-
નમસ્કાર મહામંત્ર
નમો અરિહંતાણં. ૧
નમો સિદ્ધાણં. ૨
નમો આયરિયાણં. ૩
નમો ઉવજ્ઝાયાણં. ૪
નમો લોએ સવ્વસાહૂણં. ૫
એસો પંચ નમુક્કારો. ૬
સવ્વપાવપ્પણાસણો. ૭
મંગલાણં ચ સવ્વેસિં ૮
પઢમં હવઈ મંગલં ૯
કરેમિ ભંતે
કરેમિ ભંતે! સામાઇયં સવ્વં સાવજ્જં જોગં પચ્ચક્ખામિ, જાવજ્જીવાએ, તિવિહં, તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, કરંતં પિ અન્નં ન સમણુજાણામિ, તસ્સ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ.
ઇચ્છામિ ઠામિ
ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગં, જો મે દેવસિઓ અઇયારો કઓ કાઇઓ વાઇઓ માણસિઓ, ઉસ્સુત્તો ઉમગ્ગો અકપ્પો અકરણિજ્જો દુજ્ઝાઓ દુવ્વિચિંતિઓ અણાયારો અણિચ્છિઅવ્વો અસમણપાઉગ્ગો, નાણે દંસણે ચરિત્તે સુએ સામાઇએ, તિણ્હં ગુત્તીણં, ચઉણ્હં કસાયાણં, પંચણ્હં મહવ્વયાણં, છણ્હં જીવનિકાયાણં, સત્તણ્હં પિંડેસણાણં, અટ્ઠણ્હં પવયણમાઊણં, નવણ્હં બંભચેરગુત્તીણં, દસવિહે સમણધમ્મે, સમણાણં જોગાણં, જં ખંડિયં, જં વિરાહિયં, તસ્સ મિચ્છા મિ દુક્કડં
દેવસિઅં આલોઉં
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅં આલોઉં? ઇચ્છં, આલોએમિ જો મે દેવસિઓ૦ બાકી ઉપર પ્રમાણે
ઇચ્છામિ પડિક્કમિઉં
ઇચ્છામિ પડિક્કમિઉં, જો મે દેવસિઓ૦ બાકી ઉપર પ્રમાણે.
દૈવસિક અતિચાર
ઠાણે કમણે ચંકમણે આઉત્તે અણાઉત્તે હરિયકાયસંઘટ્ટે બીયકાયસંઘટ્ટે ત્રસકાયસંઘટ્ટે થાવરકાયસંઘટ્ટે છપ્પઈયા સંઘટ્ટે, ઠાણાઓઠાણં સંકામિયા, દેહરે ગોચરી બાહિરભૂમિ માર્ગે જતાં આવતાં સ્ત્રી-તિર્યંચતણા સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, દિવસમાંહિ ચારવાર સજ્ઝાય સાતવાર ચૈત્યવંદન કીધાં નહીં, પ્રતિલેખના આઘી-પાછી ભણાવી-અસ્તોવ્યસ્ત કીધી, આર્ત્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહીં ગોચરીતણા બેંતાલીશ દોષ ઉપજતા જોયા નહીં, પાંચદોષ મંડલિતણા ટાલ્યા નહીં, માત્રું અણુપુંજે લીધું-અણપુંજી ભૂમિકાએ પરઠવ્યું-પરઠવતાં અણુજાણહ જસ્સુગ્ગહો કીધો નહીં. પરઠવ્યા પુંઠે વારત્રણ વોસિરે વોસિરે કીધો નહીં, દેહરા ઉપાશ્રયમાંહિ પેસતાં નિસરતાં નિસિહિ આવસ્સહિ કહેવી વિસારી, જિનભવને ચોરાશી આશાતના, ગુરુપ્રત્યે તેત્રિશઆશાતના, અનેરો દિવસસંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય, તે સવિહુ મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડં.
રાત્રિક અતિચાર
સંથારાઉવટ્ટણકી પરિયટ્ટણકી આઉંટણકી પસારણકી છપ્પઈયસંઘટ્ટણકી સંથારો ઉત્તરપટ્ટો ટાલી અધિકો ઉપગરણ વાપર્યો, શરીર અણપડિલેહ્યું હલાવ્યું, માત્રું અણુપુંજ્યું લીધું-અણપુંજી ભૂમિએ પરઠવ્યું-પરઠવતાં અણુજાણહ જસ્સુગ્ગહો કીધો નહીં-પરઠવ્યા પુંઠે વારત્રણ વોસિરે વોસિરે કીધો નહીં, સંથારાપોરિસિ ભણવી વિસારી, પોરિસિ ભણાવ્યા વિના સૂતા, કુસ્વપ્ન લાધ્યાં, સુપનાંતરમાંહિ શિયલની વિરાધના હુઇ, મન આહટ્ટ દોહટ્ટ ચિંતવ્યું, સંકલ્પ વિકલ્પ કીધો, અનેરો રાત્રિસંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય, તે સવિહુ મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડં.
શ્રમણસૂત્ર
નમો અરિહંતાણં૦ કરેમિ ભંતે! સામાઇઅં૦ ચત્તારિ મંગલં૦ ઇચ્છામિ પડિક્કમિઉં જો મે દેવસિઓ૦ ઇચ્છામિ પડિક્કમિઉં ઇરિઆવહિઆએ૦
ઇચ્છામિ પડિક્કમિઉં પગામસિજ્જાએ નિગામસિજ્જાએ સંથારા ઉવટ્ટણાએ પરિઅટ્ટણાએ આઉંટણાએ પસારણાએ છપ્પઇયસંઘટ્ટણાએ કૂઇએ કક્કરાઇએ છીએ જંભાઇએ આમોસે સસરક્ખામોસે આઉલમાઉલાએ સોઅણવત્તિઆએ ઇત્થીવિપ્પરિઆસિઆએ દિટ્ઠીવિપ્પરિઆસિઆએ મણવિ-પ્પરિઆસિઆએ પાણભોઅણવિપ્પરિઆસિઆએ જો મે દેવસિઓ અઇઆરો કઓ, તસ્સ મિચ્છા મિ દુક્કડં
પડિક્કમામિ ગોઅરચરિઆએ ભિક્ખાયરિઆએ ઉગ્ઘાડ-કવાડ-ઉગ્ઘાડણાએ સાણા-વચ્છાદારા સંઘટ્ટણાએ મંડી-પાહુડિઆએ બલિ-પાહુડિઆએ ઠવણા પાહુડિઆએ સંકિએ સહસાગારિએ અણેસણાએ પાણેસણાએ પાણભોઅણાએ બીઅભોઅણાએ હરિઅભોઅણાએ પચ્છેકમ્મિઆએ પુરે-કમ્મિઆએ અદિટ્ઠહડાએ દગસંસટ્ઠહડાએ રયસંસટ્ઠ-હડાએ પારિસાડણિઆએ પારિટ્ઠાવણિઆએ ઓહાસણ-ભિક્ખાએ જં ઉગ્ગમેણં ઉપ્પાયણેસણાએ અપરિસુદ્ધં પડિગ્ગહિઅં પરિભુત્તં વા જં ન પરિટ્ઠવિઅં તસ્સ મિચ્છા મિ દુક્કડં
પડિક્કમામિ ચાઉક્કાલં સજ્જાયસ્સ અકરણયાએ ઉભઓ-કાલં ભંડોવગરણસ્સ અપ્પડિલેહણાએ દુપ્પડિલેહણાએ અપ્પમજ્જણાએ દુપ્પમજ્જણાએ અઇક્કમે વઇક્કમે અઇઆરે અણાયારે જો મે દેવસિઓ અઇયારો કઓ, તસ્સ મિચ્છા મિ દુક્કડં
પડિક્કમામિ એગવિહે-અસંજમે પડિ૦ દોહિં બંધણેહિં-રાગબંધણેણં દોસબંધણેણં પડિ૦ તિહિં દંડેહિં-મણદંડેણં વયદંડેણં કાયદંડેણં પડિ૦ તિહિં ગુત્તીહિં-મણગુત્તીએ વયગુત્તીએ કાયગુત્તીએ પડિ૦ તિહિંસલ્લેહિં-માયાસલ્લેણં નિયાણસલ્લેણં મિચ્છાદંસણસલ્લેણં પડિ૦ તિહિં ગારવેહિં-ઇડ્ઢીગારવેણં રસગારવેણં સાયાગારવેણં પડિ૦ તિહિં વિરાહણાહિં-નાણવિરાહણાએ દંસણવિરાહણાએ ચરિત્તા-વિરાહણાએ પડિ૦ ચઉહિં કસાએહિં-કોહકસાએણં માણકસાએણં માયાકસાએણં લોહકસાએણં પડિ૦ ચઉહિં સન્નાહિં-આહારસન્નાએ ભયસન્નાએ મેહુણસન્નાએ પરિગ્ગહસન્નાએ પડિ૦ ચઉહિં વિકહાહિં-ઇત્થિકહાએ ભત્તકહાએ દેસકહાએ રાયકહાએ પડિ૦ ચઉહિં ઝાણેહિં-અટ્ટેણં ઝાણેણં, રુદ્દેણં ઝાણેણં, ધમ્મેણં ઝાણેણં, સુક્કેણં ઝાણેણં પડિ૦ પંચહિં કિરિઆહિં-કાઇઆએ અહિગરણિઆએ પાઉસિઆએ પારિતાવણિઆએ પાણાઇવાયકિરિઆએ પડિ૦ પંચહિં કામગુણેહિં-સદ્દેણં રુવેણં રસેણં ગંધેણં ફાસેણં પડિ૦ પંચહિં મહવ્વઅહિં-પાણાઇવાયાઓ વેરમણં, મુસાવાયાઓ વેરમણં, અદિન્નાદાણાઓ વેરમણં, મેહુણાઓ વેરમણં પરિગ્ગહાઓ વેરમણં પડિ૦ પંચહિં સમિઇહિં-ઇરિયાસમિઇએ ભાસાસમિઇએ એસણાસમિઇએ આયાણભંડમત્ત-નિક્ખેવણાસમિઇએ ઉચ્ચાર-પાસવણ-ખેવ-જલ્લ-સિંઘાણ-પારિટ્ઠવણિઆસમિઇએ પડિ૦ છહિં જીવનિકાએહિં-પુઢવિકાએણં આઉકાએણં તેઉકાએણં વાઉકાએણં વણસ્સઇકાએણં તસકાએણં પડિ૦ છહિં લેસાહિં-કિણ્હલેસાએ નીલલેસાએ કાઉલેસાએ તેઊલેસાએ પમ્હલેસાએ સુક્કલેસાએ પડિ૦ સત્તહિં ભયઠાણેહિં, અટ્ઠહિં મયઠાણેહિં, નવહિં બંભચેરગુત્તીહિં, દસવિહે સમણધમ્મે, ઇગારસહિં ઉવાસગપડિમાહિં, બારસહિં ભિક્ખુપડિમાહિં તેરસહિં કિરિઆઠાણેહિં, ચઉદસહિં ભૂઅગામેહિં, પન્નરસહિં પરમાહમ્મિએહિં, સોલસહિં ગાહાસોલસએહિં, સત્તરસવિહે અસંજમે, અટ્ઠારસવિહે અબંભે એગૂણવીસાએ નાયજ્ઝયણેહિં, વીસાએ અસમાહિટ્ઠાણેહિં, ઇક્કવીસાએ સબલેહિં, બાવીસાએ પરિસહેહિં, તેવીસાએ સુઅગડજ્ઝયણેહિં, ચઉવીસાએ દેવેહિં, પણવીસાએ ભાવણાહિં, છવ્વીસાએ દસાકપ્પવવહારાણં ઉદ્દેસણકાલેહિં, સત્તાવીસાએ અણગારગુણેહિં, અટ્ઠાવીસાએ આયારકપ્પેહિં, એગૂણતીસાએ પાવસુઅપ્પસંગેહિ, તીસાએ મોહણીયટ્ઠાણેહિં, ઇગતીસાએ સિદ્ધાઇગુણેહિં, બત્તીસાએ જોગસંગહેહિં તિત્તીસાએ આસાયણાહિં-(૧) અરિહંતાણં આસાયણાએ (૨) સિદ્ધાણં- આ૦ (૩) આયરિઆણં-આ૦ (૪) ઉવજ્ઝાયાણં-આ૦ (૫) સાહૂણં-આ૦ (૬) સાહુણીણં-આ૦ (૭) સાવયાણં-આ૦ (૮) સાવિયાણં-આ૦ (૯) દેવાણં-આ૦ (૧૦) દેવીણં-આ૦ (૧૧) ઇહલોગસ્સ-આ૦ (૧૨) પરલોગસ્સ-આ૦ (૧૩) કેવલિપન્નતસ્સ ધમ્મસ્સ-આ૦ (૧૪) સદેવમણુ આસુરસ્સ લોગસ્સ-આ૦ (૧૫) સવ્વપાણભૂઅજીવ સત્તાણં-આ૦ (૧૬) કાલસ્સ-આ૦ (૧૭) સુઅસ્સ-આ૦ (૧૮) સુઅદેવયાએ-આ૦ (૧૯) વાયણાયરિઅસ્સ-આ૦ (૨૦) જં વાઇદ્ધં (૨૧) વચ્ચામેલિઅં (૨૨) હીણક્ખરં (૨૩) અચ્ચક્ખરં (૨૪) પયહીણં (૨૫) વિણયહીણં (૨૬) ઘોસહીણં (૨૭) જોગહીણં (૨૮) સુટ્ઠુદિન્નં (૨૯) દુટ્ઠુપડિચ્છિઅં (૩૦) અકાલે કઓ સજ્ઝાઓ (૩૧) કાલે ન કઓ સજ્ઝાઓ (૩૨) અસજ્ઝાએ સજ્ઝાઇઅં (૩૩) સજ્ઝાએ ન સજ્ઝાઇઅં તસ્સ મિચ્છા મિ દુક્કડં.
નમો ચઉવીસાએ તિત્થયરાણં ઉસભાઇ મહાવીર પજ્જવસાણાણં ઇણમેવ નિગ્ગંથં પાવયણં, સચ્ચં અણુત્તરં કેવલિઅં પડિપુન્નં નેઆઉઅં સંસુદ્ધં સલ્લગત્તણં સિદ્ધિમગ્ગં મુત્તિમગ્ગં નિજ્ઝાણમગ્ગં નિવ્વાણમગ્ગં અવિતહમવિસંધિ સવ્વદુક્ખપહીણમગ્ગં, ઇત્થં ઠિઆ જીવા સિજ્ઝંતિ બુજ્ઝંતિ મુચ્ચંતિ પરિનિવ્વાયંતિ, સવ્વદુક્ખાણમંતં કરંતિ, તં ધમ્મં સદ્દહામિ પત્તિઆમિ રોએમિ ફાસેમિ પાલેમિ અણુપાલેમિ, તં ધમ્મં સદ્દહંતો પત્તિઅંતો રોઅંતો ફાસંતો પાલંતો અણુપાલંતો
તસ્સ ધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ અબ્ભુટ્ઠિઓમિ આરાહણાએ, વિરઓ મિ વિરાહણાએ
અસંજમં પરિઆણામિ, સંજમં ઉવસંપજ્જામિ, અબંભં પરિઆણામિ, બંભં ઉવસંપજ્જામિ, અકપ્પં પરિઆણામિ, કપ્પં ઉવસંપજ્જામિ, અન્નાણં પરિઆણામિ, નાણં ઉવસંપજ્જામિ, અકિરિઅં પરિઆણામિ, કિરિઅં ઉવસંપજ્જામિ, મિચ્છત્તં પરિઆણામિ, સમ્મત્તં ઉવસંપજ્જામિ, અબોહિં પરિઆણામિ, બોહિં ઉવસંપજ્જામિ, અમગ્ગં પરિઆણામિ, મગ્ગં ઉવસંપજ્જામિ, જં સંભરામિ, જં ચ ન સંભરામિ, જં પડિક્કમામિ, જં ચ ન પડિક્કમામિ, તસ્સ સવ્વસ્સ દેવસિઅસ્સ અઇઆરસ્સ પડિક્કમામિ, સમણો હં, સંજય વિરય પડિહય પચ્ચક્ખાય પાવકમ્મે, અનિયાણો દિટિ્ઠસંપન્નો માયામોસવિવજ્જિઓ
અડ્ઢાઇજ્જેસુ દીવસમુદ્દેસુ પન્નરસસુ કમ્મભૂમિસુ, જાવંત કેવિ સાહુ, રયહરણગુચ્છ પડિગ્ગહ ધારા, પંચમહવ્વયધારા, અટ્ઠારસસહસસીલંગધારા, અક્ખુયાયારચરિત્તા, તે સવ્વે સિરસા મણસા મત્થએણ વંદામિ.
ખામેમિ સવ્વજીવે, સવ્વેજીવા ખમંતુ મે; મિત્તી મે સવ્વભૂએસુ, વેરં મજ્ઝ ન કેણઇ (૧) એવમહં આલોઇઅ, નિંદિઅ ગરહિઅ દુગંછિઅં સમ્મં; તિવિહેણ પડિક્કંતો, વંદામિ જિણે ચઉવ્વીસં (૨)
પાક્ષિક અતિચાર
નાણંમિ દંસણંમિ અ, ચરણંમિ તવંમિ તહય વિરયંમિ; આયરણં આયારો, ઇય એસો પંચહા ભણિઓ. ૧
જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર વીર્યાચાર એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ-દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિહુ મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં (૧)
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર-કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્હવણે; વંજણ અત્થ તદુભએ, અટ્ઠવિહો નાણમાયારો (૧)
જ્ઞાન કાલવેલામાહે પઢ્યો ગુણ્યો પરાવર્ત્ત્યો નહિ-અકાલે પઢ્યો, વિનયહીન બહુમાનહીન યોગોપધાનહીન પઢ્યો, અનેરાકન્હે પઢ્યો-અનેરો ગુરુ કહ્યો, દેવવંદણ વાંદણે પડિક્કમણે સજ્ઝાય કરતાં પઢતાં ગુણતાં કુડોઅક્ષર કાને-માત્રે આગલો-ઓછો ભણ્યો ગુણ્યો, સૂત્રાર્થ તદુભય કૂડાં કહ્યાં, કાજો અણઉદ્ધર્યો, દાંડો અણપડિલેહ્યો, વસતિ અણશોધ્યાં અણપવેયાં, અસજ્ઝાઇ અણોજ્ઝા કાલવેલા માંહિ શ્રીદશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત પઢ્યો ગુણ્યો પરાવર્ત્ત્યો, અવિધિએ-યોગોપધાન કીધા કરાવ્યાં, જ્ઞાનોપગરણ પાટી પોથી ઠવણી કવલી નવકારવાલી સાપડા સાપડી દસ્તરી વહી કાગલીઆ ઓલિઆ પ્રત્યે પગ લાગ્યો થુંક લાગ્યું, થુંકે કરી અક્ષર ભાંજ્યો, જ્ઞાનવંત પ્રત્યે પ્રદ્વેષ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી, કુણહિ પ્રત્યે તોતડો બોબડો દેખી હસ્યો વિતકર્યો, મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મનઃપર્યવજ્ઞાન કેવલજ્ઞાન એ પાંચે જ્ઞાનતણી અસદ્દહણા આશાતના કીધી, જ્ઞાનાચાર વિષઇઓ અનેરો૦ (૨)
દર્શનાચારે આઠ અતિચાર-નિસ્સંકિઅ નિક્કંખિઅ, નિવ્વિતિગિચ્છા અમૂઢદિટ્ઠીઅ; ઉવવૂહ થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટ્ઠ (૧)
દેવગુરૂધર્મતણે વિષે નિસ્સંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ધર્યો નહીં, ધર્મ સંબંધીઆ ફલતણે વિષે નિસ્સંદેહ બુદ્ધિ ધરી નહીં, સાધુ-સાધ્વી તણી નિંદા જુગુપ્સા કીધી, મિથ્યાત્વીતણી પૂજા-પ્રભાવના દેખી મૂઢદૃષ્ટિપણું કીધું, સંઘમાંહિ ગુણવંતતણી અનુપબૃંહણા કીધી, અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અભક્તિ નિપજાવી.
તથા દેવદ્રવ્ય ગુરૂદ્રવ્ય સાધારણદ્રવ્ય ભક્ષિત-ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાસ્યો, વિણસંતો ઉવેખ્યો, છતી શક્તિએ સારસંભાળ ન કીધી ઠવણાયરિય હાથથકી પાડ્યા, પડિલેહવા વિસાર્યા, જિનભવણતણી ચોરાશી આશાતના, ગુરૂપ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, દર્શનાચાર વિષઇઓ અનેરો૦ (૩)
ચારિત્રાચારે આઠ અતિચાર-પણિહાણજોગજુત્તો, પંચહિં સમિઇહિં તીહિં ગુત્તીહિં; એસ ચરિત્તાયારો, અટ્ઠવિહો હોઇ નાયવ્વો (૧)
ઇર્યાસમિતિ ભાષાસમિતિ એષણાસમિતિ આદાન ભંડમત્તનિક્ષેપણાસમિતિ પારિષ્ઠાપનિકાસમિતિ, મનોગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ, એ અષ્ટ પ્રવચનમાતા રૂડીપરે પાલી નહીં, સાધુતણે ધર્મે સદૈવ, શ્રાવકતણે ધર્મે સામાયિક-પૌષધ લીધે જે કાંઇ ખંડના-વિરાધના કીધી હોય, ચારિત્રાચાર વિષઇઓ અનેરો૦ (૪)
વિશેષતશ્ચારિત્રાચારે તપોધનતણે ધર્મે-વયછક્કં, કાયછક્કં અકપ્પોગિહિભાયણં; પલિઅંક નિસિજ્જાએ, સિણાણં સોહવજ્જણં.
વ્રતષટ્કે પહિલે મહાવ્રતે પ્રાણાતિપાત સૂક્ષ્મ બાદર ત્રસ થાવર જીવતણી વિરાધના હુઈ, બીજે મહાવ્રતે ક્રોધ લોભ ભય હાસ્ય લગે જુઠું બોલ્યા, ત્રીજે અદત્તાદાન વિરમણ મહાવ્રતે-સામીજીવાદત્તં, તિત્થયરઅદત્તં તહેવ ય ગુરુહિં; એવમદત્તં ચઉહા, પણ્ણત્તં વીયરાએહિં (૧)
સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થંકર અદત્ત, ગુરુ અદત્ત, એ ચતુર્વિધ અદત્તાદાનમાંહિ જે કાંઈ અદત્ત પરિભોગવ્યું, ચોથે મહાવ્રતે વસહિ કહ નિસિજ્જિંદિય, કુડ્ડિંતર પુવ્વકીલિએ પણિએ; અઇમાયાહાર વિભૂસણાય, નવ બંભચેર ગુત્તીઓ (૧) એ નવવાડી સુધી પાલી નહીં, સુહણે સ્વપ્નાંતરે દૃષ્ટિવિપર્યાસ હુઓ, પાંચમે મહાવ્રતે-ધર્મોપગરણને વિષે ઇચ્છા મૂચ્છર ગૃદ્ધિ આસક્તિ ધરી, અધિકો ઉપગરણ વાવર્યો, પર્વતિથિએ પડિલેહવો વિસાર્યો, છટ્ઠે રાત્રિભોજન વિરમણવ્રતે-અસૂરો ભાતપાણી કીધો, છારોદ્ગાર આવ્યો, પાત્રે પાત્રબંધે તક્રાદિકનો છાંટો લાગ્યો-ખરડ્યો રહ્યો, લેપ-તેલ ઔષધાદિકતણો સંનિધિ રહ્યો, અતિમાત્રાએ આહાર લીધો, એ છએ વ્રત વિષઇઓ અનેરો૦ (૫)
કાયષટ્કે ગામતણે પઇસારે-નીસારે પગ પડિલેહવા વિસાર્યા, માટી મીઠું ખડી ધાવડી અરણેટ્ટો પાષાણતણી ચાતલી ઉપર પગ આવ્યો, અપ્કાય-વાઘારી ફૂસણા હુવા, વિહરવા ગયા, ઉલખો હાલ્યો, લોટો ઢોલ્યો, કાચાપાણી તણા છાંટા લાગ્યા, તેઉકાય-વીજ દીવાતણી ઉજેહી હુઇ, વાઉકાય-ઉઘાડે મુખે બોલ્યા, મહાવાય વાજતાં (વાતાં) કપડા-કાંબલીતણા છેડા સાચવ્યા નહી, ફૂંક દીધી, વનસ્પતિકાય-નીલ-ફૂલ-સેવાલ-થડ-ફલ-ફૂલ-વૃક્ષ-શાખા-પ્રશાખાતણા સંઘટ્ટ પરંપર નિરંતર હુઆ, ત્રસકાય-બેઇન્દ્રિય તેઇંદ્રિય ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય કાગ બગ ઉડાવ્યાં, ઢોર ત્રાસવ્યાં, બાલક બીહરાવ્યાં ષટ્કાય વિષઇઓ અનેરો૦ (૬)
અકલ્પનીય સિજ્જા-વસ્ત્ર-પાત્ર-પિંડ પરિભોગવ્યો, સિજ્જાતરતણો પિંડ પરિભોગવ્યો, ઉપયોગ કીધા પાખે વિહર્યો, ધાત્રીદોષ ત્રસબીજ સંસક્ત પૂર્વકર્મ પશ્ચાત્કર્મ ઉદ્ગમ ઉત્પાદના દોષ ચિંતવ્યા નહીં, ગૃહસ્થતણો ભાજન ભાંજ્યો, ફોડ્યો, વલી પાછો આપ્યો નહીં, સૂતાં સંથારિયા ઉત્તરપટ્ટો ટલતો અધિકો ઉપગરણ વાવર્યો, દેશતઃ સ્નાન કીધું, મુખે ભીનો હાથ લગાડ્યો, સર્વતઃ સ્નાનતણી વાંચ્છા કીધી, શરીરતણો મેલ ફેડ્યો, કેશ રોમ નખ સમાર્યા, અનેરી કાંઈ રાઢાવિભૂષા કીધી, અકલ્પનીય પિંડાદિ વિષઇઓ અનેરો૦ (૭)
આવસ્સય સજ્જાએ પડિલેહણઝાણ ભિક્ખઽભત્તટ્ઠે; આગમણે નિગ્ગમણે, ઠાણે નિસીઅણે તુઅટ્ટે (૧) આવશ્યક ઉભયકાલ વ્યાક્ષિપ્તચિત્તપણે પડિક્કમણો કીધો, પડિક્કમણામાંહિ ઉંઘ આવી, બેઠાં પડિક્કમણું કીધું, દિવસ પ્રત્યે ચારવાર સજ્ઝાય સાતવાર ચૈત્યવંદન ન કીધાં, પડિલેહણા આઘી-પાછી ભણાવી, અસ્તોવ્યસ્ત કીધી, આર્ત્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહીં, ગોચરી ગયા બેંતાલીશ દોષ ઉપજતા ચિંતવ્યા નહીં, પાંચદોષ મંડલીતણા ટાલ્યા નહીં, છતી શક્તિએ પર્વતિથિએ ઉપવાસાદિક તપ કીધો નહીં, દેહરા ઉપાસરામાંહિ પેસતાં નિસિહિ નીસરતાં આવસ્સહિ કહેવી વિસારી, ઇચ્છા મિચ્છાદિક દશવિધ ચક્રવાલસામાચારી સાચવી નહીં, ગુરૂતણો વચન તહત્તિ કરી પડિવજ્યો નહીં, અપરાધ આવ્યાં મિચ્છા મિ દુક્કડં દીધાં નહીં, સ્થાનકે રહેતાં હરિકાય બીયકાય કીડીતણાં નગરાં શોધ્યાં નહીં, ઓઘોમુહપત્તિ ચોલપટ્ટો ઉત્સંઘટ્યા સ્ત્રી-તિર્યંચતણા સંઘટ્ટ અનંતર-પરંપર હુવા, વડાપ્રત્યે પસાઓ કરી લઘુપ્રત્યે ઇચ્છકાર ઇત્યાદિક વિનય સાચવ્યો નહીં; સાધુ સામાચારી વિષઇઓ અનેરો૦ (૮)
એવંકારે સાધુતણે ધર્મે એકવિધ અસંયમ તેત્રીશ આશાતના પ્રમાદ પર્યન્તમાંહિ અનેરો૦
પાક્ષિક સૂત્ર
તિત્થંકરે અ તિત્થે, અતિત્થસિદ્ધે અ તિત્થસિદ્ધે અ; સિદ્ધેજિણે રિસી, મહરિસી ય નાણં ચ વંદામિ (૧) જે અ ઇમં ગુણરયણસાયરમવિરાહિઊણ તિણ્ણસંસારા; તે મંગલં કરિત્તા, અહમવિ આરાહણાભિમુહો (૨) મમ મંગલમરિહંતા, સિદ્ધાસાહૂ સુયં ચ ધમ્મો અ; ખંતી ગુત્તી મુત્તી, અજ્જવયા મદ્દવં ચેવ (૩) લોઅમ્મિ સંજયા જં, કરિંતિ પરમરિસિદેસિઅમુઆરં; અહમવિ-ઉવટ્ઠિઓ તં, મહવ્વય ઉચ્ચારણં કાઉં (૪) સે કિં તં મહવ્વય-ઉચ્ચારણા, મહવ્વય ઉચ્ચારણા પંચવિહા પણ્ણત્તા, રાઈભોઅણવેરમણ છટ્ઠા, તં જહા- (૧) સવ્વાઓ પાણાઇવાયાઓ વેરમણં (૨) સવ્વાઓ મુસાવાયાઓ વેરમણં, (૩) સવ્વાઓ અદિન્નાદાણાઓ વેરમણં (૪) સવ્વાઓ મેહુણાઓ વેરમણં (૫) સવ્વાઓ પરિગ્ગહાઓ વેરમણં (૬) સવ્વાઓ રાઇભોઅણાઓ વેરમણં.
તત્થ ખલુ પઢમે ભંતે! મહવ્વએ પાણાઇવાયાઓ વેરમણં, સવ્વં ભંતે! પાણાઇવાયં પચ્ચક્ખામિ, સે સુહુમં વા બાયરં વા તસં વા, થાવરં વા, નેવ સયં પાણે અઇવાએજ્જા, નેવન્નેહિં પાણે અઇવાયાવિજ્જા, પાણે અઇવાયંતે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજ્જીવાએ તિવિહં, તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, કરંતં પિ અન્નં ન સમણુજાણામિ, તસ્સ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ.
સે પાણાઇવાએ ચઉવ્વિહે પન્નત્તે, તં જહા-દવ્વઓ ખિત્તઓ કાલઓ ભાવઓ, દવ્વઓ ણં પાણાઇવાએ છસુ જીવનિકાએસુ, ખિત્તઓ ણં પાણાઈવાએ સવ્વલોએ, કાલઓ ણં પાણાઇવાએ દિઆ વા રાઓ વા, ભાવઓ ણં પાણાઇવાએ રાગેણ વા દોસેણ વા, જં મએ ઇમસ્સ ધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ અહિંસાલક્ખણસ્સ સચ્ચાહિટિ્ઠઅસ્સ વિણયમૂલસ્સ ખંતિપ્પહાણસ્સ અહિરણ્ણસોવન્નિઅસ્સ ઉવસમપ્પભવસ્સ નવબંભચેરગુત્તસ્સ અપયમાણસ્સ ભિક્ખાવિત્તિયસ્સ કુક્ખિ-સંબલસ્સ નિરગ્ગિસરણસ્સ સંપક્ખાલિઅસ્સ ચત્તદોસસ્સ ગુણગાહિઅસ્સ નિવ્વિઆરસ્સ નિવ્વિત્તિલક્ખણસ્સ પંચમહવ્વયજુત્તસ્સ અસંનિહિસંચયસ્સ અવિસંવાઇઅસ્સ સંસારપારગામિઅસ્સ નિવ્વાણગમણપજ્જવસાણફલસ્સ.
પુવ્વિં અન્નાણયાએ અસવણયાએ અબોહિ (આ) એ અણભિગમેણં અભિગમેણ વા પમાએણં રાગદોસ-પડિબદ્ધયાએ બાલયાએ મોહયાએ મંદયાએ કિડ્ડયાએ તિગારવગરુયાએ ચઉક્કસાઓવગએણં પંચિંદિઓવસટ્ટેણં પડુપ્પન્નભારિયાએ સાયાસુક્ખમણુપાલયંતેણં, ઇહં વા ભવે, અન્નેસુ વા ભવગ્ગહણેસુ, પાણાઈવાઓ કઓ વા કારાવિઓ વા કીરંતો વા પરેહિં સમણુન્નાઓ, તં નિંદામિ ગરિહામિ તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, અઇઅં નિંદામિ, પડુપ્પન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ સવ્વં પાણાઇવાયં, જાવજ્જીવાએ અણિસ્સિઓહં નેવ સયં પાણે અઇવાઇજ્જા, નેવન્નેહિં પાણે અઇવાયાવિજ્જા, પાણે અઇવાયંતે વિ અન્ને ન સમણુજાણિજ્જા તં જહા-
અરિહંતસક્ખિઅં સિદ્ધસક્ખિઅં સાહુસક્ખિઅં દેવસક્ખિઅં અપ્પસક્ખિઅં, એવં ભવઈ ભિક્ખૂ વા ભિક્ખુણી વા સંજયવિરયપડિહયપચ્ચક્ખાયપાવકમ્મે દિઆ વા રાઓ વા એગઓ વા પરિસાગઓ વા, સુત્તે વા જાગરમાણે વા, એસ ખલુ પાણાઇવાયસ્સ વેરમણે હિએ સુહે ખમે નિસ્સેસિએ આણુગામિએ પારગામિએ, સવ્વેસિં પાણાણં, સવ્વેસિં ભૂયાણં, સવ્વેસિં જીવાણં, સવ્વેસિં સત્તાણં, અદુક્ખણયાએ અસોયણયાએ અજૂરણયાએ અતિપ્પણયાએ અપિડણયાએ, અપરિઆવણયાએ અણુદ્દવણયાએ મહત્થે મહાગુણે મહાણુભાવે મહાપુરિસાણુચિન્ને પરમરિસિદેસિએ પસત્થે, તં દુક્ખક્ખયાએ મોક્ખયાએ બોહિલાભાએ સંસારુત્તારણાએ ત્તિકટ્ટુ ઉવસંપજ્જિત્તાણં વિહરામિ, પઢમે ભંતે! મહવ્વએ ઉવટિ્ઠઓમિ સવ્વાઓ પાણાઇવાયાઓ વેરમણં (૧)
આહાવરે દોચ્ચે ભંતે! મહવ્વએ મુસાવાયાઓ વેરમણં, સવ્વં ભંતે! મુસાવાયં પચ્ચક્ખામિ, સે કોહા વા લોહા વા ભયા વા હાસા વા, નેવ સયં મુસં વએજ્જા, નેવન્નેહિં મુસં વાયાવેજ્જા, મુસં વયંતે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, કરંતંપિ અન્નં ન સમણુજાણામિ, તસ્સ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ.
સે મુસાવાએ ચઉવ્વિહે પન્નત્તે, તં જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં મુસાવાએ સવ્વદવ્વેસુ, ખિત્તઓ ણં મુસાવાએ લોએ વા અલોએ વા, કાલઓ ણં મુસાવાએ દિઆ વા રાઓ વા, ભાવઓ ણં મુસાવાએ રાગેણ વા દોસેણ વા, જં મએ ઇમસ્સ ધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ અહિંસાલક્ખણસ્સ સચ્ચાહિટ્ઠિયસ્સ વિણયમૂલસ્સ ખંતિપ્પહાણસ્સ અહિરણ્ણસોવન્નિઅસ્સ ઉવસમપ્પભવસ્સ નવબંભચેરગુત્તસ્સ અપયમાણસ્સ ભિક્ખાવિત્તિયસ્સ કુક્ખિસંબલસ્સ નિરગ્ગિસરણસ્સ સંપક્ખાલિઅસ્સ ચત્તદોસસ્સ ગુણગ્ગાહિયસ્સ નિવ્વિઆરસ્સ નિવ્વિત્તિ-લક્ખણસ્સ પંચમહવ્વયજુત્તસ્સ અસંનિહિસંચયસ્સ અવિસંવાઇઅસ્સ સંસારપારગામિઅસ્સ નિવ્વાણગમણપજ્જ-વસાણફલસ્સ.
પુવ્વિં અન્નાણયાએ અસવણયાએ અબોહિ (આ) એ અણભિગમેણં અભિગમેણ વા પમાએણં રાગદોસ-પડિબદ્ધયાએ બાલયાએ મોહયાએ મંદયાએ કિડ્ડયાએ તિગારવગરુયાએ ચઉક્કસાઓવગએણં પંચિંદિઓવસટ્ટેણં પડુપ્પન્નભારિયાએ સાયાસુક્ખમણુપાલયંતેણં, ઇહં વા ભવે, અન્નેસુ વા ભવગ્ગહણેસુ, મુસાવાઓ ભાસિઓ વા ભાસાવિઓ વા ભાસિજ્જંતો વા પરેહિં સમણુન્નાઓ, તં નિંદામિ ગરિહામિ, તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, અઇઅં નિંદામિ, પડુપ્પન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ સવ્વં મુસાવાયં, જાવજ્જીવાએ અણિસ્સિઓ હં નેવ સયં મુસં વએજ્જા, નેવન્નેહિં મુસં વાયાવેજ્જા, મુસં વયંતેવિ અન્ને ન સમણુજાણિજ્જા, તં જહા-
અરિહંતસક્ખિઅં સિદ્ધસક્ખિઅં સાહુસક્ખિઅં દેવસક્ખિઅં અપ્પસક્ખિઅં, એવં ભવઇ ભિક્ખૂ વા ભિક્ખુણી વા સંજય વિરયપડિહયપચ્ચક્ખાયપાવકમ્મે દિઆ વા રાઓ વા, એગઓ વા પરિસાગઓ વા, સુત્તે વા જાગરમાણે વા, એસ ખલુ મુસાવાયસ્સ વેરમણે હિએ સુહે ખમે નિસ્સેસિએ આણુગામિએ પારગામિએ, સવ્વેસિં પાણાણં સવ્વેસિં ભૂયાણં, સવ્વેસિં જીવાણં, સવ્વેસિં સત્તાણં, અદુક્ખણયાએ અસોઅણયાએ અજૂરણયાએ અતિપ્પણયાએ અપીડણયાએ અપરિઆવણયાએ અણુદ્દવણયાએ મહત્થે મહાગુણે મહાણુભાવે મહાપુરિસાણુચિન્ને પરમરિસિદેસિએ પસત્થે, તં દુક્ખક્ખયાએ કમ્મક્ખયાએ મોક્ખયાએ બોહિલાભાએ સંસારુત્તારણાએ તિકટ્ટુ ઉવસંપજ્જિતાણં વિહરામિ, દોચ્ચે ભંતે મહવ્વએ ઉવટિ્ઠઓમિ સવ્વાઓ મુસાવાયાઓ વેરમણં (૨)
અહાવરે તચ્ચે ભંતે! મહવ્વએ અદિન્નાદાણાઓ વેરમણં, સવ્વં ભંતે! અદિન્નાદાણં પચ્ચક્ખામિ, સે ગામે વા નગરે વા અરણ્ણે વા અપ્પં વા બહું વા અણું વા થૂલં વા ચિત્તમંતં વા, અચિત્તમંતં વા, નેવ સયં અદિન્નં ગિણ્હિજ્જા, નેવન્નેહિં અદિન્નં ગિણ્હાવિજ્જા, અદિન્નં ગિણ્હંતે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, કરંતંપિ અન્નં ન સમણુજાણામિ, તસ્સ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ.
સે અદિન્નાદાણે ચઉવ્વિહે પન્નત્તે, તં જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં અદિન્નાદાણે ગહણ-ધારણિજ્જેસુ દવ્વેસુ, ખિત્તઓ ણં અદિન્નાદાણે ગામે વા નગરે વા અરણ્ણે વા, કાલઓ ણં અદિન્નાદાણે દિઆ વા રાઓ વા, ભાવઓ ણં અદિન્નાદાણે રાગેણ વા દોસેણ વા, જં મએ ઇમસ્સ ધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ અહિંસાલક્ખણસ્સ સચ્ચા-હિટિ્ઠઅસ્સવિણયમૂલસ્સખંતિપ્પહાણસ્સ અહિરણ્ણસોવન્નિ-અસ્સ ઉવસમપ્પભવસ્સ નવબંભચેરગુત્તસ્સ અપયમાણસ્સ ભિક્ખાવિત્તિયસ્સ કુક્ખિસંબલસ્સ નિરગ્ગિસરણસ્સ સંપક્ખાલિઅસ્સ ચત્તદોસસ્સ ગુણગાહિઅસ્સ નિવ્વિઆરસ્સ નિવ્વિત્તિલક્ખણસ્સ પંચમહવ્વયજુત્તસ્સ અસંનિહિ સંચયસ્સ અવિસંવાઈઅસ્સ સંસારપારગામિઅસ્સ નિવ્વાણગમણપજ્જ-વસાણફલસ્સ.
પુવ્વિં અન્નાણયાએ અસવણયાએ અબોહિ(આ) એ અણભિગમેણં અભિગમેણ વા પમાએણં રાગદોસ-પડિબદ્ધયાએ બાલયાએ મોહયાએ મંદયાએ કિડ્ડયાએ તિગારવગરુયાએ ચઉક્કસાઓવગએણં પંચિંદિઓવસટ્ટેણં પડુપ્પન્નભારિયાએ સાયાસુક્ખમણુપાલયંતેણં ઇહં વા ભવે, અન્નેસુ વા ભવગ્ગહણેસુ, અદિન્નાદાણં ગહિઅં વા, ગાહાવિઅં વા, ઘિપ્પંતં વા પરેહિં સમણુન્નાયં, તં નિંદામિ ગરિહામિ તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, અઇઅં નિંદામિ, પડુપ્પન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, સવ્વં અદિન્નાદાણં, જાવજ્જીવાએ અણિસ્સિઓ હં નેવ સયં અદિન્નં ગિણ્હિજ્જા, નેવન્નેહિં અદિન્નં ગિણ્હાવિજ્જા, અદિન્નં ગિણ્હંતે વિ અન્ને ન સમણુજાણિજ્જા, તં જહા-
અરિહંતસક્ખિઅં સિદ્ધસક્ખિઅં સાહુસક્ખિઅં દેવસક્ખિઅં અપ્પસક્ખિઅં, એવં ભવઇ ભિક્ખૂ વા ભિક્ખુણી વા સંજયવિરયપડિહયપચ્ચક્ખાયપાવકમ્મે દિઆ વા, રાઓ વા, એગઓ વા, પરિસાગઓ વા, સુત્તે વા જાગરમાણે વા, એસ ખલુ અદિન્નાદાણસ્સ વેરમણે હિએ સુહે ખમે નિસ્સેસિએ આણુગામિએ પારગામિએ, સવ્વેસિં પાણાણં સવ્વેસિં ભૂઆણં, સવ્વેસિં જીવાણં, સવ્વેસિં સત્તાણં, અદુક્ખણયાએ અસોઅણયાએ અજૂરણયાએ અતિપ્પણયાએ અપીડણયાએ અપરિઆવણયાએ અણુદ્દવણયાએ મહત્થે મહાગુણે મહાણુભાવે મહાપુરિસાણુચિન્ને પરમરિસિદેસિએ પસત્થે, તં દુક્ખક્ખયાએ કમ્મક્ખયાએ મોક્ખયાએ બોહિલાભાએ સંસારુત્તારણાએ ત્તિકટ્ટુ ઉવસંપજ્જિત્તાણં વિહરામિ, તચ્ચે ભંતે! મહવ્વએ ઉવટ્ઠિઓમિ સવ્વાઓ અદિન્નાદાણાઓ વેરમણં (૩)
અહાવરે ચઉત્થે ભંતે! મહવ્વએ મેહુણાઓ વેરમણં, સવ્વં ભંતે મેહુણં પચ્ચક્ખામિ, એ દિવ્વં વા માણુસં વા તિરિક્ખજોણિઅં વા, નેવ સયં મેહુણં સેવિજ્જા, નેવન્નેહિં મેહુણં સેવાવિજ્જા, મેહુણં સેવંતેવિ અન્ને ન સમણુજાણામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, કરંતંપિ અન્નં ન સમણુજાણામિ, તસ્સ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ.
સે મેહુણે ચઉવ્વિહે પન્નત્તે, તંજહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં મેહુણે રુવેસુ વા રુવસહગએસુ વા, ખિત્તઓ ણં મેહુણે ઉડ્ઢલોએ વા અહોલોએ વા, તિરિયલોએ વા, કાલઓ ણં મેહુણે દિઆ વા રાઓ વા, ભાવઓ ણં મેહુણે રાગેણ વા દોસેણ વા, જં મએ ઇમસ્સ ધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ અહિંસાલક્ખણસ્સ સચ્ચાહિટિ્ઠઅસ્સ વિણયમૂલસ્સ ખંતિપ્પહાણસ્સ અહિરણ્ણસોવન્નિઅસ્સ ઉવસમપ્પભવસ્સ નવબંભચેરગુત્તસ્સ અપયમાણસ્સ ભિક્ખાવિત્તિયસ્સ કુક્ખિસંબલસ્સ નિરગ્ગિસરણસ્સ સંપક્ખાલિઅસ્સ ચત્તદોસસ્સ ગુણગ્ગાહિઅસ્સ નિવ્વિઆરસ્સ નિવ્વિત્તિલક્ખણસ્સ પંચમહવ્વયજુત્તસ્સ અસંનિહિસંચયસ્સ અવિસંવાઇઅસ્સ સંસારપારગામિઅસ્સ નિવ્વાણગમણપજ્જ-વસાણફલસ્સ.
પુવ્વિં અન્નાણયાએ અસવણયાએ અબોહિ(આ)એ અણભિગમેણં અભિગમેણ વા પમાએણં રાગદોસ-પડિબદ્ધયાએ બાલયાએ મોહયાએ મંદયાએ કિડ્ડયાએ તિગારવગરુયાએ ચઉક્કસાઓવગએણં પંચિંદિઓવસટ્ટેણં પડુપન્નભારિયાએ સાયસુક્ખમણુપાલયંતેણં ઇહં વા ભવે, અન્નેસુ વા ભવગ્ગહણેસુ, મેહુણં સેવિઅં વા સેવાવિઅં વા સેવિજ્જંતં વા પરેહિં સમણુન્નાયં, તં નિંદામિ ગરિહામિ, તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, અઇયં નિંદામિ, પડુપ્પન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, સવ્વં મેહુણં, જાવજ્જીવાએ અણિસ્સિઓહં નેવ સયં મેહુણં સેવિજ્જા, નેવન્નેહિં મેહુણં સેવાવિજ્જા, મેહુણં સેવંતેવિ અન્ને ન સમણુજાણિજ્જા, તં જહા-
અરિહંતસક્ખિઅં સિદ્ધસક્ખિઅં સાહુસક્ખિઅં દેવસક્ખિઅં અપ્પસક્ખિઅં, એવં ભવઇ ભિક્ખૂ વા ભિક્ખુણી વા સંજયવિરયપડિહયપચ્ચક્ખાયપાવકમ્મે દિઆ વા રાઓ વા, એગઓ વા પરિસાગઓ વા, સુત્તે વા જાગરમાણે વા, એસ ખલુ મેહુણસ્સ વેરમણે હિએ સુહે ખમે નિસ્સેસિએ આણુગામિએ પારગામિએ, સવ્વેસિં પાણાણં, સવ્વેસિં ભૂઆણં, સવ્વેસિં જીવાણં, સવ્વેસિં સત્તાણં, અદુક્ખણયાએ અસોઅણયાએ અજૂરણયાએ અતિપ્પણયાએ અપીડણયાએ અપરિઆવણયાએ અણુદ્દવણયાએ મહત્થે મહાગુણે મહાણુભાવે મહાપુરિસાણુચિન્ને પરમરિસિદેસિએ પસત્થે, તં દુક્ખક્ખયાએ કમ્મક્ખયાએ મોક્ખયાએ બોહિલાભાએ સંસારુત્તારણાએ ત્તિકટ્ટુ ઉપસંપજ્જિત્તાણં વિહરામિ, ચઉત્થે ભંતે! મહવ્વએ ઉવટિ્ઠઓ મિ સવ્વાઓ મેહુણાઓ વેરમણં (૪)
અહાવરે પંચમે ભંતે! મહવ્વએ પરિગ્ગહાઓ વેરમણં, સવ્વં ભંતે! પરિગ્ગહં પચ્ચક્ખામિ, સે અપ્પં વા બહું વા અણું વા થૂલં વા ચિત્તમંતં વા અચિત્તમંતં વા, નેવ સયં પરિગ્ગહં પરિગિણ્હિજ્જા, નેવન્નેહિં પરિગ્ગહં પરિગિણ્હાવિજ્જા, પરિગ્ગહં પરિગિણ્હંતેવિ અન્ને ન સમણુજાણામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, કરંતં પિ અન્નં ન સમણુજાણામિ, તસ્સ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ.
સે પરિગ્ગહે ચઉવ્વિહે પન્નત્તે, તં જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં પરિગ્ગહે સચિત્તાચિત્તમીસેસુ દવ્વેસુ, ખિત્તઓ ણં પરિગ્ગહે સવ્વલોએ, કાલઓ ણં પરિગ્ગહે દિઆ વા રાઓ વા, ભાવઓ ણં પરિગ્ગહે અપ્પગ્ઘે વા મહગ્ઘે વા, રાગેણ વા દોસેણ વા, જં મએ ઇમસ્સ ધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ અહિંસાલક્ખણસ્સ સચ્ચાહિટિ્ઠઅસ્સ વિણયમૂલસ્સ ખંતિપ્પહાણસ્સ અહિરણ્ણસોવન્નિઅસ્સ ઉવસમપ્પભવસ્સ નવબંભચેરગુત્તસ્સ અપયમાણસ્સ ભિક્ખાવિત્તિયસ્સ કુક્ખિસંબલસ્સ નિરગ્ગિસરણસ્સ સંપક્ખાલિઅસ્સ ચત્તદોસસ્સ ગુણગ્ગાહિઅસ્સ નિવ્વિઆરસ્સ નિવ્વિત્તિલક્ખણસ્સ પંચમહવ્વયજુત્તસ્સ અસંનિહિસંચયસ્સ અવિસંવાઇઅસ્સ સંસારપારગામિઅસ્સ નિવ્વાણગમણપજ્જ-વસાણફલસ્સ.
પુવ્વિં અન્નાણયાએ અસવણયાએ અબોહિ (આ) એ અણભિગમેણં અભિગમેણ વા પમાએણં રાગદોસ-પડિબદ્ધયાએ બાલયાએ મોહયાએ મંદયાએ કિડ્ડયાએ તિગારવગરુયાએ ચઉક્કસાઓવગએણં પંચિંદિઓવસટ્ટેણં પડુપ્પન્નભારિયાએ સાયાસુક્ખમણુપાલયંતેણં, ઇહં વા ભવે, અન્નેસુ વા ભવગ્ગહણેસુ, પરિગ્ગહો ગહિઓ વા ગાહાવિઓ વા, ઘિપ્પંતો વા પરેહિં સમણુન્નાઓ, તં નિંદામિ ગરિહામિ, તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, અઇઅં નિંદામિ પડુપ્પન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ સવ્વં પરિગ્ગહં, જાવજ્જીવાએ અણિસ્સિઓહં નેવ સયં પરિગ્ગહં પરિગિણ્હિજ્જા, નેવન્નેહિં પરિગ્ગહં પરિગિણ્હાવિજ્જા, પરિગ્ગહં પરિગિણ્હંતે વિ અન્ને ન સમણુજાણિજ્જા, તં જહા-
અરિહંતસક્ખિઅં સિદ્ધસક્ખિઅં સાહુસક્ખિઅં દેવસક્ખિઅં અપ્પસક્ખિઅં, એવં ભવઈ ભિક્ખૂ વા ભિક્ખુણી વા સંજયવિરયપડિહયપચ્ચક્ખાયપાવકમ્મે દિઆ વા રાઓ વા, એગઓ વા પરિસાગઓ વા, સુત્તે વા જાગરમાણે વા, એસ ખલુ પરિગ્ગહસ્સ વેરમણે હિએ સુહે ખમે નિસ્સેસિએ આણુગામિએ પારગામિએ, સવ્વેસિં પાણાણં, સવ્વેસિં ભૂઆણં, સવ્વેસિં જીવાણં, સવ્વેસિં સત્તાણં, અદુક્ખણયાએ અસોઅણયાએ અજૂરણયાએ અતિપ્પણયાએ અપીડણયાએ અપરિઆવણયાએ અણુદ્દવણયાએ મહત્થે મહાગુણે મહાણુભાવે મહાપુરિસાણુચિન્ને પરમરિસિદેસિએ પસત્થે, તં દુક્ખક્ખયાએ કમ્મક્ખયાએ મોક્ખયાએ બોહિલાભાએ સંસારુત્તારણાએ ત્તિકટ્ટુ ઉવસંપજ્જિત્તાણં વિહરામિ, પંચમે ભંતે! મહવ્વએ ઉવટિ્ઠઓ મિ સવ્વાઓ પરિગ્ગહાઓ વેરમણં (૫)
અહાવરે છટ્ઠે ભંતે! વએ રાઈભોઅણાઓ વેરમણં, સવ્વં ભંતે! રાઇભોઅણં પચ્ચક્ખામિ, સે અસણં વા પાણં વા ખાઈમં વા સાઇમં વા, નેવ સયં રાઇં ભુંજિજ્જા, નેવન્નેહિં રાઇં ભુંજાવિજ્જા, રાઇં ભુંજંતે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણં મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, કરંતં પિ અન્નં ન સમણુજાણામિ, તસ્સ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ.
સે રાઈભોઅણે ચઉવ્વિહે પન્નત્તે, તં જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં રાઇભોઅણે અસણે વા પાણે વા ખાઇમે વા સાઇમે વા, ખિત્તઓ ણં રાઇભોઅણે સમયખિત્તે, કાલઓ ણં રાઇભોઅણે દિઆ વા રાઓ વા, ભાવઓ ણં રાઇભોઅણે તિત્તે વા કડુએ વા કસાએ વા અંબિલે વા મહુરે વા લવણે વા રાગેણ વા દોસેણ વા, જં મએ ઇમસ્સ ધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ અહિંસાલક્ખણસ્સ સચ્ચાહિટિ્ઠઅસ્સ વિણયમૂલસ્સ ખંતિપ્પહાણસ્સ અહિરણ્ણસોવન્નિઅસ્સ ઉવસમપ્પભવસ્સ નવબંભચેરગુત્તસ્સ અપયમાણસ્સ ભિક્ખાવિત્તિયસ્સ કુક્ખિસંબલસ્સ નિરગ્ગિસરણસ્સ સંપક્ખાલિઅસ્સ ચત્તદોસસ્સ ગુણગ્ગાહિઅસ્સ નિવ્વિઆરસ્સ નિવ્વિત્તિલક્ખણસ્સ પંચમહવ્વયજુત્તસ્સ અસંનિહિસંચયસ્સ અવિસંવાઈઅસ્સ સંસારપારગામિઅસ્સ નિવ્વાણગમણપજ્જ-વસાણફલસ્સ.
પુવ્વિં અન્નાણયાએ અસવણયાએ અબોહિ (આ) એ અણભિગમેણં અભિગમેણ વા પમાએણં રાગદોસ-પડિબદ્ધયાએ બાલયાએ મોહયાએ મંદયાએ કિડ્ડયાએ તિગારવગરુયાએ ચઉક્કસાઓવગએણં પંચિંદિઓવસટ્ટેણં પડુપ્પન્નભારિઆએ સાયાસુક્ખમણુપાલયંતેણં, ઇહં વા ભવે, અન્નેસુ વા ભવગ્ગહણેસુ, રાઇભોઅણં ભુત્તંવા, ભુંજાવિઅં વા, ભુંજંતં વા પરેહિં સમણુન્નાયં, તં નિંદામિ ગરિહામિ, તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, અઇયં, નિંદામિ, પડુપ્પન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ સવ્વં રાઇભોઅણં, જાવજ્જીવાએ અણિસ્સિઓ હં નેવ સયં રાઇભોઅણં ભુંજિજ્જા, નેવન્નેહિં, રાઇભોઅણં ભુંજાવિજ્જા, રાઇભોઅણં ભુંજંતે વિ અન્ને ન સમણુજાણિજ્જા, તં જહા-
અરિહંતસક્ખિઅં સિદ્ધસક્ખિઅં સાહુસક્ખિઅં દેવસક્ખિઅં અપ્પસક્ખિઅં, એવં ભવઇ ભિક્ખૂ વા ભિક્ખુણી વા સંજયવિરયપડિહયપચ્ચક્ખાયપાવકમ્મે દિઆ વા રાઓ વા એગઓ વા પરિસાગઓ વા, સુત્તે વા જાગરમાણે વા, એસ ખલુ રાઇભોઅણસ્સ વેરમણે હિએ સુહે ખમે નિસ્સેસિએ આણુગામિએ પારગામિએ સવ્વેસિં પાણાણં, સવ્વેસિં ભૂઆણં, સવ્વેસિં જીવાણં, સવ્વેસિં સત્તાણં, અદુક્ખણયાએ અસોઅણયાએ અજૂરણયાએ અતિપ્પણયાએ અપીડણયાએ અપરિઆવણયાએ અણુદ્દવણયાએ મહત્થે મહાગુણે મહાણુભાવે મહાપુરિસાણુચિન્ને પરમરિસિદેસિએ પસત્થે તં દુક્ખક્ખયાએ કમ્મક્ખયાએ મોક્ખયાએ બોહિલાભાએ સંસારુત્તારણાએ ત્તિકટ્ટુ ઉવસંપજ્જિત્તાણં વિહરામિ, છટ્ઠે ભંતે! વએ ઉવટિ્ઠઓ મિ સવ્વાઓ રાઇભોઅણાઓ વેરમણં (૬)
ઇચ્ચેઇઆઇં પંચમહવ્વયાઇં રાઇભોઅણવેરમણ છટ્ઠાઇં અત્તહિઅટ્ઠયાએ ઉવસંપજ્જિત્તાણં વિહરામિ.
અપ્પસત્થા ય જે જોગા, પરિણામા ય દારુણા;
પાણાઇવાયસ્સ વેરમણે, એસ વુત્તે અઇક્કમે. ૧
તિવ્વરાગા ય જા ભાસા, તિવ્વદોસા તહેવ ય;
મુસાવાયસ્સ વેરમણે, એસ વુત્તે અઇક્કમે. ૨
ઉગ્ગહં સિ અજાઇત્તા, અવિદિન્ને ય ઉગ્ગહે;
અદિન્નાદાણસ્સ વેરમણે, એસ વુત્તે અઇક્કમે. ૩
સદ્દા રુવા રસા ગંધા, ફાસાણં પવિયારણા;
મેહુણસ્સ વેરમણે, એસ વુત્તે અઇક્કમે. ૪
ઇચ્છા મુચ્છા ય ગેહી ય, કંખા લોભે ય દારુણે;
પરિગ્ગહસ્સ વેરમણે, એસ વુત્તે અઇક્કમે. ૫
અઇમત્તે અ આહારે, સૂરખિત્તંમિ સંકિએ;
રાઇભોઅણસ્સ વેરમણે, એસ વુત્તે અઇક્કમે. ૬
દંસણનાણચરિત્તે, અવિરાહિત્તા ઠિઓ સમણધમ્મે;
પઢમં વયમણુરક્ખે, વિરયામો પાણાઇવાયાઓ. ૭
દંસણનાણચરિત્તે, અવિરાહિત્તા ઠિઓ સમણધમ્મે;
બીઅં વયમણુરક્ખે, વિરયામો મુસાવાયાઓ. ૮
દંસણનાણચરિત્તે, અવિરાહિત્તા ઠિઓ સમણધમ્મે;
તઇઅં વયમણુરક્ખે, વિરયામો અદિન્નાદાણાઓ. ૯
દંસણનાણચરિત્તે, અવિરાહિત્તા ઠિઓ સમણધમ્મે;
ચઉત્થં વયમણુરક્ખે વિરયામો મેહુણાઓ. ૧૦
દંસણનાણચરિત્તે, અવિરાહિત્તા ઠિઓ સમણધમ્મે;
પંચમં વયમણુરક્ખે, વિરયામો પરિગ્ગહાઓ. ૧૧
દંસણનાણચરિત્તે, અવિરાહિત્તા ઠિઓ સમણધમ્મે;
છટ્ઠં વયમણુરક્ખે, વિરયામો રાઇભોઅણાઓ. ૧૨
આલયવિહારસમિઓ, જુત્તો ગુત્તો ઠિઓ સમણધમ્મે;
પઢમં વયમણુરક્ખે, વિરયામો પાણાઇવાયાઓ. ૧૩
આલયવિહારસમિઓ, જુત્તો ગુત્તો ઠિઓ સમણધમ્મે;
બીઅં વયમણુરક્ખે, વિરયામો મુસાવાયાઓ. ૧૪
આલયવિહારસમિઓ, જુત્તો ગુત્તો ઠિઓ સમણધમ્મે;
તઇઅં વયમણુરક્ખે, વિરયામો અદિન્નાદાણાઓ. ૧૫
આલયવિહારસમિઓ, જુત્તો ગુત્તો ઠિઓ સમણધમ્મે;
ચઉત્થં વયમણુરક્ખે, વિરયામો મેહુણાઓ. ૧૬
આલયવિહારસમિઓ, જુત્તો ગુત્તો ઠિઓ સમણધમ્મે;
પંચમં વયમણુરક્ખે, વિરયામો પરિગ્ગહાઓ. ૧૭
આલયવિહારસમિઓ, જુત્તો ગુત્તો ઠિઓ સમણધમ્મે;
છટ્ઠં વયમણુરક્ખે, વિરયામો રાઇભોઅણાઓ. ૧૮
આલય વિહારસમિઓ, જુત્તો ગુત્તો ઠિઓ સમણધમ્મે;
તિવિહેણ અપ્પમત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૧૯
સાવજ્જજોગમેગં, મિચ્છત્તં એગમેવ અન્નાણં;
પરિવજ્જંતો ગુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૨૦
અણવજ્જજોગમેગં, સમ્મત્તં એગમેવ નાણં તુ;
ઉવસંપન્નો જુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૨૧
દો ચેવ રાગદોસે, દુન્નિ ય ઝાણાઇં અટ્ટરુદ્દાઇં,
પરિવજ્જંતો ગુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૨૨
દુવિહં ચરિત્તધમ્મં, દુન્નિ ય ઝાણાઇં ધમ્મસુક્કાઇં;
ઉવસંપન્નો જુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૨૩
કિણ્હા નીલા કાઊ, તિન્નિ ય લેસાઓ અપ્પસત્થાઓ;
પરિવજ્જંતો ગુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૨૪
તેઊ પમ્હા સુક્કા, તિન્નિ ય લેસાઓ સુપ્પસત્થાઓ;
ઉવસંપન્નો જુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૨૫
મણસા મણસચ્ચવિઊ, વાયાસચ્ચેણ કરણસચ્ચેણ;
તિવિહેણ વિ સચ્ચવિઊ, રક્ખામિ મહવ્વએ પંચ. ૨૬
ચત્તારિ ય દુહસિજ્જા, ચઉરો સન્ના તહા કસાયા ય;
પરિવજ્જંતો ગુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૨૭
ચત્તારિ ય સુહસિજ્જા, ચઉવ્વિહં સંવરં સમાહિં ચ;
ઉવસંપન્નો જુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૨૮
પંચેવ ય કામગુણે, પંચેવ ય અણ્હવે મહાદોસે;
પરિવજ્જંતો ગુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૨૯
પંચિંદિયસંવરણં, તહેવ પંચવિહમેવ સજ્ઝાયં;
ઉવસંપન્નો જુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૩૦
છજ્જીવનિકાયવહં, છપ્પિ ય ભાસાઓ અપ્પસત્થાઓ;
પરિવજ્જંતો ગુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૩૧
છવ્વિહમબ્ભિંતરયં, બજ્ઝં પિ ય છવ્વિહં તવોકમ્મં;
ઉવસંપન્નો જુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૩૨
સત્ત ય ભયઠાણાઇં, સત્તવિહં ચેવ નાણવિબ્ભંગં;
પરિવજ્જંતો ગુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૩૩
પિંડેસણ પાણેસણ, ઉગ્ગહસતિક્કયા મહજ્ઝયણા;
ઉવસંપન્નો જુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૩૪
અટ્ઠ ય મયઠાણાઇં, અટ્ઠ ય કમ્માઇં તેસિં બંધં ચ;
પરિવજ્જંતો ગુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૩૫
અટ્ઠ ય પવયણમાયા, દિટ્ઠા અટ્ઠવિહનિટિ્ઠઅટ્ઠેહિં;
ઉવસંપન્નો જુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૩૬
નવપાવનિઆણાઇં, સંસારત્થા ય નવવિહા જીવા;
પરિવજ્જંતો ગુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૩૭
નવબંભચેરગુત્તો, દુનવવિહં બંભચેરપરિસુદ્ધં;
ઉવસંપન્નો જુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૩૮
ઉવઘાયં ચ દસવિહં, અસંવરં તહ ય સંકિલેસં ચ;
પરિવજ્જંતો ગુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૩૯
સચ્ચસમાહિટ્ઠાણા, દસ ચેવ દસાઓ સમણધમ્મં ચ;
ઉવસંપન્નો જુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૪૦
આસાયણં ચ સવ્વં, તિગુણં ઇક્કારસં વિવજ્જંતો;
ઉવસંપન્નો, જુત્તો, રક્ખામિ મહવ્વએ પંચ. ૪૧
એવં તિદંડવિરઓ, તિગરણસુદ્ધો તિસલ્લનીસલ્લો;
તિવિહેણ પડિક્કંતો, રક્ખામિ મહવ્વએ પંચ. ૪૨
ઇચ્ચેઅં મહવ્વયઉચ્ચારણં થિરત્તં સલ્લુદ્ધરણં ધિઇબલં વવસાઓ સાહણટ્ઠો પાવનિવારણં નિકાયણા ભાવવિસોહી પડાગાહરણં નિજ્જુહણારાહણા ગુણાણં સંવરજોગો પસત્થજ્ઝાણોવઉત્તયા જુત્તયા ય નાણે પરમટ્ઠો ઉત્તમટ્ઠો, એસ ખલુ તિત્થંકરેહિં રઇરાગદોસમહણેહિં દેસિઓપવયણસ્સ સારો છજ્જીવનિકાયસંજમં ઉવએસિઅં તેલુક્કસક્કયં ઠાણં અબ્ભુવગયા.
નમોત્થુ તે સિદ્ધ બુદ્ધ મુત્ત નિરય નિસ્સંગ માણમૂરણ ગુણરયણસાયરમણંતમપ્પમેઅ, નમોત્થુ તે મહઈમહાવીરવદ્ધમાણસામિસ્સ, નમોત્થુ તે અરહઓ, નમોત્થુ તે ભગવઓ ત્તિકટ્ટુ, એસા ખલુ મહવ્વયઉચ્ચારણા કયા, ઇચ્છામો સુત્તકિત્તણં કાઉં, નમો તેસિં ખમાસમણાણં જેહિં ઇમં વાઇઅં છવ્વિહમાવસ્સયં ભગવંતં તં જહા- સામાઇયં, ચઉવીસત્થઓ, વંદણયં, પડિક્કમણં, કાઉસ્સગ્ગો, પચ્ચક્ખાણં, સવ્વેહિં પિ એઅમ્મિ છવ્વિહે આવસ્સએ
ભગવંતે સસુત્તે સઅત્થે સગંથે સન્નિજ્જુત્તિએ સસંગહણિએ જે ગુણા વા ભાવા વા અરિહંતેહિં ભગવંતેહિં પણ્ણત્તા વા પરુવિઆ વા તે ભાવે સદ્દહામો પત્તિઆમો રોએમો ફાસેમો પાલેમો અણુપાલેમો, તે ભાવે સદ્દહંતેહિં પત્તિઅંતેહિં રોઅંતેહિં, ફાસંતેહિં પાલંતેહિં અણુપાલંતેહિં અંતોપક્ખસ્સ જં વાઈઅં પઢિઅં-પરિ અટ્ટિઅં પુચ્છિઅં અણુપેહિઅં અણુપાલિઅં તં દુક્ખક્ખયાએ કમ્મક્ખયાએ મોક્ખયાએ બોહિલાભાએ સંસારુત્તારણાએ ત્તિકટ્ટુ ઉવસંપજ્જિત્તાણં વિહરામિ.
અંતોપક્ખસ્સ જં ન વાઇઅં, ન પઢિઅં, ન પરિઅટ્ટિઅં, ન પુચ્છિઅં, નાણુપેહિઅં, નાણુપાલિઅં, સંતે બલે, સંતે વીરિએ, સંતે પુરિસક્કારપરક્કમે, તસ્સ આલોએમો પડિક્કમામો નિંદામો ગરિહામો વિઉટ્ટેમો વિસોહેમો અકરણયાએ અબ્ભુટ્ઠેમો અહારિહં તવોકમ્મં પાયચ્છિત્તં પડિવજ્જામો, તસ્સ મિચ્છા મિ દુક્કડં (૧)
નમો તેસિં ખમાસમણાણં જેહિં ઇમં વાઇઅં અંગબાહિરં ઉક્કાલિઅં ભગવંતં તં જહા-(૧) દસવેઆલિઅં (૨) કપ્પિઆકપ્પિઅં (૩) ચુલ્લકપ્પસુઅં (૪) મહાકપ્પસુઅં (૫) ઉવવાઇયં (૬) રાયપ્પસેણિઅં (૭) જીવાભિગમો (૮) પણ્ણવણા (૯) મહાપણ્ણવણા (૧૦) નંદી (૧૧) અણુઓગદારાઇં (૧૨) દેવિંદત્થાઓ (૧૩) તંદુલવેઆલિઅં (૧૪) ચંદાવિજ્ઝયં (૧૫) પમાયપ્પમાયં (૧૬) પોરિસિમંડલં (૧૭) મંડલપ્પવેસો (૧૮) ગણિવિજ્જા (૧૯) વિજ્જાચરણવિણિચ્છઓ (૨૦) ઝાણવિભત્તી (૨૧) મરણ વિભત્તી (૨૨) આયવિસોહિ (૨૩) સંલેહણાસુઅં (૨૪) વીયરાયસુઅં (૨૫) વિહારકપ્પો (૨૬) ચરણવિહી (૨૭) આઉરપચ્ચક્ખાણં (૨૮) મહાપચ્ચક્ખાણં, સવ્વેહિં પિ એઅમ્મિ અંગબાહિરે ઉક્કાલિએ ભગવંતે૦ થી ઉપર પ્રમાણે (૨)
નમો તેસિં ખમાસમણાણં જેહિં ઇમં વાઇઅં અંગબાહિરં કાલિઅં ભગવંતં, તં જહા- (૧) ઉત્તરજ્ઝયણાઇં (૨) દસાઓ (૩) કપ્પો (૪) વવહારો (૫) ઇસિભાસિઆઇં (૬) નિસીહં (૭) મહાનિસીહં (૮) જંબુદ્દીવપણ્ણત્તી (૯) ચંદપણ્ણત્તી (૧૦) સૂરપણ્ણત્તી (૧૧) દીવસાગરપણ્ણત્તી (૧૨) ખુડિ્ડયાવિમાણપવિભત્તી (૧૩) મહલ્લિઆવિમાણપવિભત્તી (૧૪) અંગચૂલિઆએ (૧૫) વગ્ગચૂલિઆએ (૧૬) વિવાહચૂલિઆએ (૧૭) અરુણોવવાએ (૧૮) વરુણોવવાએ (૧૯) ગરુલોવવાએ (૨૦) ધરણોવવાએ-વેસમણોવવાએ (૨૧) વેલંધરોવવાએ (૨૨) દેવિંદોવવાએ (૨૩) ઉટ્ઠાણસુએ (૨૪) સમુટ્ઠાણસુએ (૨૫) નાગપરિઆવલિઆણં (૨૬) નિરયાવલિઆણં (૨૭) કપ્પિઆણં (૨૮) કપ્પવડિંસયાણં (૨૯) પુપ્ફિયાણં (૩૦) પુપ્ફચૂલિયાણં (૩૧) વણ્હિયાણં-વણ્હિદસાણં (૩૨) આસિવીસભાવણાણં (૩૩) દિટિ્ઠવિસભાવણાણં (૩૪) ચારણસુમિણભાવણાણં (૩૫) મહાસુમિણભાવણાણં (૩૬) તેઅગ્ગિનિસગ્ગાણં, સવ્વેહિં પિ એઅમ્મિ અંગબાહિરે કાલિએ ભગવંતે૦ થી ઉપર પ્રમાણે (૩)
નમો તેસિં ખમાસમણાણં જેહિં ઇમં વાઇઅં દુવાલસંગં ગણિપિડગં ભગવંતં, તં જહા- (૧) આયારો (૨) સૂઅગડો (૩) ઠાણં (૪) સમવાઓ (૫) વિવાહપણ્ણત્તી (૬) ણાયાધમ્મકહાઓ (૭) ઉવાસગદસાઓ (૮) અંતગડ દસાઓ (૯) અણુત્તરોવવાઇયદસાઓ (૧૦) પણ્હાવાગરણં (૧૧) વિવાગસુઅં (૧૨) દિટિ્ઠવાઓ, સવ્વેહિં પિ એઅમ્મિ દુવાલસંગે ગણિપિડગે ભગવંતે૦ થી ઉપર પ્રમાણે (૪)
નમો તેસિં ખમાસમણાણં જેહિં ઇમં વાઇઅં દુવાલસંગં ગણિપિડગં ભગવંતં, તં જહા-સમ્મં કાએણં ફાસંતિ પાલંતિ પૂરંતિ સોહંતિ તીરંતિ કિટ્ટંતિ સમ્મં આણાએ આરાહંતિ, અહં ચ નારાહેમિ, તસ્સ મિચ્છા મિ દુક્કડં, પછી સુઅદેવયા૦ની સ્તુતિ બોલવી.
પાક્ષિકખામણા
ઇચ્છામિ ખમાસમણો! પિઅં ચ મે, જં ભે હટ્ઠાણં, તુટ્ઠાણં, અપ્પાયંકાણં, અભગ્ગજોગાણં, સુસીલાણં, સુવ્વયાણં, સાયરિયઉવજ્ઝાયાણં, નાણેણં દંસણેણં, ચરિત્તેણં, તવસા અપ્પાણં ભાવેમાણાણં, બહુસુભેણ ભે! દિવસો પોસહો પક્ખો વઇક્કંતો, અન્નો ય ભે! કલ્લાણેણં પજ્જુવટિ્ઠઓ, સિરસા મણસા મત્થએણ વંદામિ (૧) ગુરુ-તુબ્ભેહિં સમં.
ઇચ્છામિ ખમાસમણો! પુવ્વિં ચેઇઆઇં વંદિત્તા, નમંસિત્તા, તુબ્ભણ્હં પાયમૂલે વિહરમાણેણં, જે કેઇ બહુદેવસિયા સાહુણો દિટ્ઠા સમાણા વા, વસમાણા વા, ગામાણુગામં દૂઇજ્જમાણા વા, રાઇણિયા સંપુચ્છંતિ, ઓમરાઇણિયા વંદંતિ, અજ્જયા વંદંતિ, અજ્જિયાઓ વંદંતિ, સાવયા વંદંતિ, સાવિયાઓ વંદંતિ, અહંપિ નિસ્સલ્લો નિક્કસાઓ ત્તિકટ્ટુ, સિરસા મણસા મત્થએણ વંદામિ (૨) ગુરુ-અહમવિ વંદાવેમિ ચેઇઆઇં.
ઇચ્છામિ ખમાસમણો! ઉવટિ્ઠઓહં, તુબ્ભણ્હં, સંતિઅં અહાકપ્પં વા, વત્થં વા, પડિગ્ગહં વા, કંબલં વા, પાયપુચ્છણં વા, (રયહરણં વા) અક્ખરં વા, પયં વા, ગાહં વા, સિલોગં વા, (સિલોગદ્ધં વા) અટ્ઠં વા, હેઉં વા, પસિણં વા, વાગરણં વા, તુબ્ભેહિં ચિઅત્તેણં દિન્નં, મએ અવિણએણ પડિચ્છિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં (૩) ગુરુ-આયરિયસંતિઅં.
ઇચ્છામિ ખમાસમણો! અહમપુવ્વાઇં કયાઇં ચ મે કિઇકમ્માઇં આયારમંતરે વિણયમંતરે સેહિઓ સેહાવિઓ સંગહિઓ ઉવગ્ગહિઓ સારિઓ વારિઓ ચોઇઓ પડિચોઇઓ ચિઅત્તા મે પડિચોયણા (અબ્ભુટિ્ઠઓહં) ઉવટિ્ઠઓહં તુબ્ભણ્હં તવતેયસિરીએ ઇમાઓ ચાઉરંતસંસારકંતારાઓ સાહટ્ટુ નિત્થરિસ્સામિ ત્તિકટ્ટુ સિરસા મણસા મત્થએણ વંદામિ (૪) ગુરુ-નિત્થારગપારગા હોહ
ખામણાં કેટલાં ખામવાં
દેવસિ રાઇ અને પક્ખિમાં પાંચ કે તેથી વધારે સાધુઓ હોય તો ત્રણને ખામવા, પાંચથી વધારે સાધુઓ હોય તો ચોમાસીમાં પાંચ અને સાતથી વધારે સાધુઓ હોય તો સંવચ્છરીમાં સાત સાધુઓને ખામવા.
સકલાઽર્હત્ સ્તોત્ર
સકલાઽર્હત્પ્રતિષ્ઠાન-મધિષ્ઠાનં શિવશ્રિયઃ;
ભૂર્ભુવઃસ્વસ્ત્રયીશાન-માર્હન્ત્યં પ્રણિદદ્મહે. ૧
નામાઽઽકૃતિદ્રવ્યભાવૈઃ, પુનતસ્ત્રિજગજ્જનમ્;
ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિ-ન્નર્હતઃ સમુપાસ્મહે. ૨
આદિમં પૃથિવીનાથ-માઽઽદિમં નિષ્પરિગ્રહમ્;
આદિમં તીર્થનાથં ચ, ઋષભસ્વામિનં સ્તુમઃ. ૩
અર્હન્તમજિતં વિશ્વ-કમલાકરભાસ્કરમ્;
અમ્લાનકેવલાઽઽદર્શ-સંક્રાન્તજગતં સ્તુવે. ૪
વિશ્વભવ્યજનાઽઽરામ-કુલ્યા તુલ્યા જયન્તિ તાઃ;
દેશનાસમયે વાચઃ, શ્રીસંભવજગત્પતેઃ. ૫
અનેકાન્તમતામ્ભોધિ-સમુલ્લાસનચન્દ્રમાઃ;
દદ્યાદમન્દમાનન્દં, ભગવાનભિનન્દનઃ. ૬
દ્યુસત્કિરીટશાણાગ્રો-ત્તેજિતાઙિ્ઘ્રનખાવલિઃ;
ભગવાન્ સુમતિસ્વામી, તનોત્વભિમતાનિ વઃ. ૭
પદ્મપ્રભપ્રભોર્દેહ-ભાસઃ પુષ્ણન્તુ વઃ શ્રિયમ્;
અન્તરઙ્ગારિમથને, કોપાટોપાદિવારુણાઃ. ૮
શ્રીસુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્રમહિતાંઘ્રયે;
નમશ્ચતુર્વર્ણસંઘ-ગગનાભોગભાસ્વતે. ૯
ચન્દ્રપ્રભપ્રભોશ્ચન્દ્ર-મરીચિનિચયોજ્જ્વલા;
મૂર્ત્તિમૂર્ત્તસિતધ્યાન-નિર્મિતેવ શ્રિયેઽસ્તુ વઃ. ૧૦
કરામલકવદ્વિશ્વં, કલયન્ કેવલશ્રિયા;
અચિન્ત્યમાહાત્મ્યનિધિઃ, સુવિધિર્બોધયેઽસ્તુ વઃ. ૧૧
સત્ત્વાનાં પરમાનન્દ-કન્દોદ્ભેદનવામ્બુદઃ;
સ્યાદ્વાદામૃતનિસ્યન્દી, શીતલઃ પાતુ વો જિનઃ. ૧૨
ભવરોગાર્ત્તજન્તૂના-મગદંકારદર્શનઃ;
નિઃશ્રેયસશ્રીરમણઃ, શ્રેયાંસઃ શ્રેયસેઽસ્તુ વઃ. ૧૩
વિશ્વોપકારકીભૂત-તીર્થકૃત્કર્મનિર્મિતિઃ;
સુરાસુરનરૈઃ પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વઃ. ૧૪
વિમલસ્વામિનો વાચઃ કતકક્ષોદસોદરાઃ;
જયન્તિ ત્રિજગચ્ચેતોજલનૈર્મલ્યહેતવઃ. ૧૫
સ્વયમ્ભૂરમણસ્પર્દ્ધિ-કરુણારસવારિણા;
અનન્તજિદનન્તાં વઃ; પ્રયચ્છતુ સુખશ્રિયમ્. ૧૬
કલ્પદ્રુમસધર્મ્માણમિષ્ટપ્રાપ્તૌ શરીરિણામ્;
ચતુદ્ધર ધર્મદેષ્ટારં, ધર્મનાથમુપાસ્મહે. ૧૭
સુધાસોદરવાગ્જ્યોત્સ્ના-નિર્મ્મલીકૃતદિઙ્મુખઃ;
મૃગલક્ષ્મા તમઃશાન્ત્યૈ, શાન્તિનાથજિનોઽસ્તુ વઃ. ૧૮
શ્રીકુન્થુનાથો ભગવાન્, સનાથોઽતિશયર્દ્ધિભિઃ;
સુરાસુરનૃનાથાના-મેકનાથોઽસ્તુ વઃ શ્રિયે. ૧૯
અરનાથસ્તુ ભગવાઁ-શ્ચતુર્થારનભોરવિઃ;
ચતુર્થપુરુષાર્થશ્રી-વિલાસંવિતનોતુ વઃ. ૨૦
સુરાસુરનરાધીશ-મયૂરનવવારિદમ્;
કર્મદ્રુન્મૂલને હસ્તિ-મલ્લં મલ્લિમભિષ્ટુમઃ. ૨૧
જગન્મહામોહનિદ્રા-પ્રત્યૂષસમયોપમમ્;
મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચનં સ્તુમઃ. ૨૨
લુઠન્તો નમતાં મૂર્ધ્નિ, નિર્મલીકારકારણમ્;
વારિપ્લવા ઇવ નમેઃ, પાન્તુ પાદનખાંશવઃ. ૨૩
યદુવંશસમુદ્રેન્દુઃ, કર્મ્મકક્ષહુતાશનઃ;
અરિષ્ટનેમિર્ભગવાન્, ભૂયાદ્વોઽરિષ્ટનાશનઃ. ૨૪
કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વ્વતિઃ
પ્રભુસ્તુલ્યમનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયેઽસ્તુ વઃ. ૨૫
શ્રીમતે વીરનાથાય, સનાથાયાદ્ભુતશ્રિયાઃ
મહાનન્દસરોરાજ-મરાલાયાર્હતે નમઃ. ૨૬
કૃતાપરાધેઽપિ જને, કૃપામન્થરતારયોઃ;
ઇષદ્બાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રીવીરજિનનેત્રયોઃ. ૨૭
જયતિ વિજિતાન્યતેજાઃ, સુરાસુરાધીશસેવિતઃ શ્રીમાન્;
વિમલસ્ત્રાસવિરહિત-સ્ત્રિભુવનચૂડામણિર્ભગવાન્. ૨૮
વીરઃ સર્વ્વસુરાસુરેન્દ્રમહિતો, વીરં બુધાઃ સંશ્રિતાઃ,
વીરેણાભિહતઃ સ્વકર્મનિચયો, વીરાય નિત્યં નમઃ;
વીરાત્તીર્થમિદં પ્રવૃત્તમતુલં, વીરસ્ય ઘોરં તપો,
વીરે શ્રીધૃતિકીર્તિકાન્તિનિચયઃ, શ્રીવીર! ભદ્રંદિશ. ૨૯
અવનિતલગતાનાં કૃત્રિમાકૃત્રિમાનાં,
વરભવનગતાનાં દિવ્યવૈમાનિકાનામ્;
ઇહ મનુજકૃતાનાં દેવરાજાર્ચિતાનાં,
જિનવરભવનાનાં ભાવતોઽહં નમામિ. ૩૦
સર્વેષાં વેધસામાઽઽદ્ય-માદિમં પરમેષ્ઠિનામ્;
દેવાધિદેવં સર્વજ્ઞં; શ્રીવીરં પ્રણિદદ્મહે. ૩૧
દેવોઽનેકભવાર્જિતોર્જિતમહા પાપપ્રદીપાનલો દેવઃ
સિદ્ધિવધૂવિશાલહૃદયા-લઙ્કારહારોપમઃ;
દેવોઽષ્ટાદશદોષસિન્ધુરઘટા-નિર્ભેદપંચાનનો,
ભવ્યાનાં વિદધાતુ વાંછિતફલં શ્રીવીતરાગોજિનઃ. ૩૨
ખ્યાતોઽષ્ટાપદપર્વતો ગજપદઃ સમ્મેતશૈલાભિધઃ
શ્રીમાન્ રૈવતકઃ પ્રસિદ્ધમહિમા શત્રુંજયો મણ્ડપઃ;
વૈભારઃ કનકાચલોઽર્બુદગિરિઃ શ્રીચિત્રકૂટાદય-
સ્તત્ર શ્રીઋષભાદયો જિનવરાઃ કુર્વન્તુ વો મંગલમ્. ૩૩
સ્નાતસ્યા સ્તુતિ
સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરુશિખરે શચ્યા વિભોઃ શૈશવે,
રુપાલોકનવિસ્મયાહૃતરસ-ભ્રાન્ત્યા ભ્રમચ્ચક્ષુષા;
ઉન્મૃષ્ટં નયનપ્રભાધવલિતં ક્ષીરોદકાશંક્યા,
વક્ત્રં યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રીવર્દ્ધમાનો જિનઃ. ૧
હંસાંસાહતપદ્મરેણુકપિશ-ક્ષીરાર્ણવામ્ભોભૃતૈઃ,
કુમ્ભૈરપ્સરસાં પયોધરભરપ્રસ્પર્દ્ધિભિઃ કાંચનૈઃ;
યેષાં મન્દરરત્નશૈલશિખરે જન્માભિષેકઃ કૃતઃ,
સર્વૈઃ સર્વસુરાસુરેશ્વરગણૈ-સ્તેષાં નતોઽહં ક્રમાન્. ૨
અર્હદ્વક્ત્રપ્રસૂતં ગણધરરચિતં દ્વાદશાંગં વિશાલં,
ચિત્રં બહ્વર્થયુક્તં મુનિગણવૃષભૈર્ધારિતં બુદ્ધિમદ્ભિઃ;
મોક્ષાગ્રદ્વારભૂતં વ્રતચરણફલં જ્ઞેયભાવપ્રદીપં,
ભક્ત્યા નિત્યં પ્રપદ્યે શ્રુતમહમખિલં સર્વલોકૈકસારમ્. ૩
નિષ્પઙ્કવ્યોમનીલદ્યુતિમલસદૃશં બાલચન્દ્રાભદૃંષ્ટ્રં,
મત્તં ઘણ્ટારવેણ પ્રસૃતમદજલં પૂરયન્તં સમન્તાત્;
આરુઢો દિવ્યનાગં વિચરતિ ગગને કામદઃકામરૂપી,
યક્ષઃ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિમ્. ૪
ભવનદેવતાની સ્તુતિ
ભવણદેવયાએ કરેમિ કાઉ૦ અન્ન૦
જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્યં સ્વાધ્યાય સંયમરતાનામ્;
વિદધાતુ ભવનદેવી, શિવં સદા સર્વસાધૂનામ્ (૧)
ક્ષેત્રદેવતાની સ્તુતિ
ખિત્તદેવયાએ કરેમિ કાઉ૦ અન્ન૦
યસ્યાઃ ક્ષેત્રં સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયાઃ;
સા ક્ષેત્રદેવતા નિત્યં, ભૂયાન્નઃ સુખદાયિની (૧)
અતિચારની ગાથા
સયણાસણન્નપાણે, ચેઇય જઈ સિજ્જ કાય ઉચ્ચારે;
સમિઈ ભાવણા ગુત્તી, વિતહાયરણે ય અઇયારો (૧)
સંથારાદિ, આસનાદિ, અને આહાર-પાણી, અવિધિએ ગ્રહણ કરવાથી, અવિધિએ જિનેશ્વરને વંદન કરવાથી, સાધુ સાધ્વીનો વિનય ન કરવાથી, વસતિની અવિધિએ પ્રમાજર્ના વિ૦ કરવાથી, લઘુનીતિ-વડીનીતિનું અપ્રતિલેખિત ભૂમિ ઉપર પરઠવવાથી, પાંચ સમિતિ, બાર ભાવના અને ત્રણ ગુપ્તિ વિ૦નું અવિધિએ સેવન કરવાથી અથવા સેવન નહિ કરવાથી જે કંઈ અતિચાર લાગ્યા હોય તે સંભારીને યાદ કરવા. (સામાન્ય સાધુ-સાધ્વીઓએ આ ગાથા અર્થસહિત એકવાર વિચારવી, અલ્પ વ્યાપાર હોવાથી વડીલે બે વાર વિચારવી૦)
છીંકનો કાઉસ્સગ્ગ
પાક્ષિક અતિચાર પહેલા છીંક આવે તો, ટાઈમ અને અનુકૂલતા હોય તો સર્વ ફરીને કરવું, અતિચાર પછી છીંક આવે તો, સજ્ઝાય પછી ઇરિયાવહિ કરી ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ક્ષુદ્રોપદ્રવઓહડ્ડાવણત્થં કાઉસ્સગ્ગ કરું? (કરેહ) ઇચ્છં, કહી ક્ષુદ્રો૦ કરેમિ કાઉસ્સગ્ગં અન્નત્થ૦ સાગરવરગંભીરા સુધી ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી નીચેની ગાથા ત્રણ વખત કહી પારવો.
સર્વે યક્ષાંબિકાદ્યા યે, વૈયાવૃત્યકરા જિને;
ક્ષુદ્રોપદ્રવસંઘાતં, તે દ્રુતં દ્રાવયન્તુ નઃ (૧)
પછી પ્રગટ લોગસ્સ કહી આગળનો વિધિ ચાલુ કરવો (હીર૦)
દેવસિઅ પ્રતિક્રમણની વિધિ
પ્રથમ ઇરિયાવહિયા૦ (ગૃહસ્થ-સામાયિક લઈ મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દઈ પચ્ચક્ખાણ કરે) ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ચૈત્યવંદન કરું? (કરેહ) ઇચ્છં, ચૈત્યવંદન૦ જંકિંચિ૦ નમુત્થુણં૦ અરિહંત ચેઇઆણં૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ નમોર્હત્૦ પહેલી થોય૦ લોગસ્સ૦ સવ્વલોએ૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ બીજી થોય૦ પુક્ખરવરદ્દી૦ સુઅસ્સ૦ વંદણ વત્તિઆએ૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ ત્રીજી થોય૦ સિદ્ધાણં-બુદ્ધાણં૦ વેયાવચ્ચ૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ નમોર્હત્૦ ચોથી થોય૦ નમુત્થુણં૦ ખમા૦ ભગવાન્હં, ખમા૦ આચાર્યહં, ખમા૦ ઉપાધ્યાયહં, ખમા૦ સર્વસાધુહં (ગૃહસ્થ-ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વંદુ).
ઇચ્છા૦ સં૦ ભ૦! દેવસિય પડિક્કમણે ઠાઉં? (ઠાએહ) ઇચ્છં, જમણો હાથ ઓઘા (ગૃહસ્થ ચરવલા) ઉપર થાપીને સવ્વસ્સવિ૦ કરેમિભંતે૦ ઇચ્છામિ ઠામિ૦ તસ્સઉત્તરી૦ અન્નત્થ૦ સયણાસણન્ન૦ની ગાથા એકવાર (વડીલે બે વાર) અર્થસહિત (ગૃહસ્થ-પંચાચારના અતિચારની આઠગાથા, ન આવડે તો આઠ નવકાર) નો કાઉસ્સગ્ગ૦ લોગસ્સ૦
ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણાં૦ ઇચ્છા૦ સં૦ ભ૦! દેવસિઅં આલોઉં? (આલોએહ) ઇચ્છં-આલોએમિ, જોમે દેવસિ ઓ૦ ઠાણે કમણે૦ (ગૃહસ્થ-સાત લાખ૦ પહેલે પ્રાણાતિપાત૦ પૌષધમાં – ગમણાગમણે૦) સવ્વસ્સવિ૦ વીરાસને બેસીને-નવકાર૦ કરેમિ ભંતે૦ ચત્તારિમંગલં૦ ઇચ્છામિ પડિક્કમિઉં૦ ઇરિયાવહિયા૦ શ્રમણસૂત્ર૦ (ગૃહસ્થ-નવકાર૦ કરેમિભંતે૦ ઇચ્છામિ પડિક્કમિઉં૦ વંદિત્તુ૦) બે વાંદણાં૦ અબ્ભુટિ્ઠઓ૦ બે વાંદણાં૦ આયરિય ઉવજ્ઝાએ૦ કરેમિ ભંતે૦ ઇચ્છામિઠામિ૦ તસ્સઉત્તરી૦ અન્નત્થ૦ બે લોગસ્સનો કાઉસ્સગ્ગ૦ લોગસ્સ૦ સવ્વલોએ૦ અન્નત્થ૦ એક લોગસ્સનો કાઉસ્સગ્ગ૦ પુક્ખરવરદ્દી૦ સુઅસ્સ૦ વંદણવત્તિઆએ૦ અન્નત્થ૦ એકલોગસ્સનો કાઉસ્સગ્ગ૦ સિદ્ધાણં બુદ્ધાણં૦ સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ નમોર્હત્૦ સુઅદેવયા૦ (બહેનો-કમલદલ૦) ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ નમોર્હત્૦ જિસેખિતે૦ (બહેનો-યસ્યાઃ ક્ષેત્રં૦) નવકાર૦
છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણાં૦ સામાયિક, ચઉવિસત્થો, વંદણ, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ-કર્યું છે જી (પચ્ચક્ખાણ ધાર્યું હોય તો, કાઉસ્સગ્ગ સુધી-કર્યો છે જી, પચ્ચક્ખાણ-ધાર્યું છે જી) ઇચ્છામો અણુસટિં્ઠ નમો ખમાસમણાણં-નમોર્હત્૦ નમોસ્તુવર્ધમાનાય૦ (બહેનો-સંસારદાવાની ત્રણ ગાથા).
નમુત્થુણં૦ નમોર્હત્૦ સ્તવન૦ વરકનક૦ ખમા૦ ભગવાન્ હં, ખમા૦ આચાર્યહં, ખમા૦ ઉપાધ્યાયહં, ખમા૦ સર્વસાધુહં (ગૃહસ્થ-જમણો હાથ ચરવલા ઉપર સ્થાપી-અડ્ઢાઇજ્જેસુ૦) ઇચ્છા૦ સં૦ ભ૦! દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણત્થં કાઉસ્સગ્ગ કરું? (કરેહ) ઇચ્છં, દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણત્થં કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ૦ લોગસ્સ૦ ઇચ્છા૦ સં૦ ભ૦! સજ્ઝાય સંદિસાહઉં? (સંદિસાવેહ) ઇચ્છં, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! સજ્ઝાય કરું? (કરેહ) ઇચ્છં, નવકાર૦ સજ્ઝાય૦ નવકાર૦ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! દુક્ખક્ખઓ કમ્મક્ખઓ નિમિત્તં કાઉસ્સગ્ગ કરું? (કરેહ) ઇચ્છં, દુક્ખક્ખઓ કમ્મક્ખઓ નિમિત્તં કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ સંપૂર્ણ ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ૦ (બાકીના સર્વ કાઉસ્સગ્ગમાં ચંદેસુનિમ્મલયરા-સુધી લોગસ્સ૦) નમોર્હત્૦ લઘુશાન્તિ૦ લોગસ્સ૦ (ગૃહસ્થ-ઇરિયાવહિ કરી ચઉક્કસાય૦ નમુત્થુણં૦ જાવંતિ૦ ખમા૦ જાવંત૦ નમોર્હત્૦ ઉવસગ્ગહરં૦ જયવીયરાય૦ ખમા૦ મુહપત્તિ પડિલેહી-સામાયિક પારવાના બે આદેશ માગી જમણો હાથ ચરવલા ઉપર સ્થાપી-નવકાર૦ સામાઇયવયજુત્તો૦)
રાઈઅ પ્રતિક્રમણની વિધિ
પ્રથમ ઇરિયાવહિયા૦ (ગૃહસ્થ-સામાયિક લે) ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! કુસુમિણ દુસુમિણ ઓહડ્ડાવણી રાઇય પાયચ્છિત્ત વિસોહણત્થં કાઉસ્સગ્ગં કરું? (કરેહ) ઇચ્છં, કુસુમિણ દુસુમિણ ઓહડ્ડાવણી રાઈય પાયચ્છિત્ત વિસોહણત્થં કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ ચાર લોગસ્સ (રાત્રે શિયલભંગ સંબંધી સ્વપ્ન આવેલ હોય તો સાગરવરગંભીરા-સુધી, નહિ તો ચંદેસુનિમ્મલયરા-સુધી)નો કાઉસ્સગ્ગ૦ લોગસ્સ૦ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ચૈત્યવંદન કરું? (કરેહ) ઇચ્છં૦ જગચિંતામણી૦ જંકિંચિ૦ નમુત્થુણં૦ જાવંતિ૦ ખમા૦ જાવંત૦ નમોર્હત્૦ ઉવસગ્ગહરં૦ જયવીયરાય૦ ખમા૦ ભગવાન્હં, ખમા૦ આચાર્યહં, ખમા૦ ઉપાધ્યાયહં, ખમા૦ સર્વસાધુહં, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! સજ્ઝાય સંદિસાહઉં? (સંદિસાવેહ) ઇચ્છં, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! સજ્ઝાય કરું? (કરેહ) ઇચ્છં, નવકાર૦ ભરહેસર૦ નવકાર૦ ઇચ્છકાર૦
ઇચ્છા૦ સં૦ ભ૦! રાઇયપડિક્કમણે ઠાઉં? (ઠાએહ) ઇચ્છં, જમણો હાથ ઓઘા (ગૃહસ્થ-ચરવલા) ઉપર સ્થાપીને સવ્વસ્સવિ૦ નમુત્થુણં૦ કરેમિભંતે૦ ઇચ્છામિઠામિ૦ તસ્સઉત્તરી૦ અન્નત્થ૦ એક લોગસ્સનો કાઉસ્સગ્ગ૦ લોગસ્સ૦ સવ્વલોએ૦ અન્નત્થ૦ એક લોગસ્સનો કાઉસ્સગ્ગ૦ પુક્ખરવરદ્દી૦ સુઅસ્સ૦ વંદણવત્તિઆએ૦ અન્નત્થ૦ સયણાસણન્ન૦ ની ગાથા એકવાર (વડીલે બે વાર) અર્થ સહિત (ગૃહસ્થ-પંચાચારના અતિચારની આઠ ગાથા, ન આવડે તો આઠ નવકાર) નો કાઉસ્સગ્ગ૦ સિદ્ધાણં બુદ્ધાણં૦
ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી-બે વાંદણાં૦ ઇચ્છા૦ સં૦ ભ૦! રાઈયં આલોઉં? (આલોએહ) ઇચ્છં-આલોએમિ, જોમે રાઇઓ૦ સંથારાઉવટ્ટણકી૦ (ગૃહસ્થ-સાત લાખ૦ પહેલે પ્રાણાતિપાત૦ પૌષધમાં-ગમણાગમણે૦) સવ્વસ્સવિ૦ વીરાસને બેસીને નવકાર૦ કરેમિભંતે૦ ચત્તારિમંગલં૦ ઇચ્છામિ પડિક્કમિઉં૦ ઇરિયાવહિયા૦ શ્રમણસૂત્ર૦ (ગૃહસ્થ-નવકાર૦ કરેમિભંતે૦ ઇચ્છામિ પડિક્કમિઉં૦ વંદિત્તુ૦) બે વાંદણાં૦ અબ્ભુટિ્ઠઓ૦ બે વાંદણાં૦ આયરિયઉવજ્ઝાએ૦ કરેમિભંતે૦ ઇચ્છામિઠામિ૦ તસ્સઉત્તરી૦ અન્નત્થ૦ તપચિંતવણી૦ (ન આવડે તો સોળ નવકાર) નો કાઉસ્સગ્ગ૦ લોગસ્સ૦
છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી-બે વાંદણાં૦ સકલતીર્થ૦ પચ્ચક્ખાણ કરી-સામાયિક, ચઉવિસત્થો, વંદણ, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ-કર્યું છે જી (પચ્ચક્ખાણ ધાર્યું હોય તો, કાઉસ્સગ્ગ સુધી-કર્યો છે જી, પચ્ચક્ખાણ-ધાર્યું છે જી) ઇચ્છામો અણુસટિં્ઠ નમો ખમાસમણાણં-નમોર્હત્૦ વિશાલલોચન૦ (બહેનો-સંસારદાવાની ત્રણ ગાથા).
નમુત્થુણં૦ અરિહંત ચેઇઆણં૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ નમોર્હત્૦ કલ્લાણકંદંની પ્રથમ ગાથા૦ લોગસ્સ૦ સવ્વલોએ૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ કલ્લાણકંદંની બીજી ગાથા૦ પુક્ખરવરદ્દી૦ સુઅસ્સ૦ વંદણવત્તિઆએ૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ કલ્લાણકંદંની ત્રીજી ગાથા૦ સિદ્ધાણં બુદ્ધાણં૦ વેયાવચ્ચ૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ નમોર્હત્૦ કલ્લાણકંદંની ચોથી ગાથા૦ નમુત્થુણં૦ ખમા૦ ભગવાન્હં, ખમા૦ આચાર્યહં, ખમા૦ ઉપાધ્યાયહં, ખમા૦ સર્વસાધુહં (ગૃહસ્થ-જમણો હાથ ચરવલા ઉપર સ્થાપી-અડ્ઢાઇજ્જેસુ૦) ત્રણદુહા અને ત્રણ ખમા૦ પૂર્વક પ્રથમ શ્રીસીમંધરસ્વામીનું અને પછી શ્રીસિદ્ધાચળજીનું ચૈત્યવંદન-થોય૦ સુધી કરવું.
પક્ખિપ્રતિક્રમણની વિધિ
પ્રથમ દેવસિય પ્રતિક્રમણમાં શ્રમણસૂત્ર (વંદિત્તુ) કહીએ ત્યાં સુધી સર્વ કહેવું. પણ ચૈત્યવંદન સકલાર્હત્નું અને થોયો સ્નાતસ્યાની કહેવી.
પછી-ખમા૦ દેવસિઅ આલોઇઅ પડિક્કંતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પક્ખિ મુહપત્તિ પડિલેહઉં? (પડિલેહેહ) ઇચ્છં, મુહપત્તિ પડિલેહી (અહિંથી ચાર ખામણાં સુધી દેવસિઅ ને બદલે પક્ખિ બોલવું) બે વાંદણાં૦ ઇચ્છા૦ સં૦ ભ૦! અબ્ભુટ્ઠિઓહં સંબુદ્ધાખામણેણં અબ્ભિંતર પક્ખિઅં ખામેઉં? (ખામેહ) ઇચ્છં ખામેમિ પક્ખિઅં, એકપક્ખસ્સ પન્નરસણ્હં રાઇંદિઆણં-જંકિંચિ અપત્તિઅં૦ ઇચ્છા૦ સં૦ ભ૦! પક્ખિઅં આલોઉં? (આલોહેહ) ઇચ્છં-આલોએમિ, જો મે પક્ખિઓ૦ ઇચ્છા૦ સં૦ ભ૦! પક્ખિ અતિચાર આલોઉં? (આલોહેહ) ઇચ્છં, અતિચાર૦ એવંકારે સાધુતણેધર્મે એકવિધ અસંયમ તેત્રીશ આશાતના પ્રમાદ પર્યન્તમાંહી (શ્રાવકતણે ધર્મે સમ્યક્ત્વમૂળ ૧૨ વ્રત ૧૨૪ અતિચાર માંહી) અનેરો૦ સવ્વસ્સવિ પક્ખિઅ દુચ્ચિંતિય દુબ્ભાસિય દુચ્ચિટ્ઠિય-ઇચ્છા૦ સં૦ ભ૦! (પડિક્કમેહ) ઇચ્છં તસ્સ મિચ્છા મિ દુક્કડં, ઇચ્છકારિ ભગવન્! પસાયકરી પક્ખિતપ પ્રસાદ કરશોજી, એમ બોલીને આવી રીતે કહીએ૦ચોથભત્તેણં એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ-નીવિ, ચાર એકાસણાં, આઠ બેઆસણાં, બેહજાર સજ્ઝાય (ગાથા) યથાશક્તિ તપકરી પહોંચાડવો, જો તપ કર્યો હોય કે તપમાં પ્રવેશ કર્યો હોય તો પઇટિ્ઠઓ કહેવું. અને ન કર્યો હોય પરંતુ પાછળથી કરવાનો હોય તો તહત્તિ કહેવું, તથા નજ કરવો હોય તો મૌન રહેવું.
(આ તપ ન કરવામાં આવે તો આજ્ઞાભંગદોષ અને પ્રતિક્રમણ અધુરૂં રહે-કલ્પ૦)
બે વાંદણાં૦ ઇચ્છા૦ સં૦ ભ૦! અબ્ભુટ્ઠિઓહં પત્તેઅખામણેણં અબ્ભિંતર પક્ખિઅં ખામેઉં? (ખામેહ) ઇચ્છં ખામેમિ પક્ખિઅં, એકપક્ખસ્સ૦ બે વાંદણાં૦ દેવસિઅ આલોઇઅ પડિક્કંતા ઇચ્છા૦ સં૦ ભ૦! પક્ખિઅં પડિક્કમું?
(ગુરુ-પડિક્કમેહ) સમ્મં પડિક્કમામિ કરેમિભંતે૦ ઇચ્છામિ પડિક્કમિઉં જો મે પક્ખિઓ૦ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! પક્ખિ સૂત્ર કઢુ? (કહેહ) ઇચ્છં, ત્રણ નવકાર૦ પક્ખિ સૂત્ર૦ (સાધુ ન હોય તો ત્રણ નવકાર૦ વંદિત્તુ૦) સુઅદેવયા૦
પછી દેવસિઅ પ્રતિક્રમણની જેમ (પરંતુ દેવસિઅ ને ઠેકાણે પક્ખિ બોલવું) નવકાર વિગેરે પૂર્વક શ્રમણસૂત્ર (વંદિત્તુ) કહી કરેમિભંતે૦ ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગં જો મે પક્ખિઓ૦ તસ્સ ઉત્તરી૦ અન્નત્થ૦ બાર લોગસ્સનો કાઉસ્સગ્ગ૦ લોગસ્સ૦ મુહપત્તિ પડિલેહી-બે વાંદણાં૦ ઇચ્છા૦ સં૦ ભ૦! અબ્ભુટિ્ઠઓહં સમત્તખામણેણં અબ્ભિંતર પક્ખિઅં ખામેઉં? (ખામેહ) ઇચ્છં ખામેમિ પક્ખિઅં, એકપક્ખસ્સ૦ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! પક્ખિ ખામણાં ખામું? (ખામેહ) ઇચ્છં, કહી-ખમા૦ પૂર્વક ચાર ખામણાં ખામવાં (સાધુ ન હોય તો-ખમા૦ દઇ ઇચ્છામિ ખમાસમણોપૂર્વક નવકાર૦ કહી સિરસા મણસા મત્થએણ વંદામિ કહેવું, ફક્ત ત્રીજા ખામણાના અન્તે તસ્સ મિચ્છા મિ દુક્કડં કહેવું)
(પક્ખિમુહપત્તિ પડિલેહણથી અહિં સુધી દેવસિઅને ઠેકાણે પક્ખિઅ બોલવું) પછી દેવસિઅપ્રતિક્રમણમાં વંદિત્તુ કહ્યા પછી બેવાંદણાં દઈએ તિહાંથી સમાપ્ત થાય ત્યાં સુધી સર્વ દેવસિઅની પેઠે જાણવું, પરંતુ સુઅદેવયા અને જિસેખિત્તે ને ઠેકાણે જ્ઞાનાદિ૦ અને યસ્યાઃ ક્ષેત્રં૦ ની થોય બોલવી, સ્તવન-અજિતશાન્તિ૦નું કહેવું, સજ્ઝાયને ઠેકાણે ઉવસગ્ગહરં અને સંસારદાવા૦ ઝંકારાથી ઉંચે અવાજે સકલસંઘે બોલવું, શાન્તિબૃહદ્ બોલવી, અન્તે સંતિકરં બોલવાનો રીવાજ જોવામાં આવે છે.
ચઉમાસી પ્રતિક્રમણની વિધિ
પક્ખિપ્રતિક્રમણ પ્રમાણે સર્વવિધિ કરવી, પરંતુ એકપક્ખસ્સને ઠેકાણે ચઉમાસાણં અટ્ઠપક્ખાણં એગસયવીસરાઇંદિયાણં બોલવું, અને બાર લોગસ્સના ઠેકાણે ૨૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ૦ કરવો અને પક્ખિને ઠેકાણે ચઉમાસી શબ્દ બોલવો, તથા તપને ઠેકાણે છટ્ઠભત્તેણં, બે-ઉ૦, ચાર-આ૦, છ-ની૦, આઠ-એ૦, સોલ-બે૦, ચાર હજાર સજ્ઝાય૦ એમ કહેવું૦
સંવચ્છરી પ્રતિક્રમણની વિધિ
પક્ખિપ્રતિક્રમણ પ્રમાણે સર્વવિધિ કરવી, પરંતુ એક પક્ખસ્સ ને ઠેકાણે બારમાસાણં ચોવીસપક્ખાણં તિસયસટિ્ઠરાઇંદિયાણં બોલવું અને ૧૨ લોગસ્સના ઠેકાણે ૪૦ લોગસ્સ તથા એક નવકાર (લોગસ્સ ન આવડે તો ૧૬૦ નવકાર) નો કાઉસ્સગ્ગ૦ કરવો, અને પક્ખિને ઠેકાણે સંવચ્છરી શબ્દ બોલવો, તથા તપને ઠેકાણે અટ્ઠમભત્તેણં ત્રણ-ઉ૦, છ-આ૦, નવની૦, બાર-એ૦, ચોવીસ-બે૦, છ હજાર સજ્ઝાય૦ એમ કહેવું.
પ્રતિક્રમણમાં અવગ્રહપ્રવેશ-નિર્ગમ
દેવસિ-રાઇઅ-ત્રીજા આવશ્યકના વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી શ્રમણસૂત્ર (વંદિત્તુ)માં આવતા ‘તસ્સધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ અબ્ભુટિ્ઠઓમિ આરાહણાએ‘ એ પાઠ બોલતાં ઉભા થતાં અવગ્રહમાંથી બહાર નીકળવું, બીજું વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી અબ્ભુટિ્ઠઓ ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું, ત્રીજુ વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી તરત જ અવગ્રહમાંથી બહાર નીકળવું, ચોથું વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી વિશાલલોચન અને નમોસ્તુ વર્ધમાનાય સૂત્ર પહેલા અવગ્રહમાંથી બહાર નીકળવું, દરેક જગ્યાએ વાંદણામાં આવતા ‘નિસીહિ‘ બોલતાં અવગ્રહમાં પ્રવેશ કરવો, અને ‘આવસ્સિયાએ‘ કહીને અવગ્રહમાંથી બહાર નીકળવું.
પક્ખિ-વગેરેમાં-શ્રમણસૂત્ર (વંદિત્તા) પછી અવગ્રહ બહાર રહીને જ પક્ખિઆદિનો આરંભ કરવો, ત્યારબાદ પ્રથમ વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી ‘સંબુદ્ધાખામણેણં‘ ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું, બીજું વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી ‘પત્તેઅખામણેણં‘ ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું, ત્રીજું વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી શ્રમણસૂત્ર (વંદિત્તા)માં આવતા.
તસ્સ ધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ અબ્ભુટિ્ઠઓમિ આરાહણાએ
એ પાઠ બોલતાં ઉભા થતાં અવગ્રહમાંથી બહાર નીકળવું, ચોથું વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી ‘સમ્મત્તખામણેણં‘ ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું.
બાકી આગળ-પાછળ અવગ્રહમાં પ્રવેશ-નિર્ગમ દેવસિઅ પ્રતિક્રમણની માફક જાણવો.
પડિલેહણ (સવારની) વિધિ
પ્રથમ ઇરિયાવહિ કરી-ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! પડિલેહણ કરૂં? (કરેહ) ઇચ્છં, કહી મુહપત્તિ ૫૦ બોલથી, ઓઘો અને કંદોરો ૧૦ થી, આસન અને ચોલપટ્ટો ૨૫ બોલથી (સાધ્વીએ મુહપત્તિ ૪૦ થી, ઓઘો અને કંદોરો ૧૦ થી, આસન કપડો કંચુવો અને સાડો ૨૫-બોલથી) પડિલેહવો, પછી ઇરિયાવહિ કરી -ખમા૦ ઇચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી? (પડિલેહાવેમિ) ઇચ્છં, કહી સ્થાપનાજીનું પડિલેહણ કરે પરંતુ તેમાં પ્રથમ એક મુહપત્તિ પછી સ્થાપનાજી અને પછી બાકીની મુહપત્તિ આદિનું પડિલેહણ કરવું, પછી ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ઉપધિ મુહપત્તિ પડિલેહઉં? (પડિલેહેહ) ઇચ્છં કહી મુહપત્તિ પડિલેહી ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ઉપધિ સંદિસાહઉં? (સંદિસાવેહ) ઇચ્છં, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ઉપધિ પડિલેહઉં? (પડિલેહેહ) ઇચ્છં કહી બાકીનાં વસ્ત્ર. દાંડો. વિ૦ (વસ્ત્રો-૨૫ બોલથી, દાંડો-દંડાસન ૧૦ બોલથી) પડિલેહી કાજોલઇ જોઈને પરઠવવો, પછી અવિધિએ પરઠવવા સંબંધી ઇરિયાવહિ કરવા.
જો તં પુંજં છંડઇ, ઇરિયાવહિઆ હવેઇ નિયમેણ;
સંસત્તગવસહીએ, તહ હવઇ પમજ્જમાણસ્સ (૮૬)યતિ૦
જે કાજે પરઠવે તે અવશ્ય ઇરિયાવહિ કરે, અને વસતિ જીવાકુલ હોય તો કાજો લેવાવાળાએ પણ ઇરિયાવહિ કરવા, આથી એક જણ કાજો લે અને બીજો પરઠવે તો અવિધિ નથી. તથા કાજો લેવામાં ઇરિયાવહિ કરવાનો પણ એકાન્ત નથી. હાલમાં કાજો લેતાં પહેલાં અને પછી ઇરિયાવહિ કરાય છે.
પુનઃ ઇરિયાવહિ કરી-ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! સજ્ઝાય કરું? (કરેહ) ઇચ્છં, કહી નવકાર૦ ધમ્મોમંગલ૦ની પાંચ ગાથા૦ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ઉપયોગ કરું? (કરેહ) ઇચ્છં, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ગ કરું? (કરેહ) ઇચ્છં, ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ પારી પ્રગટ નવકાર૦ ઇચ્છા૦ સં૦ ભ૦!? (ગુરુ-લાભ), કહં લઇશું? (ગુરુ-જહાગહિઅં પૂવ્વસાહૂહિં), આવસ્સિઆએ? (ગુરુ-જસ્સજોગો), સજ્જાતરનું ઘર? (ગુરુ-અમુકવ્યક્તિનું)
પડિલેહણ (સાંજની) વિધિ
ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! બહુપડિપુન્ના પોરિસિ? (તહત્તિ) ખમા૦ ઇરિયાવહિ કરી-ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! પડિલેહણ કરું? (કરેહ) ઇચ્છં, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦ વસતિ પ્રમાજુર્ં? (પમજ્જેહ) ઇચ્છં, કહી સવારની જેમ પાંચવાનાં (ઉપવાસ હોય તો મુહપત્તિ રજોહરણ અને આસન) પડિલેહવાં, પછી (પાંચવાનાં પડિલેહણ કરનારને ઇરિયાવહિ) ખમા૦ ઇચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી? (પડિલેહાવેમિ) ઇચ્છં, કહી સ્થાપનાજી પડિલેહવા પરંતુ તેમાં પ્રથમ મુહપત્તિઓ વિ૦ સર્વ પડિલેહી છેલ્લા સ્થાપનાજી પડિલેહવા, પછી ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ઉપધિ મુહપત્તિ પડિલેહઉં? (પડિલેહેહ) ઇચ્છં, કહી મુહપત્તિ પડિલેહી ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! સજ્ઝાય કરું? (કરેહ) ઇચ્છં, નવકાર૦ ધમ્મોમંગલ૦ ની પાંચ ગાથા૦ પછી આહાર (અશનાદિ) વાપર્યો હોય તો બે વાંદણાં૦ (ન વાપર્યું હોય તો ખમા૦) પછી ઇચ્છકારી ભગવન્ પસાયકરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી! કહી પચ્ચક્ખાણ કરે, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ઉપધિ સંદિસાહઉં? (સંદિસાવેહ) ઇચ્છં, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ઉપધિ પડિલેહઉં? (પડિલેહેહ) ઇચ્છં, કહી બાકીનાં વસ્ત્ર, દાંડો વિ૦ પડિલેહી કાજો લઈ જોઈને પરઠવવો, પછી અવિધિએ પરઠવવા સંબંધી ઇરિયાવહિ કરવા.
પોરિસિની વિધિ
છ ઘડી દિવસ ચડ્યા પછી ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! બહુપડિપુન્નાપોરિસિ? (તહત્તિ), ખમા૦ ઇરિયાવહિ૦ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! પડિલેહણ કરું? (કરેહ) ઇચ્છં, કહી મુહપત્તિ પડિલેહવી (ચોમાસામાં પોરિસિ ભણાવીને કાજો લેવો).
ગોચરીના ૪૨ દોષ
સાધુ-સાધ્વીએ આહાર-પાણી વહોરતાં તેના ૪૨ દોષ વજર્વા, તથા આહાર કરતાં માંડલીના ૫-દોષ વજર્વા, તે આ પ્રમાણે (પિં. નિ.).
પ્રથમ ગૃહસ્થથી થતા આહાર ઉપજવા સંબંધી ૧૬ દોષ
(૧) આધાકર્મી – સર્વ દર્શનીઓને અથવા સર્વ મુનિઓને ઉદ્દેશીને કરવું. (૨) ઉદ્દેશ – પૂર્વે તૈયાર કરેલ ભાત-લાડુ-વિ૦ ને મુનિને ઉદ્દેશીને દહી-ગોળ-વિ૦ સ્વાદિષ્ટ કરવા. (૩) પૂતિકર્મ – શુદ્ધ અન્ન વિ૦ ને આધાકર્મીથી મિશ્રિત કરવું. (૪) મિશ્ર – પોતાને માટે તથા સાધુને માટે પ્રથમથી જ કલ્પીને બનાવવું. (૫) સ્થાપિત – સાધુ માટે ક્ષીર-વિ૦ જુદાં કરી ભાજનમાં સ્થાપી રાખવાં. (૬) પાહુડી – વિવાહ-વિ૦ ને વિલંબ છતાં સાધુને રહેલા જાણી તે વખતમાં જ વિવાહ વિ૦ કરવા. (૭) પ્રાદુષ્કરણ – અંધકારમાં રહેલી વસ્તુને દીવા-વિ૦ થી શોધી લાવવી. (૮) ક્રીત – સાધુ માટે વેચાણ લાવવું. (૯) પ્રામિત્ય – સાધુ માટે ઉધારે લાવવું. (૧૦) પરાવર્તિત – સાધુ માટે વસ્તુની અદલાબદલી કરવી. (૧૧) અભ્યાહૃત – સાહમું લાવવું. (૧૨) ઉદિ્ભન્ન – સાધુ માટે ડબ્બો ફોડી, ઘડા-વિ૦ ના મુખ ઉપરથી માટી દૂર કરી ઘી-વિ૦ કાઢવું. (૧૩) માલોપહૃત – ઉપલી ભૂમિથી, સીંકેથી કે ભોંયરામાંથી લાવવું. (૧૪) આચ્છેદ્ય – કોઈ પાસેથી આંચકી લાવવું. (૧૫) અનાસૃષ્ટિ – આખી મંડળીએ નહીં રજા આપેલું તેમાંનો એક જણ આપે. (૧૬) અધ્યવપૂરક – સાધુનું આવવું સાંભળી પોતાને માટે કરાતી રસવતી-વિ. માં વધારો કરવો.
સાધુથી થતા ઉત્પાદનાના ૧૬ દોષ આ પ્રમાણે
ધાત્રીપિંડ-ગૃહસ્થના બાળકને દૂધ પાવું, શણગારવું, રમાડવું વિ. (૨) દૂતિપિંડ-દૂતની પેઠે સંદેશો લઈ જવો. (૩) નિમિત્ત પિંડ-ત્રણે કાળના લાભાલાભ, જીવિત, મૃત્યુ-વિ. કહેવું. (૪) આજીવપિંડ-પોતાના કુળ, જાતિ, શિલ્પ-વિ. ના વખાણ કરવા. (૫) વનીપકપિંડ-દીનપણું જણાવવું. (૬) ચિકિત્સાપિંડ-ઔષધિ-વિ. બતાવવું. (૭) ક્રોધપિંડ-ડરાવવું, શ્રાપ આપવો. (૮) માનપિંડ-સાધુઓ પાસે એવી પ્રતિજ્ઞા કરે કે ‘હું લબ્ધિવાળો છું‘ તેથી સારો આહાર લાવી આપું, એમ કહી ગૃહસ્થને વિડંબના કરે. (૯) માયાપિંડ-જુદા જુદા વેષ પહેરે તથા ભાષા બદલે. (૧૦) લોભપિંડ-લાલસા વડે ઘણું ભટકે. (૧૧)
પૂર્વ-પશ્ચાત્ સંસ્તવ-પહેલા ગૃહસ્થના મા-બાપની અને પછી સાસુ-સસરાની પ્રશંસાપૂર્વક તેમની સાથે પોતાનો પરિચય જણાવે. (૧૨ થી ૧૫) વિદ્યા-મંત્ર-ચૂર્ણ-યોગપિંડ-વિદ્યા, મંત્ર, નેત્રાંજન-વિ. ચૂર્ણ, પાદલેપાદિ યોગનો ઉપયોગ કરવો. (૧૬) મૂળકર્મપિંડ-ગર્ભનું સ્તંભન, ધારણ, પ્રસવ તથા રક્ષાબંધનાદિ કરવું.
સાધુ તથા ગૃહસ્થ બંનેના સંયોગથી થતા એષણાના ૧૦ દોષ
(૧) શંકિત-આધાકર્માદિક દોષની શંકાવાળો (૨) મ્રક્ષિત-મધ વિ. નિંદનીય પદાર્થોના સંઘટ્ટાવાળો (૩) નિક્ષિપ્ત-સચિત્તની મધ્યમાં રહેલું. (૪) પિહિત-સચિત્તથી ઢાંકેલું. (૫) સંહૃત-દેવાના પાત્રમાં રહેલા પદાર્થને બીજા પાત્રમાં નાંખીને તે વાસણથી આપવું. (૬) દાયક-બાળક, વૃદ્ધ, નપુંસક, ધ્રુજતો, આંધળો, મદોન્મત્ત, હાથ-પગ વિનાનો, બેડીવાળો, પાદુકાવાળો, ખાંસીવાળો, ખાંડનાર, દળનાર, ભુંજનાર, ફાડનાર, કાતરનાર, પિંજનાર, વિ. છ કાયના વિરાધક પાસેથી, તેમ જ ગર્ભાધાનથી આઠ માસ પછી (નવમા માસથી ઉઠ-બેસ કર્યા વિના આપે તો દોષ નહિ) તથા સ્તન્યજીવી બાળકને મૂકીને આપતી સ્ત્રી પાસેથી આહાર લેતાં (આહાર તથા સ્તન્યજીવી બાળકને મૂકે છતાં રડે નહિ તેવી સ્ત્રી પાસેથી આહાર લેતાં દોષ નહિ) જિનકલ્પિ તો ગર્ભાધાનથી જ તથા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લે નહિ. (૭) ઉન્મિશ્ર-દેવા લાયક જે વસ્તુ હોય, તેને સચિત્ત-વિ.માં મિશ્ર કરી આપવું. (૮) અપરિણત-અચિત્ત થયા વિનાનું (૯) લિપ્ત-વાસણ તથા હાથ ખરડીને આપે. (૧૦) છર્દિત-છાંટા પડે તેવી રીતે વહોરવું.
માંડલીના ૫ દોષ
ગ્રાસૈષણાના (આહાર વાપરતી વખતના) પાંચ દોષ આ પ્રમાણે (૧) સંયોજના-રસની લાલસાથી પુડલા-વિ. ને ઘી-ખાંડ વિ. થી ઝબોળવા. (૨) પ્રમાણાતિક્તતા-ધીરજ-બળ-સંયમ તથા મન-વચન-કાયાના યોગને બાધ આવે, તેટલો આહાર કરવો. (૩) અંગાર-અન્નને કે તેના દેનારને વખાણતો ભોજન કરે, તો રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપ ચંદનના કાષ્ટોને બાળીને કોલસા રૂપ કરી નાખે છે. (૪) ધૂમ્ર-અન્નની કે તેના દેનારની નિંદા કરતો ભોજન કરે, તો ચારિત્રરૂપ ચિત્રશાળાને કાળી કરે છે. (૫) કારણાભાવ-છ-કારણ (સાધુચર્યા-૭૬) વિના ભોજન કરવું. (પિં. નિ.)
ગોચરી આલોવવાનો વિધિ
ઉપર જણાવેલા ૪૨ દોષ ટાળી ગોચરી લઇ આવી, ‘નિસીહિ નિસીહિ નિસીહિ નમો ખમાસમણાણં ગોયમાઇણં મહામુણીણં‘ કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરી ગુરૂ સન્મુખ આવી ‘નમો ખમાસમણાણં મત્થએણ વંદામિ‘ કહે, પછી પગ મુકવાની ભૂમિ પ્રમાજીર્ ત્યાં ઉભા રહી ડાબા પગના અંગુઠા ઉપર દાંડો રાખી ડાબા હાથના અંગુઠે સ્થિર કરી, જમણા હાથમાં મુહપત્તિ રાખી ઉભા ઉભા ખમા૦ દઇ આદેશ માગી ઇરિયાવહિ૦ તસ્સઉત્તરી૦ અન્નત્થ૦ કાઉસ્સગ્ગમાં જે ક્રમથી ગોચરી લીધી હોય અને તેમાં જે જે દોષ લાગ્યા હોય તે સંભારે. (હાલમાં એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરાય છે) પછી કાઉસ્સગ્ગ-પારી લોગસ્સ૦ કહી લાગેલા દોષો ગુરૂને કહી ગુરૂને આહાર દેખાડે.
પછી ગોચરી આલોવે તે આ પ્રમાણે-‘પડિક્કમામિ ગોઅરચરિઆએ‘થી માંથી ‘મિચ્છામિદુક્કડં‘ સુધી (શ્રમણ સૂત્રમાં આવતો બીજો આલાવો) કહે, પછી તસ્સ ઉત્તરી૦ અન્નત્થ૦ કાઉસ્સગ્ગમાં નીચેની ગાથા અર્થ સહિત એકવાર વિચારે.
અહો જિણેહિં અસાવજ્જા, વિત્તી સાહૂણ દેસિયા;
મુક્ખસાહણ હેઉસ્સ, સાહુદેહસ્સ ધારણા (૧)
અર્થ-આશ્ચર્ય છે કે જિનેશ્વર દેવોએ મોક્ષના સાધન રૂપ રત્નત્રયીની આરાધના કરવાવાળા એવા સાધુઓના દેહને ટકાવનારી પાપરહિત આજીવિકા બતાવી છે, આવી ભાવના ભાવીને કાઉસ્સગ્ગ પારી લોગસ્સ૦ કહેવો, પછી પાંચ દોષ લગાડ્યા વિના આહાર વાપરે. (દ. વૈ. અ. ૫-૧-૯૨)
સ્થંડિલ શુદ્ધિનો વિધિ
સાંજના પ્રતિક્રમણના પ્રારંભમાં પ્રથમ ઇરિયાવહિ૦ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! પચ્ચક્ખાણ કર્યું છે જી, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! સ્થંડિલ પડિલેહઉં? (પડિલેહેહ) ઇચ્છં કહી ૨૪ માંડલાં કરવાં (૧૦૦-હાથથી દૂર ન જવાય).
પૂર્વમાં (૧) આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
પૂર્વમાં (૨) આઘાડે આસન્ને…. પાસવણે અણહિયાસે.
પૂર્વમાં (૩) આઘાડે મજ્ઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
પૂર્વમાં (૪) આઘાડે મજ્ઝે…. પાસવણે અણહિયાસે.
પૂર્વમાં (૫) આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
પૂર્વમાં (૬) આઘાડે દૂરે… પાસવણે અણહિયાસે.
પશ્ચિમમાં-અણહિયાસે ને ઠેકાણે અહિયાસે, બાકી ઉપર પ્રમાણે.
દક્ષિણમાં-આઘાડે ને ઠેકાણે અણાઘાડે બાકી ઉપર પ્રમાણે.
ઉત્તરમાં-આઘાડે ને ઠેકાણે અણાઘાડે અને અણહિયાસે ને ઠેકાણે અહિયાસે, બાકી ઉપર પ્રમાણે.
ઉચ્ચારેઇંવડીનીતિ૦ પાસવણેઇંલઘુનીતિ૦ અહિયાસેઇં-સહન થઈ શકે તો૦ અણહિયાસેઇંસહન ન થઈ શકે તો.
સંથારાપોરિસિનો વિધિ
રાત્રે એક પહોર સુધી સ્વાધ્યાય-ધ્યાન કરીને ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! બહુપડિપુન્ના પોરિસિ? (તહત્તિ) ખમા૦ ઇરિયાવહિ૦ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! બહુપડિપુન્ના પોરિસિ રાઇયસંથારએ ઠામિ? (ઠાએહ) ઇચ્છં, ચઉક્કસાય૦ નમુત્થુણં૦ જાવંતિ૦ ખમા૦ જાવંત૦ નમોર્હત્૦ ઉવસગ્ગહરં૦ જયવીયરાય૦ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! સંથારાપોરિસિ વિધિ ભણવા મુહપત્તિ પડિલેહઉં? (પડિલેહેહ) ઇચ્છં, મુહપત્તિ પડિલેહીને.
નિસીહિ નિસીહિ નિસીહિ નમો ખમાસમણાણં ગોયમાઇણં મહામુણીણં-આટલો પાઠ અને નવકાર૦ તથા કરેમિભંતે૦ આટલું ત્રણવાર કહેવું પછી સંથારાપોરિસિ સૂત્ર બોલવું.
સંથારા પોરિસિ સૂત્ર
અણુજાણહ જિટ્ઠિજ્જા! અણુજાણહ પરમગુરુ! ગુરુ ગુણરયણેહિં મંડીયસરીરા! બહુપડિપુણ્ણા પોરિસિ રાઇયસંથારએ ઠામિ?. ૧
અણુજાણહ સંથારં, બાહુવહાણેણ વામપાસેણં;
કુક્કુડિ પાયપસારણ, અતરંત પમજ્જએ ભૂમિં. ૨
સંકોઇઅસંડાસા, ઉવટ્ટંતેઅ કાયપડિલેહા;
દવ્વાઇઉવઓગં, ઊસાસનિરુંભણાલોએ. ૩
જઇ મે હુજ્જ પમાઓ, ઇમસ્સ દેહસ્સિમાઇ રયણીએ;
આહારમુવહિદેહં, સવ્વં તિવિહેણ વોસિરિઅં. ૪
ચત્તારિ મંગલં-અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં,
સાહૂ મંગલં, કેવલિપન્નત્તો ધમ્મો મંગલં.. ૫
ચત્તારિ લોગુત્તમા-અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા,
સાહૂ લોગુત્તમા, કેવલિપન્નત્તો ધમ્મો લોગુત્તમો. ૬
ચત્તારિ સરણં પવજ્જામિ-અરિહંતે સરણં પવજ્જામિ,
સિદ્ધે સરણં પવજ્જામિ, સાહૂ સરણં પવજ્જામિ,
કેવલિપન્નત્તં ધમ્મં સરણં પવજ્જામિ. ૭
પાણાઇવાયમલિઅં, ચોરિક્કં મેહૂણં દવિણમુચ્છં;
કોહં માણં માયં, લોભં પિજ્જં તહા દોસં. ૮
કલહં અબ્ભક્ખાણં, પેસુન્નં રઇઅરઇસમાઉત્તં;
પરપરિવાયં, માયામોસં મિચ્છત્તસલ્લંચ. ૯
વોસિરિસુ ઇમાઇં, મુક્ખમગ્ગસંસગ્ગવિગ્ઘભૂઆઇં;
દુગ્ગઇ નિબંધણાઇં, અટ્ઠારસપાવઠાણાઇં. ૧૦
એગો હં નત્થિ મે કોઈ, નાહ મન્નસ્સ કસ્સઇ;
એવં અદીણમણસો, અપ્પાણમણુસાસઇ. ૧૧
એગો મે સાસઓ અપ્પા, નાણદંસણસંજુઓ;
સેસા મે બાહિરાભાવા, સવ્વે સંજોગલક્ખણા. ૧૨
સંજોગમૂલા જીવેણ, પત્તા દુક્ખપરંપરા;
તમ્હા સંજોગસંબંધં, સવ્વં તિવિહેણ વોસિરિઅં. ૧૩
અરિહંતો મહ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો;
જિણપન્નત્તં તત્તં, ઇઅ સમ્મત્તં મએ ગહિઅં. ૧૪
આ ગાથા ત્રણવાર કહેવી, પછી ત્રણ (ગૃહસ્થે-સાત) નવકાર૦ ગણવા પછી.
ખમિઅ ખમાવિઅ મઇ ખમહ, સવ્વહ જીવનિકાય;
સિદ્ધહસાખ આલોયણહ, મુજ્ઝહ વઇર ન ભાવ. ૧૫
સવ્વે જીવા કમ્મવસ, ચઉદહરાજ ભમંત;
તે મે સવ્વ ખમાવિઆ, મુજ્ઝવિ તેહ ખમંત. ૧૬
જં જં મણેણ બદ્ધં, જં જં વાએણ ભાસિઅં પાવં,
જં જં કાએણ કયં, મિચ્છા મિ દુક્કડં તસ્સ. ૧૭
વાર્ષિક કાઉસ્સગ્ગની વિધિ
ચૈત્ર સુદ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨-૧૩-૧૪ અથવા ૧૩-૧૪-૧૫ એ ત્રણ દિવસ દરરોજ દેવસિઅ પ્રતિક્રમણમાં સજ્ઝાય પછી-ખમા૦ ઇરિયાવહિ કરી-ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! અચિત્તરજ ઓહડ્ડાવણત્થં કાઉસ્સગ્ગ કરૂં? (કરેહ) ઇચ્છં, અચિત્તરજ ઓહડ્ડાવણત્થં કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ ચાર લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી)નો કાઉસ્સગ્ગ૦ પારી લોગસ્સ૦
લોચના કાઉસ્સગ્ગનો વિધિ
લોચ કરવો હોય તે દિવસે લોચ કર્યા અગાઉ ખમા૦ ઇરિયાવહિ કરી ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! (સચિત્ત) અચિત્તરજ ઓહડ્ડાવણત્થં કાઉસ્સગ્ગ કરૂં? (કરેહ). ઇચ્છં, (સચિત્ત) અચિત્તરજ ઓહડ્ડાવણત્થં કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ ચાર લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી) નો કાઉસ્સગ્ગ૦ પારી-લોગસ્સ૦
સાતવાર ચૈત્યવંદન
(૧) જાગે ત્યારે જગચિંતામણિનું (૨) પ્રતિક્રમણને અંતે વિશાલલોચનનું (૩) દેરાસરનું (૪) પચ્ચક્ખાણ પારતાં (૫) આહાર કર્યા પછીનું (૬) દેવસિ પ્રતિક્રમણના પ્રારંભમાં અથવા નમોસ્તુ વર્દ્ધમાનાયનું (૭) સંથારાપોરિસિ ભણાવતાં ચઉક્કસાયનું.
ચાર વાર સજ્ઝાય
(૧) પ્રભાતે ભરહેસર૦ની (૨) સવારે પડિલેહણને અન્તે (૩) સાંજે પડિલેહણના મધ્યમાં (૪) પચ્ચક્ખાણ પારતાં અથવા દેવસિ પ્રતિક્રમણને અન્તે.
પચ્ચક્ખાણ (પ્રભાતનાં)
(૧) મુટિ્ઠસહિઅં-મુટિ્ઠસહિઅં પચ્ચક્ખાઇ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઇ.
(૨) નમુક્કારસહિઅં મુટિ્ઠસહિઅં-ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં મુટિ્ઠસહિઅં પચ્ચક્ખાઇ, ચઉવ્વિહં પિ આહારં-અસણં પાણં ખાઇમં સાઇમં અન્નત્થ૦થી ઉપર પ્રમાણે.
(૩) પોરિસિ, સાડ્ઢપોરિસિ, પુરિમડ્ઢ, અવડ્ઢ-ઉગ્ગએ સૂરે પોરિસિં સાડ્ઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમડ્ઢ અવડ્ઢ મુટિ્ઠસહિઅં પચ્ચક્ખાઇ, ઉગ્ગએ સૂરે ચઉવ્વિહં પિ આહારં-અસણં પાણં ખાઇમં સાઇમં અન્નત્થ૦ સાહસા૦ પચ્છન્નકાલેણં દિસામોહેણં સાહુવયણેણં મહત્તરા૦ સવ્વ૦ વોસિરઇ.
(૪) આયંબિલ, નીવિ, એકલઠાણ, એકાસણ, બેઆસણ-ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં પોરિસિં સાડ્ઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમડ્ઢ-અવડ્ઢ મુટિ્ઠસહિઅં પચ્ચક્ખાઇ, ઉગ્ગએ સૂરે ચઉવ્વિહંપિ આહારં-અસણં પાણં ખાઈમં સાઈમં અન્નત્થ૦ સહસા૦ પચ્છન્ન૦ દિસા૦ સાહુ૦ મહત્તરા૦ સવ્વ૦ આયંબિલં (નીવિગઇઓ, વિગઇઓ) પચ્ચક્ખાઇ, અન્નત્થ૦ સહસા૦ લેવાલેવેણં ગિહત્થસંસટ્ઠેણં ઉક્ખિત્તવિવેગેણં પડુચ્ચમક્ખિએણં પારિટ્ઠાવણિયાગારેણં મહત્તરા૦ સવ્વ૦ એકાસણં (એકલઠાણં, બિઆસણં) પચ્ચક્ખાઇ તિવિહંપિ આહારં-અસણં ખાઈમં સાઈમં (ઠામ ચઉવ્વિહારે-ચઉવ્વિહંપિ આહારં-અસણં પાણં ખાઈમં સાઈમં) અન્નત્થ૦ સહસા૦ સાગારિયાગારેણં આઉંટણપસારેણં ગુરુઅબ્ભુટ્ઠાણેણં પારિટ્ઠા૦ મહત્તરા૦ સવ્વ૦
પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા, વોસિરઇ૦
(એકલઠાણું હોય તો આઉંટણપસારેણં ન બોલવું૦ આયંબિલ હોય તો પડુચ્ચમક્ખિએણં ન બોલવું).
(૫) વિગઇ-વિગઇઓ પચ્ચક્ખાઇ અન્નત્થ૦ સહસા૦ લેવાલેવેણં ગિહત્થસંસટ્ઠેણં ઉક્ખિત્તવિવેગેણં પડુચ્ચમક્ખિએણં પારિટ્ઠાવણિયાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઇ૦
(૬) પાણી-પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા, વોસિરઇ.
(૭) તિવિહાર ઉપવાસ – સૂરે ઉગ્ગએ અબ્ભત્તટ્ઠં પચ્ચક્ખાઇ તિવિહંપિ આહારં-અસણં ખાઇમં સાઇમં અન્નત્થ૦ સહસા૦ પારિટ્ઠા૦ મહત્તરા૦ સવ્વ૦
પાણહાર પોરિસિં (સાડ્ઢપોરિસિં૦ સૂરે ઉગ્ગએ પુરિમડ્ઢ૦ અવડ્ઢ૦) મુટિ્ઠસહિઅં પચ્ચક્ખાઇ, અન્નત્થ૦ સહસા૦ પચ્છન્ન૦ દિસા૦ સાહુ૦ મહત્તરા૦ સવ્વ૦ પાણસ્સ૦ થી ઉપર પ્રમાણે.
(ચોથભક્તાદિ હોય તો-ચોથ, છટ્ઠ, અટ્ઠમ, દસ, બારસ, ચઉદ્દસ, સોલસ, અટ્ઠારસ, વીસ, બાવીસ, ચોવીસ, છવ્વીસ, અટ્ઠાવીસ, તીસ, બત્તીસ, ચોત્તીસ. આ દરેકની સાથે ભત્તં અબ્ભત્તટ્ઠં શબ્દ જોડી બોલવું).
(૮) પાણહાર-પાણહાર પોરિસિં૦ થી ઉપર પ્રમાણે (છટ્ઠ આદિવાળાને પ્રથમ દિવસ પછી.)
(૯) ચઉવ્વિહાર ઉપવાસ-સૂરે ઉગ્ગએ અબ્ભત્તટ્ઠં પચ્ચક્ખાઇ ચઉવ્વિહંપિ આહારં-અસણં પાણં ખાઇમં સાઇમં અન્નત્થ૦ સહસા૦ પારિટ્ઠા૦ મહત્તરા૦ સવ્વ૦ વોસિરઇ૦
પચ્ચક્ખાણ (સાંજના)
(૧) ચઉવ્વિહાર ઉપવાસ – પારિટ્ઠાવણિયાગારેણં વિના સવારની જેમ.
(૨) પાણહાર-પાણહાર દિવસચરિમં પચ્ચક્ખાઇ અન્નત્થ૦ સહસા૦ મહત્તરા૦ સવ્વ૦ વોસિરઇ.
(૩) ચઉવ્વિહાર-દિવસચરિમં પચ્ચક્ખાઇ ચઉવ્વિહંપિ આહારં-અસણં પાણં ખાઇમં સાઇમં અન્નત્થ૦ થી ઉપર પ્રમાણે.
(૪) તિવિહાર – દિવસચરિમં પચ્ચક્ખાઇ તિવિહંપિ આહારં-અસણં ખાઇમં સાઇમં અન્નત્થ૦ થી ઉપર પ્રમાણે.
(૫) દુવિહાર-દિવસચરિમં પચ્ચક્ખાઇ દુવિહંપિ આહારં-અસણં ખાઇમં અન્નત્થ૦ થી ઉપર પ્રમાણે.
પચ્ચક્ખાણ (સવાર-સાંજના)
(૧) દેસાવગાસિક-દેસાવગાસિઅં ઉવભોગં પરિભોગં પચ્ચક્ખાઇ અન્નત્થ૦ થી ઉપર પ્રમાણે.
(૨) સંકેત-મુટિ્ઠસહિઅં (ગંઠિસહિયં, વેઢસીસહિયં, આદિ) પચ્ચક્ખાઇ અન્નત્થ૦ થી ઉપર પ્રમાણે.
(૩) અભિગ્રહ-અભિગ્રહં પચ્ચક્ખાઇ અન્નત્થ૦ થી ઉપર પ્રમાણે.
પચ્ચક્ખાણ પારવાનો વિધિ
પ્રથમ ઇરિયાવહિ૦ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ચૈત્યવંદન કરું? (કરેહ) ઇચ્છં, જગચિન્તામણિ૦ જંકિંચિ૦ નમુત્થુણં૦ જાવંતિ૦ ખમા૦ જાવંત૦ નમોર્હત્૦ ઉવસગ્ગહરં૦ જયવીયરાય૦ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! સજ્ઝાય કરૂં? (કરેહ) ઇચ્છં, નવકાર૦ ધમ્મોમંગલ૦ની પાંચ ગાથા (ગૃહસ્થ-મન્નહજિણાણં૦) ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! મુહપત્તિ પડિલેહું? (પડિલેહેહ) ઇચ્છં, મુહપત્તિ પડિલેહી ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! પચ્ચક્ખાણ પારું? (પુણો વિ કાયવ્વો) યથાશક્તિ, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! પચ્ચક્ખાણ પાર્યું? (આયારો ન મોત્તવ્વો) તહત્તિ, કહી જમણો હાથ મુઠીવાળી ઓઘા (ગૃહસ્થ-ચરવલા) ઉપર સ્થાપી-નવકાર૦ પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર૦ નવકાર૦ (સાધુએ છેવટે ધમ્મોમંગલ૦ની ૧૭ ગાથા બોલવી).
પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર
(૧) મુઠસી-મુટ્ઠિસહિયં પચ્ચક્ખાણ કર્યું ચઉવ્વિહાર.
પચ્ચક્ખાણ-ફાસિઅં પાલિઅં સોહિઅં તિરિયં કિટ્ટિયં આરાહિયં જં ચ ન આરાહિયં તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(૨) નવકારસીથી અવડ્ઢ-ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં (પોરિસં, સાડ્ઢપોરિસિં, સૂરેઉગ્ગએ પુરિમડ્ઢ, અવડ્ઢ) મુટિ્ઠસહિઅં પચ્ચક્ખાણ કર્યું ચઉવ્વિહાર, પચ્ચક્ખાણ-ફાસિઅં૦ થી ઉપર પ્રમાણે.
(૩) આયંબિલથી બેઆસણું – ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં (પોરિસિં, સાડ્ઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમડ્ઢ, અવડ્ઢ) મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ કર્યું ચઉવ્વિહાર, આયંબિલ-એકાસણું (આયંબિલ-એકલઠાણું, નીવિ-એકાસણું, નીવિ-એકલઠાણું, એકલઠાણું, એકાસણું, બેઆસણું) પચ્ચક્ખાણ કર્યું તિવિહાર, પચ્ચક્ખાણફાસિઅં૦ થી ઉપર પ્રમાણે.
(૪) ઉપવાસથી સોળ ઉપવાસ-સૂરે ઉગ્ગએ ઉપવાસ (ચોથભક્ત, છટ્ઠભક્ત, અટ્ઠમભક્ત, વિ૦) કર્યો તિવિહાર,
પાણહાર-પોરિસિં (સાડ્ઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પરિમુડ્ઢ અવડ્ઢ) મુટિ્ઠસહિઅં પચ્ચક્ખાણ કર્યું પાણહાર, પચ્ચક્ખાણફાસિઅં૦ થી ઉપર પ્રમાણે.
(૫) પાણહાર-પાણહાર-પોરિસિં૦ થી ઉપર પ્રમાણે.
વસ્તુનો કાળ વિગેરે
ન ચાળેલો આટો મિશ્ર
શ્રા૦ ભા૦ માં ૫ દિન
આ૦ કા૦ માં ૪ દિન
મા૦ પો૦ માં ૩ દિન
મ૦ ફા૦ માં ૫ પ્રહર
ચૈ૦ વૈ૦ માં ૪ પ્રહર
જે૦ અ૦ માં ૩ પ્રહર
પછી અચિત્ત
પ્રવ્રજ્યા?
પુદ્ગલના ધર્મોમાંથી મનને ખસેડી આત્માના ધર્મોમાં જોડવું.
ગોમૂત્ર ૨૪ પ્રહર અચિત્ત રહે
ભેંસ૦ ૧૬ પ્રહર અચિત્ત રહે
બકરી૦ ૧૨ પ્રહર અચિત્ત રહે
ઘેટી, ગધેડી, ઘોડી૦ ૮ અચિત્ત રહે
મનુષ્ય૦ અંતર્મુહૂર્ત અચિત્ત રહે
(૧) કોઈ પણ માસમાં ચાળેલો આટો અંતર્મુહૂર્ત પછી અચિત્ત થાય. (૨) બાજરીનો આટો વહેલો ખોરો થવાનો સંભવ છે, માટે ઘણા દિવસ ન રાખવો. પ્ર૦ સા૦
કાળ કા૦ સુ૦ ૧૫થી ફા૦ સુ૦ ૧૫થી અ૦ સુ૦ ૧૫થી પાણી ૪, પ્રહર ૫, પ્રહર ૩, પ્રહર સુખડી ૧, માસ ૨૦, દિન ૧૫, દિન કાંબળી ૪, ઘડી ૨, ઘડી ૬, ઘડી પલ્લા ૪ ૩ ૫
(૧) ફાગણ સુદ ૧૫થી-ભાજીપાલો, નવું પીલેલ તલનું તેલ, બદામ વિના મેવો, ખજુર, ખારેક, ટોપરાની કાચલીઓ (ગોળો ફોડેલ બીજે દિને અભક્ષ) આઠ માસ બંધ. (૨) આદ્રરથી કેરી અને કાચી ખાંડ કાર્તક સુદ ૧૪ સુધી બંધ. (૩) અસાડ સુદ ૧૫થી-બદામ ચાર માસ બંધ (આખી ફોડેલ બીજે દિને અભક્ષ)
અણાહારી
(૧) અગર (૨) અફીણ (૩) નિંબપંચાંગ (૪) આસન (૫) તગરગંઠોડાં (૬) એળીઓ૦ ઘણા દિન ન વાપરવો (૭) હળદર (૮) અંબર (૯) પાનની જડ (૧૦) અતિવિષ કળી (૧૧) ગોમૂત્ર (૧૨) ઉપલેટ (૧૩) જવખાર (૧૪) કરીયાતુ (૧૫) ગળો (૧૬) કસ્તુરી (૧૭) ગુગળ (૧૮) કડુ (૧૯) દાડમછાળ (૨૦) તમાકુ (૨૧) ચિત્રમૂળક (૨૨) કાથો અથવા ખેરસાર (૨૩) ત્રિફળા (૨૪) ફટકડી (૨૫) કુવારનાં મૂળ (૨૬) બહેડાંની છાળ (૨૭) બુચકણ (૨૮) બીયો (૨૯) હીરાબોલ (૩૦) રીંગણી (૩૧) હીંમજ અને હરડે (૩૨) સાજીખાર (૩૩) સુખડ (૩૪) સુરોખાર (૩૫) અફીણ અને કેસરનો લેપ (૩૬) લોબન (૩૭) દર્ભમૂળ (૩૮) વખમો (૩૯) રક્ષા (૪૦) પુંવાડીયાના બીજ (૪૧) કસ્તુરી સાથે અંબર (૪૨) કેરમૂળ (૪૩) બાવળ છાલ (૪૪) ગોમૂત્ર ત્રિફળા ગોળી (૪૫) ધમાસો (૪૬) મજીઠ (૪૭) અગરચૂર્ણ (૪૮) અગરલેપ (૪૯) ટંકણખાર (૫૦) આકડાનો ક્ષાર (૫૧) ફટકડીનો ભૂકો દબાવવો (૫૨) સુખડ-લાકડીયો ગંધકલેપ.
શિષ્ય-ગુરુની પ્રશ્નોત્તરી
(૧) ઇચ્છા૦ સંદિ૦ ભગવન્? લાભ (૨) કહં લઇશું? જહા ગહિયં પૂવ્વસાહૂહિં (૩) આવસ્સિઆએ? જસ્સજોગો (૪) સજ્જાતરનું ઘર? અમુક વ્યક્તિનું (૫) ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ? છંદેણં, ગુરુ-કામમાં હોય તો પ્રતિક્ષસ્વ અથવા ત્રિવિધેન કહે (૬) અણુજાણહ મે મિઉગ્ગહં? અણુજાણામિ (૭) વઇક્કંતો? તહત્તિ (૮) જ-ત્તા-ભે? તુબ્ભંપિ વટ્ટએ? (૯) જ્જં-ચ-ભે? એવં (૧૦) દેવસિઅં વઇક્કમં? અહમવિ ખામેમિ તુમં (૧૧) સ્વામિ સાતા છેજી? દેવગુરુ પસાયે (૧૨) ભાત-પાણીનો લાભ દેજોજી? વર્તમાન જોગ (૧૩) ઇરિયાવહિયં પડિક્કમામિ? પડિક્કમેહ (૧૪) પડિલેહઉં? પડિલેહેહ (૧૫) સંદિસાહઉં? સંદિસાવેહ (૧૬) ઠાઉં? ઠાએહ (૧૭) કરું? કરેહ (૧૮) બહુપડિપુન્ના પોરિસિ? તહત્તિ (૧૯) પ્રમાજુર્ં? પમજ્જેહ (૨૦) પડિલેહણા પડિલેહવાવોજી? પડિલેહેહ (૨૧) આલોઉં? આલોહેહ (૨૨) ઇ૦ સં૦ ભ૦? પડિક્કમેહ (૨૩) ખામેઉં? ખામેહ (૨૪) ઇ૦ ભ૦ પ૦ પક્ખિ તપ પ્રસાદ કરશોજી? ચોથભત્તેણં૦ (છટ્ઠ-ભત્તેણં૦ અટ્ઠમભત્તેણં૦) (૨૫) પક્ખિઅં પડિક્કમું? પડિક્કમેહ, પુનઃ શિષ્ય-સમ્મં પડિક્કમામિ (૨૬) પક્ખિસૂત્ર કઢું? કહેહ (૨૭) પક્ખિખામણાં ખામું? ખામેહ (૨૮) ભગવન્ શુદ્ધા વસહિ? તહત્તિ (૨૯) વસહિ પવેઉં? પવેઓ (૩૦) પારું? પુણો વિ કાયવ્વો, પુનઃ શિષ્ય-યથા શક્તિ (૩૧) પાર્યું? આયારો ન મોત્તવ્વો? પુનઃ શિષ્ય-તહત્તિ (૩૨) આદેશ દેશોજી-આપશોજી? બોલો-બોલજો (૩૩) બહુવેલ કરશું? કરજો (૩૪) વાયણા લેશું? લેજો (૩૫) સજ્ઝાયમાં છું? હો.
શિષ્યની માગણી
(૧) નંદિસૂત્ર સંભળાવોજી? (૨) મમ મુંડાવેહ? (૩) મમ પવ્વાવેહ? (૪) મમ વેસં સમપ્પેહ? (૫) આલાપક ઉચ્ચરાવોજી? (૬) મમ નામ ઠવણં કરેહ? (૭) ઇ૦ ભ૦ પ૦ પચ્ચ૦ આ૦ દેશોજી? (૮) હિતશિક્ષા પ્રસાદ કરાવોજી?
ગુરૂ વાક્ય
(૧) મિચ્છામિ દુક્કડં (૨) મત્થએણ વંદામિ (૩) તુબ્ભેહિં સમં (૪) અહમવિ વંદાવેમિ ચેઇઆઇં (૫) આયરિય સંતિયં.
ગુરુની આશિષ-આજ્ઞાનો સ્વીકાર
(૧) નિત્થારગ પારગા હોહ! ઇચ્છામો અણુસટ્ઠિં-તહત્તિ (૨) યથાશક્તિ તપ કરી પહોંચાડવો! પઇટિ્ઠઓ-તહત્તિ (૩) સુગ્ગહીયં કરેહ! ઇચ્છં.
સાધુચર્યા
(૧) એક પ્રહર બાકી રહે ત્યારે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી જાગ્રત થવું, નિદ્રા એ આત્મગુણનો ઘાત કરનાર સર્વઘાતી પ્રકૃતિ છે, માટે નિદ્રાને ઘટાડતા જવું.
આહાર ને ઉંઘ વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે, તેમજ આહાર વધારવાથી ઉંઘ પણ વધે છે.
(૨) જે જગ્યાએ ઉંઘ્યા હોઈએ કે રાઇપ્રતિક્રમણ કર્યું હોય, તે જગ્યાનો સ્વામી શય્યાતર થાય, પરંતુ એક જગ્યાએ ઉંઘ્યા અને બીજી જગ્યાએ રાઇપ્રતિક્રમણ કર્યું હોય તો બન્ને જગ્યાઓના બન્ને સ્વામી શય્યાતર થાય.
(૩) દરેક ક્રિયા પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ કરવી.
(૪) ક્રિયા કરતાં સ્થાપનાજી મસ્તક ઉપર અને પગથી નીચાણમાં રાખવા નહિ.
(૫) સ્થાપનાજી ઉપર રેશમી રૂમાલો તેમજ આકર્ષણ ભરેલા સુતરાઉ રૂમાલો રાખવા તે બોજારૂપ છે.
(૬) વિભૂસા વત્તિઅં ભિક્ખૂ, કમ્મં બંધઇ ચિક્કણં; સંસારસાયરે ઘોરે, જેણં પડઇ દુરુત્તરે (૬-૬૬)
કામળી, સંથારીયા, ઓઘારીયા આદિને ડીઝાઇનો પાડી રંગ-બેરંગી ભરત ભરવું તેમજ કપડાની ટાપટીપ અને શરીરની શોભા કરનાર સાધુ-સાધ્વી ચીકણાં કર્મ બાંધે છે તથા અત્યંતદીર્ઘ અને ભયંકર એવા સંસારસમુદ્રમાં બુડે છે. (દ૦ વૈ૦)
(૭) દરેક ક્રિયામાં વચ્ચે બીજી વાતો કરાય નહિ.
(૮) ખેદોદ્વેગ ક્ષેપોત્થાન-ભ્રાન્ત્યન્યમુદ્રુગાસંગૈઃ; યુક્તાનિ હિ ચિત્તાનિ, પ્રબન્ધતો વજર્યેન્મતિમાન્ (૩)
(૧) ખેદ-થાક, પ્રેમનો અભાવ, પૂર્વક્રિયાના દુઃખથી ઉત્તર ક્રિયાના અભાવ રૂપ દુઃખ, માર્ગથી થાકેલા માણસની માફક ઉદાસ
(૨) ઉદ્વેગ-વેઠ, ‘કષ્ટવાળી ક્રિયાઓ છે‘ એવા જ્ઞાનથી અનુત્સાહ ક્રિયા કરે તો પણ આનંદ ન આવે
(૩) ક્ષેપ-એક ક્રિયા કરતાં બીજી ક્રિયામાં ચિત્ત જવું
(૪) ઉત્થાન-અઠરેલ મન, ઉતાવળીઓ સ્વભાવ
(૫) ભ્રાન્તિ-સૂત્ર બોલ્યા કે નહિ તે યાદ ન રહેવું, એક સૂત્રમાં બીજા સૂત્રની ભ્રાન્તિ થવી.
(૬) અન્યમુદ્-ચાલુ ક્રિયાને તિરસ્કારી અન્યક્રિયામાં હર્ષ ધારણ કરે
(૭) રોગ-વિશિષ્ટ સમજ વિનાની ક્રિયા
(૮) આસંગ-એક જ ક્રિયામાં આસક્ત ‘ઇદમેવ સુંદરં‘ ઇતિ. આ આઠ દોષવાળી ક્રિયા આત્મશુદ્ધિ કરનાર થતી નથી. માટે ચિત્તના આ આઠ દોષ વજર્વા લાયક છે. (ષો૦ ચિ૦)
(૯) કાઉસ્સગ્ગમાં જીભ અને હોઠ તેમજ આંગળી પણ હલાવવી જોઈએ નહિ.
(૧૦) કાઉસ્સગ્ગમાં સંખ્યા ગણવા ભ્રકૂટિ અથવા આંગળી ફેરવવામાં આવે તો ‘ભમુહંગુલી’ નામનો દોષ લાગે અને હું હું કરે તો ‘મુક’ નામનો દોષ લાગે તથા વાંદરાની જેમ આડુંઅવળું જોયા કરે અને હોઠ હલાવે તો ‘પ્રેક્ષ્ય’ નામનો દોષ લાગે.
(૧૧) એવમાઇએહિં આગારેહિં-આ વાક્યમાં આદિશબ્દથી બીજા પણ અગારો બતાવે છે ૧-ઉજેહિ-આગ-વિ૦ અગ્નિનો ઉપદ્રવ હોય ૨-પંચેન્દ્રિય જીવોની આડ પડતી હોય તથા છેદન-ભેદન થતું હોય ૩-રાજભય, ચોરભય કે ભીંત પડવાનો ભય હોય ૪-સ્વપરને સર્પાદિ ડંસનો ભય હોય તેમજ ડંસ દીધો હોય આદિ૦ આ ઉપર બતાવેલા કારણો વડે કાઉસ્સગ્ગમાં (પાર્યા-વિના) એક સ્થાનથી બીજે સ્થાને જાય તોપણ કાઉસ્સગ્ગનો ભંગ થાય નહિ અને ત્યાં જઈ અધુરો રહેલો કાઉસ્સગ્ગ પૂર્ણ કરે.
(૧૨) કાઉસ્સગ્ગમાં છીંક, બગાસું, ઓડકાર કે ખાંસી આવે તો મુખ આડી મુહપત્તિ કે વસ્ત્ર રાખવું જોઈએ, અને તેમ કરતાં કાઉસ્સગ્ગનો ભંગ થાય નહિ.
(૧૩) કાઉસ્સગ્ગ પૂર્ણ ગણીને નમોઅરિહંતાણં કહ્યા પછી જ હાથ ઉંચા લેવા (હલાવવા) જોઈએ.
(૧૪) કાઉસ્સગ્ગમાં છીંક આવે તો અથવા કોઈ થોય ભૂલે તો કાઉસ્સગ્ગ પારીને જ બોલાય (ભૂલ કઢાય) પરંતુ હુંકારા કરવા નહિ, તેમ પાર્યા વિના બોલાય પણ નહિ.
(૧૫) કાઉસ્સગ્ગ જેટલો જેટલો કરવાનો હોય તેનાથી વધારે કે ઓછો કરવામાં આવે તો અવિધિ દોષ લાગે.
(૧૬) દેરાસરમાં કાઉસ્સગ્ગ કરતાં પ્રભુ ઉપર દૃષ્ટિ રાખવી અને ઉપાશ્રયમાં કાઉસ્સગ્ગ કરતાં નાસિકા ઉપર અથવા સ્થાપનાજી ઉપર દૃષ્ટિ રાખવી.
(૧૭) ઇરિયાવહિથી ભરહેસર૦ની સજ્ઝાય સુધી ક્રિયા કરી સ્વાધ્યાય અથવા ધ્યાન કરવું.
(૧૮) રાત્રિમાં શિયલભંગ સંબંધી સ્વપ્ન (કુસ્વપ્ન) આવેલ હોય તો સાગરવરગંભીરા સુધી, નહિ તો (અથવા દુઃસ્વપ્ન આવેલ હોય તો) ચંદેસુનિમ્મલયરા સુધી ચાર લોગસ્સનો કુસુમિણ૦નો કાઉસ્સગ્ગ કરવો (વ્ય૦ ભા૦)
(૧૯) કુસ્વપ્ન-રાગથી (મોહ-માયા-લોભથી) આવે. દુઃસ્વપ્ન-દ્વેષથી (ક્રોધ-માન-ઇર્ષ્યા-ખેદથી) આવે.
(૨૦) કુસુમિણ૦નો કાઉસ્સગ્ગ કર્યા પછી ઉંઘાય નહિ, જો ઉંઘે તો ફરીથી કુસુમિણ૦નો કાઉસ્સગ્ગ કરવો જોઈએ.
(૨૧) સવારના પ્રતિક્રમણમાં તપચિન્તવણીના કાઉસ્સગ્ગમાં તપનું ચિન્તવન કરવું જોઈએ.
(૨૨) તપ ચિન્તવવાની રીત-ભગવાન મહાવીરે છમાસી તપ કર્યો હતો, હે ચેતન! તે તપ તું કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, એક દિવસ ન્યૂન છમાસી કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, તેવી રીતે એકેક દિવસ વધતાં ૨૯ દિવસ ન્યૂન છમાસી કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, તેવી રીતે પાંચ-ચાર-ત્રણ અને બે માસમાં પણ ચિન્તવન કરવું, પછી માસખમણ કરીશ? શક્તિ નથી-પરિણામ નથી,
એક દિવસ ન્યૂન માસખમણ કરીશ? શક્તિ નથી-પરિણામ નથી. તેવી રીતે એકેક દિવસ વધતાં-૧૩ દિવસ ન્યૂન માસખમણ કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, પછી ૩૪ ભક્ત કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, પછી બે બે ભક્ત ઓછા કરતાં ચાર ભક્ત કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, પછી આયંબિલ કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, તેવી રીતે નીવિ-એકાસણું-બેઆસણું-અવડ્ઢ- પુરીમડ્ઢ-સાડ્ઢપોરિસિ-પોરિસિ કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, છેવટે નવકારસી કરીશ? શક્તિ છે-પરિણામ છે, કહી કાઉસ્સગ્ગ પારે.
પોતે પૂર્વે કોઈ વખત પણ જ્યાં સુધી તપ કર્યો ન હોય ત્યાં સુધી શક્તિ નથી એમ ચિન્તવવું અને વધારેમાં વધારે જે તપ કર્યો હોય ત્યાંથી શક્તિ છે એમ ચિન્તવવું, તથા જ્યાં સુધી તપ કરવો ન હોય ત્યાં સુધી પરિણામ નથી એમ ચિન્તવવું અને જે તપ કરવો હોય ત્યાં પરિણામ છે એમ ચિન્તવીને કાઉસ્સગ્ગ પારે.
અસ્વાધ્યાય અને સુતક
(૧) માનસિક સ્વાધ્યાયનો નિષેધ કોઈપણ જગ્યાએ કર્યો નથી, તેથી અંતરાય-સુવાવડ આદિમાં પણ મનમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ સ્વાધ્યાય અને પ્રભુનું ધ્યાન આદિ કરી શકાય. અનુપ્રેક્ષા તુ ન કદાચનાપિ પ્રતિષિદ્ધયતે-ઇતિ. (પ્ર૦ ૧૪૭૦)
(૨) અશુદ્ધિ વચ્ચે રાજમાર્ગ હોય તો સ્વાધ્યાય થઈ શકે.
(૩) દરરોજ સવારે સૂર્યોદય પહેલા અને પછી ૨૪-૨૪-મિનિટ, બપોરે મધ્યાહ્ન પહેલા અને પછી ૨૪-૨૪- મિનિટ, સાંજે સૂર્યાસ્ત પહેલા અને પછી ૨૪-૨૪ મિનિટ, અને મધ્ય રાત્રિના પહેલા અને પછી ૨૪-૨૪ મિનિટ અસ્વાધ્યાય.
(૪) સુદ એકમ-બીજ અને ત્રીજની રાત્રે પ્રથમ પ્રહરે ઉત્તરાધ્યયન આદિનો અસ્વાધ્યાય.
(૫) અસ્વાધ્યાય સિવાય રાત્રિ અને દિવસના પ્રથમ અને છેલ્લે પ્રહરે ભણાય તે કાલિક.
અસ્વાધ્યાય તથા કાલવેળા છોડીને જે ભણાય તે ઉત્કાલિક.
(૬) ત્રણ ચોમાસી ચૌદશના મધ્યાહ્ન (મતાંતરે-પ્રતિક્રમણ કર્યા પછી)થી એકમ સુધી અને પાક્ષિક ચૌદશના મધ્યાહ્ન (મતાંતરે પક્ખિપ્રતિક્રમણ કર્યા પછી)થી આખી રાત્રિ સુધી અસ્વાધ્યાય. (ઉ૦ પ્રા૦વ્યા૦૨૫૭)
(૭) આસો અને ચૈત્ર સુદ-૫ના મધ્યાહ્નથી વદ-૧-સુધી અસ્વાધ્યાય.
(૮) ઉગતો ચંદ્ર ગ્રહણ થાય તો ૪-પ્રહર રાત્રિના અને ૪ પ્રહર બીજા દિવસના મળી આઠ પ્રહર અસ્વાધ્યાય.
(૯) પ્રભાત કાલે ચંદ્રમા, ગ્રહણ સહિત આથમે તો પછીનો દિવસ અને રાત્રિના આઠ તથા બીજા દિવસના ૪ પ્રહર મળી ૧૨ પ્રહર અસ્વાધ્યાય.
(૧૦) સૂર્ય, ગ્રહણ સહિત આથમે તો ૪ પ્રહર રાત્રિના અને આગામી દિવસ રાત્રિના ૮ પ્રહર મળી ૧૨ પ્રહર અસ્વાધ્યાય.
(૧૧) ઉગતો સૂર્ય, ગ્રહણ થાય અને ગ્રહણ સહિત આથમે તો તે દિવસ અને રાત્રિ તથા બીજો દિવસ અને રાત્રિ મળી ૧૬ પ્રહર અસ્વાધ્યાય.
(૧૨) આદ્રરથી સ્વાતિ નક્ષત્ર સુધી મેઘગજર્ના, વીજળી અને વર્ષાદની અસ્વાધ્યાય ગણાય નહિ.
(૧૩) અકાલે મેઘગજર્ના, ગંધર્વનગર, વીજળી, દિગ્દાહ, થાય તો ૨ પ્રહર અસ્વાધ્યાય.
(૧૪) બુદ્બુદાકારે (જે વર્ષાદથી પરપોટા થાય તે) નિરંતર ૮ મુહૂર્તથી વધારે જ્યાં સુધી વર્ષાદ વર્ષે ત્યાં સુધી અસ્વાધ્યાય.
(૧૫) ઘુંવાર પડે ત્યાં સુધી અસ્વાધ્યાય.
(૧૬) ધરતીકંપ થાય તો ૮ પ્રહર અસ્વાધ્યાય.
(૧૭) હોળીપર્વમાં જ્યાં સુધી રજ શાન્ત ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય.
(૧૮) કરૂણ રૂદન અને ઝઘડો સંભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય.
(૧૯) પશુવધ થાય ત્યાં સુધી અસ્વાધ્યાય.
(૨૦) ઇંડુ ફુટે તો ૩-પ્રહર અસ્વાધ્યાય.
(૨૧) બીલાડીએ ઉંદરને માર્યો હોય તો ૮ પ્રહર અસ્વાધ્યાય.
(૨૨) યુદ્ધ શાન્ત થયા પછી ૮ પ્રહર અસ્વાધ્યાય.
(૨૩) પુત્ર પુત્રી જન્મે ૧૧ દિવસ સુતક, જુદા જમતા હોય તો બીજાના ઘરના પાણીથી પૂજા થાય.
(૨૪) જેટલા માસનો ગર્ભ પડે તેટલા દિવસનું સુતક.
(૨૫) પ્રસવવાળી સ્ત્રી ૧ માસ દર્શન ન કરે અને ૪૦ દિવસ પૂજા ન કરે તથા સાધુને વહેરાવે નહિ, અને ૮ દિવસ અસ્વાધ્યાય.
(૨૬) પશુ જંગલમાં જન્મે તો ૧ દિવસ અને ઘેર જન્મે તો ૨ દિવસ સુતક.
(૨૭) ભેસનું ૧૫ દિવસ પછી, બકરીનું ૮ દિવસ પછી અને ગાય-ઉંટડીનું ૧૦ દિવસ પછી દુધ કલ્પે.
(૨૮) જેને ઘેર મરણ થાય ત્યાં જમનારા ૧૨ દિવસ પૂજા ન કરે, અને સાધુ વહોરે નહિ. ગોત્રીયોને ૫ દિવસનું સુતક.
(૨૯) મૃતકને સ્પર્શ કરનાર ૩ દિવસ પૂજા ન કરે, વાચિક સ્વાધ્યાય ૨ દિન ન કરે, ગોત્રીઓને ૫ દિવસનું સુતક, પરસ્પર સ્પર્શ કરનાર-૨ દિવસ પૂજા ન કરે, પરસ્પર પણ ન અડ્યા હોય તો સ્નાન કીધે પૂજા થાય.
(૩૦) જન્મે તે દિવસે મરે અથવા દેશાંતરે મરે તો ૧ દિવસનું સુતક.
(૩૧) આઠ વર્ષ સુધીનું મરણ પામે તો ૮ દિવસનું સુતક. ઢોરનું મૃતક જ્યાં સુધી પડ્યું હોય ત્યાં સુધી સુતક, પરંતુ ગાયના મરણનું ૧ દિન સુતક.
(૩૨) દાસ-દાસી જન્મે કે મરે તો ૩ દિવસનું સુતક.
(૩૩) શય્યાતર, મુખી, આદિ મરે તો ૮ પ્રહર અસ્વાધ્યાય.
(૩૪) ગાયને જરાયુ લાગ્યું હોય ત્યાં સુધી અસ્વાધ્યાય, અને પડ્યા પછી ૩ પ્રહર અસ્વાધ્યાય.
(૩૫) ૧૦૦ હાથની અંદર મનુષ્યનું ક્લેવર પડ્યું હોય ત્યાં સુધી અસ્વાધ્યાય.
(૩૬) સ્ત્રીને ઋતુના ત્રણ દિવસ સુધી અસ્વાધ્યાય. ચાર દિવસ પ્રતિક્રમણ ન કરે, પાંચ દિવસ પૂજા ન કરે. રોગાદિ કારણે પાંચ દિવસ પછી પણ રૂધિર આવે તો ફક્ત પૂજા ન કરે.
તપ ચિન્તવવાની ચતુર્ભંગી
(૧) પૂર્વે જે તપ કરેલ ન હોય અને આજે પણ કરવો ન હોય તો, શક્તિ નથી પરિણામ નથી. (૨) પૂર્વે જે તપ કરેલ ન હોય પરંતુ આજે કરવો હોય તો, શક્તિ નથી-પરિણામ છે (૩) પૂર્વે જે તપ કરેલ હોય પરંતુ આજે કરવો ન હોય તો શક્તિ છે-પરિણામ નથી (૪) પૂર્વે જે તપ કરેલ હોય, અને આજે પણ કરવો હોય તો, શક્તિ છે-પરિણામ છે. (બીજે કે ચોથે ભાંગે કાઉસ્સગ્ગ પારે)
(૨૩) સવારના પ્રતિક્રમણમાં પચ્ચક્ખાણ આવડતું હોય તો કરવું જોઈએ, પણ ધારવું નહિ.
(૨૪) પચ્ચક્ખાણ લેતાં પચ્ચક્ખામિ અને વોસિરામિ બોલવું, પચ્ચક્ખાણ આપતાં પચ્ચક્ખાઇ અને વોસિરઇ બોલવું, અને પચ્ચક્ખાણ બીજાને આપતાં અને સાથે પોતે લેતાં પચ્ચક્ખાઇ પચ્ચક્ખામિ અને વોસિરઇ-વોસિરામિ એમ બંને બોલવું.
(૨૫) કોઈ પણ આત્માએ પચ્ચક્ખાણ માગતી વખતે ચૌવિહાર ઉપવાસ સિવાય સવારના દરેક પચ્ચક્ખાણમાં સાથે મુઠસી બોલવાનું પણ ભૂલવું જોઈએ નહિ.
કારણ કે :- મુઠસી સાથે ન હોય તો પચ્ચક્ખાણનો ટાઈમ થઈ ગયા પછી વિરતિનો લાભ મળે નહિ, અને મુઠસી સાથે લેતાં પચ્ચક્ખાણ ઉપરાંત ગમે તેટલો ટાઈમ થઈ જાય તો પણ વિરતિ (તપ)નો લાભ મળે.
(૨૬) દરેક પચ્ચક્ખાણ પારતાં મુઠીવાળીને પચ્ચક્ખાણ પારવું જોઈએ, મુઠી વાળ્યા વિના સીધો હાથનો પંજો રાખી પચ્ચક્ખાણ પારવામાં આવે તો પચ્ચક્ખાણનો ભંગ થાય.
(૨૭) અપવાદ કારણે રાઇયપ્રતિક્રમણ રાત્રિના બાર વાગ્યાથી દિવસના બાર વાગ્યા સુધી થાય.
(૨૮) સાંજનું પ્રતિક્રમણ જેવી રીતે ઊભા થઈને અને જેટલો ટાઈમ લગાડીને કરીએ છીએ, તેવી રીતે સવારનું પ્રતિક્રમણ પણ કરવું.
(૨૯) ભૂયાંસો ભૂરિલોકસ્ય, ચમત્કારકરા નરાઃ;
રંજયન્તિ સ્વચિત્તં યે, ભૂતલે તે તુ પંચષડ્ (૧)
જગતને દેખાડનારા ઘણા માણસો હોય છે, પરંતુ પોતાના આત્માને માટે જ્ઞાન-ધ્યાન અને ક્રિયામાં ઉદ્યમ કરનાર આ પૃથ્વી ઉપર ગણ્યા ગાંઠ્યા જ હોય છે.
(૩૦) આયંબિલ છટ્ઠ-અટ્ઠમ-અટ્ઠાઇ આદિ ઘણા તપો કર્યા પરંતુ લાલસા અને આધાકર્મી આદિ કેટલા દોષો છોડ્યા? ઉપદેશ ઘણો આપ્યો પણ પોતાના આત્માને કેટલો સમજાવ્યો? ભણ્યા ઘણું પણ જીવનમાં કેટલું ઊતાર્યું? ઉગ્રવિહારી બન્યા પણ ઇર્યાસમિતિનું પાલન કેટલું કર્યું? ધ્યાન કરતાં શિખ્યા પણ પ્રતિકૂલ સંયોગોમાં સમતા કેટલી રાખી? મિચ્છામિદુક્કડંનો પડકાર કરનારા! આપણા આત્માને પૂછ્યું કે તારૂં મિચ્છામિ દુક્કડં કુંભારવાળું છે? કે ચંદનબાળા જેવું છે?
(૩૧) એતે એ અણાદેસા અંધારે ઉગ્ગએ વિ હુ ન દિસે મુહ રય નિસિજ્જ ચોલે કપ્પતિગ દુપટ્ટ થુઇ સૂરો (૨૭૦)
પ્રભાત સમયે, પ્રભાત પછી, પરસ્પર મુખ દેખાયે, હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણ કરવું, આ બધા મતાંતરો ખોટા છે, કારણકે-અંધારામાં ઉપાશ્રય હોય તો સૂર્યોદયે પણ ન દેખાય તેથી ભદ્રબાહુસ્વામી જણાવે છે કે વિશાલ લોચન-હાલમાં પ્રતિક્રમણમાં કરીને તરત મુહપત્તિ-રજોહરણ-નીસેટીયું-ઓઘારીયું-ચોલપટ્ટો-કપડો-કાંબળી-કાંબળીનું પડ-સંથારો અને ઉત્તરપટ્ટો આ દશ વસ્ત્રનું પડિલેહણ કર્યા પછી સૂર્યોદય થાય તેવી રીતે પ્રતિક્રમણ અને પડિલેહણ શરૂ કરે (ઓ૦ નિ૦)
અથવા સૂર્યોદય પહેલા-૧૫-મીનીટે પ્રતિક્રમણ પુરૂં થઈ જાય તેવી રીતે ઇરિયાવહિ-ઇચ્છકારથી પ્રતિક્રમણ શરૂ કરે.
અને સૂર્યોદય પહેલા-૧૫-મીનીટે પડિલેહણ શરૂં કરે. પરંતુ ઉપાશ્રયમાં સૂર્યનો પ્રકાશ તરત ન આવતો હોય તો કીડી-માંકણ-જુ આદિ-વસ્ત્રમાં દેખાય તેવું અજવાળું થાય ત્યારે પડિલેહણ કરવું.
પડિલેહણમાં જુ નીકળે તો કપડામાં અને માંકણ નીકળે તો લકડામાં, અકાળે ન મરે તેવી રીતે સુરક્ષિત-એકાન્ત અને છાયાવાળી જગ્યામાં મુકવા.
(૩૨) ૫૦ બોલથી-મુહપત્તિ ૧૦ બોલથી-ડાંડો, દંડાસન, ચરવલી, દોરા, કંદોરો, ઠવણી, ઓઘાની-દશી અને દોરી. ૨૫ બોલથી-ઓઘારીયું, પાટો, નિસેટીયું વગેરે બાકીનાં વસ્ત્રો.
પડિલેહણ કરેલા વસ્ત્રો, પડિલેહણ નહિ કરેલા વસ્ત્રો સાથે ભેગા થાય તો ફરી દરેકનું પડિલેહણ કરવું જોઈએ.
કામળીનું પડ જુદું કરીને બન્નેનું જુદું જુદું પડિલેહણ કરવું જોઈએ. કામળીના જોટાને પણ સીંગળ કરીને પડિલેહણ કરવું
જોઈએ.
(૩૩) દેવદર્શન, આહાર, નિહાર, વિહાર, માત્રુ અને વિદ્યા આ છ કારણે ઉપાશ્રય બહાર જવાય.
(૩૪) ઉત્સર્ગમાર્ગે આહાર-નિહાર અને વિહાર ત્રીજા પહોરમાં બતાવેલ છે.
(૩૫) સૂર્યોદય પછી વિહાર કરવો તે હિતકારી છે. સૂર્યોદય પહેલાં વિહાર કરવામાં ઇર્યાસમિતિનું પાલન થાય નહિ, સૂર્યાસ્ત પછી વિહાર કરવામાં ઇર્યાસમિતિનું પાલન થાય નહિ, જ્યાં જયણા નથી ત્યાં મિથ્યાત્વ હોય છે.
(૩૬) કારણ વિના પહેલા પહોરમાં ગોચરી અને સ્થંડિલ જવામાં અને વિહાર કરવામાં વધારે દોષ, બીજા પહોરમાં ઓછો દોષ, ત્રીજા પહોરમાં શુદ્ધિ વધારે અને ચોથા પહોરમાં પણ દોષ લાગે.
થંડા પહોરમાં જીવોનો ઉપદ્રવ વધારે હોય છે, તેમજ કાળ વખતે અપ્કાયના જીવોની પણ વિરાધના થાય, માટે બને ત્યાં સુધી કાળ વખતે બહાર નીકળવું નહિ.
(૩૭) ગાઢ કારણે કાળ વખતે અને વર્ષાદ વખતે ખૂલ્લા આકાશમાં લઈ ગયેલા કાંબળી-તરપણી-કાચલી વિગેરે એક બાજુ ધીરે ધીરે મુકી દેવાં જોઈએ, અને પોતાની મેળે સુકાઈ જાય ત્યાર પછી જ તે ઉપયોગમાં લઈ શકાય અને કાળ વખતે લઈ ગયેલ કાંબળીની ૪૮ મિનિટ પછી ઘડી વાળી શકાય, તેના પહેલા ઘડી વાળે તો અપ્કાય અને ત્રસકાયની વિરાધના થવાનો સંભવ છે.
કાળ વખતે ખૂલ્લા આકાશમાં કપડાં સુકાવાય નહિ. સુકવેલા કપડાઓના છેડાઓથી વાયુ વડે ઝાપટ લાગે નહિં તે ધ્યાનમાં રાખવું. તડકામાં કપડાં સુકવાય નહિ.
(૩૮) વર્ષાદ વરસતો હોય ત્યારે સાધુ વ્યાખ્યાને જાય તો દોષ-વિરાધના થાય અને શ્રાવક ન જાય તો દોષ-આરાધનાથી ચુકે.
(૩૯) પાણી પડિલેહા નહા નહસિહા; ભમુહા અહરોટ્ઠા ઉત્તરોટ્ઠા (કલ્પ-૨૭૬)
હાથ, હાથની રેખા, નખ, નખના અગ્રભાગ, ભૃકુટિ, દાઢિ, મુછ, આ સાત જગ્યાએ પાણી તરત સુકાતું નથી. માટે એક ચુનાના પાણીમાંથી બીજા ચુનાના પાણીમાં (એઠા હાથ ધોઈ સાફ લુછી તરત ચોક્ખા પાણીમાં) હાથ નાખવા જોઈએ નહિ.
તે પ્રમાણે કાચલીના સાંધામાં પણ પાણી તરત સુકાતું ન હોવાથી કાચલી પણ એક પાણીમાંથી બીજા પાણીમાં તરત નાખવી નહિ.
(૪૦) સ્ત્રી પિયર નર સાસરે, સંયમીએ સ્થિરવાર; આટલાં હોય અળખામણાં, કરે ઘણું સ્થિરવાસ (૧) વહેતાં પાણી નિર્મળાં, બાંધ્યાં ગંદાં હોય; સાધુ તો ફરતા ભલા ડાઘ ન લાગે કોય (૨)
(૪૧) છેલ્લી કોટિનો માર્ગ ખેતરનો, તે માર્ગે વધુમાં વધુ દોષ તેનાથી સારો માર્ગ કેડીનો, તે માર્ગે તેનાથી અલ્પ દોષ તેનાથી સારો માર્ગ રેલ્વેનો, તે માર્ગે તેનાથી અલ્પ દોષ તેનાથી સારો માર્ગ ગાડાનો, તે માર્ગે તેનાથી અલ્પ દોષ તેનાથી સારો માર્ગ સડક વિનાનો મોટરનો, તે માર્ગે તેનાથી અલ્પ દોષ તેનાથી સારો માર્ગ કાચી સડકનો તે માર્ગે તેનાથી અલ્પ દોષ તેનાથી સારો માર્ગ ડામરની સડકનો તે માર્ગે તેનાથી અલ્પ દોષ.
(૪૨) ઇટવાની ભૂમિ- ૧૦૨ આંગળ અચિત્ત
નિભાડાની ભૂમિ ૭૨ આંગળ અચિત્ત
ચૂલાની ભૂમિ ૩૨ આંગળ અચિત્ત
ઢોરબાંધવાની ભૂમિ ૨૧ આંગળ અચિત્ત
મળમૂત્રની ભૂમિ ૧૫ આંગળ અચિત્ત
ઘરની ભૂમિ ૧૦ આંગળ અચિત્ત
શેરીની ભૂમિ ૭ આંગળ અચિત્ત
રાજમાર્ગની ભૂમિ ૫ આંગળ અચિત્ત
(૪૩) નવકલ્પી વિહારનું પાલન કરવું જોઈએ, ચોમાસાના ચાર માસનો એક અને શેષકાળમાં દર માસે એકેક થઈને આઠ, એમ એક વર્ષમાં નવ વિહારતો ઓછામાં ઓછા કરવા જોઈએ, પરંતુ રોગ, જંઘાબળ ક્ષીણતા, વિદ્યાભ્યાસ અને વર્ષાદ આદિના કારણે, ચારિત્રને દુષણ લગાડ્યા વિના જીંદગી સુધી પણ એક જગ્યાએ રહી શકે, પરંતુ છેવટે ખૂણો બદલાવીને પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, નહિતર આજ્ઞાભંગનો દોષ લાગે (કલ્પ૦)
(૪૪) વાસાવાસં પજ્જોસવિયાણં કપ્પઇ નિગ્ગંથાણં વા નિગ્ગંથીણ વા સવ્વઓ સમંતા સક્કોસં જોયણં ઉગ્ગહં ઓગિણ્હિત્તાણં ચિટિ્ઠઉં અહાલંદ મવિ ઓગ્ગહે (કલ્પ૦ ૨૪૨)
ચોમાસામાં પાંચ ગાઉ સુધી ચારે (દિશા-વિદિશા) તરફ અવગ્રહ રાખીને રહેવું કલ્પે. એટલે ચોમાસામાં ચારે દિશા-વિદિશા તરફ અઢીગાઉ સુધી જઈ શકાય અને પાછા આવી શકાય એટલે પાંચ ગાઉ થાય તથા ત્યાં સુધીમાં જ્યાં મુહપત્તિનું પડિલેહણ કર્યું હોય અથવા સાંભોગિક સાધુઓ હોય તો રહી શકાય, પરંતુ મુહપત્તિનું પડિલેહણ કર્યું ન હોય અને બીજા
સાંભોગિક સાધુઓ પણ ન હોય તો ત્યાં રાત્રિ રહી શકાય નહિ.
(૪૫) વાસાવાસં પજ્જોસવિયાણં કપ્પઇ નિગ્ગંથાણં વા નિગ્ગંથીણ વા (ગિલાણહેઉં) જાવ ચત્તારિ પંચ જોયણાઇં ગંતું પડિનિયત્તએ, અંતરા વિ સે કપ્પઇ વત્થએ, નો સે કપ્પઇ તં રયણિં તત્થેવ ઉવાયણા વિત્તએ (કલ્પ૦ ૨૯૫)
ચોમાસુ રહેલા સાધુ-સાધ્વીઓને રોગાદિ કારણે ૨૦-ગાઉ સુધી જવું અને આવવું કલ્પે, કામ પતી ગયા પછી ત્યાં રાત્રિ રહેવાય નહિ, અશક્તિના કારણે માર્ગમાં વચ્ચે રાત્રિ રહી શકાય.
(૪૬) માસિએ ખુરમુંડે, અદ્ધમાસિએ કત્તરિમુંડે, સંવચ્છરીએ વા થેરકપ્પે (કલ્પ૦ ૨૯૦)
બાલ, ગ્લાન, અશક્તિ આદિના કારણે અસ્ત્રાથી મુંડન કરાવનારે દર માસે મુંડન કરાવવું કલ્પે.
ગુમડા આદિના કારણે કાતરથી કપાવનારને દર પખવાડીયે વાળ કપાવવા કલ્પે, પરંતુ પ્રાયશ્ચિત્ત લઈ લેવું, (નિશીથ૦)
લોચ-ચાર માસે, છ માસે, કારણે ન બને તો છેવટે દર વર્ષે સંવચ્છરી પ્રતિક્રમણ પહેલા કરાવવો કલ્પે.
(૪૭) ચોમાસામાં પોરિસિ ભણાવીને કાજો લેવો જોઈએ.
(૪૮) ચોમાસા પછી પાંચ ગાઉમાં બે માસ સુધી કારણ વિના વસ્ત્ર-પાત્ર આદિ લેવા કલ્પે નહિ. (નિ૦ ચૂ૦ ઉ૦ ૧૦)
(૪૯) અતિ સાગારિકે અપ્રમાર્જિતયોઃ, પાદયોઃ સંયમો ભવતિ; તાવેવ પ્રમૃજ્યમાનયોઃ, અસાગારિકે સંયમો ભવતિ (૧)
દરેક ગામમાં પ્રવેશ કરતાં અને નિકળતાં જ્યાં હદ શરૂ થાય ત્યાં, અથવા સચિત્ત-અચિત્ત પૃથ્વીના સંગમનો જ્યાં સંભવ હોય ત્યાં, ગૃહસ્થો ન દેખે તેવી રીતે પગ પૂજે તેમાં સંયમ છે, અથવા ગૃહસ્થો દેખતા હોય તો તેમની દૃષ્ટિ ચૂકાવીને તેઓ ન દેખે તેવી રીતે પગ પૂજવા, નહિ તો પૂજવા નહિ.
(૫૦) સાધ્વીઓએ વિહારમાં સાથે પોટલા માટે પુરૂષજાતિને ન રાખવી અને સાધુઓએ વિહારમાં સાથે પોટલા માટે સ્ત્રીજાતિને ન રાખવી, અશક્યે કોઈ ગામમાં તેમ જ બન્યું તો સાથે ચાલવું નહિ.
(૫૧) પગ છૂટો કરવાને બાને કે તીર્થયાત્રાના બાને સમુદાયમાંથી છૂટા પડી અનેક પ્રકારના દોષોનું સેવન કરીને સ્વતંત્ર વિહાર કરવો તે યોગ્ય નથી કારણ કે :- સંયમયાત્રા તે મોટામાં મોટી તીર્થયાત્રા છે.
(૫૨) વિહારમાં બનતા સુધી માણસ લેવો નહિ, તેમ સ્પેશિયલ પણ રાખવો નહિ, પોતે જેટલી ઉપધિ ઉપાડી શકે તેટલી જ રાખવી જેથી માણસ લેવો પડે નહિ, માણસ લેવામાં ઘણા દોષોનો સંભવ છે.
(૧) માણસ રસ્તામાં સ્થંડિલ જાય અને શૌચ ન કરે તો જ્ઞાનની આશાતના થાય. (૨) બીડી પિએ, જ્યાં ત્યાં ઠુંઠાં નાખે જેથી જીવોનો ઘાત થાય. (૩) પગરખાંથી કીડી આદિ જીવો મરી જાય અને વનસ્પતિ ઉપર ચાલે તેથી જીવોનો કચ્ચરઘાણ નીકળી જાય. (૪) ચા-પાણી કરાવવામાં ત્રસ-સ્થાવર અનેક જીવોનો નાશ થાય. (૫) માણસની પરતંત્રતા. (૬) માણસ ન મળે તો જરૂરી કામ અટકી જાય. (૭) સવારે-બપોરે-સાંજે કોઈ પણ ટાઈમે સ્વતંત્ર વિહાર કરી શકાય નહિ. (૮) કોઈ વખત માણસ નિમિત્તે કષાય પણ થઈ જાય. (૯) ગામમાં એક બે ઘર હોય અને વિહારવાળુ ગામ હોય તો શ્રાવકોને મુશ્કેલી, સાધુઓ ઉપર અભાવ પણ થઈ જાય અને બોધિ દુર્લભ બને, આ અનુભવની વાત છે. વળી દેવદ્રવ્યમાંથી ઉધારે લઈને પણ પૈસા આપે અને પછી ન ભરાય તો મહાન દોષ, તેમ જ વ્યાજ ભક્ષણનો પણ દોષ લાગે.
(૫૩) ન વા લભેજ્જા નિઉણં સહાયં, ગુણાહિઅં વા ગુણઓ સમં વા; ઇક્કો વિ પાવાઇં વિવજ્જયંતો, વિહરિજ્જ કામેસુ અસજ્જમાણો (૧૦)
દૈવી સહાયથી મહાવિદેહ ક્ષેત્રમાં ગયેલા યક્ષા સાધ્વીજીને શ્રીસીમંધરસ્વામીએ આપેલી ચાર ચૂલિકામાંથી દશવૈકાલિકની બીજી ચૂલિકામાં ફરમાવ્યું છે કે :- પોતાથી અધિક ગુણી, તે ન હોય તો સમાન ગુણી, તે પણ ન મળે તો અઢાર પાપસ્થાનકો ને છોડતો અને કામ (પર ઇચ્છા) ને વજર્તો એટલે એ બન્નેમાં ન લેપાતો અપવાદ કારણે એકાકી વિહાર કરે.
(૫૪) દો જોયણ વંકેણં, થલેણં પરિહરઇ બેડિયામગ્ગં; સઢ જોયણ ઘટ્ટેણં, જોયણ લેવેણ ઉવરિ દો ગાઉ (૧) સઢ જોયણવંકેણં થલેણ લેવોવરિં ચ વજ્જઇ; અધજોયણ લેવેણં, સંઘટ્ટેણેગ જોયણેણં (૨) એક જોયણ થલેણં, સંઘટ્ટેણદ્ધ જોયણેણ મુણી; લેવં વજ્જઇ ય તહા, ઘટ્ટં અદ્ધજોયણ થલેણ (૩)
૮ ગાઉ ફરીને સ્થળમાર્ગે જવાતું હોય તો નાવ માર્ગે જવું નહિ.
૧૦ ગાઉ ફરીને સંઘટ્ટમાર્ગે જવાતું હોય તો નાવ માર્ગે જવું નહિ.
૪ ગાઉ ફરીને લેપમાર્ગે જવાતું હોય તો નાવ માર્ગે જવું નહિ.
૨ ગાઉ ફરીને લેપોપરિમાર્ગે જવાતું હોય તો નાવ માર્ગે જવું નહિ. અન્યથા નાવમાર્ગે જાય.
૧૦ ગાઉ ફરીને સ્થળમાર્ગે જવાતું હોય તો લેપોપરિ માર્ગે જવું નહિ.
૪ ગાઉ ફરીને સંઘટ્ટમાર્ગે જવાતું હોય તો લેપોપરિ માર્ગે જવું નહિ.
૨ ગાઉ ફરીને લેપ માર્ગે જવાતું હોય તો લેપોપરિ માર્ગે જવું નહિ. અન્યથા લેપોપરિ માર્ગે જાય. (લેપોપરિઇંનાભિ ઉપર પાણી)
૪ ગાઉ ફરીને સ્થળમાર્ગે જવાતું હોય તો લેપ માર્ગે જવું નહિ.
૨ ગાઉ ફરીને સંઘટ્ટમાર્ગે જવાતું હોય તો લેપ માર્ગે જવું નહિ. અન્યથા લેપ માર્ગે જાય. (લેપઇંનાભિ સુધી પાણી)
૨ ગાઉ ફરીને સ્થળમાર્ગે જવાતું હોય તો સંઘટ્ટમાર્ગે જવું નહિ. અન્યથા સંઘટ્ટમાર્ગે જાય (સંઘટ્ટઇંઅર્ધજંઘા સુધી પાણી)
જંઘાઇંઢીંચણ નીચેનો ભાગ. (ગચ્છા૦ ૧૩૨ વૃત્તિ)
(૫૫) શેષકાળે દર માસે સંઘટ્ટ ત્રણ (આવક-જાવક-છ) વખતથી વધુ ન ઉતરાય.
વર્ષાકાળે દર માસે સંઘટ્ટ સાત (આવક-જાવક-ચૌદ) વખતથી વધુ ન ઉતરાય. (કલ્પ૦ ૨૪૬ વૃત્તિ)
(૫૬) એગં પાયં જલે કિચ્ચા, એગં પાયં થલે કિચ્ચા (કલ્પ૦ ૨૪૫)
નદી ઉતરતાં ધીમે ધીમે પગ જલમાં મૂકે, પછી એક પગ ઉપાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણી નીતરી ગયા પછી તે પગ ધીમે ધીમે જલમાં આગળ મૂકે, અને બીજો પગ ઉપાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણી નીતરી ગયા પછી તે પગ ધીમે ધીમે જલમાં આગળ મૂકે, તેવી રીતે નદી ઉતરે, પરંતુ પાણી ડોળીને ઉતરે નહિ.
સામે કાંઠે જઈ નદી ઉતરતાં જે કાંઈ અવિધિ દોષ લાગ્યો હોય તે બદલ પ્રાયશ્ચિત્તમાં ઇરિયાવહિયા કરે.
નદી ઉપર પુલ હોય તો ફરીને પુલમાર્ગે જવું તે હિતકારી છે.
(૫૭) અણાવાયમસંલોએ, પરસ્સણુવઘાઇએ; સમે અજ્ઝુસિરે યાવિ, અચિરકાલક્યંમિ અ (૩૧૩) વિત્થિણ્ણે દૂરમોગાઢે, નાસણ્ણે બિલવજ્જિએ; તસપાણબીયરહિએ, ઉચ્ચારાઇણિ વોસિરે (૩૧૪) એગ દુગ તિગ ચઉક્ક પંચગ, છસત્તટ્ઠ નવગદસગેહિં; સંજોગા કાયવ્વા, ભંગ સહસ્સં ચઉવ્વીસં (૩૧૫)
(૧) અનાપાત-અસંલોક-સ્ત્રી-પુરૂષ-નપુંસક આવતું ન હોય અને દેખતું પણ ન હોય (૨) અનુપઘાત-આત્મા-સંયમ અને શાસનનો ઉપઘાત-હેલના ન થાય (૩) સમ-સમાનભૂમિ (૪) તૃણાદિ અછન્ન-ઘાસઆદિથી રહિતભૂમિ (૫) અચિરકાલ કૃત-ઘણા કાળથી અગ્નિ આદિ વડે અચિત્ત થયેલ ભૂમિ (જ્યાં એક વર્ષ ગામ વસ્યું હોય ત્યાં બાર વર્ષ સુધી ભૂમિ અચિત્ત રહે.) (૬) વિસ્તૃત-જઘન્યથી ચારે તરફ તિર્ચ્છિ એક હાથ સુધી શુદ્ધભૂમિ (૭) નીચે અચિત્ત કરાયેલ-જઘન્યથી નીચે (ઉંડાઇમાં) ચાર આંગળ અચિત્ત ભૂમિ (૮) અનજીક-દ્રવ્યથી ગામની નજીક સ્થંડિલ બેસે નહિ, ભાવથી વેગ આવ્યા પહેલાજ સ્થંડિલ જાય (વેગ ધારણ કરતાં-સંયમઘાત, આત્મઘાત, શાસનહેલના થાય, મૂત્ર રોકતાં-ચક્ષુની હાનિ, શૂળ આદિ અનેક રોગો થાય) માટે સ્થંડિલની શંકા થતાં જ જવું યોગ્ય છે. (૯) બિલાદિ વર્જિત-દર, ફાટ, ખોપરી અને ઢીખાળા વિનાની ભૂમિ (૧૦) ત્રસ-સ્થાવર બીજરહિત-ત્રસ અને સ્થાવર જીવો તથા બીજ વિનાની ભૂમિ. આ દશદોષરહિત સ્થંડિલનો ૧૦૨૪મો ભાંગો શુદ્ધ છે.
અને એક આદિથી દશદોષના સંયોગ વડે ઉત્પન્ન થયેલા ૧૦૨૩ ભાંગા અશુદ્ધ થાય છે, તે લાવવાની રીત નીચે પ્રમાણે છે.
ઉભયમુહં રાસિદુગં હેટિ્ઠલાણંતરેણ ભય પઢમં; લદ્ધહરાસિ વિભત્તે તસ્સુવરિ ગુણિત્તુ સંજોગા (૧)
બે બાજુ મુખરાખી ઉપર નીચે સંખ્યા ગોઠવવી
૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦
૧૦-૯-૮-૭-૬-૫-૪-૩-૨-૧
એક ઉપર જે સંખ્યા છે તે એક સંયોગી ૧૦ ભાંગા જાણવા. (એક સંયોગી ભાંગા લાવવા ઉપરની કરણગાથા ઉપયોગમાં આવતી નથી.)
એક સંયોગી જે ભાંગા (૧૦) આવ્યા, તેને નીચેની રાશિમાં (૧)ની અનંતર સંખ્યા (૨) વડે ભાગવાથી જે (૫) આવે તેને જે સંખ્યા (૨) વડે ભાગ્યા તે સંખ્યા (૨) ની ઉપરની સંખ્યા (૯) થી ગુણવા વડે જે સંખ્યા (૪૫) આવે તે બેસંયોગી (૪૫) ભાંગા જાણવા. જેમકે :-
૧-૨ ૧-૭ ૨-૪ ૨-૯ ૩-૭ ૪-૬ ૫-૬ ૬-૭ ૭-૯
૧-૩ ૧-૮ ૨-૫ ૨-૧૦ ૩-૮ ૪-૭ ૫-૭ ૬-૮ ૭-૧૦
૧-૪ ૧-૯ ૨-૬ ૩-૪ ૩-૯ ૪-૮ ૫-૮ ૬-૯ ૮-૯
૧-૫ ૧-૧૦ ૨-૭ ૩-૫ ૩-૧૦ ૪-૯ ૫-૯ ૬-૧૦ ૮-૧૦
૧-૬ ૨-૩ ૨-૮ ૩-૬ ૪-૫ ૪-૧૦ ૫-૧૦ ૭-૮ ૯-૧૦
તેવી રીતે ત્રણ આદિ સંયોગના ભાંગા લાવવા
બે સંયોગી જે ભાંગા (૪૫) આવ્યા, તેને નીચેની રાશિમાં (૨)ની અનંતર સંખ્યા (૩) વડે ભાગવાથી જે સંખ્યા (૧૫) આવે તેને જે સંખ્યા (૩) થી ભાગ્યા તે સંખ્યા (૩)ની ઉપરની સંખ્યા (૮) થી ગુણવાવડે જે સંખ્યા (૧૨૦) આવે, તે ત્રણ સંયોગી (૧૨૦) ભાંગા જાણવા, જેમકે :-
૧-૨-૩ ૧-૪-૮ ૧-૯-૧૦ ૨-૫-૯ ૩-૪-૧૦ ૪-૫-૭ ૫-૬-૧૦
૧-૨-૪ ૧-૪-૯ ૨-૩-૪ ૨-૫-૧૦ ૩-૫-૬ ૪-૫-૮ ૫-૭-૮
૧-૨-૫ ૧-૪-૧૦ ૨-૩-૫ ૨-૬-૭ ૩-૫-૭ ૪-૫-૯ ૫-૭-૯
૧-૨-૬ ૧-૫-૬ ૨-૩-૬ ૨-૬-૮ ૩-૫-૮ ૪-૫-૧૦ ૫-૭-૧
૧-૨-૭ ૧-૫-૭ ૨-૩-૭ ૨-૬-૯ ૩-૫-૯ ૪-૬-૭ ૫-૮-૯
૧-૨-૮ ૧-૫-૮ ૨-૩-૮ ૨-૬-૧૦ ૩-૫-૧૦ ૪-૬-૮ ૫-૮-૧૦
૧-૨-૯ ૧-૫-૯ ૨-૩-૯ ૨-૭-૮ ૩-૬-૭ ૪-૬-૯ ૫-૯-૧૦
૧-૨-૧૦ ૧-૫-૧૦ ૨-૩-૧૦ ૨-૭-૯ ૩-૬-૮ ૪-૬-૧૦ ૬-૭-૮
૧-૩-૪ ૧-૬-૭ ૨-૪-૫ ૨-૭-૧૦ ૩-૬-૯ ૪-૭-૮ ૬-૭-૯
૧-૩-૫ ૧-૬-૮ ૨-૪-૬ ૨-૮-૯ ૩-૬-૧૦ ૪-૭-૯ ૬-૭-૧૦
૧-૩-૬ ૧-૬-૯ ૨-૪-૭ ૨-૮-૧૦ ૩-૭-૮ ૪-૭-૧૦ ૬-૮-૯
૧-૩-૭ ૧-૬-૧૦ ૨-૪-૮ ૨-૯-૧૦ ૩-૭-૯ ૪-૮-૯ ૬-૮-૧૦
૧-૩-૮ ૧-૭-૮ ૨-૪-૯ ૩-૪-૫ ૩-૭-૧૦ ૪-૮-૧૦ ૬-૯-૧૦
૧-૩-૯ ૧-૭-૯ ૨-૪-૧૦ ૩-૪-૬ ૩-૮-૯ ૪-૯-૧૦ ૭-૮-૯
૧-૩-૧૦ ૧-૭-૧૦ ૨-૫-૬ ૩-૪-૭ ૩-૮-૧૦ ૫-૬-૭ ૭-૮-૧૦
૧-૪-૫ ૧-૮-૯ ૨-૫-૭ ૩-૪-૮ ૩-૯-૧૦ ૫-૬-૮ ૭-૯-૧૦
૧-૪-૬ ૧-૮-૧૦ ૨-૫-૮ ૩-૪-૯ ૪-૫-૬ ૫-૬-૯ ૮-૯-૧૦
૧-૪-૭
તેવી રીતે ચાર આદિ સંયોગના ભાંગા બુદ્ધિથી કાઢવા અને કેટલા આવશે તે નીચે બતાવેલ છે.
સંયોગી ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦
ભાંગા ૧૦ ૪૫ ૧૨૦ ૨૧૦ ૨૫૨ ૨૧૦ ૧૨૦ ૪૫ ૧૦ ૧
અશુદ્ધ એક આદિથી દશ સંયોગી કુલ ૧૦૨૩ ભાંગા અશુદ્ધ જાણવા અને શુદ્ધ દશ સંયોગી એક ભાંગો શુદ્ધ જાણવો, સર્વ મળીને ૧૦૨૪ ભાંગા સ્થંડિલના થયા. (ઓ૦ નિ૦)
(૫૮) અજુગલિઆ અતુરંતા વિકહારહિઆ વયંતિ પઢમં તુ; નિસિઇત્તુડગલગહણં આવડણં વચ્ચમાસજ્જ (૩૧૨)
સમશ્રેણીરહિત, ધીમે ધીમે, વાતો કર્યા વિના, મૌન પણે સ્થંડિલભૂમિને પ્રાપ્ત કરીને નીચે બેસી સ્થંડિલને અનુરૂપ પત્થર ઇંટ આદિના ટુકડા લઇ ખંખેરી છાયામાં બેસે, તડકો હોય અને છાયા ન હોય તો સ્થંડિલ ઉપર પોતાની છાયા કરી બે ઘડી સુધી પોતે ત્યાં બેસી રહે, જેથી કરમીયા હોય તો સ્વયં પરિણામ પામી જાય, નહી તો તડકાને લઈને તરત મરી જાય. (ઓ૦ નિ૦)
(૫૯) દિસિપવણ ગામસૂરિય છાયાએં, પમજ્જિઊણતિખુત્તો;
જસ્સોગહોત્તિ કાઊણ, વોસિરે આયમેજ્જાવા (૩૧૬)
દિવસે પૂર્વ અને ઉત્તર દિશા સામે અને રાત્રે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશા સામે તેમજ પવન, ગામ, અને સૂર્ય સામે પુંઠ કર્યા વિના છાયામાં ત્રણવાર ચક્ષુથી બરોબર જોઈને ‘અણુજાણહ જસ્સુગ્ગહો‘ (જેની જગ્યા છે તે, મને આજ્ઞા આપો) કહી સ્થંડિલ કરી શુદ્ધિ કરી ત્રણવાર ‘વોસિરે‘ કહી વોસિરાવે. (ઓ૦ નિ૦)
(૬૦) દવ્વઓ ચક્ખુસા પેહે, જુગમિત્તં તુ ખેત્તઓ;
કાલઓ જાવ રીએજ્જા, ઉવઉત્તે ય ભાવઓ (૭૭૧)
આહાર-નિહાર અને વિહાર વિગેરેમાં રસ્તે ચાલતાં દ્રવ્યથી ચક્ષુવડે દેખે, ક્ષેત્રથી સાડાત્રણ હાથ સુધી દૃષ્ટિ રાખે, કાળથી ચાલવાના સમયે આડુંઅવળું ન જોતાં સ્થિર દૃષ્ટિ રાખે, અને ભાવથી નિરીક્ષણ કરવાના ઉપયોગમાં તત્પર બને, વાતો કરવી નહિ, સ્વાધ્યાય કરવો નહિ, તેમજ ઝડપથી ચાલવું નહિ, અને સમશ્રેણીએ ચાલવું નહિ. (પ્ર૦)
નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મોટા થાય;
કાંટો ટળે, દયા પળે, પગ પણ નવિ ખરડાય (૧)
(૬૧) કાગળ અથવા કપડું જે દિવસે પરઠવવાનું હોય, તે જ દિવસે તેના ટુકડા કરવા, પરંતુ પહેલેથી ટુકડા કરી બે-ચાર દિવસ પડી રાખવા નહિ, કારણ કે તેમાં જીવો પેસી જવાનો સંભવ છે.
(૬૨) ભીની જગ્યા ઉપર માત્રું-પાણી પરઠવતાં જીવોની ઉત્પત્તિ થાય, માટે એક જ જગ્યાએ ઢોળવું નહિ, તેમ જ પરઠવતાં અવાજ ન થાય તેવી રીતે નીચા નમીને જીવજંતુ ન હોય ત્યાં ધીમે ધીમે પરઠવવું, પરંતુ દૂર ઉભા ઉભા કે માળ ઉપરથી કે ઓટલા ઉપરથી ફેંકવું નહિ, તેમજ રસ્તા વચ્ચે પણ ન પરઠવવું.
(૬૩) જગતમાં નિરર્થક વસ્તુનો ત્યાગ તો બધાય કરે છે, પરંતુ સંયમી આત્માની પ્રવૃત્તિ જયણાવાળી હોવાથી લોકોત્તર ફળ આપે છે અર્થાત્ કર્મની નિજર્રા થાય છે.
(૬૪) બનતાં સુધી વધારે ઉપધિ રાખવી નહિ. અને હોય તેમાં પણ મૂછર રાખવી નહિ, છતાં જો ઉપધિ વધી ગઈ હોય તો પોતાની વસ્તુ આઠ માસથી વધારે વખત તો એક જગ્યાએ રાખવી જ નહિ.
(૬૫) ઘણ ગજ્જિય હયકુહએ, વિજ્જુદુગ્ગિજ્જ ગૂઢહિયયાઓ; અજ્જા અવારિઆઓ, ઇત્થીરજ્જં ન તં ગચ્છં (૯૫) જત્થ સમુદેશકાળે સાહૂણં મંડલીઇ અજ્જાઓ; ગોઅમ! ઠવંતિ પાએ, ઇત્થીરજ્જં ન તં ગચ્છં (૯૬)
મેઘની ગજર્ના, ઘોડાના પેટમાં રહેલ વાયુ, વીજળીની માફક દુર્ગ્રાહ્ય અને ગૂઢ હૃદયવાળી સાધ્વીઓ પોતાની ઇચ્છા પ્રમાણે જે ગચ્છમાં આવ-જા-કરે, છતાં કોઈ પણ સાધુ નિષેધ ન કરી શકે તો, તે ગચ્છ નહિ, પણ સ્ત્રી રાજ્ય જાણવું.
ભોજન મંડળીના સમયે જે ગચ્છમાં સાધ્વીઓ આવ-જા-કરે તો, તે ગચ્છ નહિ પણ સ્ત્રી રાજ્ય જાણવું. (ગચ્છા૦)
(૬૬) સીસોવિ વેરિઓ સોઉ, જો ગુરું ન વિ બોહએ;
પમાયમઇરાઘત્થં સમાયારી વિરાહયં (૧૮)
કષાય, નિંદા, ઇર્ષ્યા, આદિ રૂપ મદિરાથી ભાન ભૂલેલા તેમજ સમાચારીનું ઉલ્લંઘન કરનાર, ગુરુને પણ બોધ આપી સન્માર્ગે સ્થાપન ન કરે તો, તે શિષ્ય નહિ પણ શત્રુ જાણવો. (ગચ્છા૦)
(૬૭) તુમ્હારિસાવિ મુણિવર!, પમાયવસગા હવંતિ જઈ પુરિષા; તેણઽન્નો કો અમ્હં, આલંબણ હુજ્જ સંસારે! (૧૯)
પ્રમાદી ગુરૂને બોધ કેવી રીતે આપવો? તે કહે છે.
એકાન્તમાં ગુરુને શિષ્ય કહે, હે ગુરુદેવ! આપના સરખા ઉત્તમ આત્માઓ પણ પ્રમાદી બનશે તો, મંદભાગી અને આળસુ એવા અમોને આ ભયંકર સંસારમાંથી આપ વિના બીજો કોણ પાર ઉતારશે? (ગચ્છા૦)
(૬૮) જઇ ન તરસિ ધારેઉં, મૂલગુણભરં સઉત્તરગુણં ચ;
મુત્તૂણ તો તિભૂમી, સુસાવગત્તં વરાગતરં (ઉ૦મા૦૫૦૧)
મૂલગુણ અને ઉત્તરગુણથી યુક્ત સાધુપણું પાલન કરવાને જે સાધુ સમર્થ ન હોય, તે સાધુ-જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને વિહારભૂમિ આ ત્રણ ભૂમિ મૂકીને અન્ય પ્રદેશમાં સુશ્રાવકપણું પાળે તે અત્યંત શ્રેષ્ઠ છે.
(૬૯) અચ્ચણુરત્તો જો પુણ, ન મુયઇ બહુસો વિ પન્નવિજ્જંતો, સંવિગ્ગપક્ખિયત્તં, કરિજ્જ લબ્ભિહિસિ તેણ પહં (૫૨૨) સુદ્ધે સુસાહુધમ્મં, કહેઇ નિંદઇ ય નિયમાચારં; સુતવસ્સિઆણં પુરઓ, હોઇ સવ્વોમરાયણીઓ (૫૧૫) વંદઇ નવિ વંદાવેઈ, કિઇકમ્મં કુણઇ કારયે નેય; અત્તટ્ઠા નવિ દિક્ખઇ, દેઇ સુસાહૂણ બોહેઉં (૫૧૬) સાવજ્જજોગપરિવજ્જણાઓ, સવ્વુત્તમો જઇધમ્મો; બીઓ સાવગધમ્મો, તઓ સંવિગ્ગપક્ખપહો (ઉ૦ મા૦ ૫૧૯)
જે સાધુ ચરણસિત્તરી અને કરણ સિત્તરી ગુણનું પાલન કરવાને સમર્થ ન હોય તેને ગીતાર્થો ઘણી હિતશિક્ષા આપવા છતાં, સાધુવેશમાં ગાઢ આસક્ત હોય એટલે સાધુવેશ છોડવાની ઇચ્છા ન હોય તો તેણે સંવિજ્ઞપાક્ષિકનો માર્ગ સ્વીકાર કરવો, તેમ કરવાથી તે મોક્ષનો માર્ગ પામે છે.
સંવિજ્ઞપાક્ષિકનો આચાર બતાવતાં કહે છે કે :- શુદ્ધ સાધુમાર્ગ બીજાને બતાવે, પોતાના શિથિલઆચારની નિંદા કરે, આજના દીક્ષિત સાધુથી પણ પોતાને લઘુ માને, પોતે સાધુઓને વંદન કરે પરંતુ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા કોઈ પાસે પોતાને વંદાવે નહિ, પોતે સાધુઓની સેવા કરે પરંતુ કોઈ સાધુ પાસે પોતાની સેવા કરાવે નહિ, કોઈને પોતાના શિષ્યો બનાવે નહિ પરંતુ પ્રતિબોધ પમાડીને સુસાધુઓની પાસે મોકલે.
મુક્ત થવાના ત્રણ માર્ગ-તેમાં પ્રથમ સાધુધર્મ, બીજો શ્રાવકધર્મ, અને ત્રીજો સંવિજ્ઞપાક્ષિકધર્મ.
(૭૦) શક્ય હોય ત્યાં સુધી એક વખત ખાવાથી ચાલે તો બે વખત ખાવું નહિ. એક વખત ખાવાથી ન ચાલે તો બે વખત ખાવું. બે વખત ખાવાથી ચાલે તો ત્રણ વખત ખાવું નહિ, બે વખત ખાવાથી ન ચાલે તો ત્રણ વખત ખાવું, તે પ્રમાણે આગળ જાણવું.
(૭૧) સવારથી સાંજ સુધી ઢોરની જેમ મોકળે મોઢે ખાવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે, પાણી પણ ઠાંસી ઠાંસીને પીવું નહિ. (ભોજન કરતાં પ્રથમ પાણી પીતાં અગ્નિમંદ થાય, વચ્ચે પાણી પીતાં રસાયન જેમ પુષ્ટિ કરે, અને અંતે ઘણું પાણી પીતાં વિષ જેમ નુકશાન કરે.)
(૭૨) પારણા અને અત્તરવાયણામાં અજ્ઞાનીની જેમ મન લલચાવવું જોઈએ નહિ તોજ ખરા તપસ્વી બનાય, તેમજ પારણા અને અત્તરવાયણાની ખબર ગૃહસ્થને ન પડવા દેવી, જો ખબર પડે તો અનેક દોષો ઉપજે.
ખરા તપસ્વીને પારણામાં અને અત્તરવાયણામાં આનંદ (તાલાવેલી) ન હોય, તેને મન તો બન્નેમાં વિભાવદશા (પરાધીનતા) હોય, તે બન્નેનો વિચાર સરખો પણ પોતાને ન આવે.
(૭૩) ત્રણ ટાઈમ ખાવાનો રીવાજ સાધુનો નથી, પરંતુ સાધુને તો છ કારણે ભોજન કરવાનું જ્ઞાનીપુરૂષોએ ફરમાવ્યું છે.
વેયણે વેયાવચ્ચે ઇરિયાટ્ઠાએય સંજમટ્ઠાએ;
તહ પણવત્તિયાએ છટ્ઠં પુણ ધમ્મચિંતાએ (૬૬૨)
(૧) ક્ષુધા સહન ન થાય ત્યારે (૨) વૈયાવચ્ચ કરવા માટે (૩) ઇર્યાસમિતિનું પાલન કરવા માટે (૪) સંયમનું પાલન કરવા માટે (૫) દ્રવ્યપ્રાણ ટકાવવા માટે (૬) સંકલ્પ-વિકલ્પ દૂર કરી શુભવિચાર કરવા માટે, આ છ કારણોમાંથી કોઈપણ કારણે ભોજન કરવું કલ્પે. (પિં૦ નિ૦)
(૭૪) આયંકે ઉવસગ્ગે, તિતિક્ખયા બંભચેરગુત્તીસુ;
પાણિદયા તવહેઉં, સરીરોવોચ્છેઅણટ્ઠાએ (૬૬૬)
(૧) તાવ વખતે (૨) રાજા, સ્વજન, દેવ, મનુષ્ય, તિર્યંચે કરેલ ઉપસર્ગ સહન કરવા (૩) શિયલનું પાલન કરવા (૪) વર્ષા, ધુમસ અને જીવોના ઉપદ્રવ વખતે જીવ રક્ષા માટે (૫) તપ કરવા માટે (૬) અન્ત સમયે શરીર છોડવા માટે, આ છ કારણે ભોજન કરવાનો નિષેધ કરેલ છે. (પિં૦ નિ૦)
(૭૫) સુરસુર કે ચબચબ જેવા શબ્દો ભોજન કરતાં ન થાય, તે ધ્યાનમાં રાખવું, તેમજ પ્રવાહી વસ્તુના સબડકા પણ લેવા નહિ.
(૭૬) આયંબિલ, નીવી, એકાસણું અને બેઆસણું વિ૦ ૪૮, મિનિટમાં પતાવી દેવું જોઈએ. આ શાસ્ત્રીય નિયમ છે. આ નિયમનું પાલન થાય તો જ દરરોજ એકાસણું કરનારને મહિને ૨૯ ઉપવાસનું ફળ મળે, અને દરરોજ બેઆસણું કરનારને મહિને ૨૮ ઉપવાસનું ફળ મળે.
બીજું કારણ :- એઠી કરેલી વસ્તુ અગર પાણી એક જ જગ્યાએ ૪૮ મિનિટથી વધારે ટાઈમ હલાવ્યા વિના પડી રહે તો સમુર્ચ્છિમ મનુષ્યાદિ જીવોની ઉત્પત્તિ થઈ જાય, માટે ૪૮ મિનિટમાં પતાવી દેવું જોઈએ.
(૭૭) જે પાત્રથી પાણી પીધું હોય, તે પાત્રને સાફ કર્યા વિના ફરી તેમાં પાણી લેવામાં આવે તો આખા ઘડાનું પાણી એઠું થવાનો સંભવ છે-તેથી બે ઘડી પછી સચિત્ત થઈ જાય.
કારણ કે :- એઠા પાત્રમાં પાણી લેતાં કોઈ વખત પાત્રમાંથી છાંટા ઉછળી ફરી પાછા તે ઘડામાં જાય છે, તેથી આખા ઘડાનું પાણી એઠું થઈ જાય (આ અનુભવની વાત છે) માટે એક વખત પાણી પીધા પછી તે જ પાત્રમાં ફરી પાણી લેવું હોય તો તે પાત્રને વસ્ત્રથી બરોબર લુછીને કોરૂં કરી દેવું જોઈએ અને પછી જ તેમાં ફરી પાણી લેવું જોઈએ.
(૭૮) ખિત્તઇયં ભુંજઈ, કાલાઇયં તહેવ અવિદિન્નં;
ગિણ્હઇ અનુઇયસૂરે, અસણાઇ અહવ ઉવગરણં (૩૬૨)
સાથે લીધેલ આહાર-પાણી બે ગાઉથી વધારે આગળ જઈ વાપરે તો ક્ષેત્રાતિક્રાન્ત દોષ, પહેલા પહોરમાં લાવેલ આહાર-પાણી ત્રીજા પહોર પછી વાપરે તો-કાલાતિક્રાન્ત દોષ, કોઈએ નહિ આપેલ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરે તો અદત્તાદાનદોષ, સૂર્યોદય પહેલા આહાર-પાણી-ઉપધિ વિગેરે ગ્રહણ કરે તો-અનુદિતસૂર ગ્રહણ દોષ, જેટલી ભૂખ-તૃષા હોય તેના કરતાં વધારે ખાવા-પીવામાં-પ્રમાણાતિક્રાન્ત દોષ લાગે. (ઉ૦ મા૦) તેમ જ દિવસે વહોરેલી દવા આદિ પણ રાત્રિ ગયા પછી બીજે દિવસે વાપરવામાં આવે તો – રાત્રિભોજનનો દોષ લાગે માટે અસન્નિહિ સંચયસ્સ દવા આદિ ખાવાની વસ્તુ વહોરેલી સાધુ રાત્રે રાખે નહિ તેમ પક્ખિસૂત્રમાં જણાવેલ છે.
પહેલો પહોર પુરો થયા પહેલા પોરિસિ ભણાવીને લાવેલા પણ આહાર-પાણી ત્રીજા પહોર પછી વાપરવામાં આવેતો કાલાતિક્રાન્ત દોષ લાગે.
ઉગ્ઘાડા (ભણાવવાની) પોરિસિ છ ઘડીએ (બે કલ્લાક ચોવીસ મિનિટે) થાય.
પહેલો પહોર પૂરો થાય ત્યારે પોરિસિનું પચ્ચક્ખાણ થાય, દોઢ પહોર પૂરો થાય ત્યારે સાડ્ઢપોરિસિનું પચ્ચક્ખાણ થાય, બીજો પહોર પૂરો થાય ત્યારે પુરિમડ્ઢનું પચ્ચક્ખાણ થાય, અને ત્રીજો પહોર પૂરો થાય ત્યારે અવડ્ઢનું પચ્ચક્ખાણ થાય.
(૭૯) એઠા મુખે બોલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
(૮૦) સાધુઓએ સૂચના આપી હોય કે ન આપી હોય, પરંતુ ગૃહસ્થો, સાધુઓના માટે સ્પેશિયલ જે કંઈ બનાવે તે આધાકર્મી કહેવાય.
(૮૧) પિંડં સિજ્જં ચ વત્થં ચ, ચઉત્થં પત્તમેવ ય;
અકપ્પિયં ન ઇચ્છિજ્જા, પડિગાહિજ્જ કપ્પિઅં (૬-૪૮)
આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર અને વસતિ (રહેઠાણ) અકલ્પનીય ગ્રહણ કરે નહિ, પરંતુ નિદરેષ કલ્પે તેવું ગ્રહણ કરે. (દ૦ વૈ૦)
(૮૨) તં હોઇ સઇંગાલં જં, આહારેઇ મુચ્છિઓ સંતો;
તં પુણ હોઈ સધૂમં, જં આહારેઇ નિંદંતો (પિં૦ નિ૦ ૬૫૫)
નિદરેષ આહારને પણ રાગ-દ્વેષ, વખાણ કે નિન્દા કરતો તેમજ આહાર આપનારના વખાણ કે નિન્દા કરતો ખાય તો ચારિત્રને કોલસા અને ધુમાડા જેવું બનાવે છે.
(૮૩) અશનાદિ આહાર જેવી રીતે આલોવવામાં આવે છે તેવી રીતે પાણી-ઔષધ આદિને પણ આલોવવા જોઈએ.
(૮૪) ગૃહસ્થની રજાથી ખાસ કારણે મુનિ જાતે પણ પાણી વહોરી શકે.
(૮૫) અણાહારી વસ્તુ પણ ખાસ કારણ વિના લેવી નહિ.
(૮૬) ચા, તમાકુ, છીંકણી આદિનું વ્યસન રાખવું નહિ.
(૮૭) સૂર્યાસ્ત પહેલા બે ઘડી (૪૮ મિનિટ)માં ભોજન પાણી વાપરનારને રાત્રિભોજનનો દોષ (અતિચાર) લાગે છે, માટે પેથડ શા મંત્રીની માફક સાંજે બે ઘડી પહેલા આહાર-પાણી વાપરવાનું બંધ કરી પચ્ચક્ખાણ કરી લેવું જોઈએ.
અહ્નો મુખેઽવસાને ચ, યો દ્વે દ્વે ઘટિકે ત્યજેત્;
નિશાભોજનદોષજ્ઞો, અશ્નાત્યસૌ પુણ્યભાજનમ્ (વ્યા૦ ૧૬)
રાત્રિભોજનના દોષને જાણનારો જે આત્મા દિવસની આદિમાં અને અંતમાં બે બે ઘડીમાં ખાતો-પીતો નથી તે પુન્યશાળી બને છે. (ઉ૦ પ્રા૦)
આજે દરેક તપસ્વી આત્માઓ દિવસના આરંભમાં બે ઘડીનો ત્યાગ કરે છે, પરંતુ દિવસના અંતમાં બે ઘડીનો ત્યાગ કરનારા ભાગ્યે જ જોવા મળશે, કેટલાકને આ વચનનો ખ્યાલ પણ નહીં હોય, માટે દિવસના અંતે બે ઘડીમાં ખાવા-પીવાનું છોડવા લક્ષ રાખવું.
(૮૮) રયણી ભોયણે જે દોસા, તે દોસા અંધયારંમિ;
જે દોસા અંધયારંમિ, તે દોસા સંકડમ્મિ મુહે (વ્યા-૧૧૭)
અંધારામાં અને સાંકડા મુખવાળા પાત્રમાં ભોજન કરવામાં કે પાણી પીવામાં આવે તો પણ રાત્રિભોજનનો દોષ લાગે. (ઉ૦ પ્રા૦)
(૮૯) ગરમ પાણી ઠંડુ કરતાં વરાળ નીકળે ત્યારે વાયુકાય આદિના જીવો મરણ પામે છે તે ધ્યાનમાં રાખવું.
(૯૦) બે રાત્રિ પછી દહિ અભક્ષ્ય થાય છે, માટે ગઈ કાલનું મેળવેલું હોય તો જ લેવાય, એટલે સવારે મેળવેલું ૧૬ પહોર પછી અભક્ષ્ય થાય, અને સાંજે મેળવેલું ૧૨ પહોર પછી અભક્ષ્ય થાય. (ત૦ બિ૦)
(૯૧) શિખંડ-પુરી તથા ગરમ નહિ કરેલા (કાચા) દૂધ-દહી અને છાસ સાથે ઘઉંના રોટલા-રોટલી-પુરી અને ખાખરા પણ ખવાય નહિ. કારણ કે :- કઠોળ દળવાની ઘંટી જુદી ન હોવાથી ઘંટીમાં કઠોળનો આટો ઘઉંના આટા સાથે ભેળસેળ થાય છે.
આજે કેટલીક જગ્યાએ જીભડીના સ્વાદની ખાતર પોતાનું મન મનાવા પૂરતું દહી ગરમ કરવામાં આવે છે, પરંતુ તે પોતાના આત્માને છેતરવા બરોબર છે, માટે તે બરાબર ગરમ કરેલું હોય તો જ કઠોળ સાથે વાપરી શકાય.
(૯૨) ચોમાસામાં કે શેષકાળમાં બજારની તૈયાર લાવેલી બુરૂ વાપરવી, તેના કરતાં ઘેર દળેલી સાકર કે મોરસ અથવા તો આખી મોરસ વાપરવી શ્રેષ્ઠ છે.
(૯૩) સયણાસણવત્થં વા, ભત્તપાણં વ સંજએ;
અદિંતસ્સ ણ કુપ્પિજ્જા, પચ્ચક્ખે વિ દીસઓ (દ૦ વૈ૦)
વસ્ત્ર, ભોજન, પાણી, વિ૦ હોવા છતાં તેમ જ પોતે નજરે દેખવા છતાં ગૃહસ્થો ન આપે તો તેમના ઉપર ક્રોધ કરવો નહિ તથા તેમની નિન્દા પણ કરવી નહિ, પરંતુ પોતાને લાભાંતરાય કર્મનો ઉદય છે તેમ માનવું, તથા તપોવૃદ્ધિ થશે, એમ માની મનને સમભાવમાં રાખવું.
અને ગૃહસ્થો આપે તો રાજી થવું નહિ, પરંતુ સંયમપુષ્ટિ થશે એમ માનવું.
(૯૪) તત્થ સે નો કપ્પઇ અદક્ખુ વઇત્તએ (કલ્પ૦ ૨૫૨) શ્રદ્ધાળુ શ્રાવકને ત્વાં અજાણી (હશે કે નહિ? એવી અનિશ્ચિત) વસ્તુ માગવી નહિ, અનેક દોષોનું કારણ હોવાથી, પરંતુ કારણે કૃપણને ત્યાં માગવામાં વાંધો નહિ.
(૯૫) ગોચરી-પાણી દૂર લેવા જવાથી તથા જ્યાં સાધુ-સાધ્વી ઓછા જતા હોય ત્યાં જવાથી ઘણા કર્મોની નિજર્રા થાય.
(૯૬) ષટ્કાયદયાવાનપિ સંયતો દુર્લભં કરોતિ બોધમ્;
આહારે નીહારે જુગુપ્સિતે પિણ્ડગ્રહણે ચ (૧)
ક્રિયાપાત્ર અને દયાળુ સાધુ પણ આહાર અને નીહારમાં ઉપયોગ ન રાખે તથા અયોગ્ય આહાર ગ્રહણ કરે તો બોધિબીજને દુર્લભ બનાવે છે, માટે અયોગ્ય આહાર ગ્રહણ ન કરવામાં અને આહાર વાપરવામાં તેમજ સ્થંડિલ જવામાં ઘણો જ ઉપયોગ રાખવો જોઈએ.
(૯૭) આટો, પુરી અને મિઠાઈ વિગેરે ૩૦-૨૦ અને ૧૫ દિવસ પહેલાની હોય તો અનુક્રમે કાર્તિક-ફાગણ અને અષાડ ચોમાસામાં લેવાય નહિ, તો બીસ્કીટ આદિ બજારનું મહિનાઓ અને વર્ષો પહેલાનું હોય છે, તો તે કેમ લેવાય? ન જ લેવાય.
(૯૮) કોઈ પણ વસ્તુનો આગમથી અથવા અનુભવથી નિજીર્વ નો નિશ્ચય ન થાય ત્યાં સુધી તે વસ્તુનો ઉપયોગ સંયમીને
થાય નહિ, તૈયાર ખડીયાની સહી સચિત્તનો સંભવ હોવાથી અને અચિત્તની ખાત્રી ન હોવાથી સ્પર્શ પણ થાય નહિ તો પછી વાપરવાનું તો પૂછવું જ શું, બોલપેનમાં પણ વિચારવા જેવું છે.
(૯૯) કેવલીની દૃષ્ટિએ શુદ્ધ રહેલી વસ્તુમાં પણ અમાયાવી છદ્મસ્થ સાધુને શ્રુત અનુસારે વિચાર કરતાં અશુદ્ધની શંકા આવે તો તે વ્યવહારમાં અશુદ્ધ જ ગણાય.
અને કેવલીની દૃષ્ટિએ અશુદ્ધ રહેલી વસ્તુ પણ શ્રુત અનુસારે વિચાર કરતાં શુદ્ધ જણાય તો તે વ્યવહારમાં શુદ્ધ જ કહેવાય.
કેવલી સ્વયં ગોચરી જાય તો અશુદ્ધ લાવે નહિ, પરંતુ અમાયાવી છદ્મસ્થ શિષ્યોએ ઉપયોગ પૂર્વક શ્રુતને અનુસારે શુદ્ધ જાણીને લાવેલી ગોચરીને કેવલીઓ કેવલજ્ઞાન વડે અશુદ્ધ દેખે તો પણ વાપરે, જો ન વાપરે તો શાસ્ત્રો અપ્રમાણ થાય અને વ્યવહાર નષ્ટ થાય.
(૧૦૦) મા કુણઉ જઇ તિગિચ્છં, અહિયાસેઊણ જઇ તરઇ સમ્મં;
અહિયાસિંતસ્સ પુણો, જઇ સે જોગા ન હાયંતિ
સંયમી ઉત્સર્ગમાર્ગે દવા કરાવે નહિ, પરંતુ મન સમાધિમાં ન રહે અને આવશ્યક અનુષ્ઠાનોમાં શિથિલતા આવે તો અપવાદ માર્ગે અનિચ્છાએ દવા કરાવે. (ઉ૦ મ૦ ૩૪૬)
(૧૦૧) આઉસ્સ ન વીસાસો, કજ્જસ્સ બહૂણિ અંતરાયાણિ;
તમ્હા સાહૂણં, વટ્ટમાણજોગેણ વવહારો (૧)
કોઈ પણ કાર્યમાં, આવીશ-નહિ આવું, આપીશ-નહિ આપું, જઇશ-નહિ જાઉં, વિ૦ જકારપૂર્વક (નિશ્ચયવાણી) બોલવું નહિ, કારણ કે :- આયુષ્યનો ભરોસો નથી, ક્ષણે ક્ષણે વિચારો બદલાયા કરે છે, અને કાર્યો પણ ઘણા વિઘ્નવાળાં છે, માટે સાધુઓએ ‘વર્તમાન યોગ‘ (જેવો સમય) એમ બોલી વ્યવહાર ચલાવવો.
(૧૦૨) ગૃહસ્થને આવો, જાઓ, બેસો એમ કહેવાય નહિ, પક્ષીને ઉડાડાય નહિ, જાનવરને કઢાય નહિ (દ૦ વૈ૦)
(૧૦૩) દેશાટન, વ્યાપાર, ઉદ્ઘાટન આદિ સંસારી બાબતો માટે સાધુઓએ મુહૂર્ત જોવાં નહિ.
(૧૦૪) જ્ઞાનપૂજા કરનારને જ્ઞાનની પૂજા કરવાનો નિષેધ કરી ગુરુપૂજા કરાવવી નહિ, નહિ તો નિષેધ કરનારને જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
(૧૦૫) સાધુ-સાધ્વીએ પોતાની પાસે રહેલ-બામ, ઓઘાની જુની દશી-વિ. કોઈ પણ વસ્તુ ગૃહસ્થને આપવાનો વ્યવહાર રાખવો નહિ, તેમાં પણ ગુરુદ્રવ્યથી લાવેલી તેમ જ ધર્મલાભ આપેલી વસ્તુ ગૃહસ્થને ન અપાય તે લક્ષમાં રાખવું, અન્યથા આપનાર અને લેનાર બંને દોષના ભાગી બને.
(૧૦૬) દેરાસરમાં ભમતી હોય તો ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી જ ચૈત્યવંદન કરવું, ચૈત્યવંદન કરતાં વચ્ચે કોઈને પચ્ચક્ખાણ આપવું નહિ અને પોતે પણ ચૈત્યવંદન કરતાં વચ્ચે પચ્ચક્ખાણ લેવું નહિ.
(૧૦૭) કોઈને આડ ન પડે તેવી રીતે આપણે સ્તુતિ-ચૈત્યવંદન કરવું જોઈએ, પરંતુ આપણે સ્તુતિ-ચૈત્યવંદન કરતા હોઈએ ત્યારે બીજો કોઈ આપણને આડ પાડે તો આપણે કંઈ પણ બોલવું નહિ. અને મનથી જરા પણ દુર્ભાવ ન થવા દેવો, અને આડ પડે તે વખતે આંખો બંધ કરી હૃદયમાં ભગવાનને ધારણ કરી સ્તુતિ-ચૈત્યવંદનમાં લીનજ બની રહેવું-પણ ધ્યાન તોડવું નહિ.
(૧૦૮) સાધુ અને સ્ત્રી વચ્ચે બે પુરૂષ હોય ત્યાં સુધી સંઘટ્ટાનો દોષ સાધુને લાગે, ત્રણ પુરુષથી સંઘટ્ટાનો દોષ સાધુને લાગે નહિ. તેવી રીતે સાધ્વી અને પુરૂષ વચ્ચે બે સ્ત્રી હોય ત્યાં સુધી સંઘટ્ટાનો દોષ સાધ્વીને લાગે, ત્રણ સ્ત્રીથી સંઘટ્ટાનો દોષ સાધ્વીને લાગે નહિ.
(૧૦૯) દેરાસરમાં મેલ ઉતારાય નહિ, ખણાય નહિ, પરસેવો લુછાય નહિ, કપડાની ટાપટીપ થાય નહિ, આડુંઅવળું જોવાય નહિ, અને કાંબળીની ઘડી પણ કરાય નહિ.
(૧૧૦) પૂજામાં વાજા સાથે સ્પેશીયલ બોલવું યોગ્ય નથી, વાયુકાય આદિની વિરાધના થતી હોવાથી.
(૧૧૧) દેરાસરમાં ચૈત્યવંદન કરતાં જિનમુદ્રા યોગમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા આ ત્રણ મુદ્રાઓ સાચવવી જોઈએ, બીજી નવ ત્રિકો ચૈ૦ ભા૦ માંથી જોઈ લેવી.
જિનમુદ્રા – બે પગની વચ્ચે આગળ ચાર આંગળ અને પાછળ ચાર આંગળથી કંઈક ઓછું અંતર રાખવું.
આ મુદ્રાથી-ખમાસમણ, ઇરિયાવહિ, તસ્સઉત્તરિ, અન્નત્થ, લોગસ્સ, અરિહંતચેઇઆણં, કાઉસ્સગ્ગ, નમોર્હત્ અને સ્તુતિ બોલાય.
યોગમુદ્રા – બે જાનુ ભૂમિ ઉપર સ્થાપન કરી (જીવાભિગમે જમણો જાનુ ભૂમિ ઉપર સ્થાપન કરી અને ડાબો જાનુ ઊભો રાખી, જ્ઞાતાસૂત્રે-પર્યંકાસને બેસી, તેમજ ખાસ ઇન્દ્ર માટે-કલ્પસૂત્રે-જમણો જાનુ ભૂમિ ઉપર સ્થાપન કરી અને ડાબો જાનુ પૃથ્વીથી થોડો અદ્ધર રાખી) કમળના ડોડાની જેમ બંને હાથની કોણીઓ પેટ ઉપર રાખી બંને હાથની આંગળીઓ પરસ્પર અંતરિત કરવી પરંતુ તેમાં જમણા હાથનો અંગુઠો ઉપર આવવો જોઈએ.
આ મુદ્રાથી-ચૈત્યવંદન, જંકિંચિ, નમુત્થુણં, ખમાસમણ, નમોર્હત્, સ્તવન, અને જયવીયરાયની છેલ્લી ત્રણ ગાથા બોલાય.
મુક્તાશુક્તિ મુદ્રા – બંને જાનુ યોગમુદ્રાની માફક રાખી કમળના ડોડાની જેમ બંને હાથની કોણીઓ પેટ ઉપર રાખી બંને હાથના પંજા (હથેલીઓ) છીપની માફક વચ્ચેથી ઉન્નત રાખી આંગળીઓ પરસ્પર અંતરિત કર્યા વિના સામ-સામી ભેગી કરી લલાટ પાસે અંજલી રાખવી.
સ્ત્રીઓએ સ્તનાદિક અવયવો જેમ પ્રગટ ન દેખાય તેમ મુદ્રા કરવી, એટલા જ માટે સ્ત્રીઓને ઊંચા-લલાટ દેશે હાથ લગાડવા કહ્યા નથી.
આ મુદ્રાથી-જાવંતિ, જાવંત અને જયવીયરાયની પહેલી બે ગાથા બોલાય.
(૧૧૨) સન્નાતો આગતો ચરમપોરિસિં જાણિઊણ ઓગાઢં;
પડિલેહણમપ્પત્તં નાઊણ કરેઇ સજ્ઝાયં (૬૨૬)
સ્થંડિલથી આવીને ચોથો પહોર થઈ ગયો જાણીને પડિલેહણ શરૂ કરે, ચોથા પહોરની વાર હોય તો સ્વાધ્યાય કરે (ઓ૦ નિ૦)
(૧૧૩) દાંડી અને દશીઓ મળીને રજોહરણ બત્રીસ આંગળનો જોઈએ. અને મુહપત્તિ એક બાજુ કીનારીવાળી તથા એક વેંત અને ચાર આંગળ સમચોરસ જોઈએ.
(૧૧૪) કોઈ પણ વસ્તુ લેતાં અને મુકતાં ચક્ષુથી દેખી ઓઘો અથવા ચરવળીથી પૂજીને પછી લેવી અને મૂકવી.
(૧૧૫) જત્થ ય ગોયમ પંચણ્હ, કહવિ સૂણાણ ઇક્કમવિ હુજ્જા;
તં ગચ્છં તિવિહેણં, વોસિરિય વઇજ્જ અન્નત્થ (૧૦૧)
હે ગૌતમ! ચુલો, ઘંટી, ખંડણી, સાવરણી, અને પાણીયારૂં આ પાંચ વધસ્થાનમાંથી કોઈ પણ એક વધસ્થાન જે ગચ્છમાં હોય તે ગચ્છને ત્રિવિધેન વોસિરાવીને બીજા સુવિહિત ગચ્છમાં સાધુ જાય. (ગચ્છા૦)
(૧૧૬) પંચસૂના ગૃહસ્થસ્ય, ચુલ્લી પેષણ્યુપસ્કર;
કંડની વારિકુંભશ્ચ, બધ્યતે યાસ્તુ વાહયન્ (૧)
ગૃહસ્થને ત્યાં (૧) ચુલો (૨) ઘંટી (૩) ખંડણી (૪) સાવરણી (૫) પાણીયારૂં આ પાંચ વધસ્થાન હોય છે, તેને ચલાવતાં જીવ કર્મથી બંધાય છે.
(૧૧૭) ખજ્જુરીપત્તમુંજેણ, જો પમજ્જે ઉવસ્સયં;
નો દયા તસ્ય જીવેસુ, સમ્મં જાણાહિ ગોયમા! (ગચ્છા૦ ૭૬)
ભગવાન મહાવીર ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! જે સાધુ-સાધ્વી મુંજ કે ખજુરીની સાવરણીથી ઉપાશ્રયમાં કાજો લે છે, તે સાધુ-સાધ્વીઓને જીવો ઉપર દયા નથી એમ તું જાણ.
(૧૧૮) માત્રાની કુંડી પૂજવા ઉનનીજ ચરવળી ખાસ જુદી રાખવી, છાંટાની ચરવલી કડક હોવાથી જીવહિંસા થવાનો સંભવ છે.
માત્રાની કુંડી દરેકે જુદી રાખવી કારણ કે :- એક જ કુંડી હોય તો વારંવાર વપરાતી કુંડી સુકાતી ન હોવાથી સમુર્ચ્છિમ જીવો ઉત્પન્ન થાય.
તેમ જ દરેકે જુદી કુંડી રાખેલી હોય તો પણ વર્ષાદ આદિના ટાઇમમાં કુંડી બે ઘડીમાં સંપૂર્ણ સુકાતિ નથી. માટે તેમાં થોડી રેતી નાખી હલાવીને પછી જ મુકવી.
હવે કુંડી મુકવાની જગ્યા પણ પત્થરવાળી હોય તો ત્યાં ઇંટ મુકી અથવા રેતીનો ઢગલો કરી તેના ઉપર કુંડી મુકવી, નહિ તો કીનારી ન સુકાવાથી તેમજ પત્થર ઉપર માત્રાનો છાંટો પડ્યો રહેવાથી જીવોની ઉત્પત્તિ થાય.
કુંડી નીચે વસ્ત્ર ન મુકવું, કારણ કે :- વસ્ત્રની નીચે જીવો પેસી જાય, અને કુંડી મુકતાં મરી પણ જાય.
(૧૧૯) બળખા, થુક, શ્લેષ્મ આદિના માટે ખેળીયું ખાસ રાખવું અને ખાસ ઉપયોગ કરવો, પરંતુ જ્યાં ત્યાં થુકવું નહિ, જો જ્યાં ત્યાં થુકવામાં આવે તો અંતર્મુહૂર્ત પછી સમુર્ચ્છિમ મનુષ્યો અને બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને નાશનો પ્રસંગ આવે, અને મક્ખિ વગેરે ચાંટીને મરી પણ જાય.
(૧૨૦) ૪૮ મિનિટને મુહૂર્ત કહેવાય, અને બે સમયથી માંડીને ૪૮ મિનિટમાં એક સમય ઓછો હોય ત્યાં સુધી તેને અંતર્મુહૂર્ત કહેવાય.
(૧૨૧) પગલુછણીયા ઉપર પગ ઘસાય નહિ તથા તેના ઉપર ચલાય પણ નહિં, તેમ જ ચટ્ટાઈનો પણ ઉપયોગ કરાય નહિં. (દ૦ વૈ૦)
(૧૨૨) ખાંસી, છીંક, બગાસું, આદિ આવે ત્યારે મુખ આગળ મુહપત્તિ કે વસ્ત્ર રાખવું જોઈએ, જેથી વાયુકાય અને ત્રસકાય આદિ જીવોની વિરાધના થતી અટકી જાય.
(૧૨૩) ચકલીઓ જીવડાં ખાય અને પછી પાણીમાં ચાંચ નાખી પાણી પીએ, તેથી પાણી અકલ્પ્ય બનવાનો સંભવ છે, માટે
ઠંડુ કરવામાં આવતા પાણી ઉપર વસ્ત્ર ઢાંકવું યોગ્ય છે.
બપોરે પડિલેહણ કર્યા પછી પાણી ગળવું જોઈએ, પાણી ગળીને તરત જ ગલણું નીચોવવું નહી પરંતુ છાયામાં સુકવી દેવું. (ચુનો નાખવાનું પાણી પણ ગળવું જ જોઈએ.)
(૧૨૪) બહુ મ્હોટા અવાજે હસવું અને દાંતથી ચાવીને નખ તોડવા આ કુટેવ છે, તેથી તે કુટેવને છોડી દેવી.
(૧૨૫) રાત્રે દોરી બાંધી રાખવી નહિં, ગૃહસ્થોએ બાંધેલી હોય તો તે દોરી ઉપર રાત્રે કપડાં નાખવાં નહિ, તેમ તેના ઉપરથી લેવાં પણ નહિ.
(૧૨૬) સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી દહેરાસર જવાય નહી.
(૧૨૭) સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા, તથા વાડામાં સ્થંડીલ બનતાં સુધી જવું નહિ (જવાય તો પ્રાયશ્ચિત્ત લઈ લેવું.)
(૧૨૮) એમેવ પાસવણે બારસ ચઉવીસઇં તુ પેહિત્તા;
કાલસ્સવિ તિન્નિભવે સૂરો અત્થમુવયાઇ (૬૩૪)
જઇ પુણ નિવ્વાઘાઓ આવાસં તો કરેંતિ સવ્વેવિ;
સડ્ઢાઇ કહણ વાઘાયતાએ પચ્છા ગુરૂ ઠંતિ (૬૩૫)
સ્થંડિલ અને માત્રુ પરઠવવા માટે ચોવીસ ભૂમિ અને કાલ ગ્રહણની ત્રણ ભૂમિનું પડિલેહણ સૂર્યાસ્ત સુધીમાં કરી લેવું, હવે સૂર્યાસ્ત પછીનું કર્તવ્ય બતાવતાં કહે છે કે :- ગુરૂ મહારાજ વ્યાઘાત વિનાના હોય તો સર્વ જણ માંડલીમાં પ્રતિક્રમણ કરે, પરંતુ શ્રાવકને ધર્મનું કથન કરવા વડે ગુરૂ મહારાજ વ્યાઘાતવાળા હોય તો ગુરૂ મહારાજ પાછળથી માંડલીમાં આવી પ્રતિક્રમણ કરે (ઓ૦ નિ૦)
(૧૨૯) અપવાદ કારણે દેવસિ-પક્ખિ-ચોમાસિ અને સંવચ્છરી પ્રતિક્રમણ દિવસના બાર વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી થાય.
(૧૩૦) સંવચ્છરીનો અટ્ઠમ, ચોમાસીનો છટ્ઠ, અને પક્ખિનો ચોથભક્ત (ઉપવાસ) કરવો જોઈએ, શક્તિ ન હોય તો આયંબિલ આદિ કરીને પણ આગળ અથવા પાછળ તપ પુરો કરી આપવો જોઈએ, નહિ તો આજ્ઞાભંગ દોષ લાગે (કલ્પ૦)
(૧૩૧) સાયં સયં ગોસદ્ધં, તિન્નેવ સયા હવન્તિ પક્ખન્તે;
પંચસયા ચઉમાસે, અટ્ઠસહસ્સં ચ વરિસંમિ (૧)
પહેલા અને છેલ્લા તીર્થંકરના દરેક સાધુઓને આખા દિવસમાં દોષ લાગે કે ન લાગે તો પણ સાંજે પ્રતિક્રમણમાં ૧૦૦ શ્વાસોશ્વાસ (ચાર લોગસ્સ, ચંદેસુનિમ્મલયરા સુધી)ના કાઉસ્સગ્ગનું પ્રાયશ્ચિત્ત દરરોજ કરવાનું, તેવી રીતે દરરોજ રાત્રિના પ્રતિક્રમણમાં ૫૦ શ્વાસોશ્વાસ, દર પખવાડિયે પક્ખિપ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોશ્વાસ, દર ચોમાસિએ ચોમાસિ પ્રતિક્રમણમાં ૫૦૦ શ્વાસોશ્વાસ, અને દર વર્ષે સંવચ્છરી પ્રતિક્રમણમાં ૧૦૦૮ શ્વાસોશ્વાસના કાઉસ્સગ્ગનું પ્રાયશ્ચિત્ત આવે.
(૧૩૨) ચાલુ પ્રતિક્રમણમાં માત્રુ કરવા જનારે અતિચાર, પક્ખિસૂત્ર, સ્તવન વિ૦ જે કોઈ પણ સૂત્ર અધુરાં રહ્યાં હોય તે બધાય સૂત્રો મનમાં બોલી જવાં જોઈએ, ન બોલવામાં આવે તો પ્રતિક્રમણ અધુરૂં રહે.
(૧૩૩) પ્રતિક્રમણ ઠાયા પછીથી ત્રણ સ્તુતિ (નમોસ્તુ૦ વિશાલલોચન૦) સુધી માત્રુ કરવા ન જવું પડે તેનો ઉપયોગ રાખી માત્રાની શંકાનું નિવારણ પ્રથમથી જ કરી લેવું અથવા પાણી ઓછું પીવું.
(૧૩૪) સાધુઓએ શ્રાવિકાઓને અને સાધ્વીઓએ શ્રાવકોને પ્રતિક્રમણ કરાવવું તે વ્યવહારનું ઉલ્લંઘન કરનાર છે, ભવિષ્યમાં અનર્થ કરનાર છે, આત્મગુણ ઘાતક છે, ઉન્માર્ગ પ્રવર્તક છે, માટે તેનાથી દૂર રહેવું.
(૧૩૫) સાંજે પ્રતિક્રમણ કર્યા પછી સ્વાધ્યાય અથવા ધ્યાન કરવું.
(૧૩૬) સૂર્યની ગેરહાજરી જ્યાં સુધી હોય ત્યાં સુધી તો અવશ્ય દંડાસણથી ભૂમિ બરોબર પૂજીને જ પગલાં મૂકવાં જોઈએ, સૂર્યની હાજરીમાં પણ જ્યાં સુધી અંધારૂં હોય ત્યાં સુધી દંડાસણથી ભૂમિ પૂજીને જ ચાલવું જોઈએ.
(૧૩૭) દંડાસણની સોટી નરમ રાખવાથી કાજો લેતાં દંડાસણ વળી જાય, તેથી કાજો બરાબર લઈ શકાય નહિ, ચાલતાં પણ સારી રીતે ભૂમિ પૂજાય નહિ, માટે સોટી કડક રાખવી.
(૧૩૮) છ ઘડી રાત્રિ ગયા બાદ સંથારા પોરિસિ ભણાવવી અને એક પહોર રાત્રિ ગયા પછી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી નિદ્રા લેવી.
(૧૩૯) અણુજાણહ સંથારં, બાહુવહાણેણં વામપાસેણં;
કુક્કુડીપાયપસારેણં, અતરંત પમજ્જએ ભૂમિં (૨૦૫)
હે ભગવંત! છ ઘડી રાત્રિ ગઈ છે, માટે સંથારો કરવાની આજ્ઞા આપો, વળી ડાબા હાથનું ઓશિકું અને ડાબા પડખે ઉંઘવું, ડાબા પડખે ઉંઘતાં વડીલો સામે પુંઠ ન થાય તે ખાસ ધ્યાનમાં રાખવું, તેમ જ કુકડીની જેમ ટુંટીયું વાળીને પગ રાખવા, પરંતુ તેવી રીતે પગ રાખવાને સમર્થ ન હોય તો ભૂમિનું પ્રમાજર્ન કરીને પગ લાંબા કરે (ઓ૦ નિ૦)
(૧૪૦) સંકોએ સંડાસં ઉવ્વટ્ટંતે ય કાયપડિલેહા;
દવ્વાઇ ઉવઓગં ણિસ્સાસ નિરુંભણાલોયં (૨૦૬)
પગ સંકોચવા કે પહોળા કરવા હોય તથા પડખું ફેરવવું હોય ત્યારે સાંધાઓ, શરીર તથા ભૂમિનું પ્રમાજર્ન કરે, અને જાગ્રત થાય ત્યારે દ્રવ્યાદિનો ઉપયોગ મૂકે યથા-દ્રવ્યથી દીક્ષિત કે ગૃહસ્થ, ક્ષેત્રથી મેડા ઉપર કે ભોંયતળીએ, કાળથી રાત્રિ કે દિવસ, ભાવથી માત્રાદિથી પીડિત કે નહિ, એમ વિચાર કરવા છતાં ઊંઘ ન ઉડે તો શ્વાસને રોકવા નાસિકા દૃઢ પકડે, ત્યાર બાદ નિદ્રા ગયે છતે દ્વારનું નિરીક્ષણ કરે (ઓ૦ નિ૦)
(૧૪૧) રાત્રે દીવો રાખવાથી ત્રસ તથા સ્થાવર જીવોનો કચ્ચરઘાણ નીકળે છે, માટે ડંડાસણ રૂપી દીવાનો ઉપયોગ કરી ધીમે ધીમે ચાલવામાં આવે તો દીવાની જરૂર પડે નહિ.
અંધ માણસો વગર દીવે વગર આંખે ગામમાં ફરે છે, તે કેવી રીતે ફરતા હશે?
આપણને પણ ચારિત્ર પ્રત્યે સાચો પ્રેમ જાગે તો દીવા વિના પણ કામ ચલાવી શકાય.
અથવા સંથારાની જગ્યા બદલી નાખવી (સંથારો દ્વાર પાસે રાખવો) જેથી થાંભલા આડા આવે નહિ, અને દરવાજો શોધવા માટે ફાંફા પણ મારવાં પડે નહિ.
(૧૪૨) અવિહિ કયા વરમ કયં, અસૂયવયણં વયંતિ સમયન્નૂ;
પાયચ્છિત્તં જમ્હા અકએ, ગુરુયં કએ લહુ યં (૧)
‘અવિધિથી કરવું તેના કરતાં ન કરવું સારૂં‘ આ ઉત્સૂત્ર વચન છે, કારણ કે :- સર્વથા ન કરનારને મોટો દોષ છે. મહાન હાની છે અને અવિધિથી કરનારને અલ્પદોષ (અલ્પ પ્રાયશ્ચિત્ત) છે, અલ્પહાનિ છે.
(૧૪૩) તીર્થોચ્છેદ ભિયા હન્ત? અશુદ્ધસ્યૈવ ચાદરે;
સૂત્રક્રિયાવિલોપઃ સ્યાદ્, ગતાનુગતિકત્વતઃ (૧૩)
માર્ગનો લોપ થઈ જવાના ભયથી અશુદ્ધ જ ક્રિયા ચલાવવામાં આવે તો પરંપરાએ સૂત્રાનુસારિ ક્રિયાનો લોપ થઈ જાય, માટે વિધિનો આદર કરવો અને શક્ય હોય ત્યાં અવિધિને દૂર કરવી.
વળી જ્યાં અશક્ય હોય ત્યાં પણ અવિધિ દૂર કરવાનું લક્ષ રાખવું પરંતુ માર્ગ લોપ થઈ જવાના ખોટા ભયથી અશુદ્ધક્રિયા ચલાવવાની ખોટી હિંમત કરવી નહિ. (અ૦ સા૦ સદનુષ્ઠાન)
(૧૪૪) જૈનશાસનમાં કેટલું કર્યું તેની કિંમત ઓછી છે, પરંતુ કેવી રીતે કર્યું તેની કિંમત વધારે છે. આગળ વધતાં કેવી રીતે કર્યું તેની જેટલી કિંમત છે તેના કરતાં સરવાળે કેટલું વધ્યું તેની કિંમત વધારે છે.
(૧૪૫) પોતાની દ્રવ્ય ક્રિયા વખાણવી નહિ, પરંતુ ભાવક્રિયા જ વખાણવી, બીજાની દ્રવ્ય ક્રિયા વખોડવી નહિ, પરંતુ અંતરમાં વખાણવી અને તેને આગળ વધારવા ભાવક્રિયા સમજાવવી.
(૧૪૬) બીજા ધર્મ ન પામે તેનો વાંધો નહિ, પરંતુ આપણા નિમિત્તે દેવ-ગુરૂ અને ધર્મની હેલના (નિન્દા) થાય કે બીજા લોકો અધર્મ પામે, તેવું વર્તનતો મન-વચન અને કાયાથી નજ કરવું.
સાધુ કાળધર્મ વિધિ
સાધુ-સાધ્વી કાળ કરે કે તરત જ મૃતકના માથાની જગ્યાએ જમીનમાં લોઢાની ખીલી મારવી.
કાળ કર્યા પહેલા સંથારાની ઉપધિ હોય તે દૂર લઈ લેવી પરંતુ જીવ જાયે ત્યાં સુધી રહી ગઈ હોય તો અચિત્ત પાણી હોય તો શ્રાવક પાસે ભીંજાવી નંખાવવી, ગરમ વસ્ત્રોને ગોમૂત્ર છાંટી શુદ્ધ કરાવવા, અચિત્ત પાણી ન હોય તો સુતરાઉ વસ્ત્રોને પણ ગોમૂત્ર છાંટે તો પણ ચાલે, મૃતક લઈ ગયા પછી જીર્ણ પાત્ર-કાચલી-વસ્ત્રો આદિ પરઠવી દેવાં, દરેક સાધુએ ગોમૂત્રમાં ઓઘાની બે-ચાર દશીઓ બોળવી.
રાત્રે કાળ કર્યો હોય અને બીજા સાધુઓને પ્રતિક્રમણ આદિ કરવાનું હોય તો સ્થાપનાજી લઈને બીજે સ્થાને અથવા તે સ્થાને મનમાં કરવું અને કોઈના પણ સ્થાપનાજી મૃતક પાસે રાખવા નહિ.
જીવ જાય ત્યારે તરત આચાર્યાદિ પદવીવાળા હોય તો (અથવા માંડવી બનાવવાની હોય તો) તેમના શરીરને અડેલા શ્રાવકો પલાંઠી વાળે, અને સામાન્ય સાધુ હોય તો (અથવા માંડવી બનાવવાની ન હોય તો) પલાંઠી વાળવાની જરૂર નહિં, કારણ કે તેમના શરીરને ઠાઠડીમાં પધરાવવાનું હોવાથી.
સાધુ યોગ્ય :- વડીલ સાધુ મૃતક પાસે આવી ‘વાસક્ષેપ‘ હાથમાં લઈને બોલે-કોટીગણ, ચાન્દ્રકુલ, વયરીશાખા, આચાર્ય શ્રી…ઉપાધ્યાય શ્રી…પન્યાસ શ્રી…સ્થવિર શ્રી…મહત્તરા શ્રી… અમુકના શિષ્ય-શિષ્યા… મહાપારિટ્ઠાવણીઅ વોસિરણત્થં કરેમિ કાઉસ્સગ્ગં, અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૦ પારી, પ્રગટ નવકાર કહી ત્રણવાર વોસિરે કહેતાં ત્રણવાર વાસક્ષેપ નાખવો.
શ્રાવક યોગ્ય :- જો રાત્રે મૃતક રાખવાનું હોય તો મૃતકના માથાની નીચે જમીન કે થાંભલે ખીલી મારવી અને નિર્ભય માણસે જાગવું પણ સુવું નહિ.
પ્રથમ દાઢી મુખ અને મસ્તકના કેશ કાઢી નખાવે, પછી હાથની છેલ્લી આંગલીના ટેરવાનો છેદ કરે, પછી હાથ-પગની
આંગળીઓને ધોળા સુતરથી બંધ કરે, પછી કથરોટમાં બેસાડીને કાચા પાણીથી સ્નાન કરાવે, પછી નવાં વસ્ત્રોથી શરીર લુંછીને કેસર-સુખડ-બરાસથી વિલેપન કરી નવાં વસ્ત્રો પહેરાવે-પ્રથમનો ઓઘો લઈ લેવો, સાધુને ચોલપટ્ટો પહેરાવી કંદોરો બાંધે, કપડાને કેશરથી અવળા પાંચ સાથીઆ કરી ઓઢાડે, બીજાં કપડાંને કેશરના છાંટા નાખવા, નનામી ઉપર ઉત્તરપટ્ટો પાથરવો, અને તેના વચલા ભાગમાં આટાનો એક અવળો સાથીઓ કરવો, અને માંડવી હોય તો બેઠકે અવળો સાથીઓ કરવો.
સાધ્વી હોય તો નીચેના વસ્ત્રો સિવાયના ઉપરના ભાગનાં વસ્ત્રોને કેશરના અવળા પાંચ સાથીઆ કરવા, તેમજ સર્વવસ્ત્રોને કેશરના છાંટા નાખવા.
ચાર આંગળ પહોળો પાટો કેડે બાંધવો, પછી નાવના આકારે ચૌદ પડનો લંગોટ પહેરાવે, નાવના આકારે ન હોય તો ચૌદ પડ કરી લંગોટ પહેરાવે, પછી નાનો લેંઘો જાંઘ સુધીનો પહેરાવે, પછી લાંબો લેંઘો પગના કાંડા સુધીનો પહેરાવી કેડે દોરો બાંધીને, એક સાડો ઢીંચણથી નીચે અને પગના કાંડાથી ઉપર સુધીનો પહેરાવે, તેના ઉપર બીજો સાડો પગના કાંડા સુધી પહેરાવી દોરીથી બાંધવો, પછી કંચવાની જગ્યાએ વસ્ત્રનો પાટો વીંટી ત્રણ કંચવા પહેરાવી એક કપડો ઓઢાડે, પછી સુવાડીને બીજો કપડો ઓઢાડે, અને જમીન પર સુવાડે ત્યાં પણ માથાની જગ્યાએ જમીનમાં ખીલો ઠોકે, પછી મૃતકની જમણી બાજુએ ચરવળી તથા મુહપત્તિ મૂકે અને ડાબી બાજુએ ઝોળીની અંદર ખંડિત પાત્રામાં એક લાડુ મૂકે.
પછી જે વખતે કાળ કર્યો હોય તે વખતનું કયું નક્ષત્ર હતું તે જોવું. (અથવા બ્રાહ્મણને પૂછવું.) રોહિણી વિશાખા પુનર્વસુ અને ત્રણ ઉત્તરા એ છ નક્ષત્રમાં ડાભનાં બે પુતળાં કરવાં, જ્યેષ્ઠા આદ્રર સ્વાતિ શતભિષા ભરણી અશ્લેષા અને અભિજિત્ આ સાત નક્ષત્રમાં પુતળાં કરવાં નહિ, બાકીનાં ૧૫ નક્ષત્રમાં એકેક પુતળું કરવું, તે પુતળાંના જમણા હાથમાં ચરવળી તથા મુહપત્તિ આપવી, તથા ડાબા હાથની ઝોળીમાં ભાંગેલું પાત્ર લાડુ સહિત મૂકવું, જો બે પુતળાં હોય તો બંનેને તે પ્રમાણે આપવું, પછી પુતળાં આદિ બધી વસ્તુ મૃતકની પાસે મૂકવી, પછી સારો મજબુત ત્રીજો કપડો હોય તે પાથરીને તેની અંદર બધી વસ્તુઓ સહિત મૃતકને સુવાડીને કપડાના બધા છેડા વીંટાવી દે.
ગૃહસ્થ મૃતકને લઈ જાય ત્યારે બીજી વાર વાસક્ષેપ નાખવો, ઉપાશ્રયમાંથી મૃતક બહાર કાઢે ત્યારે પ્રથમ પગ કાઢે, કોઈએ રોવું નહિ. પણ ‘જય જય નંદા-જય જય ભદ્દા‘ એમ બોલવું અને આગળ બદામો નાણું વિ૦ ઉપાશ્રયથી સ્મશાન સુધી શ્રાવકો ઉછાળે, વાંસડાને ચિરાવી માંહે સરાવલાં ઘાલી દીવા-ધૂપ કરવા, શોક સહિત વાજતે ગાજતે મસાણે જઇ શુદ્ધ કરેલ જમીન ઉપર સુખડ વિ૦ની ચિતા કરી માંડવી પધરાવે, ગામ તરફ મસ્તક રાખે, અગ્નિ સંસ્કાર કરી, રક્ષા યોગ્ય સ્થાને પરઠવે, પવિત્ર થઈ ગુરુ પાસે આવી સંતિકરં કે લઘુશાન્તિ અથવા બૃહચ્છાન્તિ સાંભળી અનિત્યતાનો ઉપદેશ સાંભળી અટ્ઠાઈ મહોત્સવ કરે.
સામાનની યાદી :- લાડવાના ડોઘલા, દીવીઓ વાંસની ૪. વાટકા ૪. દેવતા. અને કંદ્રુપ શે.-૨. સુતર શે.-૨।।. બદામ શે.-૧૦. ટોપરાં મણ ૦।। પુંજણીઓ ૨. સાજમાં સામાન વાંસ ૨. ખપાટીઆં ને છાંણાં ૧૫. ખોડા ઢોરની ગાડી. બરાસ તો-૦।. કેશર તો-૦।. વાસક્ષેપ તો-૦।. સોના રૂપાનાં ફુલ. બળતણ, ઘી, છૂટા પૈસા રૂ. ૫ના તાસ. દેઘડો. બાજરી મણ ૫. સુખડ રાળ શે.-૨. ગુલાલ શે.-૫. નાડું શે.-૧.
અવળા દેવવંદન :- મૃતક લઈ ગયા પછી આખા મકાનમાં ગોમૂત્ર છાંટવું અને સંથારાની જગ્યા સોનાવણી કરેલ અચિત્ત પાણીથી ધોઈ નાખવી, મૃતકે જ્યાં જીવ છોડ્યો હોય ત્યાં લોટનો અવળો સાથીઓ કરવો. પછી કાળ કરેલના શિષ્ય અથવા લઘુપર્યાયવાળા સાધુ અવળો વેષ પહેરે અને ઓઘો જમણા હાથમાં રાખી અવળો કાજો દ્વારથી આસન તરફ લે. કાજામાં લોટનો સાથીઓ લઈ લેવો પછી કાજાના ઇરિયાવહી કરી અવળા દેવ વાંદવા.
પ્રથમ કલ્લાણકંદંની એક થોય પછી એક નવકારનો કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ અરિહંત ચેઇઆણં૦ જયવીયરાય૦ ઉવસગ્ગહરં૦ નમોર્હત્૦ જાવંત૦ ખમા૦ જાવંતિ૦ નમુત્થુણં૦ જંકિંચિ૦ પાર્શ્વનાથનું ચૈત્યવંદન૦ ખમા૦ લોગસ્સ૦ એક લોગસ્સનો કાઉસ્સગ્ગ૦ અન્નત્થ૦ તસ્સઉતરી૦ ઇરિયાવહી૦ ખમા૦ અવિધિ આશાતના૦
સવળા દેવવંદન :- સવળો વેષ પહેરીને કાજો લેવા સંબંધી ઇરિયાવહી કરવા, પછી સર્વ સાધુ સાધ્વી કપડો ચોલપટ્ટો મુહપત્તિ ઓઘાની એક દશી અને કંદોરાનો છેડો સોનાવણી અથવા ગોમૂત્રમાં બોળે, પછી ચૌમુખ બિંબ જ્યાં પધરાવવાના હોય ત્યાં કંકુ અને ચોખાના પાંચ સાથીઆ સવળા કરે, ધૂપ-દીપ કરે, પછી સંઘ સમક્ષ આઠ થુઇએ સવળા દેવ વાંદે, તેમાં સર્વ ઠેકાણે પાર્શ્વનાથનાં ચૈત્યવંદનો સંસારદાવા અને સ્નાતસ્યાની સ્તુતિઓ અને અજિતશાન્તિ સ્તવન રાગ કાઢ્યા વિના કહે. દેવ વાંદ્યા પછી ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦ ક્ષુદ્રોપદ્રવ ઓહડ્ડાવણત્થં કાઉસ્સગ્ગ કરું? ઇચ્છં, ક્ષુદ્રો૦ કરેમિ કાઉસ્સગ્ગં, અન્નત્થ૦ ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરી એક જણ પારી નમોર્હત્૦ સર્વેયક્ષાંબિકા૦ અને બૃહચ્છાન્તિ કહે. પછી સર્વ પારે, પછી લોગસ્સ૦ અવિધિ આશાતના૦ પછી પરસ્પર વંદન.
બહાર ગામથી સ્વ સમાચારીવાળા સાધુ કાળધર્મ પામ્યાના સમાચાર આવે તો ચતુર્વિધસંઘ સવળા દેવ વાંદે, સાધ્વીના સમાચાર આવે તો સાધ્વી અને શ્રાવિકાઓ દેવ વાંદે.