Jain University
Contact Whatspp

+91 96366 96366

  • Home
  • Literature
    • Knowledge Base
      • Pathshala
      • Aagam Ek Parichay | Jain Agama Literature
      • Religious book
      • General Knowledge
      • Samaiyak Pratikaman Vidhi
    • Jain Education
      • Jain Law
      • Jain Mantra Jagat
      • Story
      • Library
      • Paryushan Online
    • Change Your Life
      • Paryushan
      • Aayurveda
      • Jain Vastu
      • Jain Jyotish
      • Results
  • Tirth
    • India
      • 24 Jineshwar
      • Ashtapad Jain Maha Tirth
      • Sakal Tirth
    • List
      • 68 Tirthas In India
      • 108 Parshwanath Jain Mandir
    • Popular
      • Girnar Tirth
      • Palitana Tirth
      • Shankheshwar Tirth
      • Samet Shikhar Tirth
      • Ranakpur Tirth
      • Jirawala Tirth
      • Dilwara Jain Temple, Mount Abu | Dilwara Temples
  • Gallery
    • Audio Gallery
      • Daily Routine
        • Ratnakar Pachisi
        • Arihant Vandanavali
        • Navsmaran
        • Aarti Mangal Divo – Jain Derasar
      • Stavan
        • Anand Ghanji | Ānandaghana
        • Yasho Vijayji
        • Stavan
      • Paryushan
        • Halardu
    • Video Gallery
    • Photo Gallery
      • Aadinath Bhagwan Photos
    • Jain Art Gallery
  • Recipes
    • Gujarati Recipes
    • Hindi Recipes
    • English Recipes
  • E-Dictionary
    • Vidhikar
    • Sangitkar
    • General Utilities
    • Anchor
    • Jain Band Party
    • Chaturmas List
  • Public
    • Jain Audio Gallery
      • Pravachan
      • Navsmaran
      • Bhakti Geet
      • Bhavna song
      • Stuti stavan
    • Video Gallery
    • Post Your Public Article
    • Public Article
    • Panchang
    • Events(Q&A)
  • Quiz
  • Jain Links
  • .
Jain University
  • Home
  • Literature
    • Knowledge Base
      • Pathshala
      • Aagam Ek Parichay | Jain Agama Literature
      • Religious book
      • General Knowledge
      • Samaiyak Pratikaman Vidhi
    • Jain Education
      • Jain Law
      • Jain Mantra Jagat
      • Story
      • Library
      • Paryushan Online
    • Change Your Life
      • Paryushan
      • Aayurveda
      • Jain Vastu
      • Jain Jyotish
      • Results
  • Tirth
    • India
      • 24 Jineshwar
      • Ashtapad Jain Maha Tirth
      • Sakal Tirth
    • List
      • 68 Tirthas In India
      • 108 Parshwanath Jain Mandir
    • Popular
      • Girnar Tirth
      • Palitana Tirth
      • Shankheshwar Tirth
      • Samet Shikhar Tirth
      • Ranakpur Tirth
      • Jirawala Tirth
      • Dilwara Jain Temple, Mount Abu | Dilwara Temples
  • Gallery
    • Audio Gallery
      • Daily Routine
        • Ratnakar Pachisi
        • Arihant Vandanavali
        • Navsmaran
        • Aarti Mangal Divo – Jain Derasar
      • Stavan
        • Anand Ghanji | Ānandaghana
        • Yasho Vijayji
        • Stavan
      • Paryushan
        • Halardu
    • Video Gallery
    • Photo Gallery
      • Aadinath Bhagwan Photos
    • Jain Art Gallery
  • Recipes
    • Gujarati Recipes
    • Hindi Recipes
    • English Recipes
  • E-Dictionary
    • Vidhikar
    • Sangitkar
    • General Utilities
    • Anchor
    • Jain Band Party
    • Chaturmas List
  • Public
    • Jain Audio Gallery
      • Pravachan
      • Navsmaran
      • Bhakti Geet
      • Bhavna song
      • Stuti stavan
    • Video Gallery
    • Post Your Public Article
    • Public Article
    • Panchang
    • Events(Q&A)
  • Quiz
  • Jain Links
  • .

Paryushana 5 Kartavya

  • Home
  • Paryushana 5 Kartavya
પર્વાધિરાજને કોટિ કોટિ વંદના હો...
પર્યુષણ શબ્દમાં છૂપાયેલા આઠ દિવ્ય સંદેશાઓ જ વિશ્વશાંતિનું મૂળ છે
પર્યુષણ વાક્યો
પર્વાધિરાજને કોટિ કોટિ વંદના હો...

ધર્મ પ્રભાવનાના સેતુ સ્વરૃપ, લોક માનસમાં રત્નત્રયીની અનન્ય આરાધનાના સેતુ સ્વરૃપ પર્વાધિરાજ પર્યુષણા પર્વનું સ્વાગત કરવા સાથે આપણે આ પુનિત પર્વનો પાવન સંદેશો સાંભળીએ. આ પાવન ભાવના સાથે આ સંદેશ આપ સૌના કરકમલમાં સમર્પિત કરું છું

    1. ૧) આપણે આપણું જીવન એવું બનાવવાનું છે જે બીજાને પોતાની સુગંધથી ભરી દે. સદાચાર, દયા, ઉત્તમ વ્યવહાર તથા મૈત્રીની સુગંધ વગરનું જીવન શું કામનું ? આપણું જીવન બીજાને માટે ઉપયોગી થાય, કારણ આ દેહ તો નશ્વર છે. આપણા ઉત્તમ કર્મો જ આપણને અમરતા બક્ષી શકે છે.
    2. (ર) આત્મ-નિરીક્ષણ કરવાથી જ આપણા જીવનમાં નિખાર આવે છે. જો આપણે મુક્તિ-પદ સુધી પહોંચવું હોય તો આપણા જીવનમાંથી વ્યસન, કષાય તથા વિષય વાસનાઓનો મેલ કાઢી નાંખી જીવનને નિર્મળ બનાવવાથી જ મુક્તિપદનો રસ્તો ખુલ્લો થશે.
    3. (૩) ફક્ત પ્રસિદ્ધિ મેળવવાના આશયથી જ કોઈ સંસ્થાના અધ્યક્ષ, મંત્રી કે ટ્રસ્ટી બનવાને બદલે માનવતાનો સેવક થવાવાળો જ આત્મ-કલ્યાણ કરવાની સાથે સાથે શાસનની સેવા કરી શકશે અને લોકોના દિલ પર પણ શાસન કરી શકશે.
    4. (૪) તમે ચઢાવામાં સૌથી વધારે રકમ બોલીને તમે કમાયેલા ધનનો સદુપયોગ ચોક્કસ કરો. પરંતુ આ રકમ તુરત જ જમા કરાવી દો. નહીંતર તમને અનેક પ્રકારે દોષના ભાગીદાર બનશો. આ રીતે દોષી બનવાને બદલે ચઢાવો ન બોલવો તે ઉત્તમ છે.
    5. (પ) તમે પારણું ઘરે લઈ જવાના, કલ્પસૂત્ર વહોરાવવાના અથવા મહાલક્ષ્મીના સ્વપ્નનના ચઢાવા અવશ્ય લો, પરંતુ તે સિવાય અમુક ચોક્કસ રકમ તમારા સાધર્મિક ભાઈઓ માટે પણ અલગ રાખો. અને તેમના માટે ભોજન, વસ્ત્ર કે દવાઓ પાછળ તે રકમ ખર્ચો. તેનાથી આપનું કલ્યાણ થશે અને પરમાત્માના આશીર્વાદ આપને પ્રાપ્ત થશે.
    6. (૬) પૂજ્ય સાધુ-સાધ્વીજીઓ વિશેની મિથ્યા ચર્ચામાં ઉતરવાને બદલે તેમના માટે અધ્યયન-અધ્યાપનની વ્યવસ્થા કરાવાવાળી વ્યક્તિ સાચે જ ભાગ્યશાળી ગણાય. જો સાધુ-સાધ્વી બહુશ્રુત-વિદ્વાન તથા યોગ્ય હશે તો સંઘ યોગ્ય બનશે.
    7. (૭) ચાર રસ્તે, ઉપાશ્રયના ઓટલે કે બજારમાં બેસીને ગરીબ તથા અનાથ ભાઈ-બહેનોની નિંદા અથવા ટીકા કરવાને બદલે તેમના જીવનનિર્વાહની ચિંતાને તમે પ્રાધાન્ય આપો. તેમના માટે વિશુદ્ધ ઉદ્યોગ ચલાવો તથા તેઓ આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો કરો. જેથી મહાપર્વ પર્યુષણની તમારી આરાધના સફળ બને.
    8. (૮) તમે ચોર્યાસી લાખ જીવ યોનીના જીવોને હૃદયથી મિચ્છામિ દુક્કડં ચોક્કસ આપો, પરંતુ સાથે જ તમારા પરિવાર સાથે, પડોશી સાથે, મિત્રો સાથે તથા સ્વજનો સાથે થયેલી શત્રુતા કે વિરોધ માટે તમે અંતઃકરણપૂર્વક ક્ષમાપના અવશ્ય કરો, કારણ આ જ તો પર્વાધિરાજનો આત્મા છે.
    9. (૯) કોઈ એક આચાર્ય ભગવંત કે સાધુ મુનિરાજના આંધળા ભક્ત બનવાને બદલે તમે જૈન શાસન તથા ચતુર્વિધ સંઘના ભક્ત બનો, જેથી કલ્પસૂત્રનું શ્રવણ આપને મોક્ષનું ફળ આપવામાં સમર્થ બને. કોઈ દોરા, ધાગા અને મંત્ર-તંત્ર કરવાવાળા પાખંડી સાધુઓના સંપર્કમાં આવવાની કોશિષ ક્યારે ય ન કરો. તેનાથી તમારી પર્યુષણની સાધના નિષ્ફળ જશે.
    10. (૧૦) જીવ-દયામાં ફંડ આપવા સાથે સાધર્મિક ભાઈઓની મદદ માટે તમારા ઘરમાં થોડા રૃપિયા આપી રાખો. આ મોંઘવારીનો માર સહન ન કરી શકતા ગરીબ સાધર્મિકોની સેવા કરવી એ જ જૈન શાસન અને જૈન ધર્મની સાચી સેવા છે.
    11. (૧૧) તમે જો સંપન્ન શ્રાવક હો તો કેટલાક સાધુ અને સાધ્વી માટે વ્યાકરણ અને આગમના અભ્યાસ માટેની વ્યવસ્થા ગોઠવી શકો છો. આ રીતે જ્ઞાન સંપન્ન મુનિરાજ જ જૈનશાસનના પ્રબળ સમર્થક અને વાસ્તવિક રક્ષક છે.
    12. (૧ર) પરમ પવિત્ર પર્વાધિરાજ શ્રી પર્યુષણા પર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વની આરાધનાના દિવસોમાં તો અભક્ષ્ય ખાન-પાન, માંસાહાર, હોટલ, સિનેમા, રાત્રિ ભોજન, પરસ્ત્રીગમન આદિ ઘાતક પાપોથી દૂર રહો, જેથી આપનું કુળ કલંકિત થવાથી બચી જાય અને આપ ભગવાનના પ્રિય બની શકો.
    13. (૧૩) મહા પર્વના દિવસોમાં તમે જિનાલય, ઉપાશ્રયમાં અનુશાસન અને શિસ્તમાં રહો. સામયિક, પ્રતિક્રમણ, પૌષધ વિગેરે ક્રિયાઓ મૌન રહીને કરો. તથા પૂજા-ભક્તિમાં પણ મૌન રહો જેથી અન્ય આરાધકોને કોઈ તકલીફ ન થાય.
    14. (૧૪) જ્યાં સુધી વ્યક્તિગત અથવા સામાજિક જીવનમાં શ્રેષ્ઠતા ન આવે ત્યાં સુધી ધાર્મિક જીવનમાં પવિત્રતા ક્યારેય ન આવી શકે. આપણે પોતે સરળ, સભ્ય, પવિત્ર તેમજ સદાચારી બનીને ભગવાનના આશીર્વાદ લેવા માટે કટિબદ્ધ થવાનું છે.
    15. (૧પ) યદિ કલ્પસૂત્ર શ્રવણનો વાસ્તવિક લાભ લેવો હોય તો પ્રવચનના સમયે આગલી હરોળમાં બેઠેલા, પૌષધ લેવાવાળા, સામયિક લેવાવાળા અને ટ્રસ્ટીઓ વિગેરેએ સંપૂર્ણ મૌન લઈને જ આગળ બેસવું જોઈએ. જેથી પાછલી હરોળમાં બેઠેલા ભાઈ-બહેનો પણ શાંતિપૂર્વક સાંભળી શકે. આના જેવી મોટી પ્રભાવના બીજી કોઈ નથી.
    16. (૧૬) તમારી ગલી, મહોલ્લા કે કોલોનીમાં રહેતા, ઓછી આવક ધરાવતા અથવા આવકનું કોઈ સાધન ન હોય તેવા સાધર્મિક ભાઈઓ માટે થોડું ઘણું પણ ફંડ ભેગું કરીને પછી જ સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેસો, જેથી તમારું પ્રતિક્રમણ તો શોભી જ ઊઠશે; તમારું અંતર પણ આનંદ વિભોર થઈ જશે.
    17. (૧૭) સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેસો તે સમયે તમારી શિસ્ત અનુકરણીય હોવી જોઈએ. પૌષધશાળા પણ શાન્તિ અને વાતાવરણ શુદ્ધ રાખો જેથી તમારું સાંવત્સરિક પ્રતિક્રમણ સફળ ગણાય.
    18. (૧૮) પર્યુષણ પર્વ પર સ્વપ્નો, પારણા આદિ ચઢાવા બોલીને અને ભગવાન મહાવીરના જન્મ-વાંચનના સમયે ઉપસ્થિત રહીને જ તમારું કર્તવ્ય પૂર્ણ થઈ ગયું છે તેમ ન સમજો. આ બધું કરવાની સાથે જ તમે ધાર્મિક પાઠશાળાના શિક્ષક-શિક્ષિકાઓને પણ એક મહિનાનો વધારાનો પગાર આપો. દીન-દુઃખી અને અનાથોથે એક ટંકનું ભોજન આપો. માંસાહારી તથા શરાબીઓની વચ્ચે પોતાનું જીવન વ્યતીત કરતા આપણા સાધર્મિક ભાઈઓને પાપના સંસ્કારોથી બચાવવા માટે ઉત્તમ રહેઠાણનો પ્રબંધ કરવામાં લાખો રૃપિયાનું કરેલું દાન પણ એળે જતું નથી. તેથી આપ ઉપર જણાવેલ ત્રણ કાર્યોમાં તમારું ધન લગાવીને વાર્ષિક દાનનો અનુપમ લાભ પ્રાપ્ત કરવાનો અવશ્ય પ્રયત્ન કરો.
    19. (૧૯) પર્યુષણ પર્વ પછી પારણા પંચમીનું સ્વામીવાત્સલ્ય કરો, ત્યારે બચેલી મિઠાઈને વેચવાની ભાવના ન રાખો. પરંતુ તમારા ગામ, નગર કે વસતીમાં રહેતા ઓછી આવક ધરાવતા શ્રાવકો તથા ગરીબ સાધર્મિકોને બે-ત્રણ દિવસ તેમના બાળ-બચ્ચા ખાઈ શકે તેટલી મિઠાઈ મફતમાં આપવાની ઉદાત્ત ભાવના રાખો. તમારા સ્વામીવાત્સલ્ય પર તો કળશ ચઢવા જેટલું પુણ્ય આપને મળશે.
    20. (ર૦) જૈન ધર્મને સ્થિર કરવા માટે, સ્થિર રાખવા માટે અને તેની શાનમાં વૃદ્ધિ કરવા માટે બધા જ સંપ્રદાયો, ગચ્છો તેમજ સમુદાયોમાં રાગ-દ્વેષ મુક્ત વાતાવરણ બનાવ્યા વગર કોઈ રસ્તો નથી. કારણ કે સદંતર ઊંધી દિશામાં જઈ રહી દેશની રાજનીતિના શાપને કારણે દેશની આંતરિક દશાનું અવમૂલ્યન થઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં આગામી કાળ, વર્ષ કે મહિના કઈ દિશામાં જશે તેની કોઈને ખબર નથી.
    21. (ર૧) આપણે નમો લોએ સવ્વ સાહૂણં પદથી અઢી દ્વીપમાં વસતા સમસ્ત સાધુ-મુનિવરોને ભાવપૂર્વક વંદના કરીએ. આપણે ઐરાવત કે મહાવિદેહ ક્ષેત્રના મુનિઓને તો જોયા પણ નથી. છતાં આપણે બેઠા બેઠા તે ક્ષેત્રોમાં સાધુ-સાધ્વીઓની પ્રશંસા કરીએ છીએ. ત્યારે આ ભરત ક્ષેત્રમાં આપણી દૃષ્ટિ સમક્ષ રહેતા પંચમહાવ્રતધારી મુનિઓ ભલે તે રાજસ્થાનના કોઈ ખૂણામાં હો કે પછી પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર અથવા બંગાળમાં હો કે પછી દિલ્હી, મુંબઈ, બેંગલોર જેવા મહાનગરોમાં હો આ બધાને જ મહાવ્રતધારી સમજીને તેમને ભાવ-વંદના અવશ્ય કરવી જોઈએ. તેમના પ્રતિ મતભેદ ન રાખીને તેમની પણ ક્ષમાપના કરીને પોતાના સમ્યકત્વને વિશુદ્ધ બનાવીએ, કારણ કે ક્ષમાપના જ પર્વાધિરાજનો અમર તથા પવિત્ર સંદેશ છે. તમે આ એકવીસ સૂત્રોને તમારા જીવનમાં અવશ્ય ઉતારો, તેમના પર અમલ કરો અને પોતાનું જીવન નિર્દોષ અને નિષ્પાપ બનાવો, એ જ મારું નમ્ર નિવેદન છે.
પર્યુષણ શબ્દમાં છૂપાયેલા આઠ દિવ્ય સંદેશાઓ જ વિશ્વશાંતિનું મૂળ છે
    1. રેસનો ઘોડો જેમ શનિવારે તૈયાર થઈ જાય તેમ પર્યુષણ પર્વ આવતાની સાથે જ જૈન સમાજમાં આરાધના સાધવા દ્વારા પર્વને ઉજવવાની તડામાર તૈયારીઓ થઈ જાય છે. તપ-ત્યાગને પ્રભાવનાઓ દ્વારા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરતો એવો જૈન સમાજ બહુધા આ પર્વના મર્મને સમજવામાં વંચિત રહ્યો હોય તેવું લાગે છે. દેખાદેખી અને ગતાનુગતિકતાથી જ પર્વ ઉજવાઈ જતં હોય તેવું અચૂક ભાસે છે.
      – પડોશી કે બહેનપણીએ અઠ્ઠાઈ કરી એટલે મારે પણ કરવી છે.
      – બાજુવાળો આટલી ઉછામણી બોલ્યો તો મારેય પાછળ ના રહેવું જોઈએ.
      – સ્વજન પરિજને તપની ઉજવણી આ રીતે કરી તો મારે તેનાથી ચઢિયાતી ઉજવણી કરવી છે. આ છે દેખાદેખી.
      – પર્યુષણમાં આપણે તો વર્ષોથી આઠ દિવસના પૌષધને અઠ્ઠાઈ ચાલુ છે.
      – આપણે તો આઠે દિવસ ધંધો બંધ જ રાખવાનો.
      – આપણે તો સત્તરે સત્તર પ્રતિક્રમણ ૩પ વર્ષથી કરીએ છીએ.
      – આપણે તો આઠે દિવસ મૌન, લીલોતરી ત્યાગ, વ્યાખ્યાન શ્રવણ કરીએ જ. વિગેરે વિગેરે…
    2. આ છે ગતાનુગતિકતા. બધા મહાવીર જન્મને દિવસે નારિયેળ વધેરે એટલે આપણેય વધેરવાનું. બધા સંવત્સરી પ્રતિક્રમણ કરે એટલે આપણેય કરવાનું.
      જોકે આ રીતે ય જે ક્રિયા-સાધના થાય છે તે ખોટી નથી. પણ શા માટે આ આરાધના કરવાની ? તેની પાછળનો ઈતિહાસ શું ? તેનો રહસ્યાર્થ શું ? આ સાધનાથી મને શું લાભ થશે ? વિગેરે વિચારવા માટે કોઈની પાસે સમય પણ નથી ને જિજ્ઞાસા પણ નથી.
    3. ‘નિશિથચૂર્ણિ’ નામના ગ્રંથમાં પર્યુષણ શબ્દના રહસ્યનો ભેદ પ્રગટ કર્યો છે. એક જ શબ્દના અનેક અર્થ કરી પર્યુષણ પર્વની સૂક્ષ્માતિસૂક્ષ્મ સાર્થકતાને વણી લેવામાં આવી છે. પર્યુષણ પર્વના દિવસ આઠ. તો પર્યુષણ શબ્દમાંથી નિકળતા પર્યુષણના કર્તવ્યોને પ્રદર્શિત કરતા આઠ દિવ્ય સંદેશાને પણ ટૂંકમાં આપણે જાણી માણી લઈએ.
    4. (૧) પર્યુષણઃ પરિ=સમન્તાત્ ઉષણં=વસવું.
      અર્થાત્ આખા જૈન સમાજે સાથે ભેગા થવું. ઉજાણી જે જલસા કરવા નહીં પણ આરાધના કરવી. સમૂહમાં થતી સાધનાથી એક બીજાને પ્રેરણા મળે, દીક્ષાને બળ મળે. ઉત્સાહવૃદ્ધિ સહજ બને. નવા નવા સાધર્મિક બંધુઓનો પરિચય કેળવાય. નિઃસ્વાર્થ પ્રેમ-સંબંધ વધે. તેના દ્વારા પરસ્પર ધર્મ-વિકાસ શક્ય બને. એક ભગવાન અને એક ધર્મને માનનારા સાધર્મિકોને સ્થિતિ પરિસ્થિતિનો ખ્યાલ આવે. પારસ્પરિક સહાયભાવ દ્વારા જૈનોનું આ રીતે ઉત્થાન થતા ધર્મની આબાદી વધતી જાય. મહાવીર જન્મ વાંચન, સંવત્સરી પ્રતિક્રમણ વિગેરે સમય સમસ્ત સંઘ આ રીતે ભેગો થતો જોવા મળે છે.
      સ્વામીવાત્સલ્ય વિગેરેની પ્રથા પાછળ પણ આ જ ગર્ભિત ઉદ્દેશ સમાયેલો છે. ભગવાનના દરબારમાં કોઈ ઊંચા નહીં કોઈ નીચા નહીં. સબ સમાન. આ રીતે વર્ષમાં ભેગા થાય તો જ સંઘનું સંખ્યાબળ ખ્યાલ આવે. ને મુખ્ય ઉદ્દેશ તો જૈન-જૈન ઉન્નતિ કરવી એ જ છે. ક્યારેક સંઘ-શાસનના સળગતા પ્રશ્નોનો પણ આ સમુદાયમાં વિચાર કરી નિકાલ કરી શકાય.
      ટૂંકમાં બધા ભેગા થાવ, ને જૈન માત્ર પ્રત્યે રાગ પ્રેમ ઊભો કરી પરસ્પર સહાયક બની સાધર્મિકના સંબંધને મજબૂત કરો.
    5. (ર) પર્યુપાશના ઃ પરિ = સમન્તાત્ = ચારે બાજુથી + ઉપાસના
      દેવ-ગુરુ-ધર્મની વિશિષ્ટ ઉપાસના આ પર્વની દેન છે. બહુજન સમાજ આ આઠ જ દિવસ આવતો હોય છે. ત્યારે પરમાત્માના મંદિરની ભવ્ય મહાપૂજા, પ્રભુની લાખેણી અંગરચના વિગેરે દ્વારા ભક્તિના ભાવો વધારવાના હોય છે. રાત્રે સંગીતની સુરાવલિઓ સાથે ભણાતી ભક્તિ સ્વરૃપ ભાવનાઓમાં ખોવાઈ જવાનું હોય છે. વિશિષ્ટ, ઉત્તમ દ્રવ્યોથી પરમાત્માની પૂજામાં કલાકો સુધી મસ્ત બની ઝૂમવાનો આનંદ લૂંટવાનો હોય છે.
      સમસ્ત સંઘને આરાધના કરાવવા પૂજ્ય ગુરૃભગવંતોની વૈયાવચ્ચ પણ કરવાની હોય છે. ઉપવાસ-અઠ્ઠાઈ કે માસક્ષમણાદિ ઘોર તપ કરનારાઓની સેવા કરવા દ્વારા પણ પોતાના અંતરાયો તોડવાના હોય છે. ટૂંકમાં કોઈને બતાડવા કે પ્રસિદ્ધિ માટે નહીં પણ એક માત્ર આત્મકલ્યાણના લક્ષથી દેવ-ગુરુની એકાગ્ર ચિત્તે ઉપાસના-આરાધના કરવી.
    6. (૩) પર્યુશમનાઃપરિ=સમન્તાત, ઉપ=સમીપે, સમના=સારા મનવાળા
      ચારે કોરથી ચિત્તને શુદ્ધ-પવિત્ર કરવું. પાપિષ્ટ વિચારોથી ખદબદતા મનને પાવન કરવાની પ્રક્રિયા એટલે જ પર્યુષણ પર્વ. ડગલેને પગલે કાચંડાની જેમ રંગ બદલતા મનને આઠ દિવસ રિમાંડ ઉપર લેવાનું છે. ધંધા પાણીના વિચારોથી ને સાંસારિક વ્યવહારોથી સંપૂર્ણ પરાઙમુખ થવાનું છે. આઠ દિવસ તો કિંમતી મનમાં એક પણ અશુભ વિચાર ઘૂસી ના જાય તેની કડક ચોકી રાખવાની છે. મુશ્કેલ સાધના લાગે છે ને ? પણ અશક્ય તો નથી જ. પરમાત્મભક્તિ-પચ્ચકખાણ-વ્યાખ્યાન શ્રવણ- ધર્મ ચર્ચા-પ્રતિક્રમણ-ભાવના વિગેરે ધર્મક્રિયાઓમાં સવારથી જ સાંજ સુધી પ્રવૃત્ત રહેવાથી મન સહજ શુભ ભાવથી વાસિત થતું જાય છે.
      બીજો અર્થ એવો પણ થાય કે- સર્વ પ્રતિ સમાન મનવાળા થવું. ઊંચ-નીચનો ભેદ નહીં. સૌ જીવોને આત્મ સમાન માનવા. તેના દુઃખે દુઃખી થવું. તેની પીડાથી મન દ્રવિત થવું. સાધર્મિક ભક્તિને આ જ રીતે સૌને સમાન ગણી કરવામાં આવે છે. આ દિવસોમાં જીવોને છોડાવવાની દેખાતી વ્યાપક પ્રવૃત્તિમાં પણ આ અર્થ ગર્ભિત છે કે જાનવરને ય જીવ વહાલો છે. મારા જેવો જ જીવ તેનામાં છે.
      આમ ચિત્તશુદ્ધિ અને સૌ પ્રતિ સમાન ભાવ આ પર્યુપશમના શબ્દનો રહસ્યાર્થ છે.
    7. (૪) પર્યુપશમનાઃ પરિ=સમન્તાત, ઉપશમનં.
      ચારે કોરથી કષાયોને શાંત કરવા. પર્વમાં થતી પૂજા-પૌષધ-પ્રતિક્રમણ કે પચ્ચકખાણની બાહ્ય પ્રક્રિયા સાથે તેના ફળ સ્વરૃપ અંતરના દોષોને દૂર કરવાની સાધના કરવાની છે. અંદર જ સડો હોય ત્યાં ગુમડા ઉપર બહારથી મલમ લગાડવાનો શો અર્થ ? અંતરમાં કષાયની આગ ભડકે બળતી હોય ત્યાં પર્વની સાધના કરવાનો શો અર્થ? ક્રોધ-માન-માયા-લોભ વગેરે કષાયોના ઉકળતા ચરૃને પ્રશમરસના નીર દ્વારા શાંત-પ્રશાંત કરીએ ને તે દ્વારા આત્મગુણોને ખીલાવટ કરવાનો પ્રયત્ન કરીએ તો જ પર્વ આપણા માટે સાર્થક બને. બાકી તો આવા સેંકડો ઙ પણ આપણા માટે વ્યર્થ છે.
    8. (પ) પરિજુષણં ઃ પરિ=સમન્તાત, જુષણં=જોડવા.
      એટલે કે ચંચળ મનને, બેફામ વાણીને અને નિરંકુશ કાયાને આત્મહિતકર ધર્મસાધનામાં જોડી રાખવા. તપ ત્યાગ દ્વારા તનને, ધર્મ ચર્ચા દ્વારા વચનને અને કલ્પસૂત્ર-પરમાત્માના જીવન ચરિત્રોને મનન દ્વારા મનને અંકુશમાં રાખવાનું છે. તે માટે જ અઠ્ઠમ તપ, વ્યાખ્યાન શ્રવણ આદિ વિધિઓ બતાડવામાં આવી છે.
    9. (૬) પરિજુષણં ઃ પરિ=સમન્તાત, જુષણં=પ્રીતિ.
      સર્વત્ર પ્રમોદભાવ. ઈર્ષ્યા અને દ્વેષના ઝેર દ્વારા જીવન બરબાદ કરતા જીવો માટે આ પરિજુષણ ગારૃડીમંત્ર સમાન છે. જ્યાં ગુણ દેખાય ત્યાં માથું નમાવી દો. પછી ભલે ને તે આપણા કરતા નાનો હોય. જ્યાં આરાધના દેખાય તેની મુક્ત કંઠે પ્રશંસા કરો. પછી ભલેને તે આપણો દુશ્મન હોય. જ્યાં શુદ્ધ ભક્તિ છે, નિઃસ્વાર્થ પ્રેમ છે, સમય અને શક્તિનો સદુપયોગ છે. જ્યાં નાનામાં નાનું પણ સુકૃત કે શાસનની સાધના પ્રભાવના છે તેની અંતઃકરણથી અનુમોદના કરો. સૌ પ્રત્યે મૈત્રી, ગુણિયલ પ્રત્યે પૂજ્યભાવ ને નાના પ્રત્યે વાત્સલ્યભાવ દ્વારા જીવન ઉદ્યાનને સુવાસિત રાખવાનું છે. ઈર્ષ્યા તો એક એવી આગ છે જેમાં સ્વયં જ બળીને ખાખ થવું પડે. એને તિલાંજલી આપવામાં જ પર્વની સાચી આરાધના છે.
    10. (૭) પરિશ્રમણા ઃ એટલે ધ્યેય તરફ દૃષ્ટિ રાખી ત્યાં પહોંચવા સતત પ્રયત્નશીલ રહેવું.
    11. (૮) પર્યુપક્ષામણાઃ બધી રીતે ક્ષમાપના કરવી.
      આપણે કરેલા પાપોની ક્ષમાપના, બીજાને આપેલા દુઃખોની ક્ષમાયાચના. વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા આચરેલા પાપોની ક્ષમા ગીતાર્થ ગુરુ પાસે આલોચના કરી આપેલા પ્રાયશ્ચિતને વહન કરવા દ્વારા થાય છે. ને બીજાના મનને પહોંચાડેલા ઠેસની ક્ષમા કરી પાછી તે ભૂલ ના થાય તેવા ભાવ સાથે ને આંખમાં અશ્રુબિંદુ સાથે થતા મિચ્છામિ દુક્કડં દ્વારા થાય છે.
      પાપો તો જનમ જનમ કર્યા, ક્ષમાનો ભાવ આ જનમમાં જ મળ્યો છે. બીજાને રીબાવી, રડાવી ને આનંદ લૂંટવાના ગલીચ કામો અનેક જન્મમાં કર્યા, અંતરના ઉદ્દગાર સાથે ક્ષમાપના કરી કરેલા દુષ્કૃત્યો પાછળ રડવાનો આનંદ આ જનમમાં જ મળ્યો છે. માટે જ પેટ ભરીને રડી લો. કરેલા પાપો પાછળને બીજાને આપેલી પીડા પાછળ.
      આમ પર્યુષણ પર્વની આઠ દિવસની આરાધના (૧) પ્રેમ, (ર) પરમાત્મભક્તિ, (૩) પવિત્ર, (૪) પ્રશાંતવાહિતા, (પ) પ્રકૃષ્ટ યોગાભ્યાસ, (૬) પ્રમોદભાવના, (૭) પરબ્રહ્મલીનતા, (૮) પ્રતિક્રમણ. આ આઠ પ્રકારયુક્ત પ્રકૃષ્ટગુણોને આત્મસાત કરવાથી સાર્થક બને છે.
      એક એક ઉપવાસ કરીને જેમ અઠ્ઠાઈ કરીએ છીએ તેમ રોજ એક એક દિવ્ય સંદેશ ઉપર મનોમંથન કરી તે ગુણોને પ્રાપ્ત કરવા દ્વારા પ્રતિપક્ષી આઠ દોષના ત્યાગની અઠ્ઠાઈ કરી પર્યુષણ પર્વને સાચા અર્થમાં ઉજવીએ.
    12. સ્વાગત કરીએ પર્વાધિરાજ પર્યુષણ પર્વનું…
    13. પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ અને કષાયના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણ પર્વ.
      જીતે તે જિન. જિનને પૂજે તે જૈન. જીતે એટલે વિષયોને નમાવે, અહમ્નો અંત આણે અને ચંચળ મનને કાબૂમાં રાખે. પર્યુષણ પર્વના દિવસો એ આત્માના શુદ્ધ ભાવો તરફ પ્રયાસ કરવાના દિવસો છે, કારણ જૈન ધર્મ એ આત્માનો ધર્મ છે. અહિંસા તેની પરિપાટી છે, ને અનેકાંત એની પરિભાષા છે. આત્માને જાણવો ને ઓળખવો તથા એને પામવા માટે પ્રયત્ન કરવો એ એના સિદ્ધાંતનું મૂળ છે. દેહ અને આત્મા એટલા એકાકાર થઈ રહેલા છે કે ઘણીવાર દેહને જ મહત્ત્વ આપી દેવામાં આવે છે. દેહના સુખ માટે રાત-દિવસ યત્ન કરવામાં આવે છે. દેહના ઈન્દ્રિય-મનને બહેકાવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
      જૈન ધર્મ કહે છે કે દેહ અને આત્મા એક નથી. દેહ જુદો છે અને આત્મા ભિન્ન છે. દેહ સાધન છે, આત્મા સાધ્ય છે. એ સાધ્યનો પંથતપ, ત્યાગ, અહિંસા ને સંયમથી ભરેલો છે. સાગર તરવા માટે જેમ હોડી સાધન છે, એમ સંસાર તરવા માટે દેહ સાધન છે. સાગર પાર કર્યા પછી જેમ કોઈ હોડીને ગળે વળગાડી રાખતું નથી, એમ સંસાર તરવા દેહ સાધન છે, એટલા પૂરતું એનું મહત્ત્વ છે. એટલા પૂરતો એને સાચવવાનો હેતુ છે. દેહને જ વળગી રહી, આત્માનું અસ્તિત્વ ભૂલી જવું એ જીવનદ્રોહ છે. દેહને સાચવવા ખરો, પણ એની ખૂબ આળપંપાળ કરવી એ ધર્મદ્રોહ છે. આત્માને ઓળખવા માટે માણસે અભય, અહિંસા અને પ્રેમ જીવનમાં કેળવવાનાં છે. માત્ર મંદિરોમાં જવાથી આપણું કલ્યાણ થવાનું નથી, પણ એ મંદિરના નિત્યસંગથી આપણું દિલ પણ મંદિર બની જવું જોઈએ.
      મૂર્તિને નિત્ય નમસ્કાર કરવાથી માણસનું કલ્યાણ થતું નથી. પણ એ મૂર્તિ કોની છે, શું કર્યું કે જેથી તેમની મૂર્તિ બની, તેમની પૂજા શા માટે શરૃ થઈ એ વિચારવું જોઈએ અને એ વિચારી જીવનમાં ઉતારવું જોઈએ. મૂર્તિપૂજા તો જ ફળદાયી છે.
    14. ગુરુવાણી સાંભળી, પણ એ શ્રદ્ધાથી જીવનમાં કેટલી ઉતારી, એનો રંગ જીવનના પોત પર પાકો લાગ્યો કે કાચો, તે સતત વિચારવું જોઈએ. વાણી તો પોપટની પણ હોય છે, પરંતુ એ પોપટિયા વાણી કંઈ કલ્યાણ કરતી નથી. વાણી પ્રમાણેનું વર્તન જ કલ્યાણકર છે.
    15. અહિંસાને પરમ ધર્મ જાહેર કર્યો, પણ સંસારમાં કેટલી હિંસા ચાલી રહી છે, કેટલા યુદ્ધો ચાલી રહ્યા છે, આપણા સુખ-સગવડ માટે પણ કેટલી નિરર્થક હિંસાઓ નિત્ય આચારાઈ રહી છે, તેનો ખ્યાલ કરવો ઘટે અને એ પાપ વ્યાપારો ન થાય તે માટે પ્રયત્નશીલ થવું ઘટે.
    16. જે તલવારને જાળવે છે, તલવાર એને જાળવે છે. ધર્મનું પણ એવું છે. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેનું રક્ષણ કરે છે.
      આજે ભય અને હિંસાનું પ્રાધાન્ય સ્થપાઈ રહ્યું છે. સંસારની સમગ્ર શક્તિઓ અને વસ્તુઓનો મોટો ભાગ ભય ઉપજાવવામાં અને હિંસા કેળવવા પાછળ ખર્ચાઈ રહ્યો છે. એક બોમ્બ લાખો ગરીબોનું એક ટંકનું જમણ જમી જાય છે. એ જમણ બંધ થાય તો જ દુનિયા સુખી થાય.
    17. આ સંસારનું ચિત્ર એક ભયંકર આગનું છે. ક્યાંક યુદ્ધની આગ છે, ક્યાંક ભૂખની આગ છે, કયાંક મોટાઈની ને સત્તાની આગ છે. આજ કોઈ દેશ કે માનવી ગમે તેટલો આગળ વધ્યો હોય તોય શીતળતાનો અનુભવ કરતું નથી. દરેક સ્થળે ત્રાહિમામ્ ને ત્રાહિમામ્ સંભળાય છે. એ તમામ હાયકારાઓમાંથી છૂટકારાનો ઉપાય આત્માની ખોજ છે. પ્રેયના અને શ્રેયના, નશ્વર અને વિનશ્વરના વિવેકમાં છે.
      સંસારનો સંગ્રામ તો સંતાપ આપે તેવો છે. સતત પ્રવૃત્તિ એ જ માનવીનું જીવન બન્યું છે. એને શાંતિ નથી, એને વિરામ નથી, ક્યાંય ચેન નથી; યંત્ર પણ પળ-વિપળ ધમધમતું બંધ થતું હશે, પણ માનવીના મનને કોઈ વિરામ નથી. એ ચાલતું દેખાતું નથી, છતાં સતત ચાલ્યે જ જાય છે. એ ઊભું નજરે પડે છે, છતાં દોડતું હોય છે. મનને શુદ્ધ કરી વિષયોને જીતવાનો દરેક જૈનનો પ્રયત્ન હોય છે. નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના એનો સંપર્ક સધાતો નથી.
    18. આત્માની સમીપ રહેવું એટલે શું ? અનંતકાળથી જ આત્મા મોહ અને મિથ્યાત્વમાં અથવા કષાય અને અજ્ઞાનમાં જ વસતો આવ્યો છે. પોતાના સ્વ-ભાવને ભૂલીને વિભાવને જ નિજ સ્વરૃપ માની બેઠો છે. પરિણામે માનવી પારાવાર પીડા, દુઃખ, કંકાસ અને કલેશમાં ડૂબેલો છે. ભૌતિક અને લાલસાના મૃગજળ તરફ આંધળી દોટ લગાવી રહ્યો છે.
    19. પર્યુષણ વર્ષાઋતુમાં આવે છે જ્યારે જમીન ચોખ્ખી બની ગઈ હોય છે. નદીમાંથી મલિનતા ઓસરી ગઈ હોય છે. સફર માટે સાગર અનકૂળ હોય એમ આખી પ્રકૃતિ જ્યારે શુદ્ધ થોય ત્યારે સાધનાનો સમય આવે છે.
      પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું’. એટલે કે સાધુજનોને ઉદ્દેશીને ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે સ્થિર વસવાટ કરીને ધર્મની આરાધના કરવી, પરંતુ પર્યુષણનો લાક્ષણિક અર્થ છે ‘આત્માની સમીપ વસવું’. આત્માને જોવા માટે એકાંત અને શાંતિ જોઈએ. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઈએ.
    20. આવા માનવીએ પર્યુષણ પર્વ પૂછે છે કે તું કોણ ? તેં શું મેળવ્યું છે ? અને શું પામવાનું તારું લક્ષ્ય છે? દોડધામ કરતો માનવી છેક મૃત્યુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. એ માનવીને ભૌતિક સમૃદ્ધિની મૂર્છામાંથી જગાડતું પર્વ તે પર્યુષણ પર્વ છે. ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું આ પરમ પર્વત્ર પર્વ છે. અજ્ઞાનમાંથી સમ્યક્જ્ઞાન તરફ, સ્વહિતને બદલે પરહિત તરફ અને વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં લઈ જનારું પર્વ છે. જે સ્વહિતની સાંકડી મર્યાદામાંથી બહાર કાઢીને પરહિતનો વિચાર કરવા માંડે છે. આ માટે પહેલું કામ કરવાનું છે ભાવશુદ્ધિનું. જૈન ધર્મ ભાવનાનો ધર્મ છે. આ ભાવનાની શુદ્ધિ પર જીવનની વિશુદ્ધિનો આધાર છે. ચિત્તમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવોને ધારણ કરવાના છે.
    21. શાસ્ત્રો કહે છે કે નમસ્કારમાં જેમ નવકાર મંત્ર મોટો છે, તીર્થમાં જેમ શત્રુંજય તીર્થ મહાન છે, દાનમાં અભય મહાન છે, ધ્યાનમાં શુકલધ્યાન મહાન છે, રત્નમાં ચિંતામણીરત્ન મહાન છે એમ પર્વમાં પર્યુષણ પર્વ મહાન છે.
      હજારો જીવો આકંઠ સ્નાન કરી મનચિત્ત દ્વારા આત્મા પર લાગેલા એક વર્ષના મેલને દૂર કરશે. આ મહાપર્વની આરાધનામાં પાંચ કર્તવ્ય તો કરવા જ જોઈએ. એ વિના આખીય ય આરાધના અધૂરી રહે.
    22. (૧) અમારિ પ્રવર્તન ઃ જૈન ધર્મનો મર્મ અહિંસા અને અભયમાં છે. મનથી કોઈને હણીએ નહિ. વચનથી કોઈને હણીએ નહિ. કાયાથી કોઈને હણીએ નહિ. હું કોઈને ઈજા કરીશ નહિ. મને કોઈ ઈજા કરશે નહિ. આ સાચો અભય ! મને જેમ સુખ પ્યારું છે, ભોજન પ્યારું છે, જ્યારે વધ અને બંધ અપ્રિય છે. એમ દરેકને પણ પ્રિય-અપ્રિય હોય છે. આ જ સાચી અહિંસા. યથાપિંડે તથા બ્રહ્માંડે એવી માનવીની ભાવના.
      અભય એ સંસારની સર્વશ્રેષ્ઠ બક્ષિસ છે. અભયદાન એ મહાદાન છે. જૈન ધર્મમાં સંપૂર્ણ અહિંસામય જીવનને ઉચ્ચ આદર્શ તરીકે સ્થાપવામાં આવ્યું છે. વ્યવહારમાં આ આદર્શનું અમલીકરણ કરવા માટે જેવો પ્રયોગ જૈન પરંપરામાં થયો છે એવો બીજે ક્યાંય થયો નથી. સંસારમાં વેરઝેરની સળગતી હોળીને અભયદાનથી દિવાળીમાં પલટાવવાનો આજે નિશ્ચય કરીએ.
    23. ર) સાધર્મિક વાત્સલ્ય ઃ સાધર્મિક એટલે અહિંસા-સત્ય-આદિ પાલનાર. એ માનવી ભલે કોઈ છાપાવાળો ન હોય. અહિંસા-સત્ય આચરનાર ભલે પછી તે ગમે તે સંપ્રદાયનો હોય પણ એ સાધર્મિક છે. એ સાધર્મિક તરફ વાત્સલ્યભાવ-પ્રેમભાવ પ્રગટ કરવો. આ આચરણમાં એને યેનકેન પ્રકારેણ મૂકવો એનું નામ સાધર્મિક વાત્સલ્ય છે.
      સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુ તરફ આ આત્મતુલ્ય દૃષ્ટિથી જોતો માનવી પોતાની નજીકના જ સાધર્મિકને કઈ રીતે ભૂલી શકે ? પોતાના સાધર્મિકની બાહ્ય અને આંતરિક મુશ્કેલીઓ દૂર કરવા માટે તન, મન અને ધનથી તૈયાર રહેવું જોઈએ.
    24. (૩) ક્ષમાપના ઃ મન ભારે અટપટો પદાર્થ છે. કોઈવાર ખેંચતાણ થઈ જાય, કોઈવાર અજાણે ભૂલ થઈ જાય, આવે સમયે ક્ષમા માંગી લેવાય, ક્ષમા આપી દેવાય. બસ, ફેંસલો આવી ગયો.
      અવેરભાવ જ્યાં હોય, ત્યાં કોણ શત્રુ રહે ? પોતાના ગુણને રજસમાન અને પારકાના ગુણને પહાડ સમાન જોનાર તેમ જ પારકાના પહાડ જેવા અવગુણને રજ સમાન જોનારો માનવી સાચો ક્ષમાપ્રાર્થી છે. ભગવાન મહાવીર કહે છે કે જે ઉપશમે છે, જે ખમે છે, ખમાવે છે તે જ સાચો આરાધક છે.
      આત્મશુદ્ધિ અને આરાધનાનો સાચો સરવાળો છે ક્ષમાપના.
    25. (૪) અઠ્ઠમ તપ ઃ જૈન ધર્મમાં તપનું ખૂબ મહત્ત્વ છે. જૈન દર્શને તપના વિજ્ઞાનની ઊંડી ચકાસણી કરી છે. બાહ્ય તપના છ ભેદ અને અભ્યંતર તપના છ ભેદ એમ કુલ તપના બાર પ્રકાર બતાવ્યા છે. આમાં નાના-મોટા, સશક્ત-અશક્ત, સ્ત્રી અને પુરુષ સહુ કોઈનો સમાવેશ થાય છે. યથાશક્તિ તપનો આદેશ આપીને અતિ તપનો વિરોધ બતાવ્યો છે, મન પર કાબૂ રહે અને ચેતના જવલંત રહે એટલું તપ.
      આ તપસ્યા એટલે એક દિવસ કે વધુ વખતની અન્નબંધી નહિ પણ એ તપ ઈન્દ્રિય શુદ્ધિ અને મનશુદ્ધિ કરનાર અગ્નિનો તપ હશે. એમાં એ તપશે. તપ્યા પછી એનું કુંદન, કથીર વિહોણું બનશે. માયા ગળશે. મદ ઓળગશે. મન નિર્મળ થશે.
    26. (પ) ચૈત્યપરિપાટી ઃ ચૈત્ય એટલે જિન મંદિર. તેની પરપાટી એટલે યાત્રા કરવી. પર્યુષણના આઠ દિવસોમાં સાંસારિક કાર્યોથી નિવૃત્તિ મેળવીને ધર્માનુષ્ઠાનમાં જોડાઈ જવું. બીમારને જેમ વૈદ્ય આરામ લેવાનું કહે છે એમ ધમાલ અને ધાંધલમાંથી નિવૃત્તિ લઈ પ્રભુદર્શન, વંદન, પૂજનમાં મન, વચન અને કાયાનો મેળ સાધીને ભાવપૂર્વક જોડાઈ જવું. આ છે આત્મશુદ્ધિ અને જગત કલ્યાણને ચીંધતા પર્યુષણ પર્વનાં પાંચ મુખ્ય કર્તવ્ય !
પર્યુષણ વાક્યો
    1. પાવન કરે તેને પર્વ કહેવાય, પ્રસન્નતા આપે તે પર્વ કહેવાય.
      ગાળી નાખે જે ગર્વ માનવનો તેને પર્યુષણા પર્વ કહેવાય
    2. ગુસ્સો થઈ જાય તે ચાલે પણ ગાંઠ ન વાળવી જોઈએ.
      ક્રોધ થઈ જાય તો ચાલે પણ ‘અબોલા’ ન રાખવા જોઈએ.
      આવ્યું છે આ મહાપર્વ, ચાલો બધાને માફ અને હૃદયને સાફ કરી દઈએ.
    3. ક્ષમાપના માંગવામાં હૃદયને થોડુંક નમાવી દઈએ.
      ક્ષમાપના આપવામાં મનને થોડુંક મનાવી લઈએ, અને
      ક્ષમા રાખવામાં અંદરનું થોડુંક સામર્થ્ય કેળવી જોઈએ. ‘મિચ્છામિ દુક્કડમ્ સાચું અપાશે.
    4. નમ્રતા વગર ક્ષમા માંગી ન શકાય, ઉદારતા વગર ક્ષમા આપી ન શકાય અને
      સમર્થતા વગર ક્ષમા રાખી ન શકાય. સહુથી સહેલી અને સહુથી અઘરી ક્ષમા છે.
    5. વિષય કષાયોની ચરબી આત્મામાં વધી ગઈ છે. આરોગ્ય જોખમમાં છે, તેનું ડાયેટિંગ કરવું
      અનિવાર્ય થઈ પડ્યું છે અને તેની બધી પ્રોસીજર પર્યુષણા મહાપર્વમાં છે.
      છેલ્લે હૃદયથી ક્ષમાપના લેવા-આપવા-રાખવામાં છે.
    6. આ જગતમાં કોઈ નાનો નથી કોઈ મોટો નથી,
      ક્ષમા માંગે તે મોટો, અને ક્ષમા ન રાખે તે નાનો.
    7. કોઈને ‘નડશો’ નહિં, કોઈને લડશો નહિં, કોઈ પોતાનો મળી જાય તો કનડશો નહિં.
      કારણ આ દુનિયામાં લાખો આવે અને જાય તો પણ દુર્ભાવમાં ગબડશો નહિં.
    8. કોઈના ઉપર તપનું નહિં એ જ મોટામાં મોટું તપ છે.
      મૌન રહીને જોયા કરવું એ જ સાચામાં સાચો જપ છે.
      ક્ષમા માંગો અને આપો એ જ અમોને સાચો ખપ છે.
    9. વેર વાળવામાં બેવડવળી જવાય છે વેર વળાવવામાં
      પ્રેમના વાવેતર થાય છે.
      ક્ષમાપના માંગવામાં અને આપવામાં વાંધો શું ?
Jain University

We make this belief a reality by putting clients first, leading with exceptional ideas, doing the right thing, and giving back.

Twitter Facebook-f Linkedin-in
About us
  • Contact us
  • Sitemap
  • Privacy Policy
  • Audio
  • Video
Contacts
Contact Person

MR. PRAVIN BHAI SHETH
(91)265-2427420/2410860

Contact Person

MR. NISHITBHAI SHAH
+91-9324328983

Contact Person

Kinjal Mehta
+91-9930890649

  • www.saraswatiaaradhna.in
  • www.nemisuridada.org

Copyright © 2022 jainuniversity by Newsreach. All Rights Reserved.