. (૩૧) આશ્રવ-ભાવના ભાવકાય શ્રી આ. (૩૨) સંવરભાવનાભાવકાય શ્રી આ. (૩૩) નિર્જરાભાવનાભાવકાય શ્રી આ. (૩૪) લોકસ્વરૂપ ભાવનાભાવકાય શ્રી આ. (૩૫) બોધિદુર્લભભાવનાભાવકાય શ્રી આ. (૩૬) ધર્મદુર્લભભાવનાભાવકાય શ્રી આ.
(ચોથો દિવસ) ઉપાધ્યાય પદનો દુહો
તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે;
ઉપાધ્યાય તે આતમા, જગ બંધવજગ ભ્રાતા રે-વીર.
ઉપાધ્યાયના ૨૫ ગુણ
(૧) શ્રી આચારાંગસૂત્રપઠનગુણ સંયુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ (૨) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૩) શ્રી સ્થાનાંગસૂત્ર પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૪) શ્રી સમવાયાંગ સૂત્ર પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૫) શ્રી ભગવતીસૂત્ર પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૬) શ્રી જ્ઞાતાસૂત્ર પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૭) શ્રી ઉપાસક દશા સૂત્ર પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૮) શ્રી અન્તકૃદ્દ દશા સૂત્ર પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૯) શ્રી અનુત્તરોપપાદિક સૂત્ર પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૧૦) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૧૧) શ્રી વિપાકસૂત્ર પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૧૨) ઉત્પાદપૂર્વ પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૧૩) અગ્રાયણીયપૂર્વ પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૧૪) વીર્યપયવાદપૂર્વક પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૧૫) અસ્તિપ્રવાદપૂર્વક પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૧૬) જ્ઞાનપ્રસાદપૂર્વ પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૧૭) સત્યપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૧૮) આત્મપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૧૯) કર્મપ્રવાદ પૂર્વ પઠનગુણ સંયુકતાય શ્રી ઉ. (૨૦) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૧) વિદ્યપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૨) પ્રત્યખ્યાનપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૩) પ્રાણાવયપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૪) ક્રિયાવિશાલપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૫) લોકબિન્દુસારૂપૂર્વ સંયુક્તાય શ્રી ઉ.
(પાંચમો દિવસ) સાધુપદનો દુહો
અપ્રમત્ત જે નિત રહે, નવ હરખે નવિ શોચે રે;
સાધુ સુધા તે આતમા, શુ મુડે શુ લોચે રે-વીર.
સાધુ પદના ૨૭ ગુણ
(૧) પ્રાણાતિપાતવિરમણવ્રત યુક્તાય શ્રી સાધવે નમઃ (૨) મૃષાવાદવિરમણ વ્રતયુક્તાય શ્રી સા. (૩) અદત્તાદાનવિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૪) મૈથુનવિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૫) પરિગ્રહવિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૬) રાત્રિભોજન વિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૭) પૃથ્વીકાયરક્ષકાય શ્રી સા. (૮) અપ્કાયકાયરક્ષકાય શ્રી સા. (૯) તેજસ્કાયરક્ષકાય શ્રી સા. (૧૦) વાયુકાયરક્ષકાય શ્રીસા. (૧૧) વનસ્પતિકાયરક્ષકાય શ્રી સા. (૧૨) ત્રસકાયરક્ષકાય શ્રી સા. (૧૩) એકેન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૪) દ્વીન્દ્રિયરક્શકાય શ્રી સા. (૧૫) ત્રીન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૬) ચતુરિન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૭) પંચેન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૮) લોભનિગ્રહકારકાય શ્રી સા. (૧૯) રૂપ શ્રીસ. ક્ષમાગુણયુક્તાય શ્રી સા. (૨૦) શુભભાવનાભાવકાય શ્રી સા. (૨૧) પ્રતિલેખનદિશુદ્ધદ્વક્રિયાકારકાય શ્રી સા. (૨૨) સંયમયોગયુક્તાય શ્રી સા. (૨૩) મનોગુપ્તયુક્તાય શ્રી સા. (૨૪) વચનગુપ્તિયુક્તાય શ્રી સા. (૨૫) કાયગુપ્તિયુક્તાય શ્રી સા. (૨૬) ક્ષુધાદિદ્વાવિંશતિ પરિસહસહનતત્પરાય શ્રી સા. (૨૭) મરણાન્તઉપસર્ગસહનતત્પરાય શ્રી સા.
(છઠ્ઠો દિવસ) દર્શનપદનો દુહો
શમ-સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે;
દર્શન તેહી જ આતમા, શું હોય નામ ધરાવે રે. ।।વીર.।।
દર્શનપદના ૬૭ ગુણ
(૧) પરમાર્થસંસ્વવરૂપ શ્રી સદ્દદર્શનાય નમઃ (૨) પરમાર્થજ્ઞાતૃસેવનરૂપ શ્રી સ. (૩) વ્યાપન્નદર્શનવર્જનરૂપ શ્રી સ. (૪) કુદર્શનવર્જનરૂપ શ્રી સ. (૫) શુશ્રુષા પ્રભાવકરૂપ શ્રીસ. રૂપ શ્રી સ. (૬) ધર્મરાગરૂપ શ્રી સ. (૭) વૈયાવૃત્ત્યરૂપ શ્રી સ. (૮) અર્હદ્દવિનયરૂપ શ્રી સ. (૯) સિદ્ધવિનયરૂપ શ્રી સ. (૧૦) ચૈત્યવિનરૂપ શ્રી સ. (૧૧) શ્રુતવિનયરૂપ શ્રી સ. (૧૨) ધર્મવિનયરૂપ શ્રી સ. (૧૩) સાધુવર્ગવિનયરૂપ શ્રી સ. (૧૪) આચાર્યવિનયરૂપ શ્રી સ. (૧૫) ઉપાધ્યાયવિનયરૂપ શ્રી સ. (૧૬) પ્રવચનવિનયરૂપ શ્રી સ. (૧૭) દર્શનવિજયરૂપ શ્રી સ. (૧૮) “સંસારે શ્રીજિનઃ સારઃ” ઇતિ ચિંતનરૂપ શ્રી સ. (૧૯) “સંસારે જિનમતસ્થિત શ્રી સાદવાદિસારમ્” ઇતિ ચિંતનરૂપ શ્રી સ. (૨૧) શંકાદૂષણરહિતાય શ્રી સ. (૨૨) કાંક્ષાદૂષણરહિતાય શ્રી સ. (૨૩) વિચિક્તાદૂશણરહિતાય શ્રી સ. (૨૪) કુદ્દષ્ટિપ્રશંસાદૂષણરહિતાય શ્રી સ. (૨૫) તત્પરિયદૂષણરહિતાય શ્રી સ. (૨૬) પ્રવચનપ્રભાવરૂપ શ્રી સ. (૨૭) ધર્મકથાપ્રબાવકરૂપ શ્રી સ. (૨૮) વાદિપ્રભાવકરૂપ શ્રી સ. (૨૯) નૈમિત્તિકપ્રભાવકરૂપ શ્રી સ. (૩૦) તપસ્વિપ્રભાવકરૂપ શ્રી સ. (૩૧) પ્રજ્ઞપત્યાદિ વિદ્યાભૃતપ્રભાવકરૂપ શ્રી સ. (૩૨) ચૂર્ણાંજનાદિસિદ્ધપ્રભાવકરૂપ શ્રી સ. (૩૩) કવિપ્રભાવકરૂપ શ્રી સ. (૩૪) જિનશાસને કૌશલોયભૂષણરૂપ શ્રી સ. (૩૫) પ્રભાવનાભૂષણરૂપ શ્રી સ. (૩૬) તીર્થસેવાભૂષણરૂપ શ્રી સ. (૩૭) સ્થૈર્યભૂષણરૂપ શ્રી સ. (૩૮) જિનશાસનેભક્તિભૂષણરૂપ શ્રી સ. (૩૯) ઉપશમગુણરૂપ શ્રી સ. (૪૦) સંવેગગુણરૂપ શ્રી સ. (૪૧) નિર્વેદગુણરૂપ શ્રી સ. (૪૨) અનુકંપાગુણરૂપ શ્રી સ. (૪૩) આસ્તિક્યગુણરૂપ શ્રી સ. (૪૪) પરતીર્થિકાદિવંદનવર્જનરૂપ શ્રી સ. (૪૫) પરતીર્થિકાદિ નમસ્કારવર્જનરૂપ શ્રી સ. (૪૬) પરિતીર્થકાદિઆલાપવર્જનરૂપ શ્રી સ. (૪૭) પરતીર્થિકાદિસંલાપવર્જનરૂપ શ્રી સ. (૪૮) પરીર્થિકાદિઅશનાદિદાનવર્જનરૂપ શ્રી સ. (૪૯) પરતીર્થિકાદિગંધપુષ્પાદિ પ્રેષણવર્જનરૂપ શ્રી સ. (૫૦) રાજભિયોગાગારયુક્ત શ્રી સ. (૫૩) સુરાભિયોગાગારયુક્ત શ્રી સ. (૫૪) કાંતારવૃત્ત્યગારયુક્ત શ્રી સ. (૫૫) ગુરુનિગ્રહાગારયુક્ત શ્રી સ. (૫૬) “સમ્યક્ત્વં ચારિત્રધર્મસ્ય મૂલમ્” ઇતિ ચિંતનરૂપ શ્રી સ. (૫૭) “સમ્યક્ત્વં ધર્મસ્ય પ્રતિષ્ઠાનમ્” ઇતિ ચિંતનરૂપ શ્રી સ. (૫૯) “સમ્યક્ત્વંધર્મસ્યાધારઃ” ઇતિ ચિંતનરૂપ શ્રી સ. (૬૦) “સમ્યક્ત્વં ધર્મસ્ય ભોજનમ્” ઇતિ ચિંતનરૂપ શ્રી સ. (૬૨) “અસ્તિ જીવઃ” ઇતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૬૩) “સ ચ જીવો નિત્યઃ” ઇતિ શ્રદ્ધાનસ્થાયુક્ત શ્રી સ. (૬૪) “સ ચ જીવઃ કર્માણિ કરોતિ” ઇતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૬૫) “સ ચ જીવઃ સ્વકૃતકર્માણિ વેદયતિ” ઇતિ શ્રદ્ધાસ્થાનયુક્ત શ્રી સ. (૬૬) “જીવસ્યાસ્તિ નિર્વાણમ્” ઇતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૬૭) “અસ્તિ મોક્ષોપાયઃ” ઇતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ.
(સાતમો દિવસ) જ્ઞાનપદનો દુહો
જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે;
તો હુએ એહીજ આતમા, જ્ઞાને અબોધતા જાય રે. -વીર.
જ્ઞાનપદના ૫૧ ગુણ
(૧) સ્પર્શનેન્દ્રિય વ્યઞ્જનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ (૨) રસનેન્દ્રિય વ્યઞ્જનાવગ્ર મતિ. (૩) ઘ્રાણેન્દ્રિય વ્યઞ્જનાવગ્ર મતિ (૪) શ્રોત્રેન્દ્રિય વ્યઞ્જનાવગ્ર મતિ (૫) સ્પર્શનેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૬) રસેનેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૭) ઘ્રાણેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૮) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ મતિ. (૯) શ્રોત્રેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૧૦) માનસ-અર્થાવગ્રહ મતિ. (૧૧) સ્પર્શનેન્દ્રિય-ઇહામતિ. (૧૨) રસનેન્દ્રિય-ઇહામતિ. (૧૩) ઘ્રાણેન્દ્રિય-ઇહામતિ. (૧૪) ચક્ષુરિન્દ્રિય-ઇહામતિ. (૧૫) ક્ષોત્રેન્દ્રિયમ-ઇહામતિ. (૧૬) મન-ઇહામતિ. (૧૭) સ્પર્શનેન્દ્રિય અપાય મતિ. (૧૮) રસનેન્દ્રિય-અપાય મતિ. (૧૯) ઘ્રાણેન્દ્રિય-અપાયમતિ. (૨૦) ચક્ષુરિન્દ્રિય-અપાય મતિ. (૨૧) ક્ષોત્રેન્દ્રિય-અપાય મતિ. (૨૨) મનોઅપાય મતિ. (૨૩) સ્પર્શનેન્દ્રિય-ધારણા મતિ. (૨૪) રસનેન્દ્રિય-ધારણા મતિ. (૨૫) ઘ્રાણેન્દ્રિય-ધારણા મતિ. (૨૬) ચક્ષુરિન્દ્રિય-ધારણા મતિ. (૨૭) શ્રોત્રેન્દ્રિય-ધારણા મતિ. (૨૮) મનોધારણા મતિ. (૨૯) અક્ષર શ્રુતજ્ઞાનાય નમઃ (૩૦) અનરક્ષરશ્રુતજ્ઞા. (૩૧) સંજ્ઞિશ્રુતજ્ઞા. (૩૨) અસંજ્ઞિશ્રુતજ્ઞા. (૩૩) સમ્યક્શ્રુતજ્ઞા. (૩૪) મિથ્યાશ્રુતજ્ઞા. (૩૫) સાતિ શ્રુતજ્ઞા. (૩૬) અનાદિ-શ્રુતજ્ઞા. (૩૭) સપર્વસિતશ્રુતજ્ઞા. (૩૮) અપર્યવસિતશ્રુતજ્ઞા. (૩૯) ગમિકશ્રુતજ્ઞા. (૪૦) અગમિકશ્રુતજ્ઞા. (૪૧) અંગપ્રવિષ્ટશ્રુતજ્ઞા. (૪૨) અનંગપ્રવિષ્ટશ્રુતજ્ઞા. (૪૩) અનુગામિ અવધિજ્ઞા. (૪૪) અનનુગામિ અવધિજ્ઞા. (૪૫) વર્ધમાન અવધિજ્ઞા. (૪૬) હીયમાન અવધિજ્ઞા. (૪૭) પ્રતિપાતિઅવધિજ્ઞા. (૪૮) અપ્રતિપાતિ અવધિજ્ઞા. (૪૯) ઋજુમતિ મનઃપર્યવજ્ઞા. (૫૦) વિપુલમતિઃ મનઃપર્વયજ્ઞા. (૫૧) લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાનાય નમઃ
(આઠમો દિવસ) ચારિત્રપદના દુહો
જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે;
લેશ્યા શુદ્ધ અલકર્યો, મોહ વને નવિ ભમતો રે-વીર.
ચારિત્ર પદના ૭૦ ગુણ
(૧) પ્રાણાતિપાત વિરમણરૂપ ચારિત્રાય નમઃ (૨) મૃષાવાદ વિરમણરૂપ ચા. (૩) અદત્તાદાન વિરમણરૂપ ચા. (૪) મૈથુન વિરમણરૂપ ચા. (૫) પરિગ્રહ વિરમણરૂપ ચા. (૬) ક્ષમા કર્મરૂપ ચા. (૧૦) તપો ધર્મરૂપ ચા. (૧૧) સંયમ ધર્મરૂપ ચા. (૧૨) સત્ય ધર્મરૂપ ચા. (૧૩) શૌચધર્મરૂપ ચા. (૧૪) અકિંચન ધર્મરૂપ ચા. (૧૫) બ્રહ્મચર્યરૂપ ચા. (૧૬) પૃથ્વીરક્ષા સંયમ ચા. (૧૭) ઉદક રક્ષા સંયમ ચા. (૧૮) તેજો રક્ષા સંયમ ચા. (૧૯) વાયુરક્ષા સંયમ ચા. (૨૦) વનસ્પતિ રક્ષા સંયમ ચા. (૨૧) દ્વીન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૨) ત્રીન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૩) ચતુરિન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૪) પંચેન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૫) અજીવ રક્ષા સંયમ ચા. (૨૬) પ્રેક્ષા સંયમ ચા. (૨૭) ઉપેક્ષા સંયમ ચા. (૨૮) અતિરિક્તવસ્ત્ર ભક્તાદિ પરિસ્થાપન ત્યાગરૂપ સંયમ ચા. (૨૯) પ્રમાર્જનરૂપ સંયમ ચા. (૩૦) મનઃસંયમ ચા. (૩૧) વાક્સંયમ ચા. (૩૨) કાય સંયમ ચા. (૩૩) આચાર્યવૈયાવૃત્ત્યરૂપ ચા. (૩૪) ઉપાધ્યાય વૈયાવૃત્ત્યરૂપ ચા. (૩૫) તપસ્વિ વૈયાવૃત્યરૂપ ચા. (૩૬) લઘુ શિષ્યાદિ વૈયાવૃત્ત્યરૂપ ચા. (૩૭) ગ્લાનસાધુ વૈયાવૃત્ત્યરૂપ ચા. (૩૮) સાધુ વૈયાવૃત્ત્યરૂપ ચા. (૩૯) શ્રમણોપાસક વૈયાવૃત્ત્યરૂપ ચા. (૪૦) સંઘ વૈયાવૃત્ત્યરૂપ ચા. (૪૧) કુલ વૈયાવૃત્ત્યરૂપ ચા. (૪૨) ગણવૈયાવૃત્ત્યરૂપ ચા. (૪૩) પશુપણ્ડાદિરહિત વસતિવસન બ્રહ્મગુપ્તિ ચા. (૪૪) સ્ત્રી હાસ્યદિવિકાર વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૫) સ્ત્રી આસન વર્જન બ્રહ્મગુપ્તિનિગ્રહણ કરણ ચા. ચા. (૪૬) સ્ત્રી-અઙ્ગોપાઙ્ગ નિરીક્ષણ વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૭) કુડ્યન્તર સ્તિત સ્ત્રી હાવભાવ શ્રવણ વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૮) પૂર્વ સ્ત્રીસંભોગ ચિન્તન વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૯) અતિરસ આહાર વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૫૦) અતિ આહારકરણવર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૫૧) અંગવિભૂષા વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૫૨) અનશન તપોરૂપ ચા. (૫૩) અનોદર્ય તપોરૂપ ચા. (૫૪) વૃત્તિસંક્ષેપ તપોરૂપ ચા. (૫૫) રસાત્યાગ તપોરૂપ ચા. (૫૬) કાયક્લેશ તપોરૂપ ચા. (૫૭) સંલેષણા તપોરૂપ ચા. (૫૮) પ્રાયશ્રિત તપોરૂપ ચા. (૫૯) વિનય તપોરૂપ ચા. (૬૦) વૈયાવૃત્તય તપોરૂપ ચા. (૬૧) સ્વાધ્યાય તપોરૂપ ચા. (૬૨) ધ્યાન તપોરૂપ ચા. (૬૩) કાયોત્સર્ગ તપોરૂપ ચા. (૬૪) અન્નત જ્ઞાન સંયુક્ત ચા. (૬૫) અનન્ત દર્શન સંયુક્ત ચા. (૬૬) અનન્તચારિત્ર સંયુક્ત ચા. (૬૭) ક્રોધનિગ્રહ કરણ ચા. (૬૮) માનનિગ્રહ કરણ ચા. (૬૯) માયાનિગ્રહ કરણ ચા. (૭૦) લોભનિગ્રહ કરણ ચારિત્રાય નમઃ
(નવમો દિવસ) તપ પદનો દુહો
ઇચ્છારેધે સંવરી, પરિણતિ સમતા યોગે રે;
તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે. ।।વીર.।।
તપ પદના ૫૦ ગુણો
(૧) યાવત્કથિક તપસે નમઃ (૨) ઇત્વરકથિક ત. (૩) બાહ્યઔનોદર્ય ત. (૪) અભ્યંતર-ઔનોદર્ય ત. (૫) દ્રવ્યતઃ વૃત્તિસંક્ષેપ ત. (૬) ક્ષેત્રતઃ વૃત્તિસંક્ષેપ ત. (૭) કાલતઃ વૃત્તિસંક્ષેપ ત. (૮) ભાવતઃ વૃત્તિસંક્ષેપ ત. (૯) કાયક્લેશ ત. (૧૦) રસત્યાગ ત. (૧૧) ઇન્દ્રિય કષાય-યોગ-વિષય-સંલીનતા ત. (૧૨) સ્ત્રી-પશુ-પંડદાકિ-વર્જિત સ્થાનાવસ્થિત ત. (૧૩) આલોચના-પ્રાયશ્રિત ત. (૧૪) પ્રતિક્રમણ પ્રાયશ્રિત ત. (૧૫) મિશ્રપ્રાયશ્રિત ત. (૧૬) વિવેકપ્રાશ્રિત ત. (૧૭) કાયોત્સર્ગપ્રાયશ્રિત ત. (૧૮) તપઃ પ્રાયશ્રિત ત. (૧૯) છેદપ્રાયશ્રિત ત. (૨૦) મૂલપ્રાયશ્રિત ત. (૨૧) અનવસ્થિત પ્રાયશ્રિત ત. (૨૨) પારાંચિત પ્રાયશ્રિત ત. (૨૩) જ્ઞાનવિનયરૂપ ત. (૨૪) દર્શનવિનયરૂપ ત. (૨૫) ચારિત્ર વિનયરૂપ ત. (૨૬) મનોવિનયરૂપ ત. (૨૭) વચનવિનયરૂપ ત. (૨૮) કાયવિનયરૂપ ત. (૨૯) ઉપચાર વિનયરૂપ ત. (૩૦) આચાર્ય વૈયાવૃત્ય ત. (૩૧) ઉપાધ્યાય વૈયાવૃત્ત્ય ત. (૩૨) સાધુ વૈયાવૃત્ત્ય ત. (૩૩) તપસ્વિ વૈયાવૃત્ત્ય ત. (૩૪) લઘુશિષ્યાદિ વૈયાવૃત્ત્ય ત. (૩૫) ગ્લાન સાધુ વૈયાવૃત્ત્ય ત. (૩૬) શ્રમણોપાસક વૈયાવૃત્ત્ય (૩૭) સંઘ વૈયાવૃત્ત્ય ત. (૩૮) કુલવૈયાવૃત્ત્ય ત. (૩૯) ગણવૈયાવૃત્ત્ય ત. (૪૦) વાચના ત. (૪૧) પૃચ્છના ત. (૪૨) પરાવર્તના ત. (૪૩) અનુપ્રેક્ષા ત. (૪૪) ધર્મકથા ત. (૪૫) આર્તધ્યાનનિવૃત્તિ ત. (૪૬) રૌદ્રધ્યાનનિવૃત્તિ ત. (૪૭) ધર્મધ્યાનચિંતન ત. (૪૮) શુકલધ્યાનચિંતન ત. (૪૯) બાહ્યકાયોત્સર્ગ ત. (૫૦) અભ્યંતરકાયોત્સર્ગ ત.
છેલ્લા દિવસે નવપદજીની વિસ્તારથી પૂજા ભણાવવી. નવપદમંડલની રચના કરવી. શ્રીપાળ રાજાનો રાસ પૂર્ણ કરવો.
પૌષહ લેવાની વિધિ
गृहिणोपि हि धन्या स्ते, पुण्य ये पौषधव्रत ।
दुष्पालं पालयन्त्येव, यथा स चुलनीपिता ।।
ભાવાર્થઃ- તે ગૃહસ્થો પણ ધન્ય છે કે જેઓ, મહાશ્રાવક ચુલની પિતાની જેમ, પરમ પવિત્ર અને કઠિન પૌષધ-વ્રતનું સુંદર પાલન કરે છે.
પોસહ સૂર્યોદય પહેલાં લેવો જોઈએ. સૂર્યોદય પછી લેવાથી અતિચાર રૂપ દોષ લાગે.
પોસહમાં ઉપયોગી ઉપકરણો.
૧. દિવસના પોસહવાળાનેઃ- ૧. મુહપત્તિ. ૨. કટાસણું. ૩. ચરવળો., ૪. શુદ્ધ ધોતીયું. ૫. માતરીયું- ધોતીયું. ૬. કંદોરો. ૮. જરૂર હોય તો ખેસીયું. ૯. સૂપડી-પુંજણી. ૧૦. માત્રા માટે કુંડી. ૧૧. દંડાસણ. ૧૨. શુદ્ધિ માટે પાણી. ૧૩. કામળી.
૨. રાત્રિ પોસહવાળાને વધારેઃ- ૧. સંથારીયું. ૨. ઉત્તરપટ્ટો, ૩. રૂના બે કુંડળ. ૪. શુદ્ધિ માટે ચુનો નાંખેલું પાણી. ૫. વડી નીતિદિશા-જંગલ સ્થંડિલભૂમિએ જવું પડે તો લોટો. આથી વિશેષ કોઈ ખાસ ઉપકરણની જરૂર પડે તો ગુરૂ મહારાજની આજ્ઞા પ્રમાણે જાણી લઈ ઇરિયાવહિયા કરીને તેનું પડિલેહણ કરી વાપરી શકાય.
૧. પોસહ લેવાનો વિધિ
૧. પ્રથમ ગુરૂ પાસે સ્થાપનાચાર્ય સમક્ષ, અથવા નવકાર પંચિંદિયથી સ્થાપનાચાર્ય સ્થાપીને તેમની સમક્ષ, ખમાસમણ દઈ “ઇરિયાવહિયા” કરી ‘ઇચ્છા. પોસહ મુહપત્તિ પડિલેહું ?’ (ગુરૂ પડિલેહેહ) ઇચ્છં’ કહી બેસીને મુહપત્તિ પડિલેહવી. ખમાસમણ દઈ ‘ઇચ્છં.’ પોસહ સંદિસાહું ? (ગુરૂ કહે-સંદિસાવેહ) ‘ઇચ્છં’ કહી ખમાસમણ દઈ ઇચ્છા. પોસહ ઠાઉં ? (ગુરૂઃ ઠાએહ) ઇચ્છં કહી ઊભા ઊભા એક નવકાર ગણી “ઇચ્છકારી ભગવન્ પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી” એમ કહી ગુરૂ મહારાજ પાસે, ગુરૂ ન હોય તો વડિલ પાસે પોસહ પચ્ચક્ખાણ દંડક સૂત્ર ઉચ્ચરવું.
(પોસહનું પચ્ચક્ખાણ)
કરેમિ ભંતે ! પોસહં આહારપોસહં દેસઓ સવ્વઓ શરીરસક્કારપોસહં સવ્વઓ, બંભચેરપોસહં સવ્વઓ, અવ્વાવારપોસહં સવ્વઓ, ચઉવ્વિહં પોસહં છામિ જાવ દિવસં (અહો-રત્તં) પજ્જુવાસામિ દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.
૨. પછી સામાયિક મુહપત્તિ પડિલેંહુના આદેશથી માંડીને ત્રણ નવકાર ગણીને સજ્ઝાય કરવા સુધી સામાયિક લેવાનો દરેક વિધિ કરવો.
૩. ત્યાર પછી રાઇઅ પ્રતિક્રમણ બાકી હોય તો કરવું. (જો સવારમાં ઉઠીને પોસહ લીધાં પહેલાં પ્રતિક્રમણ કરી લીધું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નહિ) પરંતુ તેમાં નીચે પ્રમાણે ફેરફાર કરવો.
(૧) સાત લાખ અને અઢાર પાપસ્થાનકને બદલે ગમણાગમણે આલોવવું.
(૨) ‘જાવ નિયમં’ ને બદલે ‘જાવ પોસહં’ બોલવું.
(૩) ચાર થોય બાદ નમુત્થણં કહીને ખમા. ઇચ્છા. બહુવેલ સંદિસાહું ? (ગુરૂઃ સંદિસાવેહ) ઇચ્છં કહી બીજું ખમા. આપી ઇચ્છા. બહુવેલ કરશું ? (ગુરૂઃ કરજો) ઇચ્છ કહેવુ. પછી ચાર ખમાસણ પૂર્વક આચાર્યદિને વંદન, પછી અડ્ઢાઈજ્જેસુ, પછી બે ચૈત્યવંદન કરવાં.
(૪) રાત્રિ પોસહમાં બીજા દિવસે સવારના પ્રતિક્રમણાં પણ એ પ્રમાણે વિધિ કરવો.
(૫) પોસહ લીધા પહેલાં રાઈઅ પ્રતિક્રમણ કર્યું હોય તો પોસહ લેવાની વિધિમાં સજ્ઝાય પછી ‘બહુવેલ.’ ના બન્ને આદેશો માગવા. પછી પડિલેહણની શરૂઆત કરવી.
૨. પડિલેહણનો વિધિ
‘ઇરિયાવહિયા’ કરીને ખમા. ઇચ્છા. પડિલેહણ કરૂં ? (ગુરૂ-કરેહ) ઇચ્છ કહી મુહપત્તિ. ૫ બોલથી, ચરવળો ૧૦ બોલથી, કટાસણું ૨૫ બોલથી, સુતરનો કંદોરો ૧૦ બોલથી, અને ધોતીયું ૨૫ બોલથી પડિલેહવા.
પછી ધોતીયું પહેરી કંદોરો બાંધી, ઇરિયાવાહિય કરી ખમા. ઇચ્છાકરી ભગવન્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી ! (ગુરૂઃ પડિલેહાવેમિ) ઇચ્છં કહી સ્થાપનાચાર્ય પડિલેહવા.
સ્થાપનાચાર્યની પડિલેહણના બોલ
(૧) શુદ્ધ સ્વરૂપના ધારક ગુરૂ (૨) જ્ઞાનમય (૩) દર્શનમય (૪) ચારિત્રમય (૫) શુદ્ધ શ્રદ્ધામય (૬) શુદ્ધ પ્રરૂપણામય (૭) શુદ્ધ-સ્પર્શનામય (૮) પંચાચાર પાળે (૯) પળાવે (૧૦) અનુમોદે (૧૧) મનગુપ્તિ (૧૨) વચનગુપ્તિ (૧૩) કાયગુપ્તિએ ગુપ્તા
સ્તાપનાજીનું પડિલેહણ થઈ ચુકેલ હોય તો વડીલનું ઉત્તરીય વસ્ત્ર પડિલેહી ખમા. ઇચ્છા. ઉપાધિ મુહપત્તિ પડિલેહું ? (ગુરૂઃ પડિલેહેહ) ઇચ્છં. મુહપત્તિ પડિલેહવી, ખમા. ઇચ્છા. ઉપાધિ સંદિસાહું ? (ગુરૂઃ સંદિસાવેહ) ઇચ્છં ખમા. ઇચ્છા. ઉપધિ પડિલેહું (ગુરૂઃ પડિલેહહ) ઇચ્છં. કહી બાકીનાં વસ્ત્રો વગેરે પડિલેહવા. પછી સૂવા-બેસવા આદિ માટે ભૂમિમાં કાજો લેવો.
૩. કાજો લેવાનો વિધિ
દંડાસણ લાવી, પડિલેહી, ઇરિયાવહિયા કરીને કાજો લેવો. પછી કાજામાં જીવ-જંતુ જીવતું કે મરેલ હયો તે તપાસી કાજો સુપડીમાં ભરીને જીવ-જંતુ અને તડકાથી રહિત શુદ્ધ જગ્યાએ જઈ ‘અણુજાણહ જસ્સુગ્ગહો’ કહી કાજો પરઠવવો, ને વોસિરે વોસિરે ત્રણવાર કહેવું. પછી દેવ વાંદવા અને સજ્ઝાય કરવી. કાજામાં મરેલ જીવજંતુ કે અનાજ વિ. ના સચિત્તદાણા હોય તો પ્રાયશ્રિત લેવું.
૪. દેવવંદનો વિધિ
પ્રથમ “ઇરિયાવહિયા” કરવા. પછી ખેસ નાખી. “ખમા.” દઈ, આદેશ માગી, “ચૈત્યવંદન”, “જંકિંચિ” “નમુત્થુણં” કહી, “જયવીરાય” “આભવખંડા” સુધી કહેવા. પછી બીજું ચૈત્યવંદન કહી, “અરિહંત ચેઇ. અન્નત્થ.” એક “નવકાર” નો કાઉસ્સગ્ગ, “નમોઅર્હત્” ને એક થોય, પછી “લોગસ્સ, સવ્વલોએ. અન્નત્થ.” કાઉસ્સગ્ગ, બીજી થોય, “પુક્ખરવરદી, સુઅસ્સ. અન્નત્થ.” “કાઉ. ત્રીજી થોય.” “સિદ્ધાણં. વેયાવચ્ચ. અન્નત્થ.” એક “નવકારનો” કાઉસ્સગ્ગ, “નમોઅર્હત્.” ચોથી થોય, વળી “નમુત્થુણં” કહી એ પ્રમાણે જ ચાર “થોયો” ક્રમે કહેવી. પછી “નમુત્થુણં. જાવંતિ. ખમા જાવંત” કહી “નમોઅર્હત્.” “સ્તવન” કહી અડધા “જય વીરયરાય” (“આભવખંડા” સુધી) કહેવા. પછી ચૈત્યવંદન ‘જંકિંચિ’ “નમુત્થુણં” કહી આખા “જય વીયરાય” કહેવા. પૌષધમાં સવારના દેવવંદન હોય તો “ખમા.” દઈ, “ઇચ્છા, સજ્ઝાય કરૂં ?” “ઇચ્છં” ગણી, “મણ્હ જિણાણં” ની સજ્ઝાય કહેવી.
૫. પોરિસી ભણાવવાનો વિધિ
સૂર્યોદય પછી પાદોન પોરિસી(પોણો પ્રહર) થતાં નીચે પ્રમાણે પોરિસી ભણાવવી. ખમા. ઇચ્છા. બહુપડિપુન્ના પોરિસી ? (ગુરૂઃ તહત્તિ) ઇચ્છં. ખમા. ઇચ્છા. ઇરિયાવહિયં પડિક્કમામિ ? (ગુરૂઃ પડિક્કમેહ.) ઇચ્છં કહી ઇરિયાવાહિયા કરવા. ખમા. ઇચ્છા. પડિલેહણ કરૂં ? (ગુરૂઃ કરેહ) ઇચ્છં. મહુપત્તિ પડિલેહવી.
૬. રાઈય મુહપત્તિનો વિધિ
‘ઇરિયાવહિયા’ કરીને ખમા. ઇચ્છા. રાઇયમુહપત્તિ પડિલેહું ? (ગુરૂઃ પડિલેહહ.) ઇચ્છં. મહુપત્તિ પડિલેહવી, બે વાંદણા દેવા. ઇચ્છા. રાઇયં આલોઉં ? (ગુરૂઃ આલોવેહ,) ઇચ્છં આલોએમિ જો મે રાઈઓ અઈઆરો. કહેવું. પછી સવ્વસ્સવિ રાઇઅ. (ગુરૂઃ પડિક્કમેહ.) ઇચ્છં તસ્સ મિચ્છામિ દુક્કડં કહેવું. પછી પદસ્થ હોય તો બે વાંદણા, નહીંતર એક ખમાસમણ દઈ, ઇચ્છાકર. કહી, અબ્ભુટિઠઓ ખામીને બે વાંદણા દેવાં. ઇચ્છકારી ભગવન્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી એમ કહી પચ્ચખાણ કરવું. (કાળ વખતે દેવ વંદાયા પછી આહાર વાપરવાના ધોરણને અનુસરીને પોસહમાં મુખ્યતયા પુરિમડ્ઠનું પચ્ચક્ખાણ કરવાનો વિધિ છે.)
પછી સર્વ મુનિમહારાજાઓને ગુરૂવંદન વિધિથી વંદન કરવું. પછી જિનમંદિરમાં દર્શન કરવા જવું.
પોસહ લીધા પછી દેહેર જઈ ઇરિયાવહિયા કરી, સો ડગલા ઉપરાંત છેટે ગયાં હોીએ કે ઠલ્લે-માત્રે ગયો હોઈએ તો ગમણાગણણે આલોવવું.
૭. ગમણા-ગમણે આલોચન
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ગમણાગમણે આલોઉં ? ઇચ્છં, ઇર્યા-સમિતિ, ભાષા-સમિતિ, એષણા-સમિતિ, આદાન-ભંડ-મત્ત-નિક્ખેવણા-સમિતિ, પારિષ્ઠાપનિકા-સમિતિ, મન-ગુપ્તિ, વચન-ગુપ્તિ, કાય-ગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણગુપ્તિ, એ આઠ વચન માતા શ્રાવતણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળી નહિં, ખંડાણા વિરાધના થઈ હોય, તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. તે પછી ચૈત્યવંદન કરી, પચ્ચક્કામ ઉચ્ચરવું.
મધ્યાહ્નના દેવ વાંદવાના વખતે દેહરે ગયા હોઈએ, અને દેહરામાં દેવ વાંદયા હોય, તો ઇરિયાવાહિયા કરી, ગમણાગમણે આલોવીને દેવ વાંદવાં. પચી પચ્ચક્કાણ ઉચ્ચરવું. ચોમાસામાં દેહરે દેવ વાંદવા હોય તો પોસહશાલામાં કાજો લઈને જવું.
પોસહશાળાએ આવીને દેવ વાંદવા હોય તો ત્યાં આવીને પણ ઇરિ. ગમણા, કરીને દેવ વંદાય, પરંતુ ચોમાસામાં મધ્યાહ્નનો કાજો, પૂર્વોક્ત કાજો લેવાની વિધિ પ્રમાણે લઈ (લીધા) પછી વંદાય. પછી વિધિથી પચ્ચક્ખાણ પારવું.
૮. પચ્ચક્ખાણ પારવાનો વિધિ
૧ પ્રથમ ‘ઇરિયાવહિયા’ પડિક્કમવા, પછી ‘જગચિંતામણિ’ ચૈત્યવંદનથી માંડી ‘જય વીયરાય’ સુધી કહેવું.
૨ પછી “ખમા” દઈ. સજ્ઝાયનો આદેશ માગી, નવકાર કહી ‘મણ્હ જિણાણ’ની સજ્ઝાય કહી, ખમા. દઈ આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. પછી ‘ખમા.’ દઈ ‘ઇચ્છા’ ‘પચ્ચક્ખાણ પારૂં ?’ ‘યથાશક્તિ’ કહી ‘ખમા’ દઈ ‘ઇચ્છા. પચ્ચક્ખાણ પાર્યું.’ ‘તહત્તિ’ કહી, જમણો હાથ કટાસણે કે ચરવાલા ઉપર સ્થાપી, એક ‘નવકાર’ ગણી પચ્ચક્ખાણ કર્યુ હોય તે કહીને પાળવું. તે આ પ્રમાણે-
આયંબિલ વગેરેનું પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર
ઉગ્ગએ સૂરે, નમુક્કરસહિઅ, પોરિસી, સાડ્ઠપોરિસી, સૂરે ઉગ્ગએ પુરિમડ્ઢ મુટ્ઠિસાહિઅં પચ્ચક્કાણ કર્યું. ચઉવિહાર, આયંબિલ, નીવી, એકાસણું, પચ્ચક્ખાણ કર્યું. તિવિહાર, પચ્ચક્કાણ-ફાસિઅં, પાલિઅં, સોહિઅં, તિરિઅં, કિટ્ટિઅં, આરાહિઅં, જં ચ ન આરાહિઅં તસ્સ મિચ્છામિ દુક્કડં.
તિવિવાહર ઉપવાસનું પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર
સૂરે ઉગ્ગે ઉપવાસ કર્યો તિવિવાહર, પોરિસી સાડ્ઢપોરિસી, પુરિમડ્ઠ મુઠ્ઠિસહિઅં પચ્ચક્કાણ કર્યું. પાણહાર, પચ્ચક્ખાણ ફાસિઅં, પાલિઅં, સોહિઅં, તિરિઅં, કિટ્ટિઅં, આરાહિઅં જં ચ ન આરાહિઅં તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી એક નવકાર ગણવો.
૯. આહારવિધિ
પોસહશાળામાં આહાર કરી શકાય, અથવા આહાર કરવા ઘેર પણ જઈ શકાય. ગુરૂ મહારાજની રજા લઈ ત્રણવાર આવસ્સહિ કહી પોસહશાળામાંથી નીકળવું. સાથે ક્રિયામાં વાપરવા સિવાયનું બીજું ધોતીયું લઈ ઇર્યાસમિતિ પૂર્વક જવું. ઘરમાં પ્રવેશ કરતાં “જયણા મંગળ” બોલવું સ્થાપનાચાર્ય સ્થાપી, ઇરિયાવિહિયા કરી, સો હાથ ઉપર જવાયું હોય તો ગમણા. કહી, પાટલા-વાસણ ભૂમિ વગેરેની પ્રતિલેખના તથા પ્રમાર્જના કરવી. વસ્ત્ર બદલી, કટાસણા ઉપર બેસી, મહુપત્તિથી મુખ પ્રમાર્જી, ચરવળો બાજુએ મૂકી, મુહપત્તિ કેડે રાખી, નવકાર ગણી આહાર કરવો. જોગ હોય તો તેમાંથી અતિથિસંવિભાગ પણ કરવો. આહાર કરતાં મૌન જાળવવું. જરા પણ એઠું મૂકવું નહિ., જમતાં પાણી લીધા વિના બોલવું નહિ, કેમ કે તેથી જ્ઞાનની અશાતના થાય. જે ચો પીરસી હોય તે ‘વાપરો’ એમ કહે પછી વરાય. કોઈ પણ સચિત્ત ચીજ ન વાપરવી. કાંઈ પણ એઠું ન મૂકવું. થાળી વગેરે ધોઈને પી જવું. થાળી, વાટકા વગેરે લુછીને સાફ કરવા, જેથી પાછળથી ઉટકવા વગેરેથી દોષ ન લાગે. જે રૂમાલથી થાળી વગેરે લુછ્યું હોય તે રૂમાલને સ્થાને આવીને પાણીથી ધોઈને સૂકવી દેવો.
ઉઠતાં તિવિહારનું પ્રત્યાખ્યાન કરવું, ને નવકાર ગણીને ઉઠવું, પછી કાજો લઈ પરઠવી પોસહશાળા જવું. નિસીહિ ત્રણ નવાકર કહી પૌષધશાળામાં પ્રવેશ કરવો.
તિવિહાર ઉપવાસવાળાને પાણી પીવું હોય અથવા આહાર તેમજ ચૈત્યવંદન કર્યા પછી આયંબલિ કે એકાસણવાળાને પાણી પીવું હોય, તો યાચીને લાવેલુ અચિત્ત પાણી કટાસણા ઉપર બેસીને પીવું. પીધેલું વાસણ લુંછીને મુકવું. પાણીનાં વાસણ ઉઘાડાં ન રાખવાં, પાણીના કાળનો ખ્યાલ રાખવો.
૧૦. આહાર પછીના ચૈત્યવંદનનો વિધિ
આહાર કરી પોસહશાળાએ આવ્યા પછી, ઇરિયાવહિયા કરી સો ડગલાથી ઉપર ગયા હોય તો ગમણાગણે આલોવી, જગચિંતામણિથી જયવીરાય સુધી ચૈત્યવંદન કરવું.
૧૧. સ્વાધ્યાય
ત્યાપ પછી પઠન-પાઠન-વાંચન, સ્વાધ્યાય, પ્રશ્ન, પ્રતિપ્રશ્ન, ચિતંન, મનન, નવકારવાળીથી, નમસ્કાર મંત્રનો જાપ, ધ્યાન, ઉપદેશશ્રવણ, ગ્રહણ, પુનરાવર્તન વગેરેમાં લીન થવું.
પોસહમાં દિવેસ સુવાનો આદેશ નથી. તીર્થંકર પરમાત્માના સામયિકના અનુકરણરૂપ પોસહ હોવાથી અપ્રમાદપણે પોસવ્રત ટટ્ટાર બેસી સાવધાનપણે સ્વાધ્યાયાદિ કરવાના હોય છે. ખાસ કારણે પણ ગુરૂ મહારાજની અનુજ્ઞા લીધા વિના ન સુવાય.
૧૨. માત્રુ કરવાનો તથા સ્થંડિલ જવાનો વિધિ
માત્રુ કરવા જવાનું વસ્ત્ર બદલવું, કાળ વખત હોય તો માથે કામળી રાખી, પુંજણી(પ્રમાર્જની) થી કોરી કુંડી જોઈને પ્રમાર્જવી, તેમાં માત્રુ કરી, ત્રણવાર “આવસ્સહી” કહેવાપૂર્વક ઉપાશ્રયની બહાર નીકળી પરઠવાની જગ્યે જઈ યોગ્ય ભૂમિ જોઈ મનમાં “અણુજાણહ જસ્સુગ્ગહો” કહી, માત્રુ પરઠવવું. પછી મનમાં વોસિરે વોસિરે પ્રવેશી કુંડી મૂળ જગ્યાએ મૂકવી. હાથ અપવિત્ર થયા હોય તો અચિત્ત પાણીથી હાથ ધોવા. (પાણી બહુ જ થોડું વાપરવું. પાણી સુકાઈ જાય તેવી જગ્યાએ હાથ ધોવા.) પછી વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સન્મુખ ઇરિયાવહિયા પડિક્કમવા.
આ પ્રમાણે જ સ્થંડિલ વિધિ સમજવો. લોટો વગેરે જળપાત્ર લઈને જવું. બેસતાં અણુજાણહ જસ્સુગ્ગહો, ને ઉઠ્યા પછી વોસિરે વોસિરે તર્ણ વાર કહેવું. પછી (અશુદ્ધિ ભૂમિમાં જવાનું થયું હોય તો)પોસળશાળાએ અલ્પ પાણીથી પગનું પ્રક્ષાલન કરી વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સામે ઇરિયાવહિયા કરી ગમણાગમણે આલોવવા.
૧૩. સાંજના પજિલેહણનો વિધિ
ત્રીજા પ્રહરના અંતે સાંજનું પડિલેહણ શરૂ કરવું.
ખમા. ઇચ્છા., બહુપડિપુન્ના પોરિસી ? (ગુરૂઃ તહત્તિ) ઇચ્છં. ખમા. ઇચ્છા. ઇરિયા. લોગસ્સ સુધી. ખમા. ઇચ્છા. પોસહશાળા પ્રમાર્જા ? (ગુરૂ : પમજ્જેહ) ઇચ્છં કહી ઉપવાસવાળાએ મુહપત્તિ, ચરવળો, કટાસણું એ ત્રણ અને આયંબિલ-એકાસણાવાળાએ કંદોરો, ધોતિયું એ બે સહિત પાંચ પડિલેહવા.
કંદોરો છોડી બાંધનારે ઇરિયાવહિયા કરવા. પછી બધાએ સાથે નીચે પ્રમાણે વિધિ કરવો. ખમા. ઇચ્છાકારી ભગવન્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી એમ કહી સ્થાપનાચાર્ય બોલ બોલીને પડિલેહવા. સ્થાપનાચાર્યનું પડિલેહણ થઈ ગયું હોય તો વડીલનું ઉત્તરીય-ખેસ (વગેરે) વસ્ત્ર પડિલેહવું. ખમા. ઇચ્છા. ઉપધિ મુહપત્તિ પડિલેહું ? (ગુરૂ : પડિલેહેહ.) ઇચ્છં કહી ઉપધિ મુહપત્તિ પડિલેહવી.
પછી ખમા. ઇચ્છા. સજ્ઝાય કરૂં ? (ગુરૂ : કરેહ.) ઇચ્છં કહી ઉભડક બેસી એક નવકાર ગણી “મણ્ગ જિણાણં.” ની સજ્ઝાય કહેવી.
પછી વાપર્યુ હોય તેણે બે વાંદણા દઈ પાણહારાનું પચ્ચક્ખાણ કરવું, તિવિહાર ઉપવાસાવાળાએ ખમાસમણ દઈ પાણહારનું પચ્ચક્ખાણ કરવું. ચોવિહાર ઉપવાસવાળાએ પચ્ચક્ખાણનું સ્મસરણ કરીને એમ ને એમ બેસવાનું છે. સવારે તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યું હોય, પરંતુ પાણી પીધું ન હોય અને પીવું પણ ન હોય તો ચોવિહારનું પચ્ચક્ખાણ કરવું. જેની ઇચ્છા હવે પણ પાણી પીવાની હોય, તેણે ગુરૂ મહારાજની અનુજ્ઞા મેળવી મુટ્ઠિસહિઅંનું પચ્ચક્ખાણ કરવું.
ખમા. ઇચ્છા. ઉપધિ સંદિસાહું ? (ગુરૂ : સંદિસાવેહ) ઇચ્છં. ખમા. ઇચ્છા. ઉપધિ પડિલેહું ? (ગુરૂઃ પડિલેહેહ) ઇચ્છં કહી પ્રથમ પિડલેહતાં જે કાંઈ બાકી રહેલ હોય તે સર્વ ઉપકરણો પડિલેહવા. રાત્રિ પોસહવાળાએ પહેલાં કામળી પડિલેહી બાકીની ઉપાધિ પડિલેહવી. પડિલેહણ બાદ સર્વ ઉપધિ લઈ ઊભા થઈ જવું. પછી દંડાસણ યાચી કાજો લેવાના વિધિ પ્રમાણે કાજો લેવો.
રાત્રિ પોસહ કરવાની ઇચ્છાવાળાએ ઓછામાં ઓછું એકાસણું તો કરેલું હોવો જ જોઈએ.
પડિલેહણ પછી કાજો પરઠવ્યા સુધી નીચે બેસવું નહી. પરઠવ્યા બાદ દેવ વાંદવાની શરૂઆત કરવી. મુટ્ઠિસહિઅંના પચ્ચક્ખાણવાળાએ દેવવંદન પહેલાં મુઠ્ઠિસંહિઅં પચ્ચક્ખાણ પાળી, પાણી પીને પાણહારનું પચ્ચક્ખાણ લઈ લેવું. જોઈએ, દેવવંદન બાદ પાણી પી શકાય નહીં.
૨૪. માંડલાં, સ્થંડિલની પડિલેહણા
જેણે સવારે આઠ પહોરનો પોસહ ઉચ્ચર્યો હોય અથવા જેમણે સાંજે રાત્રિ પોસહ ઉચ્ચર્યો હયો તેમણે સાંજના દેવવંદન પછી અને પ્રતિક્રમણ કરતાં પહેલાં કુંડળ ન લીધા હોય તો લે કાને ભરાવી સાચવી રાખવા, તથા દંડાસણ, રાત્રિમાં ઉપયોગમાં લેવા માટે ચુનાવાળું અચિત્ત પાણી, કુંડી, પુંજણી અને જરૂર પડે તેમ હોય તો લોટો વગેરે યાચી રાખવા.
પછી ખમા. ઇરિયાવહિયા કરી લોગસ્સ સુધી કહેવું. પછી ખમા. ઇચ્છા. સ્થંડિલ પડિલેહું ? (ગુરૂઃ પડિલેહેહ), ઇચ્છં કહી ચોવીશ માંડલાં કરવાં. માંડલા કરતી વખતે સંથારાની બાજુ મનમાં કલ્પી, ચરવળો કંપાવતાં, પહેલાં છ માંડલા કરવાં. ઉપાશ્રયના દ્વારની અંદર કલ્પી બીજાં છ માંડલાં કરવાં. દ્વારની બહાર કલ્પી ત્રીજાં છ માંડલાં કરવાં, ઉપાશ્રય પોસહશાળાથી ૧૦૦ ડગલાં દૂર કલ્પી ચોથાં છ માંડલાં કરવાં.
૨૪ માંડલા
૧ સંથારાની જગ્યાએ કરવના છ
૧ આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
૨ આઘાડે આસન્ને પાસવણે અણહિયાસે.
૩ આઘાડે મજ્ઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
૪ આઘાડે મજ્ઝે પાસવણે અણહિયાસે.
૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણુહિયાસે.
૬ આઘાડે દૂરે પાસવણે અણહિયાસે.
૨. ઉપાશ્રયના દ્વાર તરફ કરવના છ
૧ આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
૨ આઘાડે આસન્ને પાસવણે અણહિયાસે.
૩ આઘાડે મજ્ઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
૪ આઘાડે મજ્ઝે પાસવણે અણહિયાસે.
૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણુહિયાસે.
૬ આઘાડે દૂરે પાસવણે અણહિયાસે.
૩. ઉપાશ્રયના દ્રારની બહાર નજીકમાં કરવાના છ
૧ આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
૨ આઘાડે આસન્ને પાસવણે અણહિયાસે.
૩ આઘાડે મજ્ઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
૪ આઘાડે મજ્ઝે પાસવણે અણહિયાસે.
૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણુહિયાસે.
૬ આઘાડે દૂરે પાસવણે અણહિયાસે.
૪. ઉપાશ્રયથી સો હાથ દૂર કરવના છ
૪. ૧ આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
૫. ૨ આઘાડે આસન્ને પાસવણે અણહિયાસે.
૬. ૩ આઘાડે મજ્ઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
૭. ૪ આઘાડે મજ્ઝે પાસવણે અણહિયાસે.
૮. ૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણુહિયાસે.
૯. ૬ આઘાડે દૂરે પાસવણે અણહિયાસે.
પછી પ્રતિક્રમણ કરવું. તેમાં સાત લાખ અને અઢાર પાપસ્થાકના બદલે ગમણા કહેવું, કરેમિ ભંતે ! માં જ્યાં “જાવ નિયમં” આવે, ત્યાં “જાવ પોસહં” બોલવું.
૧૫. દિવસ પોસહવાળાઆ માટે પોસહ પારવાનો વિધિ
ઇરિયાવહિયા કરીને ચઉક્કસાય. નમુત્થુણં, જાવંતિ, ખમા. જાવંત. નમોર્હત્, ઉવસગ્ગહરં. જયવીયરાય. પૂરા કહેવા.
પછી યાચેલા દંડાસણ, કુંડી, પાણી વિગેરે સામાયિક વગરના છુટા ગૃહસ્થને ભળાવી દેવા. ઇચ્છા. મુહપત્તિ પડિલેહું ? (ગુરૂ : પડિલેહેહ) ઇચ્છં કહી મુહપત્તિ પડિલેહવી. ખમા. ઇચ્છા. પોસહ પારૂં ? (ગુરૂ : પુણોવિ કાયવ્વો.) યથાશક્તિ. ખમા. ઇચ્છા. પોસહા પાર્યો. (ગુરૂ : આયોરો નો મોત્તવો.) તહત્તિ, ચરવળા ઉપર હાથ સ્થાપી, એક નવકાર ગણીને નીચે મુજબ કહેવુ.
પોસહ પારવાનું સૂત્ર
સાગરચંદો કામો, ચંડવડિંસો સુદંસણો ધન્નો;
જેસિં પોસહ-પડિમા, અખંડિઆ જીવિઅંતે વિ. ।૧।
ધન્ના સલાહવિજ્જા, સુલસા આણંદ કામદેવા ય;
જાસ પસંસઇ ભયવં, દ્દઢ-વ્વયતં મહાવીરો. ।૨।
પોસહવિધિએ લીધો, વિધએ પાર્યો, વિધિ કરતા જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હું મન, વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં, પોસહના અઢાર દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. પછી સામાયિક પારાવના વિધિ પ્રમાણે સમાયિક પરાવું. પછી સ્થાપનાચાર્ય સ્થાપેલા હોય, તો હાથ સ્થાપનાચાર્ય સામે સવળો રાખી એક નવકાર ગણવો.
૧૬. સંથારા પોરિસીનો વિધિ
પ્રતિક્રમણ કર્યા પછી પહોર રાત્રિ સુધી સ્વાધ્યાય-ધ્યાન કર્યા પછી સુવા માટે સંથારા પોરિસી ભણાવવાની શરૂઆત કરવી. ખમા. ઇચ્છા. બહુપડિપન્ના પોરિસી ? (ગુરૂઃ તહત્તિ) ખમા. ઇરિયાવહિયા કરીને લોગસ્સ સુધી કહેવું. પછી ખમા. ઇચ્છા. બહુપડિપુન્ના પોરિસી, રાઇય સંથારએ ઠાઉં ? (ગુરૂ : ઠાએહ) ઇચ્છં, ખમા, ઇચ્છા. સંથારા પોરિસી વિધિ ભણાવ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં કહી મુહપત્તિ પડિલેહવી. પછી નીચે મુજબ સંથારા પોરિસીનો પાઠ કહેવો.
સંથારા પોરિસી
નિસીહિ નિસીહી નિસીહી નમો ખમાસમણાણં ગોયમાઇણં મહામુણીણં. (એ પાઠ, નવકાર તથા કરેમિ ભંતે ! સૂત્ર, એટલા સર્વ પાઠ ત્રણ વાર કહેવા.)
અણુજાણહ જિટ્ઠિજ્જા ! અણુજાણહ પરમગુરૂ ! ગુરુગુણરયણેહિં મંડિયરીરી ! બહુપડિપુણ્ણા પોરિસી, રાઈય સંથારએ ઠામિ ? ।૧। અણુજાણહ સંથારં, બાહૂવહાણેણ વામપાસમણે; કુકકુડિપાયપસારણ, અતરંત પમ્જ્જએ ભૂમિં. ।૨। સંકોઈઅ સંડાસા, ઉવટ્ટંતે અ કાયપડિલેહા, દવ્વાઇઉવઓગં, ઊસાસનિરૂંભણાલોએ, ।૩। જઈ મે હુજ્જ પમાઓ, ઇમસ્સ દેહસ્સિમાઈ રયણીએ; આહારમુવહિદેવં, સવ્વ તિવિહેણ વોસિરિઅં. ।૪। ચત્તારિ મંગલ, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહૂ મંગલં, કેવલિપન્નત્તો ધમ્મો મંગલં. ।૫। ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લોગુત્તમા, કેવલિ પન્નત્તો ધમ્મો લોગુત્તમો. ।૬। ચત્તારિ સરણં પવજ્જામિ, અરિહંતે સરણં પવજ્જામિ, સિદ્ધે સરણં પવજ્જામિ, સાહૂ સરણં પવજ્જામિ, કેવલિ પન્નત્તં ધમ્મં સરણં પવજ્જામિ. ।૭। પાણાઇવાયમલિઅં, ચોરિક્કં મેહુણં દવિણમુચ્છ; કોહં માણં માયં લોભં પિજ્જં તહા દોસં. ।૮। કલહં અબ્ભક્ખાણં, પેસુન્નં રિઅરઇસમાઉત્તં; પરપિરવાયં માયા-મોસં મિચ્છત્તસલ્લં ચ ।૯। વોસિરિસુ ઇમાઇ મુક્ખમગ્ગસંગ્ગવિગ્ધભૂઆઈ; દુગ્ગઇનિબંધણાઇ, અટ્ઠારસ પાવઠાણાઇં. ।૧૦। એગોહં નત્થિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઇ, એવં અદીણમણોસ, અપ્પાણમણુસાસઈ. ।૧૧। એગો મે સાસઓ અપ્પા, નાણદંસણ-સંજુઓ; સેસા મે બાહિરા ભાવા, સવ્વે સંજોગલક્ખણ. ।૧૨। સંજોગમૂલે જીવેણ, પત્તા દુક્ખપરંપરા; તમ્હા જોગસંબંધં, સવ્વ તિવિહેણ વોસિરિઅં. ।૧૩। અરિહંતો મહ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરૂણો; જિણપન્નતં તત્તં, ઇઅ સમ્મત્તં મએ ગઇઅં. ।૧૪।
૧૪ મી ગાથા ત્રણ વાર કહી સાત નવકાર ગણી નીચેની ત્રણ ગાથા કહેવી.
ખમિઅ ખમાવિઅ મઇખમહ, સવ્વહ જીવનિકાય; સિદ્ધ સાખ આલોયહ, મુજ્ઝહ વઇર ન ભાવ. ।૧૫। સવ્વે જીવા કમ્મવસ, ચઉદહ રાજ ભમંત, તે મે સવ્વ ખમાવિઆ, મુઝ વિ તેહ ખમંત. ।૧૬। જં જં મણેણ બદ્ધં, જં જં વાએણ ભાસિઅં પાવં, જં જં કાએણ કાયં, મિચ્છામિ દુક્કડં તસ્સ. ।૧૭।
૧૭. સંથારો પાથરવાનો વિધિ
પ્રથમ કામળી વિગેરે ઉનનું સંથારિયું પાથરવું, તેના ઉપર સુતરનો ઉત્તરપટ્ટો પાથરવો, મુહપત્તિ કેડે ભરાવવી, ચરવળો જમણે પડખે મૂકવો, માતરીયું વસ્ત્ર પહેરવું.
સાંજના પ્રતિક્રમણ પછી ચાલવું પડે તો દંડાસણવિના ચાલવુ જ નહી. પરંતુ ધૂળવાળા રસ્તામાં, બત્તી વગેરેના પ્રકાશમાં, ખુલ્લી ભૂમિમાં દંડાસણનો ઉપયોગ કરવો નહીં. સૂતા પછી પડખું ફેરવવું પડે તો ચરવળાથી પ્રમાર્જીને ફેરવવું. કાનમાં રૂના કુંડળ નાખવાં. તેથી કાનમાં કોઈ જંતુ પ્રવેશીને મરે નહીં. કુંડળ ખોવાય તો પ્રાયશ્ચિત આવે છે. ડાબું પડખું દબાવીને હાથનું ઓશીકું કરીને બની શકે તો અંગ સંકોચીને સૂવું.